અગાઉ ધનજીભાઈ ગઢવી સારવારમાં મોતને ભેટ્યા હતા
રાજકોટ તા.૧૨
આજથી સાતેક દિવસ પહેલા લોધિકા પાળ ગામની એક ફેકટરીમાં બોઈલરના ગરમ પાણીથી અકસ્માતે દાઝેલા અને સારવાર લઇ રહેલા બીજા પ્રોઢનું પણ સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ લોધિકા તાલુકાના હરીપર પાળ ગામે આવેલ સુપેક(ટુપેક) નામની કંપનીમાં બોઈલર ફાટતા ગરમ પાણીથી દાઝેલા કાન્તીભાઈ સુંદરભાઇ પરમાર(ઉ.વ.૫૨, રહે. જામનગર રોડ, બજરંગ વાડી પાસે, રાજકોટ)નું ગઈકાલે સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત થયું હતું.
અગાઉ આ બનાવમાં ધનજીભાઈ કરશનભાઈ ગઢવી(ઉ.વ.૬૪, રહે. કોઠારિયા મેઈન રોડ, વિવેકાનંદ નગર)નું સારવાર દરમિયાન મોત થયું હતું. પાળની કંપનમાં સર્જાયેલા દુર્ઘટનાએ બે નો ભોગ લીધો છે. કાન્તીભાઈના મૃત્યુની તપાસ સહિતની આગળની કાર્યવાહી યુનીવર્સીટી પોલીસે હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો