રાજકોટ : રાજય પોલીસ વડા દ્વારા રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા પીએસઆઇની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. રાજકોટના છ સહિત રાજ્યના 130 પીએસઆઇ બદલીઓ કરવામાં આવી છે. રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એચ.બી.ધાંધલ્યાની પોરબંદર બદલી કરાઇ છે. જ્યારે અન્ય જિલ્લાઓમાંથી રાજકોટમાં છ પીએસઆઇ મુકવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયાએ ગઇકાલે રાજયના અલગ અલગ સ્થળો પર ફરજ બજાવતા 130 પીએસઆઇની બદલીના હુકમો કર્યા છે. જે મુજબ રાજકોટમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એલ.ઝાલાની જામનગર, આર.એસ.પટેલની સુરત, ક્રાઇમ બ્રાન્ચના એચ.બી.ધાંધલ્યાની પોરબંદર,પી.ડી. જાદવની પોરબંદર, એ.વી.પિપરોતરની અમદાવાદ તેમજ એસ.સી.નાયરની અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત અન્ય સ્થળોએથી છ પીએસઆઇની રાજકોટ શહેરમાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે જેમાં છોટા ઉદેપુરથી એચ.એન.જામંગ, દેવભૂમિ દ્વારકાથી પી.ડી.રોહડીયા, વડોદરાથી પી.એચ.બુટાણી, જુનાગઢથી કે.સી.રાણા, સુરેન્દ્રનગરથી સી.પી.રાઠોડ અને રાજકોટ ગ્રામ્યમાંથી એચ.પી.ગઢવીની રાજકોટ શહેરમાં બદલી કરવામાં આવી છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 22 નવેમ્બર, 2020
રાજકોટમાં અન્ય જિલ્લામાંથી 6 ફોજદાર બદલી પામીને આવ્યા : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI ધાંધલ્યાની પોરબંદર બદલી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો