અનુયાયીઓ

રવિવાર, 3 જાન્યુઆરી, 2021

જૂનાગઢ : પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું થયું સાર્થક

 


જુનાગઢ રેન્જનાાં ડી.આઇ.જી.પી.શ્રી મનીંદર પ્રતાપસસિંહ પવાર સાહબે તથા જુનાગઢ જીલ્લા પોલીસ અસિક્ષકશ્રી રસવ તેજા વાસમસેટ્ટી સાહબે દ્વારા સામાન્ય પ્રજાના લોકમાનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને" પોલીસ પ્રજાનો મીત્ર છે" એ સત્રુ સાથથક બનેતેવા પ્રજા કલ્યાણ તથા લોક ઉપયોગી 

કાયથવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારોને સચુ ના કરવામા આવેલ જે અનુસંધાને માંગરોળ 

ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.ડી.પુરોહિત સાહબે તથા માાંગરોળ સર્કલ પોલીસ ઇન્સ. 

એન.આઇ.રાઠોડ સાહબે ના માગથદર્થન હઠે ળ ચોરવાડ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ. કે.બી.લાલકાએ

ચોરવાડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ સંકલન માં રહી ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તાર માં લગ્ન પ્રસંગ

વીડીયો શટુીંગનાંુકામ કરતા સદાંદપભાઇ ગોસવિંદભાઇ ચડુાસમા રહ.ેખોરાસા(ગીર) તા.માળીયા હાટીના વાળા

ડ્રોન કેમેરા DJI કાંપનીનાંુદક.રૂ. ૨,૦૦,૦૦૦/-વાળાથી સખુ રરુ ગામ સવસ્તારનાાં નેર્નલ હાઇવેરોડ ઉપર લગ્નની

જાનનું વીડીયો શટુીંગ દરમ્યાન અચાનક નેટવકથ સીગ્નલ સવક થવાના કારણેઆ ડ્રોન કેમેરા સીસ્ટમ મજુ બ

હોમ લન્ડીંગ  સક્રીય થયેલ અનેજે જગ્યાએથી શટુીંગ માટેઆ ડ્રોનનેફલાય કરવામા આવેલ તેજગ્યાએજ 

લેન્ડ થતુહોય જેથી આ ડ્રોન શટુીંગ માટેફલાય કરેલ જગ્યાએ નેટવકથ સવકનેકારણેલેન્ડ થયેલ હોય જેથી 

આ ડ્રોન લેવા માટે ડ્રોન કેમેરાના માલીક સાંદીપભાઇ મળુ જગ્યાએ જઇ તપાસ કરતા તયાાં આ ડ્રોન કેમેરો

જોવામા આવેલ નહી જેથી આ સંદીપભાઇએ ચોરવાડ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરતા ચોરવાડ પોલીસ 

સ્ટેર્નના હડે કોન્સટેબલ પી.એસ.કરમટા તથા પો.કોન્સ.બી.કે.મોરી તથા વી.એસ.ચોપડાનાએ તાતકાલીક 

તપાસ કરી આજુબાજુના સી.સી.ટી.વી.ફુટેજ નું અવલોકન કરી જેમા જાણવા મળેલ કેરોડ ઉપરથી પસાર થતા 

એક અજાણ્યા બાઇક ચાલક જે વંથલી તાલકુાનાઘંધુ સર ગામના રહીશ માલદેભાઇ દેવશીભાઇ ઓડેદરા

વાળાઓ હોય જેઓનેઆ બાબતેસમજ કરતા તેણેજણાવેલ કેમનેવેરાવળ જતી વખતેરોડ પરથી મળેલ

હતો મેળવી મળુ માલીક સંદીપભાઇ ગોવીંદભાઇ ચડુાસમાનેપરત સોંપી આપેલ

આમ વીડીઓ શટુીંગનો વ્યવસાય કરતા સાંદીપભાઇ ગોવીંદભાઇ ચડુાસમાએ કી.રૂ.૨,૦૦,૦૦૦/- (બે

લાખ) જેવી મોટી રકમના પોતાના વ્યવસાયનું સાિન પરત મળતા ભાવ વીભોર થઇ ચોરવાડ પોલીસનો 

આભાર વ્યકત કરેલ અનેચોરવાડ પોલીસેસેવાનુંઉ તર દાયીતય નીભાવી પોલીસ પ્રજાનો મીત્ર છેએ સાર્થક કરી બતાવ્યું


આ કામગીરીમા ચોરવાડ પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ.કે.બી.લાલકા તથા પોલીસ હેડ કોન્સ. પી.એસ.કરમટા તથા બી.એન.ચાવડા તથા પો.કોન્સ.બી.કે.મોરી તથા વી.એસ.ચોપડા તથા દેવાભાઇ લખમણભાઇ તથા દીનેર્ભાઇ અરજણભાઇ તથા સવજયભાઇ નારણભાઇ તથા સખુ દેવભાઇ ભીમાભાઇ તથા ડ્રા. પોલીસ હડે કોન્સ.ભરતભાઇ નાજાભાઇ નાઓ સહિત સારી કામગીરી બજાવી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા 

માળીયા હાટીના

મો.9825518418

મો.7575863292    

✒️✒️✒️ ✒️✒️✒️

કે.એસ.પી.સી.ના પ્રમુખપદે હસુભાઈ દવેની નિમણુંક

માનદ્ મંત્રી પદે  ડી.જી.પંચમીયા

રાજકોટ : સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલની 61'મી વાર્ષિક સાધારણ સભા અને ગર્વનીંગ બોડીની મીટીંગ કાઉન્સીલના પ્રમુખ  હસુભાઈ દવૅના અષ્પક્ષ સ્થાને તાજેતરમાં મળેલા હતી. મીટીંગના પ્રારં મે થી માસુભાઈ વંને ઉપસ્થિત બધા સભ્યોને આવકારેલ હતા. કાઉ-સીલના ટ્રેનિંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેનશ્રી દિપક્રમાઈ સચદે નૈ સને ૨૦૧૯ ર૦ના વર્ષ દરમ્યાન કાઉન્સીલ દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓનો વિસ્તૃત અહેવાલ આપતા જણાવેલ હતું કે આ વર્ષે ઉત્પાદકતા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ

આ મીટીંગમાં ૨૦૨૦-૨૧ ના વર્ષના હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવતા જેમાં પ્રમુખપદે. માં હસુભાઈ દવે (પૂર્વ રાષ્ટ્રીય નૃધ્યક્ષ, ભારતીય મઝદૂર સંઘ તથા વાઈસ ચેરમેન, મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટયુટ,અમદાવાદ), ઉપપ્રમુખ પદે  મૌલેશભાઈ ઉકાણી (મેનેજીંગ ડીરેકટર, બાન લેબ્સ (પ્રા.)બી., રાજકોટ),  હિરાભાઈ માણેક (રાજકોટ લોહાણા વિદ્યાશી બોડીંગ હાઉસ ), માનદ્દમંકી પદે થી ડી.જી. પંચમીયા (ઈન્ડસ્ટ્રીયલ સેફટી કન્સલ્ટન્ટ રાજકોટ), કોષાધ્યકા તરીકે શ્રી રામભાઈ બરછા (અશોક મેટલ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ) તથા ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન પદે શ્રી દીપકભાઈ રામદે ચુટાયેલ હતા,

માનદ કોષાધ્યાક્ષ રામભાઈ  બરછાટી., ટી.પી.સી ચૅરમૅન થી દિપકભાઈ સચદે, ગર્વરનીંગ  બોડીના સભ્યો  ડો.જયોતિન્દ્ર જાની, ભરતભાઈ કુદકીયા,દિલપામાઈ | કાકર વિ.એમ. ચાવડા, વિ.એમ. કામવીરા.પરેશ ગોસાઈ,ડો.પીપી. કોટક, સોનલબેન ગોહેલ, કિરીટભાઈ વોરા,ધનશ્યામભાઈ ઢોલરીયા વિગેરે હાજર રહ્યા હતા.

રાજકોટ: વોર્ડ નં.૮ માં પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુત કરાવતા પૂર્વ સ્ટેન્ડીગ ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટ:રાજકોટ શહેરના વોર્ડ નં.૮ માં નાલંદા પાર્ક શેરી નં.૧માં પેવીંગ બ્લોકના કામનું ખાતમુર્હત પૂર્વ સ્ટેન્ડીગ ચેરમેન અને કોર્પોરેટર પુષ્કર પટેલના હસ્તે કરવામાં આવેલ હતું. ભારતીય જનતા પાર્ટીનું સુત્ર “જયા માનવી ત્યા સુવિધા' ને ચરિતાર્થ કરીને સદરહુ સોસાયટીના વિકાસના કામનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે, વોર્ડપ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ ઉપપ્રમુખ કીરણબેન માકડીયા, વોર્ડ પ્રમુખ અશ્વીન પાંભર,વોર્ડમહામંત્રી તેજશ જોષી, પૂર્વ કોર્પોરેટર વીજયાબેન વાછાણી તેમજ જયેન્દ્રસિંહ સરવૈયા,વિગેરે હાજર રહ્યાં હતા.

રાજકોટ : ધનસુખ ભંડેરી પેજપ્રમુખ બન્યા


રાજકોટ :રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પેજપ્રમુખનું આઈ કાર્ડ અર્પણ કરી ધનસુખ ભંડેરીને સન્માનિત કરાયા...ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીને રાજકોટ મહાનગરના વોર્ડ નં.૮ના બુથ નં.૫, પાના નં.૫૦ ના પેજપ્રમુખ તરીકે પોતાની પેજસમિતિ સબમીટ કરી હતી અને કાર્યકર્તા તરીકેના દાયિત્વને નિભાવ્યું હતું ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્ય વિજય રૂપાણીએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતિમાં ધનસુખ ભંડેરીને પેજપ્રમુખનું આઈ કાર્ડ અર્પણ કરી તેમને સન્માનિત ર્યા હતા.

શનિવાર, 2 જાન્યુઆરી, 2021

ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની રચના થઈ: શ્રી હેમલભાઈ ભટ્ટની પ્રમુખ પદે પસંદગી

 ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની રચના થઈ: શ્રી હેમલભાઈ ભટ્ટની પ્રમુખ પદે પસંદગી 

( દિપક જોષી દ્વારા..)...

{ પત્રકારો લોક પ્રશ્નોને વાચા આપવાની સાથે લોક સુખાકારી સેવાકીય કાર્યોમાં પણ મદદરૂપ બની લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરે: શ્રી લાભુભાઈ કાત્રોડીયા }


{ તાલાલા, વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા, સહિત ગીર સોમનાથ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો. }


ગુજરાતના 22 જિલ્લામાં પત્રકારોનું સંગીત અને કાર્યદક્ષ સંગઠન ધરાવતા ગુજરાત રાજ્ય પત્રકાર એકતા સંગઠન ની અગત્યની બેઠક સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ગુજરાત પ્રદેશ એકતા પત્રકાર સંગઠનના પ્રમુખ શ્રી લાભુભાઇ કાત્રોડીયા ના અધ્યક્ષ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ ગીરવાનસિહ સરવૈયા સ્થાને મળી હતી‌.આ બેઠકમાં તાલાલા,વેરાવળ, સુત્રાપાડા,ઉના, કોડીનાર, ગીર ગઢડા સહિત ગીર સોમનાથ જિલ્લામાંથી બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો.




બેઠકમાં ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતાં પત્રકાર સંગઠન ના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઇ કાત્રોડિયા એ જણાવ્યું હતું કે પત્રકાર એકતા સંગઠન ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 22 જિલ્લાના તાલુકા માં સંગીન અને કાર્યદક્ષ સંગઠનની રચના કરવામાં આવેલ છે. આ સંગઠનમાં જોડાયેલ પત્રકારો રાજ્યના 22 જિલ્લામાં લોકોના પ્રાણ પ્રશ્નો સમસ્યા તથા સામાજિક કાર્યો માટે કામ કરે છે. આ સંગઠનમાં અત્યાર સુધીમાં લોકપ્રહરી તરીકે સમાજ ઉપયોગી કામગીરી કરતા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા ના ૬ હજાર  પત્રકારો જોડાયા હતા. બાકી એક આદર્શ જિલ્લામાં આ સંગઠનની રચના ની‌ કામગીરી પુર્ણ થતા પત્રકાર સંગઠન સભ્યનું બળ દસ હજાર થશે.


લાભુભાઈ એ ઉમેર્યું હતું કે આજે પત્રકારો અનેક સમસ્યાનો સામનો કરી લોકોના પ્રાણ પ્રશ્નો- સમસ્યાને વાંચા આપી લોક પ્રહરી તરીકેની કામગીરી કરે છે. ત્યારે લોક પ્રશ્નોને ઉજાગર કરવા સાથે સાથે પત્રકારો લોક સુખાકારીના સેવાકીય કાર્યોમાં પણ મદદરૂપ બની લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો.


આ બેઠકમાં ઉપસ્થિત શ્રી રમેશભાઈ ખખ્ખર વેરાવળ, શ્રી સરદારસિંહ ચૌહાણ તાલાલા, દિનેશભાઈ જોશી કોડીનાર, શ્રી મહેન્દ્રભાઈ રાજા વેરાવળ, શ્રી ફારૂકભાઇ કાઝી ઉના, શ્રી રામજીભાઇ ચાવડા વેરાવળ, સહિતના ગીર સોમનાથ જિલ્લાના અગ્રીમ પત્રકારોએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન પત્રકાર એકતા સંગઠન મજબૂત બનાવવા ઉપયોગી સૂચનો કર્યા હતા. બેઠકમાં ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે વેરાવળના શ્રી હેમલભાઈ ભટ્ટ ની સર્વાનુમતે પસંદગી કરી હતી.

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2021

સ્વ. અભયભાઈ ભારદ્રાજની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા ઉપસ્થિત રહયાં.

 સ્વ. અભયભાઈ ભારદ્રાજની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે રકતદાન કેમ્પમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા ઉપસ્થિત રહયાં.




પટેલ વાડી, બેડીપરા, ભાવનગર રોડ ખાતે સ્વ.શ્રી અભયભાઈ ભારદ્રાજની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે  મેગા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.  

જેમાં ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ ૧ર૮ વખત રકતદાન કરનાર ડો. વલ્લભભાઈ કથીરીયા ખાસ ઉપસ્થિત રહયાં હતા અને રકતદાતાઓને પ્રોત્સાહન પુરું પાડયું હતું. તેમજ રાજયસભાના સાંસદ સ્વ.અભયભાઈ ભારદ્રાજને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી.


રાજકોટ એઇમ્સ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતરમાળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

૨૦૨૦ નું વર્ષ હેલ્થ ચેલેન્જીસનું વર્ષ હતું, ૨૦૨૧નું વર્ષ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બની રહેશે.

ભારત ‘‘ફયુચર ઓફ હેલ્થ’’ અને ‘‘હેલ્થ ઓફ ફયુચર’’ બંને ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહયું છે.

આયુષ્માન ભારત યોજનાના દ્વારા ગરીબ દર્દીઓને રૂપિયા ૩૦ હજાર કરોડની થયેલી બચત

૦૦૦૦૦૦

એઇમ્સ એ રાજયના સ્વાસ્થ્ય ક્ષેત્રે પાયાનો પથ્થર બની રહેશે

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત

૦૦૦૦૦૦

:: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ::


એઇમ્સના નિર્માણ દ્વારા રાજયમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઇ

મેડિકલ ટુરીઝમ અને રોજગારીના સર્જનમાં એઇમ્સ નિમિત્ત બનશે

બે દાયકામાં ૩૧ મેડિકલ કોલેજ અને ૬૦૦૦ થી વધુ મેડિકલ સીટ ઉપલબ્ધ બનાવનાર ગુજરાત દેશનું અગ્રિમ રાજય

૦૦૦૦૦૦

વડાપ્રધાનશ્રીના હસ્તે અંદાજીત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર 

રાજકોટ એઇમ્સનું ઈ- ખાતમુહૂર્ત કરાયું

૦૦૦૦૦૦

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત મંત્રીગણ સર્વશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજીભાઇ બાવળિયા, જયેશભાઇ રાદડિયા, કિશોરભાઇ કાનાણીની પ્રેરક ઉપસ્થિતિ

૦૦૦૦૦૦

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડો. હર્ષવર્ધનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

૦૦૦૦૦૦ 


રાજકોટ  : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ ખાતે નિર્માણ થનાર એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે આજે રાજકોટ એઇમ્સના શિલારોપણ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતર માળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ છે, જેના કારણે ગુજરાતની સાથે સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય-સેવાને નવું બળ મળશે.

વડાપ્રધાનશ્રીએ ૨૦૨૦નું વર્ષ હેલ્થ ચેલેન્જીસનું વર્ષ ગણાવતાં કહયું હતું, કે ગત વર્ષના પડકારો સામે  ૨૦૨૧નું વર્ષ હેલ્થ સોલ્યુશનનું વર્ષ બની રહેશે. આરોગ્ય ક્ષેત્રે નક્કર કામગીરી દ્વારા આજે ભારત ‘‘ફયુચર ઓફ હેલ્થ’’ અને ‘‘હેલ્થ ઓફ ફયુચર’’ બંને ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા જઈ રહયું છે. 














વડાપ્રધાનશ્રી મોદીએ કોરોના યોધ્ધાઓના સમર્પણને બિરદાવતાં કહયું હતું કે, કોરોનાના કપરા સમયમાં દેશની જનતાએ એક થઇને કોરોના સામે આપેલી લડતના પરિણામે આપણે કોરોના સામે મજબૂત બની લડી શક્યા છીએ. આ સમયમાં એક કરોડથી વધુ કોરોના સંક્રમિતોની સફળ સારવાર દ્વારા ભારતે સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે આરોગ્ય ક્ષેત્રમાં દેશનું સ્થાન વિશ્વ અગ્રિમ હરોળનું છે.  

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ગરીબ મા - બાપ તેમના બાળકોની જીંદગીમાં કર્જ ન આવે તે માટે બિમાર હોવા છતાં પણ આર્થિક સંકડામણના કારણે દર્દ ભોગવીને તેમનો ઈલાજ કરાવતા ન હતા. તેવા ગરિબ પરિવારો માટે સરકારનું આયુષ્માન ભારત યોજના રૂપી સુરક્ષા કવચ આજે આશિર્વાદરૂપ બન્યુ છે.  આ યોજનાથી અત્યાર સુધીમાં દોઢ કરોડ જેટલા ગરીબ દર્દીઓ રૂપિયા ૫ લાખ સુધીની આરોગ્ય સારવાર નિશુલ્ક કરાવી શક્યા છે. જેના કારણે તેમની રૂ. ૩૦ હજાર કરોડ જેટલી માતબર રકમ બચાવી શક્યા છે. આ ઉપરાંત દેશભરમાં ફેલાયેલ ૭ હજારથી વધુ જનઔષધિ કેન્દ્રોના કારણે આવા દર્દીઓની રૂ. ૩૬૦૦ કરોડથી વધુ રકમની બચત થઇ છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પોષણ  યોજના, વગેરે થકી માતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.  


















તબીબી શિક્ષણ ક્ષેત્રે ‘‘મિશન મોડ’’માં કાર્ય થઇ રહયું છે. તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ પ્રત્યેક રાજયમાં એક એઇમ્સ અને ત્રણ લોકસભા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની કેન્દ્ર સરકારની નેમ વ્યક્ત કરી હતી. 

આજે જયારે બીમારીઓ વૈશ્વિક બની રહી છે, તેવા સમયે આરોગ્ય સમસ્યાઓનું નિરાકરણ પણ વૈશ્વિક બને, તેવી આશા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીશ્રીએ ‘‘ફીટ ઇન્ડીયા અભિયાન’’ માં દેશના  તમામ નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે કોરોના રસીકરણ માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે, તેમ જણાવી સમગ્ર દેશના નાગરિકોને એક થઇ રસીકરણના કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

:: રાજયપાલશ્રી ::

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના સ્વાસ્થ્ય માટે એઇમ્સ એ પાયાનો પથ્થર બની રહેશે, તેમ જણાવી આ સંસ્થા ઝડપથી વિકસિત બની લોકોની અહર્નિશ સેવામાં સમર્પિત બનશે, તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહયું હતુ ગુજરાતના લોકોને નર્મદાના નીરથી જેટલો આનંદ થયો હતો, તેટલો જ આનંદ આ સંસ્થા શરૂ થવાથી થશે. આ સંસ્થાના નિર્માણથી લોકોની આરોગ્ય સુખાકારીની સાથે રોજગારીનું સર્જન પણ થશે. 

આજે સમગ્ર દેશ વિકાસની દિશામાં આગળ વધી રહયો છે. તેમ જણાવતાં રાજયપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની કર્તવ્યનિષ્ઠા અને વિકાસવાદના વિચારોના પરિણામે આજે ભારત સમગ્ર દુનિયામાં વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહયો છે. પહેલું સુખ તે નિરોગી કાયા તે વિચારને ચરિતાર્થ કરવા વડાપ્રધાનશ્રીએ આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના પ્રત્યેક વ્યક્તિના આરોગ્ય સુખાકારીનું કાર્ય કર્યું છે.

: મુખ્યમંત્રીશ્રી ::

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, ગુજરાતના લોકોને ગંભીર બિમારીના સમયમાં આરોગ્ય ઉચ્ચ સારવાર માટે ગુજરાત બહાર જવું ન પડે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના પરિણામે ગુજરાતને એઈમ્સ પ્રાપ્ત થઈ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર આ સંસ્થાનું રાજકોટમાં નિર્માણ થવાથી ગુજરાતના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચત્તમ સુપર સ્પેશ્યાલીટી સેવા હવે ઘરઆંગણે મળી રહેશે. એઇમ્સ એ રાજયની આરોગ્યલક્ષી સુવિધાના ક્ષેત્રે યશકલગી સાબિત થશે 

ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સવલતો આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ  મોદીના સુનિયોજિત આયોજનના ભાગરૂપે દેશભરમાં અમલી બનાવાયેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની ટૂંકી વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, ૧૯૫૬ થી ગુજરાતને અન્યાય થતો હતો. જેના કારણે ભૂતકાળમાં એઈમ્સ તથા મેડીકલ કોલેજો જેવી સવલતો ગુજરાતને મળી નહોતી. પરંતુ વડાપ્રધાનશ્રીના વિઝનના કારણે આજે ગુજરાતને એઈમ્સ તેમજ ૩૦ જેટલી મેડિકલ કોલેજો પ્રાપ્ત થઈ છે. 















મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પ્રત્યેક જિલ્લા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની રાજય સરકારની કટીબધ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બે દાયકા પહેલાં રાજયમાં માત્ર ૯ મેડીકલ કોલેજ અને ૧૦૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. જયારે આજે ગુજરાતમાં ૩૦થી  વધુ મેડીકલ કોલેજો અને ૬૦૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ બની છે.  ગુજરાત આજે મેડીકલ હબ બનવા જઇ રહ્યું છે. એઇમ્સના કારણે ગુજરાતમાં મેડીકલ ટુરીઝમ વધશે અને નવી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. 

નાયબ મુખ્યમંત્રીશ્રી

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે વિકાસની ગતી અવીરત રહી છે હાલમાં જ ગોધરા, નવસારી, મોરબી, રાજપીપળા જેવા જિલ્લાઓમાં પણ મેડીકલ કોલેજોને મંજુરી મળી છે. આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલો પણ હાલ ગુજરાતમાં કાર્યરત છે. તેવા સમયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટને  એઇમ્સ ફાળવીને ગુજરાતને ભુતકાળમાં એઇમ્સ બાબતે થયેલા અન્યાયને  દૂર કર્યો છે, જેનો લાભ ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકોને મળશે. એઇમ્સમાં સુપર સ્પેશીયાલિસ્ટ સારવાર ઉપલબ્ધ બનશે, અને અહીંના નાગરિકોને ઘરઆંગણે આરોગ્યની ઉચ્ચ સવલતો મળી રહેશે.

આ પ્રસંગે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના અધ્યક્ષ ડો.પી.કે.દવેએ વર્ચ્યુઅલ સ્વાગત પ્રવચન કર્યું હતુ. જ્યારે સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ ખાતે સાકાર થનારી દેશની ૨૧મી એઇમ્સના શિલાન્યાસ બદલ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો, અને આ સંસ્થા ગુજરાતભરના લોકો માટે આરોગ્યનું ધામ બનશે, તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટ્ય કરાયું હતું. કાર્યક્રમ સ્થળે આવતાં પહેલાં મહાનુભાવોએ એઇમ્સના ત્રિપરિમાણીય મોડેલનું નિદર્શન નિહાળ્યું હતું. 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રીમોટ કંટ્રોલથી રાજકોટ ખાતે આકાર લેનારી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજયની આરોગ્ય વિભાગની કામગીરી અને એઇમ્સ હોસ્પિટલના નિર્માણને દર્શાવતી ડોકયુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું.  

 



આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, આરોગ્ય સચિવ ડો. જયંતી રવિ, વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદસભ્યશ્રી સી.આર.પાટીલ અને પુનમબેન માડમ, રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશ મિરાણી અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદ્દીત અગ્રવાલ, ગ્રામ્ય પોલિસ અધિક્ષકશ્રી બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પુજા બાવડા, પ્રાંત અધિકારીશ્રી વીરેન્દ્ર દેસાઇ, ડો. અમી યાજ્ઞિક, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ, એઈમ્સના ડોક્ટર્સ તબીબી વિદ્યાશાખાના  છાત્રો વગેરે ઉપસ્થિત રહયા હતા.

000000

હેતલ દવે / સોનલબેન જોશીપુરા / યાજ્ઞિક/ રાજકુમાર

******

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ રીવ્યુ બેઠક યોજાઈ





મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ રીવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલપોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલકલેક્ટર રેમ્યા મોહનડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર સી.કે.નંદાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગુરુવાર, 31 ડિસેમ્બર, 2020

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની એક મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ યોજાશે.

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની એક મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ યોજાશે.


કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની એક મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ યોજાશે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ સાંજે પ–૩૦ કલાકે શ્રી ગૌસેવા સમાજ, બટુક બાપાની ગૌશાળા, જીવંતીકાનગર ૧/૪ નો ખૂણો, ગાંધીગ્રામ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ મીટીંગમાં ગૌશાળા, પાંજરાપોળની આંતર માળખાકીય સુવિધાઓનાં વિકાસ, ડીજીટલ મીડીયા અંગે તેમજ અન્ય વિષયો ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં  આવશે. આ મીટીંગમાં ગૌશાળા, પાંજરાપોળના સંચાલકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ એનીમલ હેલ્પલાઈન પરીવારનાં મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ, રજનીભાઈ પટેલ દ્રારા આપવામાં આવ્યું છે. આ અંગેની વિશેષ માહિતી માટે મો.નં. ૯૮રપ૦ ૭૭૩૦૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

*જન અધિકાર મંચ અને ગૌ સેવા સમિતિના ગુજરાત અધ્યક્ષ પ્રવીણભાઇ રામનો આજે જન્મદિવસ*


        (દિપક જોશી, સોમનાથ ગીર, પ્રાચી તીર્થ દારા)






 ગુજરાતમાં સફળ આંદોલનની જ્યાારે   વાત આવે ત્યારે પ્રવીણભાઇ રામનું નામ લોકમુખે આવ્યા વિના રહે નહીં કારણકે પ્રવીણભાઇ રામ દ્વારા જેટલા પણ આંદોલનો થયા એમાં મોટા ભાગના આંદોલનમાં સફળતા હાથ લાગતાં લાખો લોકોને ફાયદો થયો છે,પ્રવીણભાઇ રામ દ્વારા લોકોના આરોગ્ય માટે આંદોલન ચલાવી 6000 જેટલા બિનકાયદેસર મેડિકલ બંધ કરાવ્યા હતા,રોજગારી માટે આંદોલન ચલાવી 4000 જેટલા ફાર્માસિસ્ટો ને રોજગારી અપાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતુ, ફિક્સ પગારનુ આંદોલન સફળ કરી 5 લાખ પરિવારોને ફાયદો કરાવ્યો હતો, આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરાવ્યો હતો, બીજા અન્ય નાના કર્મચારીઓ જેવા કે આંગળવા ડી કર્મચારી, મધ્યાહન ભોજન કર્મચારી, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારી અને રિલાયન્સ નેવલના કર્મચારી માટે ચાલતી લડતોમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો,તેમજ ગીર વિસ્તારમાં ખેડૂતો માટે અનેક લડતો પ્રવિણ રામ દ્વારા આપવામાં આવી હતી , આંદોલનો અને આંદોલનકારીઓ અનેક હોઇ છે પરંતુ તમામથી પ્રવિણ રામ એટલા માટે અલગ પડે છે કારણકે પ્રવિણ રામના એક પણ આંદોલન માં સરકારી સંપતિને ક્યારેય નુકશાન થયું નથી અને તેમના દરેક આંદોલન સર્વ સમાજ માટે હોઇ છે જે જનતાને ખૂબ સારો સંદેશ આપે છે.


            ત્યારે આવા ગુજરાતના સપૂત, યુવા નેતા અને સફળ આંદોલનકારી પ્રવીણભાઇ રામનો આજે જન્મદિવસ છે ત્યારે સર્વ સમાજના તમામ લોકો દ્વારા આજે સોશીયલ મીડિયામાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે, પ્રવીણભાઇ રામ જન અધિકાર મંચ અને અખિલ ભારતીય સર્વદળીય ગૌ સેવા સમિતિના ગુજરાત અધ્યક્ષ છે એટલે દર જન્મદિવસના દિવસે સમગ્ર ગુજરાતની જન અધિકાર મંચની ટીમ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જન્મદિવસ ઉજવે છે પરંતુ આ વખતે કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કોઈ પ્રોગ્રામોનું આયોજન કરવાનું જન અધિકાર મંચની ટીમ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું છે


પાયલ બાંભણિયા

ઉના