અનુયાયીઓ

બુધવાર, 7 નવેમ્બર, 2018

જેતપુરની અમરાપર ચોકડી નજીક અજાણ્યા વાહન હડફેટે ચારણ સમઢીયાળાના વૃદ્ધનું મોત




ગઈકાલે સવારે જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામ નજીકની અમરાપર ચોકડી પાસે એક અજાણ્યા વાહનની હડફેટે ચડી ગયેલ ચરણ સમઢીયાળા ગામના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



મળતી વિગતો મુંજબ જેતપુર તાલુકાના ચરણ સમઢીયાળા ગામે રહેતા કડવાભાઇ પાચાભાઈ ભુવા (ઉ.વ.૭૦) ગઈકાલે સવારે પોતાનું જીજે ૦૫ એફપી ૬૭૪૪ નંબરનું બાઈક લઈને જેતપુરથી ચરણ સમઢીયાળા પોતાના ઘર તરફ જતા હતા ત્યારે થાણાગાલોલ ગામ નજીકની અમરાપર ચોકડી પાસે એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે તેમને હડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું.



મૃતકના પુત્ર પરેશભાઈ કડવાભાઇ ભુવાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા ફોજદાર પી.જે.બાંટવાએ વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરના પેઢલા ગામે ગેરકાયદે તબીબી સેવા કરતો અશ્વિન ધનજી મકવાણા ઝડપાયો :ચકચાર



સતત ત્રીજા દિવસે પોલીસે "ઘોડા" ડોક્ટર શોધ્યા
જેતપુરના પેઢલા ગામે ગેરકાયદે તબીબી સેવા

કરતો અશ્વિન ધનજી મકવાણા ઝડપાયો :ચકચાર
ભોજાધાર-સરધારપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયા બાદ પોલીસનો ત્રીજો દરોડો




જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં બોગસ તબીબો ઝડપની પોલીસની કામગીરી સતત ત્રીજા દિવસે પણ ચાલી હોય તેમ વધુ એક બોગસ ડોકટર પેઢલા ગામેથી ગઈકાલે ઝડપાતા તેમની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બે દિવસ પહેલા જેતપુર તાલુકા પોલીસે સરધારપુર અને શહેર પોલીસે ભોજાધાર વિસ્તારમાંથી ૧ મહિલા સહીત ૪ બોગસ તબીબોને ઝડપી પાડ્યા બાદ ગઈકાલે વધુ એક બોગસ તબીબને તાલુકા પોલીસે પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે તાલુકા પોલીસના અર.એલ.ગોયલે જણાવ્યું હતું કે, પેઢલા ગામેથી ઝડપાયેલા બોગસ તબીબનું નામ અશ્વિન ધ્દાનજી મકવાણા છે.



આ શખ્સ કોઈ પણ ડીગ્રી વગર પોતાને ડોક્ટર જાહેર કરી બીમારીઓના નિદાન કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપી, ડોકટરી સાધનો પોતાની પાસે રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડાયો છે. દરોડા સમયે આ શખ્શ પાસેથી વીઝીટીંગ કાર્ડ, ક્લીનીકનું પેપર બોર્ડ, દવાઓ, ગ્લુકોઝની બોટલ, દાકતરી વકરાના રૂપિયા ૩૫૭૦/- તેમજ રૂપિયા ૩ હજારના મોબાઈલ સહીત કુલ રૂ.૬૫૭૦/- નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરની મતવા શેરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે અલ્તાફ રંગપરીયા ઝડપાયો ગોંડલના ઇમરાન શેખને શોધતી પોલીસ

જેતપુરની મતવા શેરીમાંથી વિદેશી દારૂના
જથ્થા સાથે અલ્તાફ રંગપરીયા ઝડપાયો

ગોંડલના ઇમરાન શેખને શોધતી પોલીસ



જેતપુર શહેર પોલીસે મતવા શેરીમાંથી એક શખ્શને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી દારૂના સપ્લાયર એવા ગોંડલના શખ્સની શોધખોળ આદરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસને બાતમી મળી હતી કે, મતવા શેરીમાં રહેતા અલ્તાફ શરીફ રંગપરીયાના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો પડ્યો છે, આવી બાતમી પરથી પીઆઈ વી.આર.વાણિયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ, ભાવેશભાઈ, નારણભાઈ આહીર  સહિતનો સ્ટાફે અલ્તાફના મકાન પર દરોડો પાડતા ત્યાંથી રૂપિયા ૯૪૦૦/- ની કિમતના ૯૪ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા. આવા સમયે આકરી પૂછપરછ દરમિયાન અલ્તાફે આ દારૂનો જથ્થો ગોંડલનો ઇમરાન યાકુબ શેખ આપી ગયાનું કબુલતા જેતપુર પોલીસે ઇમરાનની શોધખોળ આદરી છે.

મંગળવાર, 6 નવેમ્બર, 2018

રાજકોટના કબીરવન સોસાયટીમાં રહેતા યુવાનના શંકાસ્પદ મોત અંગે હત્યાનો ગુનો નોંધવા તજવીજ



જીયાણા ગામે રૂપિયા ૫ લાખની ઉઘરાણી મામલે ગયા બાદ એસીડ પીવડાવી હત્યા કરાઈ હતી : પોલીસ હૈયાનો ગુનો નોંધે બાદ પરિવારજનો લાશ સ્વીકારશે : સામા પક્ષે ઈજાગ્રસ્ત થયેલા આરોપી પર પોલીસે લગાવ્યો પહેરો  

રાજકોટ તા.
શહેરના કબીરવન સોસાયટીમાં રહેતા એક યુવાનની રૂપિયા  લાખની ઉઘરાણી બાબતે એસીડ પીવડાવી હત્યા કર્યાના આક્ષેપ સાથે મૃતક યુવાનના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા આ પ્રકરણ ગરમાયું છે. બીજી બાજુ જેના પર એસીડ પીવડાવવાનો આક્ષેપ થયો છે તે યુવાન પણ પોતાના પર મૃતકે છરી વડે હુમલો કર્યો હોવાની રાવ સાથે હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થઇ ગયો છે. પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની આજુબાજુ પહેરો ગોઠવી તેમના પર ખૂનની કલમનો ગુનો નોંધવા કવાયત આદરી છે.

મળતી વિગતો મુજબ શહેરના સંતકબીર રોડ પર કબીરવન સોસાયટીમાં રહેતા અને મોરબી રોડ પર ભગવતી હોલ નજીક ચાંદી કામની મજુરી સાથે જોડાયેલા જયેશ છગન રામાણી (..૩૫) નામના યુવાન્નને બેસુદ્ધ હાલતમાં ગઈકાલે હોસ્પીટલમાં ખસેડાયો હતો. પણ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. બીજીબાજુ હોસ્પિટલ ખાતેથી મૃતક યુવાનના પિતા છગન નાગજી રામાણીએ હોસ્પિટલ પોલીસ ચોકી સુત્રોને જણાવેલ કે, પોતાનો પુત્ર મોરબી રોડ પર, રામ પાર્કમાં રહેતા કિશોર ચના રામાણી પાસે રૂપિયા  લાખ માંગતો હતો. અને આ પૈસાની ઉઘરાણી માટે જયેશ કિશોરના મૂળ ગામ જીયાણા ગામે જતા લાજવાને બદલે ગાજેલા કિશોર સહિતના શખ્શોએ તેમને બળજબરીથી એસીડ પીવડાવી દેતા તેના પુત્ર જયેશનું મોત થયું છે.

મૃતક યુવાનના આવા નિવેદનથી ચોંકેલી હોસ્પિટલ ચોકી પોલીસે કુવાડવા પોલીસને જાણ કરતા પીઆઈ મોડિયાએ હોસ્પિટલ ખાતે પહોચી જઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. કુવાડવા પોલીસનું કહેવું છે કે આ બનાવ હત્યાનો છે કે આપઘાતનો તે બાબતે તપાસ શરુ કરાઈ છે. પરિવાર બાબતે પોલીસે જણાવ્યું હતું કે જયેશ બે ભાઈઓમાનો મોટો ભાઈ હતી. સંતાનમાં એક દીકરો છે. તેમજ જયેશભાઈના પત્ની હાલ સગર્ભા અવસ્થા ગાળી રહી છે. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી કિશોર સહિતના શખ્શો સામે ખુનનો ગુનો ના નોંધાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા હોસ્પિટલ સ્થિત વાતાવરણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે.



બીજી બાજુ જયેશને એસીડ પીવડાવી મોતને ઘાટ ઉતારાયો હોવાનો જે શખ્શ સામે આક્ષેપ થયો છે તે કિશોર ચના પણ પોતાના પર મૃતક જયેશ સહીત બે શખ્શોએ છરીથી હુમ્લો કરી ઈજા પહોચાદ્યાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયો છે. અને હાલ પોલીસે તેમના પર પહેરો ગોઠવી દીધો છે. કુવાડવા પોલીસે એવું પણ જણાવેલ કે ગઈકાલે બનાવની જાન થતા તેઓ જીયાણા ગામે દોડી ગયા હતા જ્યાં કિશોર રામાણીના ઘરે જયેશ ખાટલા પર સૂતેલો જોવા મળ્યો હતો. બાદમાં તે ચાલીને સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ માં બેસતા જોવા મળ્યો હતો. આ પહેલા જયેશે કિશોર રામાણી પર છરીથી હુમલો કરતા તેમને પત્ની જલ્પાબેન લઈને હોસ્પીટલે ગયા હતા.

પોલીસના અનુમાન અને ત્યાના લોકોના કહેવા મુજબ જયેશે કિશોર પર હુમલો કરી, એસીડ પી લઈને કિશોરના રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. જેને રૂમનો દરવાજો તોડી બહાર કઢાયો હતો. ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનામાં જયેશે એસીડ પીધું કે પીવડાવાયું ? તે તપાસનો વિષય છે. હાલ પોલીસે ફોરેન્સિક પીએમ વિધિ હાથ ધરી જયેશના મૃત્યુનું કારણ શોધવા કવાયત આદરી હોવાનું કુવાડવા પોલીસ જણાવે છે.તમજ વિશ્વાસપાત્ર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ યુવાનના શંકાસ્પદ મોત અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે દ્વારા સત્તાવાર રીતે હત્યા અંગ ગુનો નોંધ્ય બાદ યુવાનના પરિવારજનો મૃતદેહનો સ્વીકારશે.

ફોટો લાઈન : ચાંદી કામની મજુરી કરતો અને એસીડની અસરથી મોતને ભેટેલ જયે શ છગન રામાણીનો મૃતદેહ, તેમના ગમગીન પિતા, મૃતકના પરિવારજનો, જે શખ્શ સામે જયેશની હત્યાની સોઈ તકાઈ છે તે કિશોર હોસ્પીટલમાં સારવાર લેતો દેખાય છે. જયારે અંતિમ તસ્વીરમાં જયેશની હત્યાનો ગુનો નોંધવા પોલીસ કવાયત કરતી હોવાનું જોવા મળે છે. (ફોટો : મુકેશ રાઠોડ)

બેન્કમાંથી બોલતો હોવાનું જણાવી ગઠીયાએ
 કાંગશીયાળીના પટેલ દંપતીના જુદી જુદી બે
બેંકોમાંથી રૂ..૫૩ લાખ ઉપાડી લીધા : ફરિયાદ

ગઠીયાએ બેંક ઓફ બરોડામાંથી ૪૬૯૯૮/- અને આઈસીઆસીઆઈ બેંકમાથી ૧૦૫૯૦૪/- ઉપાડી લીધા : શાપર(વે.) પોલીસમાં ફરિયાદ નોંધાવાતા એસ..જી. રાજકોટ રૂરલના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ શરુ કર્યો તપાસનો ધમધમાટ

રાજકોટ તા.
આજથી ૬ દિવસ પહેલા લોધિકા તાલુકાના કાંગશીયાળી ગામની સીમમાં રહેતા એક પટેલ દંપતીના જુદી જુદી બેંકોના ખાતામાંથી એક ભેજાબાજ શખ્શે એટીએમ કાર્ડના ઓટીપી નંબર મેળવી રૂપિયા ૧,૫૨,૯૦૨/- રૂપિયા ઉપાડી લઈને ઠગાઈ કરી હોવાની શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ ગુનાની આગળની તપાસ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ રાજકોટ ગ્રામ્યના મહેન્દ્રસિંહ રાણાએ હાથમાં લઈને તપાસ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ લોધિકા તાલુકાના કાંગશીયાળી સીમમાં અસ્થા ગ્રીન સીટીના બ્લોક નંબર ૧૬૫ માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા નીલેશભાઈ ધીરજલાલ કુંડારિયાએ શાપર વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈ તા.૩૧-૧૦-૧૮ ના રોજ તમના મોબાઈલ  ૯૮૨૪૮ ૨૨૮૫૪ ઉપર ૬૨૯૧૫ ૮૫૧૯૬ નંબર પરથી એક કોલ આવ્યો હતો અને પોતે બેન્કમાંથી બોલતો હોવાનું જણાવી ભેજાબાજ શખ્શે એટીએમ બંધ હોય ચાલુ કરવાની પ્રોસીઝર કરતો હોવાનું જણાવી નીલેશભાઈ અને તેમના પત્ની વિપબેનને ભોળવ્યા હતા.

અજાણ્યા શખ્શની વાતના વિશ્વાશમાં આવેલા આ પટેલ દંપતીએ એટીએમના ઓટીપી પાસવર્ડ પણ ગઠીયાને આપી દેતા આ અજાણ્યા શખ્શે પલકવારમાં નીલેશભાઈના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂપિયા ૪૬૯૯૮/- અને તેમના પત્ની વિપબેનના આઈસીઆઇસીઆઈ બેન્કના ખાતામાંથી રૂપિયા ૧૦૫૯૦૪/- ઉપાડી લીધા હતા. બંધ એટીએમ ચાલુ કાર્વાહી કાર્યવાહીમાં પૈસા કેમ ઉપડ્યા ? તે બાબતે નીલેશભાઈએ તપાસ કરાવતા તેમને ગઠીયાનો ભેટો થઇ ગયાનું માલુમ પડ્યો હતું.

દરમિયાન આ પટેલ દંપતીએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૬૨૯૧૫ ૮૫૧૯૬ નંબરના મોબાઈલઘારક સામે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદની વધુ તપાસ એસ..જી.આર.આર.ના પીઆઈ એમ.એન.રાણાએ હાથ ધરી છે. 

જેતપુરના ભોજાધાર-સરધારપુર ગામેથી ઊંટવૈદો ઝડપાયા : ૧ મહિલા સહીત ૪ સામે ગુનો નોંધાયો

જેતપુર શહેર પંથકમાં બોગસ તબીબોનો રાફડો ?
-----
જેતપુરના ભોજાધાર-સરધારપુર ગામેથી ઊંટવૈદો
ઝડપાયા : ૧ મહિલા સહીત ૪ સામે ગુનો નોંધાયો
-----
જેતપુરના વાડાસડા ગામે યુવાન પર છરીથી હુમલો : ભાદરના સામા કાંઠા વિસ્તારમાં
આધેડ દંપતી અને પુત્રી પર ૪ શખ્શોનો લોખંડના પાઈપ વડે હુમલો : ૩ ઘાયલ
------
જેતપુર શહેર અને પંથકના ૫૨ ગામોમાં ઊંટવૈધોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક એક ગામ દીઠ બે થી વધુ શખ્શો પોતાની જાતને તબીબો ગણાવી લોકોના આરોગ્ય સાથે રીતસરના જોખમી ચેડા કરી રહ્યા છે. આ વાતની વ્યાપક ફરિયાદો બાદ ગઈકાલે જેતપુર શહેર પોલીસ અને તાલુકા પોલીસે બે દવાખાના પર દરોડા પાડી એક મહિલા સહીત ૪ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરવાની કવાયત આદરી છે. આવા દરોડાથી અન્ય ઘોડા ડોકટરોમાં દોડધામ થઇ પડી હોવાનું જોવા મળે છે. જો કે અમુક જાગૃત લોકોનું કહેવું છે કે સમયાંતરે જયારે કોઈ અકસ્માતો કે ગંભીર બીમારીઓની સારવારની અચાનક જરૂર પડે ત્યારે આવા ગામડાઓમાં ચલાવાતા ખાનગી દવાખાનાઓ આશીર્વાદરૂપ થતા હોય છે. પણ કાયદો આ વાત માનતું નથી તે પણ વાસ્તવિકતા છે.

મળતી વિગતો મુજબ જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ડોક્ટરની ડીગ્રી વગર દવાખાનું ચલાવાતું હોવાની ફરિયાદ બાદ જેતપુર સીટી પોલીસના એ.એસ.આઈ. એમ.આર.રાડાએ ગઈકાલે સાંજે ભોજાધાર વિસ્તારમાં દરોડો પાડી વિજય મહ્ન્દ્ર છાંટબાર(જુના પાંચ પીપળા રોડ, જેતપુર, જસુમતીબેન રમેશ સોલંકી(ભોજાધાર) અને અજય મહિપત દેવમુરારી(દેસાઈવાડી, જેતપુર) એમ ત્રણેયને કોઇપણ જાતની ડોકટરી દીકરી વગર બીમારીઓનું નિદાન કરી, એલોપેથી દવાલો આપી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પકડી લીધા હતા. આ ત્રણેય સામે પોલીસે ગુજરાત વૈદિક વ્યવસ્થા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો નોંધ્યો છે. જેની વધુ તપાસ જેતપુર સીટી પોલીસના પીએસઆઈ વી..પરમારે હાથ ધરી છે.

       જ્યારે જેતપુર તાલુકાના સરધારપુર ગામે મહિપત રણછોડ દેવમુરારી નામનો શખ્શ પણ પોતાને ડોક્ટર ગણાવી ડીગ્રી વગર નિદાન કરી એલોપેથીક દવાઓ આપી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસના એ.એસ.આઈ. પી.બી.વાઘેલાએ દરોડો પાડી મહીપતને ઝડપી લીધો હતો. આ ગુનાની વધુ તપાસ પ્રોબેશનલ પીએસઆઈ આર.એલ.ગોયલે હાથ ધરી છે.

----છરીથી હુમલો ----
જેતપુર તાલુકાના વાડાસડા ગામે રહેતા રાકેશ ધીરુ ખુમાણ નામના યુવાન પર બે દિવસ પહેલા તે જ ગામના ઝવેર નાઝા ખુમાણ નાના શખ્શે કોઈ કારણોસર ગામના ચેકડેમ નજીક બોલાવી ડાબા હાથે છરીના છરકા કરી ઈજા પહોચાડ્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાતા એ.એસ.આઈ.પી.કે.શામળાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-----પાઈપ વડે હુમલો ----
જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા ધનજી કાળા રાઠોડ નામના ૪૬ વર્ષીય આધેડ પર તે જ વિસ્તરમાં નરસંગ ટેકરી નજીક રહેતા વનરાજ કાનજી સોલંકી, મુકેશ કાનજી સોલંકી ટીમ્જ કાનજી ભીમજી સોલંકી અન વિલાસબેન કાનજીભાઈ સોલંકી એમ ચારેય પરિવારજનોએ એક સંપ કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી વચ્ચે પડેલ ફરિયાદીના પત્ની અને દીકરીને પણ લોખંડના પાઈપ ફટકારી ઈજાઓ કરતા ત્રણેયને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. હુમલાનું કારણ આપતા ફરિયાદી ધનજીભાઈ એ જણાવેલ કે વનરાજ નામનો શખ્શ તેમના ઘર પાસેથ બેફામ સ્પીડે બાઈક લઈને નીકળતા તેમને ટપારવા જતા આ શખ્શ લાજવાને બદલે ગાજી અન્યોને બોલાવી તેમના પર પત્ની અને પુત્રી પર હુમલો કર્યો હતો. જેતપુર સીટી પીઆઈ આર.વી.વાણીયાએ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જેતપુર ચેમ્બર-ડાઈંગ એશો.દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન


જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો.ના સયુંકત ઉપક્રમે નવલા વર્ષને વધાવવા ગુરુવારને તા.૮-૧૧ ના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરની મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, વેપારીઓ, તબીબ મિત્રો, નામાંકિત તેમજ નાના મોટા ઉદ્યોગપતિઓ, અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહી શહેરીજનોને નવલા વર્ષની શુભકામનાઓ પાઠવશે.
આ કાર્યક્રમને દિપાવવા સ્થાનિક ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, માજી ધારાસભ્ય જસુબેન કોરાટ, જેતપુર પાલિકા પ્રમુખ કુસુમબેન સખારેલીયા ખાસ હાજર રહેશે તેવું જેતપુર ચેમ્બર અને ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એશો. જણાવે છે.

જલારામ જયંતીની જાહર રજા રાખવા જેતપુરમાં લોહાણા સમાજ-રઘુવીર સેનાના આગેવાનોની માંગ


સ્થાનિક મામલતદારને આવેદનપત્રો

વિશ્વવિખ્યાત સંત શ્રી જલારામ બાપાની જયંતી નિમિત્તે જાહેર રજા રાખવા ગઈકાલે શહેરના લોહાણા સમાજ અને રઘુવીર સેનાના આગેવાનોએ મામલતદાર કચેરીએ દોડી જઈને આવેદન પત્રો આપ્યા હતા.

આવેદન પત્રોમાં જણાવાયું હતું કે, સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી સમાજ માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર એવા સંત શ્રી પુ.જલારામ બાપુ માત્ર લોહાણા સમાજ જ અહીં બલ્કે અન્ય સમાજના કરોડો લોકોમાં આસ્થા બન્યા છે. પુ.બાપાના ધામ એવા વીરપુર ગામે આજે પણ નિરંતર કરોડો ભાવિકો પ્રતિ જલારામ જયંતીના દિવસે દેશ વિદેશમાંથી ઉમટી રહ્યા છે. ત્યારે તેઓની લોકોમાં કાયમી શ્રદ્ધા જળવાઈ રહે તે માટે અન્ય ધર્મના ગુરુઓ કે સંતોની જન્મ જયંતી નિમિત્તે જેમ રાજ્ય સરકારે જાહેર રજાઓ જાહેર કરી છે તેમ પુ. જલારામ બાપની આગામી ૧૪-૧૧-૨૦૧૮ ના રોજ આવનાર જન્મ જયંતી નિમિત્તે પણ સરકાર જાહેર રજા જાહેર કરે તેવું લોહાણા સમાજ ઈચ્છે છે.

લોહાણા સમાજની આવી લાગણીને ઉચ્ચ કક્ષા સુધી પહોચાડવાની આશાએ ગઈકાલે જેતપુર લોહાણા સમાજના પ્રમુખ દીપકભાઈ વણઝારા, મંત્રી સૂર્યકાંતભાઈ માખેચા ટીમ્જ જેતપુર રઘુવીર સેનાના પ્રમુખ પ્રતિકભાઈ તન્ના અને મંત્રી દિવ્યેશભાઈ સુબા સહિતના લોહાણા અગ્રણીઓએ મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્રો સુપરત કર્યા હતા.

જેતપુર સિનિયર એડવોકેટ લેખિત બુક "પતિની તરફેણમાં ચુકાદો તેમજ ભરણપોષણની જોગવાઈ" નામના પુસ્તકની વિમોચનવિધિ સમ્પન્ન..જેતપુર બાર એશો.માં ભારે હર્ષ..

જેતપુર સિનિયર એડવોકેટ લેખિત બુક "પતિની તરફેણમાં ચુકાદો તેમજ ભરણપોષણની જોગવાઈ" નામના પુસ્તકની વિમોચનવિધિ સમ્પન્ન..જેતપુર બાર એશો.માં ભારે હર્ષ..

જેતપુરઃ જેતપુર બાર એસોસિએશન દ્વારા જેતપુર સિનિયર એડવોકેટ સનતભાઇ મહેતા તથા દેવયાનીબેન મહેતા દ્વારા કાયદાનું પુસ્તક ભરણપોષણની જોગવાઇ અને પતિની તરફેણમાં ચુકાદાની બુકની વિમોચનવિધિ જેતપુર બાર એસોસિયેશનેના પ્રમુખ જિતેન્દ્ર પારઘી દ્વારા શરૂ કરવામાં આવેલ.

આ વિમોચન પ્રસંગે જૂનાગઢના પ્રિન્સીપાલ ફેમિલી જજ શ્રી એસ. એમ. સિંગલ તથા જેતપુર એડિશનલ ડિસ્ટ્રિકટ જજ જે એ. ઠક્કર તથા સિનિયર સિવિલ જજ, પી. એન. ગોસ્વામી,  સિવિલ જજ કે.સી. મેધાણી તથા સિવિલ જજ એ. એન.શેખ તથા સિવિલ જજ બ્રહ્મભટ્ટ સાહેબના હસ્તે વિમોચનવિધી કરવામાં આવેલ.

આ તકે  બાર એસોસિયેશનના તમામ એડવોકેટશ્રીઓ તેમજ જેતપુરના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલા તથા શ્રી એસ. એમ. સિંગલ સાહેબે પોતાના વ્યકત્વમાં જણાવેલ કે ફેમિલી કોર્ટ બાબતે પક્ષરોને કોઇ માહિતી નથી. અને ફેમિલી કોર્ટ કઇ રીતે કાર્ય કરે છે તે માટેનું પુસ્તક તમામ ધારાશાસ્ત્રીઓને તથા પક્ષકારોને ખુબજ ઉપયોગી નીવડી શકે તેમ છે.



તથા જેતપુરના એડી.ડિસ્ટ્રિ.જજ સાહેબ એ.જે.ઠકકર સાહેબે જણાવેલ કે ભરણપોષણ બાબતે ધણા પુસ્તકો પ્રસિધ્ધ થઇ ચુકીયા હશે.પરંતુ ચોકકસ વિષય ઉપર એટલે કે માત્ર પતિની તરફેણમા ચુકાદાઓનું પુસ્તક અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલ નથી જે આ પુસ્તક પૂર્ણરૂપે સફળ થશે તેવી મને આશા છે.


જેતપુર બાર એસોસિયેશનના પ્રમુખ શ્રી જિતેન્દ્ર ભાઈ પારધી તેના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતું કે જેતપુર કોર્ટ અને જેતપુર બાર એસોસિયેરાનના ઇતિહાસમાંથી સનત ભાઇ મહેતા તથા દેવયાનીબેન મહેતા પ્રથમ ધારાશાસ્ત્રી છે કે જેઓએ કાયદા વિશે આ પુસ્તક પ્રસિધ્ધ કરી જેતપુર બાર એસોસિયેશનનું ગૌરવ વધારેલ છે.


ત્યાર બાદ આ પુસ્તકના લેખક સનતભાઇ મહેતાએ જણાવેલ કે હાલના સમયમાં પતિ પત્નીના ઝગડાનું ગંભીર સ્વરૂપ આપી માવતરે રહે છે. તેમને માત્ર ને માત્ર માતાની
ચડામણીથી સમાધાન કરવાને બદલે છુટાછેડા સુધીની નોબત આવે છે તે માટે અસંખ્ય એવા કેસોના જજમેન્ટ જે પતિની મદદરૂપ થાય તેવું પુસ્તક લખવામાં ખુબજ મહેનત લેવામાં આવે છે.



આ મહેનત માટે સાથી એડવોકેટ વિજયભાઇ ગોહેલ તથા વડોદરાના સાથી એડવોકેટ નરેન્દ્રભાઇ પરમાર તથા ધોરાજીના મહિલા ધારાશાસ્ત્રી  અજિતાબેન વ્યાસે પૂરો સહયોગ આપેલ છે, આ વિમોચન વિધિ સંપન્ન કરવા માટે જેતપુરના નોટરી એડવોકેટ જે. કે.ઢોલરિયાએ જહેમત ઉઠાવી હતી.

રાજકોટમાં કલેક્ટર કચેરીમાં કેન્ટીનનું ઉદ્દઘાટન કરતા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા

રાજકોટમાં કલેક્ટર કચેરીમાં કેન્ટીનનું ઉદ્દઘાટન

કરતા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા


રાજ્ય સરકારની રૂ. ૯૦ હજારની સહાયથી ઓમ સખી મંડળ દ્વારા શરૂ કરાયેલા કેન્ટીનમાં ભોજન ઉપરાંત ઉપાહાર, ઠંડા પીણા મળશે શહેરમાં શ્રોફ રોડ સ્થિત કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી શરૂ કરવામાં આવેલી કેન્ટીનનું કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ ઉદ્દઘાટન કર્યું હતું. આ કેન્ટીનની વ્યવસ્થા ઓમ સખી મંડળ દ્વારા કરવામાં આવે છે.

રાજ્ય સરકારની રૂ. ૯૦ હજારની આર્થિક સહાયથી શરૂ કરવામાં આવેલા કેન્ટીનમાં ભોજન ઉપરાંત, ઉપાહાર, ઠંડાપીણા, ચા મળશે. રાજ્ય સરકારની નારી ગૌરવ નીતિમાં મહિલાઓને આર્થિક ઉપાર્જનની સમાન તક મળે એવો સ્પષ્ટ હેતું છે અને તે અનુસાર રાજ્ય સરકાર દ્વારા મિશન મંગલમ યોજના શરૂ કરવામાં આવી છે.

આ મિશન મંગલ યોજના અંતર્ગત મહિલાઓના નાના સમુહને વિવિધ પ્રકારના ગૃહ ઉદ્યોગ કે પરંપરાગત વેપાર કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તદ્દાનુસાર સુલતાનપુરના ઓમ સખી મંડળને કલેક્ટર કચેરીમાં કેન્ટીન શરૂ કરવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી રૂ. ૮૦ હજારની સીસી લોન અને તાલુકા પંચાયત દ્વારા રૂ. ૧૦ હજાર ઉપરાંત સ્ટ્રક્ચર ઉભું કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાનો આર્થિક સહયોગ લેવામાં આવ્યો છે.

કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં જામ ટાવર સામેના દરવાજા પાસે આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. જેમાં કલેક્ટર કચેરીના કર્મયોગીઓ ઉપરાંત, જી. ટી. શેઠ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગવ્હાલાઓને શુદ્ધ, સાત્વિક ભોજન, ઠંડા પીણા, ઉપાહાર મળશે. કેન્ટીનનું સંચાલન ઓમ સખી મંડળના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન બાબુલાલ તેરૈયા, મંત્રી શ્રીમતી મંજુલાબેન વાઘેલા સહિતની બહેનો સંભાળવાના છે.

આ ઉદ્દઘાટન સમારોહમાં કલેક્ટર ડો. ગુપ્તા સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. પટેલ, નાયબ કલેક્ટર શ્રી તુષાર જોશી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજર શ્રી બસિયા, શ્રી જયેશભાઇ દવે(પત્રકાર, સુલતાનપુર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
 (ફોટો અને મેટર : માહિતી બ્યુરો -રાજકોટ)