સ્વચ્છ ભારત-સ્વચ્છ ગુજરાત અભિયાનને ટેકો
જેતપુર યાર્ડના વેર્પારીઓ હવે દુકાને દુકાને
ડસ્ટબિન રાખી ગંદકી અટકાવશે
જેતપુર તા.7
વડાપ્રધાન મોદીએ છેડેલા સ્વચ્છ ભારત અભિયાને દેશની સંસ્થાઓ જુદી જુદી રીતે સ્વચ્છતા જાળવવાની રીત-રસમો અમલમાં મૂકી રહી છે. જેતપુર યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ પણ પોતાની માર્કેટ યાર્ડમાં ઝીરો ટકા ગંદકી કરવા ડસ્ટબિન વસાવી દુકાને દુકાને રાખી ગંદકી, કચરો વ્યક્તિગત એકઠો કરવાનો નિર્ણય અમલી બનાવ્યો છે. આ ડસ્ટબીનનો કચરો રોજ પાલિકા સંચાલિત કચરો એકત્ર કરતા સાધનો લઇ જશે. જેતપુર માર્કેટ યાર્ડને એકદમ કચરા રહિત રાખવાના આ પગલાને યાર્ડમાં કાર્યરત વેપારીઓની સરાફી મંડળીના પ્રમુખ ચંદુભાઈ પાઘડાર, બજાર સમિતિના ડીરેક્ટર લાલજીભાઈ કાકડિયા, વેપારી એશો.ના પ્રમુખ નલીન ભુવા, મનોજ ગોંડલિયા વિગેરેનો સહકાર સાંપડી રહ્યો હોવાનું યાર્ડ ચેરમેન દિનેશ ભુવા જણાવે છે.
ફોટો : કશ્યપ જોશી જેતપુર 9974262812



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો