અનુયાયીઓ

શુક્રવાર, 8 જૂન, 2012

નિરાધાર માજી સૈનિકો/દિવંગત માજી સૈનિકોના ધર્મપત્નીઓ માટે આશ્રય સ્થાન બનાવવા બાબત

નિરાધાર માજી સૈનિકો/દિવંગત માજી સૈનિકોના ધર્મપત્નીઓ માટે આશ્રય સ્થાન બનાવવા બાબત

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના નિરાધાર માજીસૈનિકો/ દિવંગત માજી સૈનિકોના
ધર્મપત્નિઓને જણાવાવનું કે રાજકોટ અને વડોદરા ખાતે આશ્રયસ્થાન બનાવવા
માટેની યોજના સરકારશ્રી દ્વારા વિચારણા હેઠળ છે. જેથી જે માજીસૈનિકો /
દિવંગત માજીસૈનિકોના ધર્મપત્નીઓને તેમની દેખભાળ માટે પુત્ર ન હોય તેઓ એ
તુરંત રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા સૈનકિ કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની
અખબારીયાદીમાં જણાવવામાં આવેલ છે.


હોટલોમાં રોકાનારા મુસાફરોએ ફોટો આળખકાર્ડ આપવાનું રહેશે
અમદાવાદ શહેરી વિસ્તારમાં તથા મુંબઇ શહેરમાં થયેલ આતંકવાદી હુમલાના
અનુસંધાને તેમજ સીમી જેવી પ્રતિબંધિત સંસ્થાના સભ્યોની સંભવિત હરકતોને
અનુલક્ષીને વાહન, હોટલ, પી.સી.ઓ. કોલ્સ સેન્ટર, સાયબર કાફે, ટ્રાન્સપોર્ટ
કંપનીના ગોડાઉન,સંવેદનશીલ જગ્યાઓ તથા દરિયા કાંઠાના ચેકિંગ દરમિયાન
રાષ્ટ્રીય સુરક્ષા સલામતી માટે ભયજનક વ્યકિતઓ તથા આંતકવાદીઓને પકડવા તેમજ
લગતી માહિતી મેળવવા અને તેમની હેરફેર અંગે સચોટ માહિતી રાષ્ટ્ર હિતમાં
મેળવવા માટે પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરી શકે તે માટે જાહરે જનતાનો
સહકાર ઉપરોકત હેતુસર સાચી દિશામાં મળી રહે તે માટે અધિક જિલ્લા
મેજિસ્ટ્રટ દ્વારા પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેરના હકુમત સિવાયના
અમદાવાદ જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબના મુદ્દાઓની
અમલવારી કરવા જાહેરનામું બહાર પાડયું છે. જેમાં હોટલ / ગેસ્ટ હાઉસમાં
આવનાર દરેક મુસાફરના તેના જ હસ્તાક્ષરમાં રજિસ્ટરમાં જરૂરી નોંધ
કરાવવામાં આવે અને સુવાચ્ય સહી મેળવવામાં આવશે તથા આ રજિસ્ટરમાં મુસાફરની
સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું અને સ્ત્રી મુસાફરના જમણા
હાથના અંગુઠાનું નિશાન લેવામાં આવશે.
દરેક મુસાફર પોતાની સંપૂર્ણ ઓળખ, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર તેમજ હોટલ કે
ગેસ્ટ હાઉસ.થી નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચીત / સગા/ ઓળખીતાનું નામ,
સરનામું, ટેલિફોન / મોબાઇલ નંબરની વિગતો આ રજિસ્ટ્રેનમાં નોધવામાં આવે તે
જોગવાઇ ફરજિયાતપણે કરાવવી તેમજ આ હકીકત નોંધાવવાની જવાબદારી હોટલ
સંચાલકની નિયત કરવામાં આવી છે.


મકાન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અમદાવાદ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
જેમા઼ હકુમત સિવાયના અમદાવાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇ રહેણાંકના
મકાન તથા ઔઘોગિક વિસ્તારના મકાન માલિક અગરતો આ માટે આવા મકાન માલિકે ખાસ
સત્તા આપેલ વ્યકિત જ્યારે મકાન ભાડે આપે ત્યારે સંબંીધત પોલીસ સ્ટેશને
જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને મકાન ભાડે આપી શકાશે નહીં. ભાડે આપેલ મકાની
વિગત ભાડે રાખનાર અને એજન્ટ કે જેઓએ ભાડે રાખનારની ઓળખાણ આપી હોય તે
અંગેની લેખિત જાણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં કરશે તથા જ્યારે જ્યારે કોઇ
મકાન માલિક, એજન્ટ/બ્રોકર કોઇ મકાનની લે-વેચ કરશે કે કરાવશે કે ભાડેથી
મકાન આપશે / અપાવશે તેની સંપૂર્ણ વિગતોનું રજિસ્ટર નિભાવશે જેમાં થયેલ
વ્યવહાર સાથે સંકળાયેલ પક્ષકારોની સંપૂર્ણ ઓળખ સહીતનો બાયોટેડા ફોટા સહિત
જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે તથા એક નકલ સંબંધકર્તા
તાલુકા મામલતદાર અને એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રીને આપવાની રહેશે.

ટિપ્પણીઓ નથી: