અનુયાયીઓ

બુધવાર, 27 જૂન, 2012

પ્રવાસન રાજયમંત્રી અને સંસદિય સચિવ આજે શહેરી કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કરાવશે

વડોદરા
પ્રવાસન રાજય મંત્રીશ્રી જિતુભાઈ સુખડિયા તથા સંસદિય સચિવશ્રી યોગેશભાઈ
પટેલ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી તેમજ નિગમ અધ્યક્ષો, આઈએએસ અને આઈપીએસ
અધિકારીઓની સાથે આવતીકાલ ગુરુવાર તા. ૨૮/૬/૨૦૧૨થી ત્રણ દિવસના નગર
પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના શહેરી કન્યા કેળવણી
મહોત્સવનો શુભારંભ કરાવશે. મહોત્સવના બીજા દિવસે, શુક્રવારે ગૃહ રાજય
મંત્રીશ્રી પ્રફુલભાઈ પટેલ શહેરની બે પ્રાથમિક શાળાઓના કન્યા કેળવણી
મહોત્સવમાં ભાગ લેશે.
પ્રવાસન રાજય મંત્રીશ્રી જિતુભાઈ સુખડિયા ગુરુવારે એકતાનગર ન્યુસમા રોડ
ખાતે શ્રી રંગઅવધૂત પ્રાથમિક શાળા અને ચાણકય પ્રાથમિક શાળામાં અને સંસદિય
સચિવશ્રી યોગેશભાઈ પટેલ દંતેશ્વર ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા પ્રાથમિક
શાળા અને રેલવે કોલોનીની કવિ કાલીદાસ પ્રાથમિક શાળામાં નવો પ્રવેશ
મેળવનારા ભૂલકાંઓને સવારના ૯.૦૦ કલાકે સત્કારશે. જયારે સાંસદશ્રી
બાળકૃષ્ણ શુકલા નવાપુરાની ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે, વુડા
અધ્યક્ષશ્રી નારણભાઈ પટેલ નિઝામપુરા અતિથિગૃહ પાસે મહર્ષિ અરવિંદ
પ્રાથમિક શાળા ખાતે, ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળા, છીપવાડ સ્થિત
નર્મદાબનેને ખુશાલચંદ્ર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને સાક્ષરતા
પ્રોત્સાહક આ અભિયાન શરૂ કરાવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનરશ્રી
અશ્વિનીકુમાર, શહેર પોલીસ કમિશનર શ્રી સતીષ શર્મા, નાયબ પોલીસ કમિશનરશ્રી
સતીષ ત્રિવેદી, અધિક પોલીસ કમિશનરશ્રી ડી.આર.પટેલ, પોલીસ તાલીમ શાળાના
આાર્યશ્રી આઈ.એમ.દેસાઈ, નાયબ પોલીસ કમિશનરશ્રી પી.એન.પટેલ, બી.આર.પાંડોર,
વીજ કંપનીની સલામતી નિયામકશ્રી વી.જે.ગૌતમ અને નાયબ મ્યુનિસિપલ
કમિશનરશ્રી આર.કે.સુગુર શહેરની પ્રાથમિક શાળાઓમાં બાળ ધનના વિઘાપ્રારંભને
વધાવશે.

આદિજાતિ ગામડાના સખીમંડળની આદિજાતિ બહેનોની મર્દાના સાહસિકતા - પુરુષોને
ફાવે તેવા ફરાસખાનાના ધંધામાં મેળવી છે સફળતા
વડોદરા
મિશન મંગલમ્‍ હેઠળની સખી મંડળની વ્યવસ્થાથી નારીશકિતની વ્યવસ્થાપન કુશળતા
અને છુપી વ્યવસાયિક ક્ષમતાઓ ઉજાગર થઈ રહી છે. આદિજાતિ બહુલ છોટાઉદેપૂર
તાલુકાના લીંબાણી ગામના જય સ્વામિનારાયણ સખી મંડળની સદસ્યા તમામ બહેનો
ગરીબી રેખા હેઠળ જીવતા આદિજાતિ પરિવારોની છે. આ દશમાંથી માત્ર ચાર બહેનો
ખપજોગું ભણેલી છે. તેમ છતાં, આ બહેનોએ બહુધા પુરુષોજને જ ફાવે તેવા
ફરાસખાનાના ધંધામાં સફળતા મેળવી છે. આદિજાતિ ગામડાંના સખી મંડળની આદિજાતિ
બહેનોની આ મર્દાના સાહસિકતા તરફ સહુનું ધ્યાન ખેંચાયું છે.
સખી મંડળની આ બહેનો નિયમિતપણે સભ્યદીઠ રૂા. ૩૦ પ્રમાપણે મહિને રૂા.
૩૦૦ની બચત કરે છે. બચત કરવામાં નિયમિતતાના ઈનામના રૂપમાં તેમના સખીમંડળને
મૂડીના રૂપમાં રૂા. ૧૦ હજારનું રિવોલ્વિંગ ફંડ મળ્યું છે. આ બચત
ભંડોળમાંથી બહેનોએ લગ્ન/મરણ જેવા સામાજિક પ્રસંગોએ જરૂરીયાત પ્રમાણે રૂા.
૩૦૦૦/- કે રૂા. ૧૫૦૦/- નું ધિરાણ મેળવીને પ્રસંગો પાર પાડયા છે. જો કે
હિમતવાળી આ બહેનોને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ઝોઝ શાખાએ ફરાસખાનાનો ધંધો
શરૂ કરવા રૂા. ૨ લાખનું ધિરાણ આપ્યું છે અને તેમાં રૂા. ૧ લાખની સરકારી
સબસીડીની રકમ ઉમેરીને મંડળે રૂા. ૩ લાખની મૂડીથી ફરાસખાનાના ધંધા માટે
જરૂરી માંડવો, તપેલાં, ડકોરેશન, ખુરશી, માઇક, લાઈટસેટ જેવી સંપૂર્ણ સાધન
સામગ્રી વસાવી છે.
ખાસ વાત એ બની છે કે સખીમંડળની મહિલા સદસ્યાઓના ધરવાળાઓ ફરાસખાનાના
ધંધામાં તેમના સહયોગી બન્યા છે. આ લોકો આસપાસના ગામોમાંથી ઑર્ડસ મેળવવા,
ભાવની વાટાધાટો કરવી, સાધન સામગ્રી લાવવા, લઈ જવા અને ગોઠવવા માટે વાહન
અને મજૂરીની વ્યવસ્થા કરવી જેવા પુરૂષોચિત કામો આ લોકોએ ઉપાડી લીધાં છે.
સાથી હાથ બઢાનાની આ ભાવનાને કારણે સખીમંડળ માટે અધરો ગણાય તેવો ધંધો સરળ
બન્યો છે.
હાલમાં મંડળે ધિરાણની રૂા. ૨ લાખની રકમમમાંથી રૂા. 1 લાખ તો પરત ચૂકવી
દીધાં છે. આગામી મોસમના વેપારમાંથી સંપૂર્ણ ધિરાણ પરત ચુકવી દઈને, નવા
મળનારા ધિરાણમાંથી નવી ડેકોરેશન આઈટમ્સ વસાવવા તેમજ વાસણ, ખુરશી સેટ,
મંડપ, ઈત્યાદિના બે સેટ બનાવવાનું આયોજન છે જેથી એક જ દિવસે એકથી વધુ
ઑડર્સ પૂરાં કરી શકાય. જિલ્લા ધટક દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં
લીંબાણીના સખીમંડળનું કામ ધણું જ સરાહનીય ગણવામાં આવ્યું છે. મિશન
મંગલમ્‍ યોજના અને સખીમંડળના માધ્યમથી લીંબાણીની આદિજાતિ મહિલાઓએ
વ્યવસાયિક સાહસિકતા, હિંમત અને ધગશની સાફલ્યગાથા કંડારી છે.

સખી મંડળના પ્રતાપે જય માતાજી સ્વસહાય જૂથની બહેનો ખેતી કરતી થઇ
વડોદરા ૨૭
ગ્રામીણ મહિલાઓના નસીબમાં મોટેભાગે ખેતરમાં મજૂર તરીકે પરસેવો પાડવાનું જ
લખાયેલું હોય છે. પરંતુ મિશન મંગલમ્‍ યોજના હેઠળ નારીશક્તિના સશક્તિકરણ
માટેની સચોટ વ્યૂહરચના સમાન સખી મંડળની રચનાના પ્રતાપે વાધોડિયા તાલુકાના
વ્યારા ગામની ગરીબી રેખા હેઠળના પરિવારોની બહેનો આજે જમીનો ગીરવે રાખીને
ખેતી કરતી થઇ છે.
આર્થિક પછાત એવા વ્યારા ગામમાં રોજીરોટી કમાવવાની સાધનસુવિધાનો અભાવ છે.
મહિલાઓના નસીબમાં બહુધા ખેતમજૂરી લખાયેલી છે. એવી આ શ્રમિક બહેનોએ મિશન
મંગલમ્‍ યોજના હેઠળ જય માતાજી સ્વસહાય જૂથની રચના કરી છે. બેન્ક ઓફ
બરોડાના ખાતામાં દર મહિને સદસ્ય દીઠ રૂપિયા ૩૦/-ની બચત જમા કરાવવાની આ
મંડળની નિયમિતતા અને ધગશને અનુલક્ષીને છ મહિના પછી થયેલા રેટિંગ અનુસાર
બચત સામે મંડળને રૂપિયા ૧૦ હજારનું રિવોલ્વિંગ ભંડોળ સરકારે ફાળવ્યું છે.
તે પછી મિશન મંગલમ્‍ યોજનાની પ્રોત્સાહક જોગવાઇઓ હેઠળ રૂપિયા ૬૩,૨૦૦/-ની
મળેલી કેશક્રેડિટથી કાર્યકારી મૂડી સુલભ બની છે. હવે આ બહેનોએ ભેગા થઇને
આ મૂડીમાંથી જમીન ગીરવે લેવાનું અને સાથે મળીને ખેતી કરવાનું શરૂ કર્યું
છે. તેની આવક તેમના જીવન ગુજારાનું સ્રોત બની છે. મિશન મંગલમ્થીર ખેતમજૂર
બહેનો ખેડૂત બનવાના માર્ગે સંચરી છે.

પોસ્ટલ ટ્રેઈનિંગ સેન્ટરની સુવર્ણ જયંતી
વડોદરા
દેશની પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓમાં જેની ગણના થાય છે તેવા શહેરના પોસ્ટલ
ટ્રેઈનિંગ સેન્ટરે પ્રશિક્ષણ સેવાના ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. તે નિમિત્તે
સુવર્ણ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા ૧લી જુલાઈ, ૨૦૧૨ના
રોજ પીટીસી, વડોદરાના પદમિની સભાગૃહ ખાતે સવારના ૧૧.૦૦ કલાકે યોજવામાં
આવેલા કાર્યક્રમમાં પોસ્ટલ સર્વિસીસ બોર્ડ, નવી દિલ્હીના સદસ્ય (માનવ
સંપદા) શ્રી કમલેશ્વર પ્રસાદ વિશેષ આવરણના વિમોચન દ્વારા સુવર્ણ જયંતી
ઉજવણીનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે ગુજરાત સરકારના ચીફ પોસ્ટમાસ્ટર
જનરલશ્રી આશુતોષ ત્રિપાઠી તેમજ પીટીસીના પ્રશિક્ષણકારો, તાલીમાર્થીઓ અને
કર્મચારી સમુદાય ઉપસ્થિત રહેશે.

અતિ ગરીબ ગ્રામીણોની શ્રમયોગી તરીકે પસંદગી કરાશે
વડોદરા
વડોદરા જિલ્લામાં ગામ દીઠ અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થીઓની યાદી તૈયાર
કરવામાં આવશે. અને યાદીની ચકાસણી કરી તા. ૨૫થી ૩૦ જૂન દરમિયાન યોજાનાર
ગ્રામ સભાઓમાં પુનઃ બહાલી અપાશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા
દ્વારા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની હસ્તકની મિશન મંગલમ્‍ યોજના હેઠળ
૧૦૦૦ સુધીની વસતી ધરાવતા ગામોમાં ૦૫ શ્રમયોગીઓ અને ૧૦૦૦થી વધુ વસતી
ધરાવતા ગામોમાં ૧૦ શ્રમયોગી પસંદગી કરવાની સરકારી સૂચના અન્વયે ગામદીઠ
અતિ ગરીબ શ્રમયોગી લાભાર્થી તરીકે જાહેર કરવા માટે ગ્રામ કક્ષાએ શ્રમયોગી
સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં સરપંચ, તલાટી કમ મંત્રી તથા અન્ય
ત્રણ સભ્યો દ્વારા સૂચવેલ શ્રમયોગીની યાદી ચકાસણી કરી તા. ૨૫થી ૩૦ જૂન
દરમિયાન યોજાનાર ગ્રામ સભાઓમાં પુનઃબહાલી તથા છુટી ગયેલ ખરેખર શ્રમયોગી
પરિવારોનો યાદીમાં સમાવેશ કરવાની છે. અને સંબંધિત તાલુકા પંચાયતના
સુધારેલી યાદી મોકલી આપવા કર્મચારી, પદાધિકારી, શ્રમયોગી પરિવારો તથા
સર્વે ગ્રામજનોને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમ જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

પેટમાં કાચની બોટલ ખૂંપાવી દેનારા મૃતક કાંતિભાઈના વાલીવારસો સંપર્ક કરે
વડોદરા
કાંતિભાઈ નામક અંદાજે ૩૫ વર્ષની ઉંમરના પુરુષે નશાની હાલતમાં તા.
૧૧/૦૫/૧૨ના રોજ છાણી જકાતનાકા પાસેના ગજાનંદ ચોક ખાતે બરફની લારીમાંથી
કાચની બોટલ ઉઠાવીને પોતાના પેટમાં ખૂંપાવી દીધી હતી. ઈજાગ્રસ્ત
કાંતિભાઈનું તા. ૧૨/૦૫ના રોજ સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મરણ થયું
હતું. આ શ્યામ વર્ણના મૃતકના વાલીવારસોને સત્વરે ફતેગંજ પોલીસ મથકનો
સંપર્ક કરવા જણાવાયું છે.

પંડયા બ્રીજની ફૂટપાથ પર અજાણ્યા પુરુષનું મરણ
વડોદરા
ફતેગંજ પોલીસ મથક હેઠળના પંડયા બિ્રજની ફૂટપાથ પર તા. ૧૯/૦૬ના રોજ અંદાજે
૪૦થી વધુ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું કુદરતી મરણ થયું છે. મૃતકે શરીર
પર લાલ ચોકડીવાળુ ખમીસ અને આછા ક્રીમ કલરનું પેન્ટ પહેર્યાં છે. તેના
વાલીવારસાસને સત્વરે ફતેગંજ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.


ગ્રામ વિકાસના આયોજનમાં જિલ્લા પંચાયત ભવન ઉપયોગી નીવડશે- પંચાયત મંત્રી
નરોત્તમભાઇ પટેલ
આણંદ જિલ્લા પંચાયત નવનિર્માણ પામનાર ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો
આણંદ ખાતે બોરસદ ચોકડી પાસે રાજયના પંચાયત વિભાગ દ્રારા રૂા.૧૪ કરોડના
ખર્ચે નિર્માણ પામનાર આણંદ જિલ્લા પંચાયતના નવીન ભવનનું પંચાયત,
ગ્રામ-ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ અન્ન અને નાગરિક પૂરવઠો તથા ગ્રાહકોની
બાબતોના વિભાગના મંત્રી નરોત્તમભાઇ પટેલે શાસ્ત્રોકત વિધિથી ભૂમિપૂજન
કર્યું હતું.
પ્રાંસગિક ઉદ્બોેધનમાં આણંદ જિલ્લાને સૌથી વિકસીત, સંસ્કારી અને ખમીરવંતો
જિલ્લા તથા લોહપુરૂષ સરદાર પટેલ તથા ભાઇકાકાની પવિત્ર ભૂમિ ગણાવી મંત્રી
નરોત્તમ પટેલે આ જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રના વિકાસના આયોજન કરવામાં આ
જિલ્લા પંચાયત ભવન ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ આર્થિક વિકાસમાં અને ઔઘોગિક ક્ષેત્રમાં
ગુજરાત અગ્રેસર બન્યું છે. ઉર્જા શકિતથી ગ્રામીણ વિકાસને વેગ મળ્યો છે,
જ્ઞાન શકિત થકી ગુજરાતમાં વિકાસનો દશકો આલેખાયો છે તેનો ઉલ્લેખ કરતાં
મંત્રી નરોત્તમ પટેલે ઉમેર્યુ હતું કે ગુજરાત રાજય છેલ્લા દશ વર્ષમાં
અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસની અગિ્રમ હરોળમાં રહયું છે. સિંચાઇ સુવિધાથી
સુકાભઠ્ઠ વિસ્તારોને નવપલ્લવિત કર્યા છે. કૃષિ મહોત્સવ થકી કૃષિક્ષેત્રની
આવક વધીને રૂા. ૯૬ હજાર કરોડના આંકને આંબી ગઇ છે.
આ પ્ર્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અંબાલાલ રોહિતે જણાવ્યું
હતું કે વર્તમાન સરકારે ગુજરાત રાજયના વિકાસને ગતિ આપી છે તેની પ્રતીતિ
આણંદ જિલ્લા પંચાયતના નવીન ભવનના નિમાંણ કાર્યથી થઇ રહી છે.
આ સમારંભમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જશવંતસિંહ સોલંકીએ પ્રાસંગિક
ઉદ્બોલધનમાં જણાવ્યું હતું કે ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી વિભાજન થઇને
નવરચિત આણંદ જિલ્લાનું જિલ્લા પંચાયતનું આ નવું ભવન રૂા. ૧૪ કરોડના માતબર
ખર્ચે નિર્માણ પામશે તેનો આનંદ વ્યકત કરતાં એક વર્ષમાં જ આ ભવનનું
બાંધકામ પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી કે. કે. નિરાલાએ સ્વાગત પ્રવચનમાં
જણાવ્યું હતું કે ૧૯૯૭માં આણંદ જિલ્લાના અલગ અસ્તિત્વ બાદ જિલ્લા
પંચાયતનું અલાયદું ભવન રૂા. ૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામશે. સુવિધાપૂર્ણ
આ ભવનમાં જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ એક જ સ્થળે બેસશે જેનાથી જિલ્લા
પંચાયતના અધિકારી/કર્મચારીઓના કાર્યક્ષમતામાં વધારો થશે.
અંતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાનીએ કર્યુ હતું.
આ સમારંભમાં ધારાસભ્ય શ્રીમતી જયોત્સનાબેન પટેલ, પૂર્વ સાંસદ દિપકભાઇ
પટેલ, પૂર્વ મંત્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી
નયનાબેન સોલંકી, આણંદ, અને તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, અગ્રણીઓ
સર્વશ્રી રાજેશભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, કનકસિંહ વાધેલા, નિલેશભાઇ પટેલ,
રમણભાઇ સોલંકી, દિપકભાઇ પટેલ સહિત જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતોના
સભ્યો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

નિર્મળ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત બોરિયાવી નગરપાલિકામાં નોડલ
અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
નિર્મળ ગુજરાત કાર્યક્રમના સુચારૂ અમલ થાય અને નગરપાલિકાની કામગીરી વધુ
સુદ્રઢ બને તે અર્થે રાજ્ય સરકાર તરફથી બોરિયાવી નગરપાલિકા માટે નિમાયેલ
નોડલ અધિકારી અને માહિતી અને પ્રસારણ વિભાગના ઉપસચિવ શ્રી મનિષ શાહે
બોરિયાવી નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર માર્ગો,
બસ સ્ટેન્ડ વગેરે વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી.
ઉપસચિવશ્રી શ્રી મનિષ શાહે બોરિયાવી નગરમાં કાર્યરત પેન્શનર મંડળ તથા
સિનીયર સિટીઝનના સભ્યો તથા નગરજનો સાથે વાર્તાલાપ કરી નગરપાલિકાના વિકાસ
તથા સ્વચ્છતાની જાળવણીના કાર્યોમાં રસ દાખવવા અપીલ કરી હતી તથા નગરજનોને
પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળી રહે તેવું તાત્કાલિક આયોજન ધડી કાઢવા
નગરપાલિકા તંત્રને સૂચના આપી હતી.
ઉપસચિવશ્રીએ બોરિયાવી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મગીબેન બારીયા સહિત
સભ્યો સાથે બેઠક યોજી નિર્મળ ગુજરાત કાર્યક્રમમાં વધુમાં વધુ લોકભાગીદારી
જોતરાય અને નગરની સુંદરતા અને સ્વચ્છતાની જાળવણી માટે લોકજાગૃતિ ઉભી થાય
તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે બોરિયાવી નગરપાલિકાના ચીફ ઓફિસર કે. ટી. ઠાકુર તથા સ્ટાફ
ઉપસ્થિત રહયા હતા.
ઉલ્લેખનીય છે કે બોરિયાવી નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રીની
શહેરી વિકાસ યોજના તથા નિર્મળ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત કુલ મળી રૂા. ૩
કરોડના જુદા જુદા ૬૪ વિકાસકામો હાથ ધરવામાં આવેલ છે જેમાં ધનકચરાનો
નિકાલ, વરસાદી પાણીનો નિકાલ, તળાવ બ્યુટીફિકેશન, ટ્રાફિક સર્કલ, શહેરને
જોડતા આંતરિક રસ્તાઓ તથા ઐતિહાસિક સ્મારકની જાળવણી વગેરે કામોનો સમાવેશ
થાય છે.

આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે તારાપુર ખાતે નવા બ્લડ સ્ટોરેજનું ઉદધાટન થશે
રેફરેલ હોસ્પીટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર ખાતે સગર્ભા માતાઓને
લોહીની ઉણપ પ્રસુતિ પહેલા, પ્રસુતિ દરમ્યાન અને પ્રસુતિ પછી અને
ઇમરજન્સી સુવાવડ દરમ્યાન થતા કોમ્પીકેશનને પહùÇí વળવા તથા માતા મૃત્યુ દર
અને બાળ મૃત્યુ દર ધટાડવાના આશયથી રાજ્ય સરકારશ્રીએ બ્લડ સ્ટોરેજ સેન્ટર
સ્થાપ્યુ છે. જેમાં એચ.ડી.એફ.સી. બેન્ક અમદાવાદ દ્વારા જરૂરી સાધનો અને
મશીનો પુરા પાડવામાં આવેલ છે. રાજ્યના આરોગ્ય અને પરીવાર મંત્રીશ્રી
જયનારાયણ વ્યાસના હસ્તે તા.૨૮/૬/૨૦૧૨ના રોજ ૧૧ વાગે આ બ્લડ સ્ટોરેજ
સેન્ટર નું ઉદધાટન થશે.

આણંદ ખાતે નશાબંધી ખાતા દ્વારા આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ એબ્યુઝડ ડે ઉજવાયો
આણંદ જિલ્લા નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી તથા યુવા વિકાસ સંગઠન
સંચાલિત પૂ. રવિશંકર મહારાજ વ્યસનમુક્તિ સંસ્કાર કેન્દ્રના સંયુક્ત
ઉપક્રમે ૨૬ મી જૂન આંતરરાષ્ટ્રિય નશીલા દ્રવ્યો વિરોધી દિવસની ઉજવણીના
ભાગરૂપે પાયોનિયર હાઇસ્કૂલ-આણંદ ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લા નશાબંધી અધિક્ષક સિસોદિયાએ જણાવ્યું હતું કે ભારત
દેશમાં ગુજરાત એ એક માત્ર નશાબંધી નીતિને વરેલું રાજ્ય છે. ગુજરાત
સરકારના નશાબંધી ખાતા દ્વારા નશાબંધીના પાલન માટે વિવિધ સંસ્થાઓના
સહયોગથી સામાજિક જાગૃતિના પ્રયાસો કરવામાં આવે છે. ચરોતર પ્રદેશ
એન.આર.આઇ.ના પ્રદેશ તરીકે જાણીતો છે તેમ છતાં અહીં નશાબંધીના પાલન માટે
લોકો જાગૃત છે.
આ પ્રસંગે પૂ.રવિશંકર મહારાજ વ્યસનમુકિત સંસ્કાર કેન્દ્રના પ્રમુખ
નિલેશભાઇ પટેલે આંતર રાષ્ટ્રિય ડ્રગ્સ એબ્યુઝડ ડેની ઉજવણીનું મહત્વ
સમજાવતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં
નશાબંધીનું ચૂસ્તપણે પાલન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સધન પ્રયાસો
કરવામાં આવે છે. નશાબંધી ખાતુ ઉપરાંત અનેક સેવાભાવી-સ્વૈછિક સંસ્થાઓ પણ
સમાજમાં નશાબંધીના પાલન તથા સમાજને વ્યસનમુક્ત બનાવવા કાર્યરત છે.
આ કાર્યક્રમમાં આયુર્વેદ વિશારદ ડો. મૂકેશ પટેલે આરોગ્ય ક્ષેત્રે આડેધડ
ડ્રગ્સના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં નશીલાં દ્રવ્યોના સેવનથી આરોગ્ય
ઉપર થતી આડઅસરો અને આયુર્વેદિક ઉપચારù અંગે વિશદ્‍ માર્ગદર્શન આપ્યું
હતું.
આ કાર્યક્રમમાં નશાબંધી નિયોજક ગીતાબેન સોલંકી, નશાબંધી ખાતાના સબ
ઈન્સ્પેક્ટર રાજેશ આમલીયાર, પાયોનીયર હાઇસ્કૂલના આચાર્ય હર્ષદભાઇ પટેલ
તથા શાળાના વિઘાર્થીઓએ ઉપસ્થિત રહી વ્યસનમુક્તિ માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા
હતા.

કેરીયરકોર્નર ચલાવતી શાળા કોલસજોમાં ઇલેકટ્રોનીક મેન પાવરની તાલીમ અંગે
અરજીઓ મંગાવાઇ
ગુજરાત સરકાર તરફથી empower (ઇલેકટ્રોનીક મેન પાવરની) અમલમાં મુકેલ છે.
જે અન્વયે જિલ્લા રોજગાર કચેરી આણંદ ખાતે તેમજ તાલુકા લેવલની આઇ.ટી.આઇ.
તેમજ કે.વી.કે. સેન્ટરો ખાતે બેઝીક કોમ્પ્યુટર તાલીમ આપવાનું આયોજન
કરવામાં આવેલ છે. આ તાલીમ માટે આણંદ જિલ્લામાં આવેલ તમામ કેરીયર કોર્નર
ચલાવતી શાળા કોલેજોને રોજગાર કચેરી દ્વારા અરજી ફોર્મ તથા જરૂરી માહિતી
મોકલી આપવામાં આવી છે.
ધો.૧૦/૧૧માં અભ્યાસ કરતા વિઘાર્થીઓને આ કોર્સ માટે માહિતી આપીને
વિઘાર્થીઓ તાલીમમાં જોડાઇ શકે તે માટે તેઓની પાસેથી અરજી ફોર્મ ભરાવી
સંમતિ પત્રક મેળવીને અરજી પત્રકો ત્રણ દિવસમાં રોજગાર કચેરીને મોકલી
આપવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
આ તાલીમ માટે વિઘાર્થીની વય મર્યાદા ૧૪ વર્ષથી ઉપરની હોવી જોઇએ, અનુસુચિત
જાતિ/ જનજાતિ/ મહિલા તેમજ અપંગ ઉમેલવારો માટે તાલીમ ફી માંથી મુક્તિ
આપવામાં આવી છે,જનરલ તથા બક્ષીપંચ ઉમેદવારોને તાલીમ ફી ફક્ત રૂા.૫૦/-
ભરવાની રહેશે.
વિઘાર્થી પોતાના અનુકુળ સમય પ્રમાણે નજીકની રોજગાર કચેરી/તાલુકાની
આઇ.ટી.આઇ. તેમજ તાલુકામાં ચાલતા નજીકના કે.વી.કે. સેન્ટરો ઉપરથી તાલીમ
મેળવી શકશે. આ અંગે વધુ વિગતો માટે રોજગાર તાલીમની વેબ સાઇટ
empower.guj.nic.in પર ઓન લાઇન કરવા રોજગાર અધિકારી વિજયવર્ગીયએ જણાવાયું
છે.

ટિપ્પણીઓ નથી: