અનુયાયીઓ

બુધવાર, 12 ડિસેમ્બર, 2018

નવાગઢની પરિણીતાને સાસરિયાઓએ માર મારી ઘરમાંથી કાઢી મુક્યાની રાવ



યોગીતાબેન વેકરીયાએ શહેર પોલીસમાં પતી, સાસુ, સસરા, દેર, દેરાણી સામે ફરિયાદ નોંધાવી



જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતી એક પટેલ પરિણીતાને સાસરીયાઓએ ત્રાસ આપી પહેરેલ લુગડે ઘરમાંથી કાઢી મુકાયાની જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ નવાગઢ પટેલ ચોક પાસે રહેતી યોગીતાબેન હસમુખભાઈ વેકરીયા(ઉ.વ.૨૮) ને સાસરિયાઓએ " તું ઘરકામ બરાબર કરતી નથી, કરિયાવર ઓછો લાવી છો" વિગેરે બાબતે અવારનવાર મ્હેણાં ટોણા મારી, મારકૂટ કરી, ગાળો આપી, ઘરમાંથી પહેરેલ લુગડે કાઢી મુક્ત યોગીતાબેન તેમના જુનાગઢ(ખામધ્રોળ) સ્થિત પિતાના ઘરે ચાલ્યા ગયા છે.

ફરિયાદમાં આરોપીઓ તરીકે દર્શાવાયેલા સાસરિયાઓમાં પતિ હસમુખ કેશુ વેકરીયા, સસરા કેશુ હરી વેકરીયા, સાસુ હેમીબેન કેશુભાઈ વેકરીયા,, દિયર હિતેશ કેશુ વેકરીયા અને દેરાણી માધુરી હિતેશ વેકરીયાના નામોનો સમાવેશ થાય છે. જેતપુર સીટી પોલીસના એ.એસ.આઈ. જે.વી.સીઘલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી: