રાજકોટ: આ કોરોનાની મહામારી દરમિયાન ઘણા લોકોએ પોતાની જિંદગી દાવ પર લગાડી દીધેલ છે. આવા કપરા સંજોગોમાં પણ 78 વર્ષની જૈફ ઉંમરે નવીનચંદ્ર દામોદરભાઇ પંડયાને પણ કોરોના પોઝિટીવ આવેલ. જેના કારણે તેઓ 10/11/ર0ર0 થી લઇને 18/11/ર0ર0 સુધી તેઓ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં આઠેક દિવસ એડમિટ રહયા હતા.
સરકારી હોસ્પિટલ રાજકોટમાં ડોકટર અને સ્ટાફે બહુ સારી ટ્રીટમેન્ટ તો આપી જ પરંતુ તેની સાથે નવીનચંદ્ર ભાઇનું પોતાનું આત્મબળ તથા રોગ સામે લડવાની તાકાતથી તેઓ કોરોનાને પણ હરાવી હેમખેમ ઘરે પરત આવેલ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો