LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 16 માર્ચ, 2015
જેતપુરમાં વીજ કંપનીના અધિકારીની બઢતી સાથે બદલી
રવિવાર, 15 માર્ચ, 2015
આઈસ્ક્રીમ-શીખંડના પૈસા આપવાના હતા પણ તસ્કરો ઉસેડી ગયા
જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે
દુકાનમાંથી રોકડ રૂ.30000 ની ચોરી
જેતલસર તા.15
જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે ગત મોડી રાત્રીના એક દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા 30 હજાર રોકડની ચોરી કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતલસર પંથકના બાવાપીપળિયા ગામે ગઈકાલે માતાજીનો માંડવો હોય ગામના ભરતગીરી હીરાગીરી ગોસ્વામી નામના વેપારીએ પોતાની ઠંડા પીણાંની દુકાનમાં શીખંડ અને આઈસ્ક્રીમ મંગાવ્યો હતો. આ ખાદ્ય વસ્તુઓના પૈસા સંબંધિત વેપારીને આપવાના હતા. પણ વેપારી પૈસા લેવા ના આવતા ભરતગીરીએ એક પ્લાસ્ટીકની થેલીમાં રૂપિયા 30 હજાર રાખી, દુકાનમાં મૂકી ઘરે ચાલ્યા ગયા હતા. પણ સવારે આવીને જોતા દુકાનના નળિયા ઉંચકાવી કોઈ હરામખોર તસ્કરો આ રોકડ રકમની થેલી ચોરી કરી લઇ જતા આ બારાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફોજદાર રઘુભાઈ કરમટિયાએ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર 9974262812
સાડી કારખાનામાં મજુરી કરતા અને સવારે કારખાનાનું પરચુરણ કામ કરવા નીકળેલા
જેતપુરમાં ટ્રકની ઠોકરે બે પરપ્રાંતીય યુવાનોના મોત
અજાણ્યા સાઈકલ ચાલકને બચાવવા કાવો માર્યો ને બંનેએ જીંદગી ગુમાવી !
જેતપુર તા.15
જેતપુરમાં આજે સવારે એક કારખાનાનું પરચુરણ કામ કરવા નીકળેલા બે પરપ્રાંતીય યુવાનોએ એક જિંદગીને બચાવવા જીવ ગુમાવ્યા હોવાની ઘટનાથી નઝારે જોનારોમાં અરેરાટી ઉપજી હતી.
જે પોષતું તે મારતું જેવી બનેલી ઘટનાની મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર વીજ કંપનીની કચેરી પાછળ આવેલ યમુના પ્રિન્ટ નામના સાડી કારખાનાના સાદી છાપવાનું મજુરી કામ કરતાઆત્મારામ શિવપૂજન જયસ્વાલ (ઉ.વ.20) તથા શૈયદઅલી અસગરઅલી(ઉ.વ.20) એમ બંને સાડી છાપકામના કારીગરો સાડી એકમના શેઠનું જીજે3 બી.જી.8537 નંબરના મોટર સાઈકલ પર નવાગઢ ખાતે જુના કારખાનેથી પરચુરણ કામ પતાવી પરત ફરતા હતા ત્યારે નાઝાવાલા પરા ચોકડી, જગદીશના બંગલા પાસે રોડ ઉપર એક અજાણ્યો સાઈકલ સવાર વચ્ચે પડતા તેમને બચાવવા ઉપરોક્ત બાઈકસવારોએ કાવો મારતા, પાછળ જ આવતા જીજે3 એ ઝેડ 1770 નંબરના ટ્રકની ઠોકરે ચડ્યા બાદ તે જ ટ્રકના તોતિંગ વ્હિલ તળે ચકાદાઈ જતા બંનેના ઘટના સ્થળેજ કરુણ મોત થયા હતા. એકની જીંદગી બચાવવા ગયેલા બે કારીગરોએ જીવ ગુમાવ્યાના
બનાવની જાણ થતાજ શહેર પોલીસના પીઆઈ વી.એમ. ગોહિલ સ્ટાફ સાથે દોડી જઈ, જામ થી ગયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવી મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડી હતી.
બનાવની મૃતક આત્મારામ શિવપૂજન જયસ્વાલ ના ભાઈ પીન્ટુ શિવપૂજનની ફરિયાદ પરથી શહેર પોલીસે ટ્રક ચાલક સામે આઈપીસી 279,304-અ,એમવીએકટ 177,184 વી મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર 9974262812
શનિવાર, 14 માર્ચ, 2015
જેતપુરના સરધારપુર ગામના ખેડૂતનો ભોગ લેતી આર્થિક ભીંસ !
જેતલસરના વિપ્ર વૃદ્ધની માનવતા ! 5 હજાર રોકડ ભરેલું પર્સ માલિકને પરત કર્યું
ધો.5 ની બે છાત્રાઓને સ્કેલ-ધુમ્બા વતી માર મારતા ચકચાર !
જેતપુરના રેશમડીગાલોળ ગામે કાલથી ગૌ ભાગવત કથાનું આયોજન
જેતપુર તા.14
જેતપુર તાલુકાના રેશમડીગાલોળ ગામ ખાતે આવતીકાલ તા. 16.3 થી 19.3 એમ ચાર દિવસીય ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત રેશમડીગાલોળના પ્રજાજનો તેમજ શ્રી કામધેનું ગૌ સેવા સમાજ દ્વારા આયોજિત આ કથાના વ્યાસાસને ડભોઈના વિશ્વ ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન બિરાજી પોતાની આગવી શૈલીથી કથાનું સૌને રસપાન કરાવશે. ગૌ શાળાના લાભાર્થે યોજાનાર આ કથા સ્થળે તા.18 ના રોજ રાત્રીના નારાયણ ઠાકોર, અલ્પા પટેલ, મનસુખભાઈ વિગેરે કલાકારોના લોકડાયરાનું પણ આયોજન કરાયું હોય, ધર્મપ્રેમી જનતાએ ગૌ ભાગવત કથા અને ડાયરાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812
શુક્રવાર, 13 માર્ચ, 2015
સાંસદ રાદડિયાની દરમિયાનગીરીથી રેલ્વે હદની દબાણ હટાવ ઝુંબેશ અટકી !
જેતલસર પંથકના નવી સાંકળી ગામે વીજટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા ટીસી ખાક, ખેડૂતો ભારે હેરાન !
ગુરુવાર, 12 માર્ચ, 2015
ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજની સ્થાપનાઃ પ્રમુખ તરીકે પ્રભુલાલ ત્રિવેદી
સંગઠનને મજબુત બનાવવા તાલુકા અને જીલ્લા લેવલે જ્ઞાતીનાં યુવાનો અને મહિલાઓનાં સંગઠનો બનાવી હોદે્દારોની નિમણુક કરાશે
જેતપુર તા.12 સૌરાષ્ટ્ર-કચ્છનાં જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં ઔદિચ્ય સહષા ચિભડીયા બ્રહ્મસમાજ પરીવારનું સંગઠન મજબુત બનાવવા અને એક છત નીચે લાવવા માટે રાજકોટમાં શ્રી ઔદિચ્ય સહષા ચિભડીયા સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. આ અંગેમળેલ મીટીંગમાં સંગઠનને વધુ બળવતર બનાવવા માટે હાલ શ્રી પ્રભુલાલ કે. ત્રિવેદીની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.
સાથે સાથે અમરેલીમાં ડી.જી. મહેતા ધારીમાં એડવોકેટ માધવરાય ભાનુશંકર જોષી, ખાંભામાં લલીતભાઇ મનસુખભાઇ ભટ્ટ, જુનાગઢમાં દિલીપભાઇ હરેન્દ્રભાઇ ભટ્ટ, જેતપુરમાં જીતેન્દ્રભાઇ જયસુખલાલ જોષી (પત્રકાર), કશ્યપ જયસુખલાલ જોશી (પત્રકાર) , રાજુલામાં ભરતભાઇ રાજયગુરૂ, બાબરામાં નિરંજનભાઇ ધીરજલાલ રાજયગુરૂ, ગોંડલમાં વસંતરાય ગીરજાશંકર ભટ્ટની નિમણુક કરવામાં આવેલ છે. ઉપરોકત મીટીંગમાં પ્રભુલાલભાઇ ત્રિવેદી, દિનેશભાઇ રાવલ, સુભાષભાઇ ઠાકર, અમુભાઇ ત્રિવેદી, હર્ષદભાઇ ઠાકર, ઉદયભાઇ ઠાકર, અશોકભાઇ જોષી, રાજુભાઇ જોષી, અરવિંદભાઇ રાવલ, કમલેશભાઇ ઠાકર, જયપ્રકાશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ત્રિવેદી, અશ્વિનભાઇ દવે, ભાલચંદ્રભાઇ ત્રિવેદી, કિશોરભાઇ હરીલાલ ઠાકર, તથા કિશોરભાઇ એચ. જોષી હાજર રહેલ હતાં. સંગઠનના સભ્યપદ માટે પ્રભુલાલભાઇ કે. ત્રિવેદી,(મોઃ- ૯૩૭૪૧ ૨૭૭૭૯), કમલેશભાઇ ઠાકર (મોઃ- ૯૪૨૬૨ ૨૯૨૦૮)નો અથવા સંસ્થાના હંગામી કાર્યાલયનાં સરનામે- ૩૩૧, સદ્ ગુરૂ આર્કેડ, જીવન કોમ બેંક પાસે, ઢેબર રોડ (વન-વે), રાજકોટ ખાતે સાંજે ૬-૩૦ થી ૮-૦૦ વાગ્યા વચ્ચે રૂબરૂ સંપર્ક કરવો તેમ સંસ્થાની યાદી જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
9974262812





















