અનુયાયીઓ

રવિવાર, 22 નવેમ્બર, 2020

રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની ખેડૂતોલક્ષી યોજનાની જાહેરાત કરતા કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા


રાજકોટ, તા.22
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આજે ખેડૂતો માટે 6 યોજના જાહેર કરતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. યોજના બાબતે માહિતી આપતા તેઓએ કહ્યું કે,
રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના,  ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરાઈ, મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને 1 ટકા વ્યાજ રાહતની જાહેરાત, જિલ્લામાં ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત 12 કરોડ,


 ખેતીવિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂ. 1 લાખની નવી રોકડ શાખા યોજના અમલમાં મૂકી છે.,રાજકોટ અને મોરબી જિલ્લાની ખેતીવિષયક મંડળીઓને આર્થિક મજબૂત કરવા 2500 કરોડના કે.સી.સી ધીરણમાં માર્જિન 1 ટકા થી વધારી 1.25 ટકા કરવાની જાહેરાત, અંદાજીત 12.50 કરોડનો મંડળીઓને લાભ અપાશે તેમજ  વિઠ્ઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજના કરાઈ જાહેર, સભાસદોને કિડની, કેન્સર, પત્થરી,પેરાલીસીસ,પ્રોસ્ટેજ,હાર્ટ એટેક તથા બ્રેઇન હેમરેજની સારવાર માટે 12 હજાર મેડિકલ સહાય અપાશે
ખેડૂતોલક્ષી આવી જાહેરાતથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે અને કેબિનેટ પ્રધાન જયેશ રાંદડિયાનો ખેડૂતોએ આભાર માન્યો છે.


ટિપ્પણીઓ નથી: