અનુયાયીઓ

શનિવાર, 9 જૂન, 2012

મુખ્યમંત્રીશ્રીનો ગોંડલ તાલુકાનો જુન-૧૨ માસનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ,
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજયના નાગરીકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના
પ્રશ્ન અસરકારક અને ન્યાયિક રીતે ત્યાં જ હલ થાય, તે માટે તાલુકા કક્ષાએ
સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવાનું નકકી કરેલ છે, જે અંતર્ગત
ગોંડલ તાલુકા માટે ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો માટે આગામી તા.
ર૭-૬-૨૦૧૨ના રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તાલુકા સ્વાગત
ફરીયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી,
ગોંડલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.
જેથી સંબંધકર્તા લોકોએ ગોંડલ તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો
અગેની અરજી ર નકલમાં પુરતા પુરાવા સાથે મામલતદાર કચેરી, ગોંડલ ખાતે તા.
૧૪-૬-૨૦૧૨ સુધીમાં રજુ કરવી ત્યાર બાદ રજુ થયેલ પ્રશ્નો ઉકત નિયત તારીખના
કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.
આ કાર્યક્રમમાં નીચે દર્શાવેલ પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે.
તાલુકા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન
હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ
હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ
લેખીતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને અનિર્ણિત હોય.
આ કાર્યક્રમમાં રજુ થતાં પ્રશ્નો ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ
શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. તે સિવાયના પ્રશ્નો હોય તો જે તે સક્ષમ
કચેરીને રજુઆત કરવી.
આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે
રજુઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો નહિ.
ઉપર મુજબની કેટેગરીમાં આવતી અરજીઓ જ ધ્યાંનમાં લેવામાં આવશે, તે સિવાયની
અરજીઓ ધ્યારનમાં લેવામાં આવશે નહીં, તેમ મામલતદારશ્રી, ગોંડલની યાદીમાં
જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: