અનુયાયીઓ

શનિવાર, 9 જૂન, 2012

જામકંડોરણા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ
જામકંડોરણા તાલુકાના પ્રજાજનોનાં પ્રશ્નોેનાં નિવારણ માટે ''ફરીયાદ
નિવારણ કાર્યક્રમ'' તા.૨૭.૦૬.૨૦૧૨ના રોજ મામલતદાર કચેરી, જામકંડોરણા ખાતે
સવારે ૧૧.૦૦ વાગે યોજાશે. આ માટે અરજદારોએ પોતાનાં પ્રશ્નો મામલતદાર
કચેરી, જામકંડોરણા ખાતે તા.૧૫.૦૬.૨૦૧૨ સુધીમાં મળી જાય, તે રીતે ર(બે)
નકલમાં ''તાલુકા ફરીયાદ નિવારણ કાર્યક્રમ'' ના મથાળા હેઠળ મોકલી આપવાના
રહેશે. ગ્રામ સ્વા ગત કાર્યક્રમના પ્રશ્નોમ તા.૧ થી ૧૦ સુધીમાં
તલાટી-કમ-મંત્રીશ્રીને પહોંચાડવાના રહેશે.
આ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ અરજદાર ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો
ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ
અને તે અનિર્ણિત હોવી જોઇએ. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના
જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તે
અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા
કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે
તે સક્ષમ કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી વ્યકિતગત રજુઆત
કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકાશે નહીં, તેમ મામલતદાર- જામકંડોરણાની
યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: