અનુયાયીઓ

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2015

12 હજાર રેશનકાર્ડમાં કાર્ડધારકોના તોછડાઈભર્યા નામો લખાતા સાંકરોળાના સરપંચ સહીત ગ્રામજનોનું મામલતદારને આવેદન

12 હજાર રેશનકાર્ડમાં કાર્ડધારકોના તોછડાઈભર્યા નામો લખાતા 
સાંકરોળાના સરપંચ સહીત ગ્રામજનોનું મામલતદારને આવેદન 
45 દિવસમાં ઘટતું નાં કરાય તો આ વાતને કોર્ટમાં લઇ જવા અને આંદોલન છેડવાની સરપંચની ચીમકી 

જેતલસર તા.15
ભેંસાણ પુરવઠા તંત્રના અમુક આળસુ સ્ટાફે આશરે 12000 નવા બારકોડેડ રેશનકાર્ડમાં તુકારા અને તોછડાઈભર્યા કાર્ડધારકોના નામ લખ્યા હોય, તાકીદે કોઈ પણ સુધારા અરજી વગર દિવસ 45 માં રેશન કાર્ડ નહિ સુધારાય તો આ વાતને કોર્ટમાં પડકારીને ઉપવાસ આંદોલન છેડવાની સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રાએ ચીમકી ઉચ્ચારતું એક આવેદન ગઈ કાલે ભેંસાણના મામલતદારને સુપ્રત કર્યું હતું.

મળતી વિગતો મુજબ ભેંસાણ તાલુકાની પુરવઠા કચેરીના સંબંધિત અને નવાણીયા સ્ટાફે ભેંસાણ તાલુકાના મોટાભાગના જુનામાંથી નવા બારકોડેડ રેશનકાર્ડ બનાવવાની સુંદર કામગીરી બજાવી તે પ્રશંસનીય છે. પણ લાગતા વળગતા સ્ટાફે રેશન કાર્ડઘારાકના નામો પાછળ ભાઈ અને બહેન જેવા શબ્દો કાપી નાખી, ઘોર આળસ વ્યક્ત કરી તુકારભાર્યા અને તોછડાઈભર્યા નામો લખીને મોકલી દેતા આ વાતનો કાર્ડધારકોમાં ભારે ઉહાપોહ મચ્યો છે. 
આ વાતને હાથમાં લઈને સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રાએ ગઈકાલે પરેશભાઈ પંડયા, ભેસાણીયા જગદીશભાઈ, જયદીપભાઈ  ભુવા, વિનુભાઈ વઘાસીયા વિગેરે ગ્રામજનોને સાથે રાખી ભેંસાણના મામલતદારને એક આવેદન આપી આવેદનમાં ચીમકી ઉચ્ચારી હતી કે ભેસાણ તાલુકાના આશરે 12000 નવા રેશન કાર્ડમાં કાર્ડધારકોના નામો 45 દિવસમાં સુધારવામાં નહિ આવે તો ગ્રાહકોના અપમાન સમાન આ વાતને કોર્ટમાં પડકારાશે, એટલુજ નહિ ન્યાય માટે ભેંસાણની મામલતદાર કચેરી સામે હજારો લોકોને સાથે રાખી ઉપવાસ આંદોલન પણ છેડાશે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812 

ટિપ્પણીઓ નથી: