વરસાદી પાણીમાં ફિલ્ટર પ્લાન્ટ ધોવાઈ જતા
જેતપુરમાં 6 દિવસ પાણી વિતરણ બંધ રહેશે
જેતપુર તા.25
ગઈકાલે જેતપુરના અમરનગર રોડ સ્થિત જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટમાં વરસાદી પાણી ઘુસી જતા મોટા ભાગની મશીનરીને નુકશાન થયું હોય, આગામી 6 દિવસ સુધી જેતપુરના એક પણ વિસ્તારમાં પાણી વિતરણ નહિ કરી શકાય તેવી જાહેરાત કરતી એક રિક્ષાને પાલિકા સુત્રોએ આજે દિવસ દરમિયાન ફેરવી હતી.
આ બાબતે જેતપુર પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ ભાઈ વ્યાસે એક પ્રજાજોગ નિવેદનમાં જણાવ્યું છે કે ગઈકાલે વરસાદી પાણી પાલિકાના અમરનગર રોડ ઉપર આવેલ ફિલ્ટરપ્લાન્ટમાં ઘુસી જતા મશીનરી પાણીમાં ડૂબી ગઈ હતી. એક તબક્કે વરસાદી પાણી કોઈ પણ ભોગે ઓસરતા ના હોય મશીનરી 24 કલાક સુધી પાણીમાં ડૂબી રહી હતી. હવે પાણી ઓસરતા મશીનરીને પૂર્વવત કરવાની કાર્યવાહી પુરજોશમાં શરુ કરી દેવાઈ છે. પણ આ કામગીરીમાં 5-6 દિવસ નીકળી જનાર હોય, આટલા દિવસ જેતપુર શહેરમા એક પણ વિસ્તારમાં પાણી વિતરણ શક્ય ના બનનાર હોય, જેતપુરવાસીઓ પાણીનો બને તેટલો ઓછો બગાડ કરી સમજણપૂર્વક પાણી વાપરી તંત્રને સહકાર આપે તે જરૂરી છે. બીજી બાજુ જાણકારો કહે છે કે જેતપુર પાલિકાના ફિલ્ટર પ્લાન્ટની મશીનરી(ઇલેક્ટ્રિક મોટર્સ) ભલે પાણીમાં ડૂબી ગઈ, પણ આવી મોટર્સને તાત્કાલિક બહાર કાઢી હીટ આપી પૂર્વવત કરી શકાય, સંબંધિતો બળેલી મોટર્સના બીલો સરકારી ચોપડે ના ઉધારે તે હવે તંત્રે જોવાનું રહ્યું..દુખની વાત એ બની કે જેતપુર રાજકોટનો ભાદર ડેમ એક રાતમાં છલકી ગયો અને આ બંને શહેરોને દોઢ વર્ષ ચાલે એટલો કુદરતે જળજથ્થો પણ ડેમમાં ઠાલવી દીધો છે, પણ જેતપુર શહેરમાં જે જગ્યાએથી પાણી વિતરણ થાય છે તેવા જેતપુરના ફિલ્ટર પ્લાન્ટમાં પાણીને હિસાબે ખોટકો સર્જાયો હોય, જેતપુરના લોકો માટે આ કમનશીબી કહેવાય!!
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો