અમરનગર જૈન દેરાસરમાં ધ્વજારોહણ કરાયું
જેતપુર તા.29
તાજેતરમાં જેતપુરના અમરનગર ગામે જૈન દેરાસરમાં દેવળકીના વયોવૃદ્ધ વણિક બટુકલાલ મહેતાના અધ્યક્ષસ્થાને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધર્મપ્રેમી જનતા, જેતપુર ટેલીફોન એક્ષચેન્જના અધિકારી સોનીગ્રા, વડીયા બ્રહ્મસમાજના અશ્વિનભાઈ મહેતા, દેરાસરના પુજારી ભીખુભાઈ, બેંકસુત્રો વિગેરેની હાજરીમાં મહાવીર ભગવાનની પૂજા અર્ચના બાદ ધામધૂમથી ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. આ તકે ઉપસ્થિત ભાવિકોને બટુકભાઈ મહેતાએ પ્રસાદ અને પ્રભાવના આપી હતી.
ફોટો : કશ્યપ જોશી જેતપુર - 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો