ગણેશ મહોત્સવ માટે મૂર્તિકારો માટે પ્લાસ્ટર ઓફ પેરિસના વપરાશ પર અમદાવાદ
શહેર પોલીસ કમિશનર શ્રી એસ.કે.સાઇકિયા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા
છે.
મૂર્તિકારો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનાવી કે વેચી શકશે નહી. બહારના
મૂર્તિકારો ગણેશ ઉત્સવના આયોજકને પી.ઓ.પી.ની મૂર્તિઓ વેચશે નહિ તેમજ
મૂર્તિ બનાવવા પ્લાસ્ટર ઓફ પેરિસનું વેચાણ કરી શકશે નહીં. ગણેશજીની
પ્રતિમા બેઠક સહિતની ઉંચાઇ નવ ફૂટ કરતા વધારે બનાવવા કે વેચવા તથા
સ્થાપના કરવા પર પ્રતિબંધ રહેશે. મૂર્તિકારો ગણેશ સ્થાપનાદિન બાદ વધેલી
તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકશે નહીં. મૂર્તિની બનાવટમાં
બીજા ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની રાખવા પર
પ્રતિબંધ રહેશે.
૧૯-૯-૨૦૧૨ના રોજ ગણેશસ્થાપન કરાશે તેમજ વિસર્જન તા.૨૮-૯-૨૦૧૨ના રોજ
થવાનું. આથી વિસર્જન સરધરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાય તેમજ મૂર્તિ
બનાવવાના સ્થળે ગંદકી ન ઉદભવે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકૂમત
હેઠના સમગ્ર વિસ્તાર પ્રતિબંધિત જાહેર કર્યો છે. તા.૧-૧૦-૨૦૧૨ સુધી અમલી
રહેનાર હુકમનો ભંગ કરનાર શિક્ષાપાત્ર ઠરશે એમ શ્રી એસ.કે.સાઇકિયાએ ફરમાન
કર્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો