અનુયાયીઓ

શનિવાર, 14 માર્ચ, 2015

જેતલસરના વિપ્ર વૃદ્ધની માનવતા ! 5 હજાર રોકડ ભરેલું પર્સ માલિકને પરત કર્યું

જેતલસરના વિપ્ર વૃદ્ધની માનવતા !
5 હજાર રોકડ ભરેલું પર્સ માલિકને પરત કર્યું 
જેતલસર તા.14
જેતપુરના જુનાગઢ રોડ પરથી મળેલ રોકડ રકમ સમેત પર્સ જેતલસરના નિવૃત રેલકર્મીએ નવાગઢના મૂળ માલિકને પરત કરી માનવતાના દર્શન કરાવ્યા હતા.
નવાગઢના વ્રજલાલ હકાભાઇ ડોંગા નામના ખેડૂતનું રૂપિયા 5 હજાર રોકડા અને અગત્યના કાગળો ભરેલું પાકીટ જુનાગઢ રોડ પર ક્યાંક પડી જતા વજુભાઈ ઘાંઘા થયા હતા. આ પાકીટ મૂળ જેતલસરના અને હાલ જેતપુર નિવાસી નિવૃત રેલ કર્મચારી જયસુખભાઈ પ્રાણશંકરભાઈ જોશી ને મળતા આ વિપ્ર વૃદ્ધે પાકીટના મૂળ માલિક વજુભાઈ ને શોધી, નવાગઢ જઈને પરત કરી ઉમદા માનવતાના દર્શન કરાવ્યા હોવાનું નવાગઢના અખબારી વિક્રેતા પરેશભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 
9974262812

ટિપ્પણીઓ નથી: