અનુયાયીઓ

બુધવાર, 12 ડિસેમ્બર, 2018

ચૂલામાં કેરોસીન નાખવ જતા થાનગઢની પરિણીતા અકસ્માતે દાઝી જતા સારવારમાં


રાજકોટ તા.૧૨
સુરેન્દ્રનગરના થાનગઢ ગામે ગઈકાલે ચુલા પર રસોઈ બનાવતી વખતે ચૂલામાં થયેલા ભડકાથી દાઝી ગયેલી પરિણીતાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામે રહેતા ચિરાગભાઈ રાજેશભાઈ સોઢા નામના વાલ્મીકી યુવાનના પત્ની કાજલબેન(ઉ.વ.૨૨) ગઈકાલે ચુલા પર રસોઈ બનાવતા હતા. દરમિયાન કાજલબેન ચુલામાં કેરોસીન પૂરતા હતા હતા ત્યાર અકસ્માતે થયેલા ભડકામાં તે દાઝી જતા તેણીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર કાજલબેનના  સાસુ-સસરા હયાત નથી. તેમના માવતર થાનગઢ નજીકના રાણીપાટ ગામે રહે છે. કાજલબેન લગ્નનો ૯ માસનો ગાળો ધરાવે છે. અને ૩ માસના ગર્ભ સાથે સગર્ભા તરીકે દિવસો ગાળો ધરાવે છે. હોસ્પિટલ ચોકી સુત્રોએ જરૂરી કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી: