LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 12 ડિસેમ્બર, 2020
શ્રી હરિ ઓમ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમના ૭૦ વર્ષના વૃધ્ધનું સિવિલમાં અવસાન થતા તેમનો સામાન પરત કરતા કર્મચારીઓ
કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી આઠ કંપનીઓ સામે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ફોજદારી રાહે ગુનો દાખલ કરાયો
જસદણની બાળકીઓએ કોરોના સંદર્ભે રંગોળી સજાવી
જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા રમતગમતનાં મેદાનનું ઉદ્ઘાટન
૧૧ ગૌવંશને કતલખાને લઈ જતા ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસ
વેરાવળ પોલીસે 11 ગૌવંશને કતલખાને જતા બચાવ્યા
તારીખ 11/12/2020નાં રોજ ગીર સોમનાથ વેરાવળ પોલીસ 🚔 સ્ટાફ ને મળેલ બાતમીના આધારે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશ 🐄 ને કતલખાને લઇ જવાતા હોય તે બાબતનાં આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબની ટીમ દ્વારા સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી મૂકી નાશી ગયેલા અને તે ગાડીમાં ૧૧ ગૌવંશને 🐄 જીવીત બચાવવામાં પોલીસ સ્ટાફને સફળતા મળેલ આ બંને તસ્કરોની શોધખોળ ચાલુ છે.
કતલખાને લઇ જવાતા ગૌવંશને બચાવવા બદલ વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર સાહેબ, એ.એસ.આઈ જેઠાભાઈ તેમજ પીઠરામ ભાઈ જેઠવા, હેડ કોન્સ્ટેબલ નટુભા, દેવદાનભાઈ, મયુરભાઈ પોલીસ કોન્સ્ટેબલ કમલેશ ભાઈ, અરજણભાઇ અને અશોકભાઈ મોરી કતલખાને જતા ગૌવંશ ને જીવિત બચાવવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐
પો.ઇન્સ્પેક્ટર શ્રી પરમાર સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ આપની બહાદુરી અને ગૌવંશોનો જીવ બચાવવા બદલ હિન્દૂ યુવા સંગઠન આપના કાર્ય ને સલામ કરે છે 🙏🏻
વેરાવળ પોલીસ સ્ટાફ નો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐
પાયલ બાંભણિયા
ઉના
ધ્રોલમાં તીસરી આંખ બંધ થતા તસ્કરો શક્રિય
ઉમેરો હોય તો બોલ,મને બાદબાકી નહીં ફાવે
શુક્રવાર, 11 ડિસેમ્બર, 2020
મિચ્છામિ દૂકડમ
જેતપુર નગરપાલીકા વિસ્તારમાં કોરોના વાયરસ મહામારી અટકાવવા અંગે સધન કામગીરી કરાઈ
જેતપુરના બિંદિયાબેન મકવાણાની શહેર ભાજપ મંત્રી તરીકે નિમણુંક
મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય
ગુરુવાર, 10 ડિસેમ્બર, 2020
કર્ણાટકમાં ગૌહત્યા નિવારણ કાયદાને અમલી બનાવવા બદલ મુખ્યમંત્રીશ્રી બી.એસ. યેદુરપ્પાનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા કોઈપણ જાતનાં ઉપકરણો વિના ગાયનાં ગોબરમાંથી ધુપબતી તથા રંગોળી બનાવવાની ઓનલાઈન ટ્રેનીંગ અપાશે
બુધવાર, 9 ડિસેમ્બર, 2020
વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.
સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં માનવ ઉત્થાન સેવા સમિતી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.
સુરેન્દ્રનગર શહેરના રતનપર માનવ ધર્મ આશ્રમ ખાતે કોરોના વોરિયર્સને સન્માનિત અને આયુવૈદીક ટેબલેટ વિતરણ સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી અને શહેરના ડોકટરોની ટીમના સહયોગથી સેવાનું સુંદર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોગ પ્રતિરોધક નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળા શિબિર, માસ્ક વિતરણ, આયુર્વેદિક સંસવની વટી ટેબ્લેટ, હોમીઓપેથી આર્સેનિક 30, ટેબ્લેટ વિતરણ અને ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ હતું.
કેમ્પ મા ઝાલાવાડ ના સામાજીક કાર્યકર સુબોધ જોષી એ કોરોના અટકાયત પગલાં રૂપે સરકાર શ્રી ની ગાઈડ લાઈન નુ ચુસ્ત પાલન કરવા સામુહિક સૌગંદ વિધિ કરાવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી ગુજરાત રાજ્ય અધ્યક્ષ નિલેશભાઈ જોષીદ્વારા જિલ્લાની કારોબારી સદસ્ય ને કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે માનવ ધર્મ આશ્રમ ના મહાત્મા પ્રવીણા બાઈજી દ્વારા કોરોના સમય દરમ્યાન સમાજ સેવા કરેલ મહાનુભાવો મોહનભાઈ પટેલ સહિતના અગ્રણિ આગેવાનો અને પત્રકાર મિત્રોને કોરોના વોરિયર્ષ તરીકે સન્માન પત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર પરમાર સાહેબ, ડો.બારૈયા અને જિલ્લા એન. સી. ડી. સેલ ના ડોક્ટર ટીમ દ્વારા ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેસર ના દર્દીઓ ને ચકાસી સ્થળ પર દવા વિતરણ કરવામાં આવેલ હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે, માનવ અધિકાર નિગરાની સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ ઈલેશભાઈ ખાંદલા,જિલ્લા ઉપ પ્રમુખ અને સામાજીક કાર્યકર સુબોધભાઈ જોષી, શહેર પ્રમુખ સાગરભાઈ ચામડીયા,જિલ્લા મહામંત્રી કલ્પેશભાઈ વાઢેર, જિલ્લા મંત્રી નઝીરભાઈ સોંલકી, જિલ્લા ઉપ પ્રમુખ નવિનભાઈ પુજારા, પંકજભાઈ જાની, ઉન્નતિબેન શાહ, પીનાબેન વોરા, હેતલબેન પરમાર, શરીફાબેન જેડા, કૈલાશબેન સહિતનિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનુ સફળ સંચાલન જાણીતા એન્કર અને સમાજ સેવક ધર્મેન્દ્રભાઈ શાહે કર્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનવ ઉત્થાન સમિતી અને અખિલ ભારતીય માનવ નિગરાની સમિતીના યુવા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા સુરેન્દ્રનગર
સંસદ રાજેશ ચુડાસમા એ ગળોડર ગામ માં સિમેન્ટ રોડ ખુલ્લો મુક્યો
: માળીયા હાટીના તાલુકા ના ગળોડર ગામે થી શેપા તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હતો તે વિસ્તાર ના ખેડૂતો એ અનેક વખત રસ્તો બનાવવા માંગણી કરી હતી .
આવિસ્તાર ના ખેડૂતો એ તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા ને આ રસ્તા ની રજુઆત કરી હતી. દિલીપ ભાઈ સીસોદીયા એ તાત્કાલીક આ વિસ્તાર ના સંસદ રાજેશ ભાઈ ચુડાસમા ને રજુઆત કરી સંસદ સભ્ય એ પોતાની ગ્રાન્ટ માંથી 525000/મજૂર કરી આપ્યા.
આ વર્ષો જૂનો રસ્તા નગડીયા વિસ્તાર થી અમરાભાઈ ઠારણભાઈ ના વાડી તરફ જતા રસ્તા નું કામ સિમેન્ટ રોડ થી મઢવા બીજી તરફ ખુશી ની વાત એ છે કે આ રસ્તો વધુ મજબૂત બને તે માટે આ વિસ્તાર ના ખેડૂતો એ 150000/ જેટલો ફાળો વધુ એકત્રિત કરી આ રસ્તા ના કામ માં વાપરિયા
આ રસ્તો સંપૂર્ણ પણે તૈયાર થઈ જતા સંસદ રાજેશ ચુડાસમા અને તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપસિંહ સીસોદીયા દ્વારા રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
તેમજ ઠાકરશી ભાઈ જાવીયા ,હમીરસિંહ સીસોદીયા, મુળુભાઈ જુનજીયા,રાજેશ ભાઈ ભાલોડિયા, ઠારણ ભાઈ સિંધવ, બચુભાઇ સીસોદીયા, જીતુભાઇ સીસોદીયા, વિક્રમભાઈસિંધવ, દિલીપભાઈ સીસોદીયા, બહાદુર ભાઈ કાગડા, માનસિંગ ભાઈ લાખાણી, જીવા સીસોદીયા,ભરત ભાઈ વાઢીયા સહિત ના આગેવાનો તેમજ તે વિસ્તાર ના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
મો.7575863292
કલ્પેશ વાઢેરની મહામંત્રી તરીકે નિમણુંક..
સુરેન્દ્રનગર જીલ્લા માનવ અધિકાર નિગરા સમિતિ દ્વારા આજે કલ્પેશ વાઢેરને સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવી
ત્યારે લીંબડી તાલુકા કલ્પેશ વાઢેર જેઓ એમ એ બીએડ બીએ એલ એલ બી અને જનાલીજમ છે જેઓને માનવ અધિકાર નિગરા સમિતિના સુરેન્દ્રનગર જિલ્લાની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ત્યારે આ માનવ અધિકાર નિગરા સમિતિ ની કામગીરીની સોંપણી કરતા સુરેન્દ્રનગર જિલ્લાના મિત્રો દ્વારા શુભેચ્છા કલ્પેશ વાઢેર ને પાઠવવામાં આવી રહી છે
ત્યારે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર જિલ્લાના લોકોના કામ અર્થે સદાય તત્પર હોય છે ત્યારે આ વધુ કામગીરી સોંપતા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શુભેચ્છા પાઠવવામા આવી રહી છે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા, લીંબડી
ઇંગ્લીસ દારૂનો સફળ ક્વોલીટી કેસ શોધી કાઢતી લીંબડી પોલીસ
લીંંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના બોડીયા ગામે મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલાના કબ્જા ભોગવટા વાળા વાડામા રેઇડ
કરી ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂનો સફળ ક્વોલીટી કેસ શોધી કાઢતી લીંબડી પોલીસ
સુરેન્દ્રનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ગે.કા. દારૂ-જુગારની પ્રવૃતિને જડ-મુળથી નાબુદ કરવા સુચનાં કરતાં મ્હે.ના.પો.અધિ.શ્રી સી.પી.મુંધવા સાહેબની સુચનાં અને માર્ગદર્શન હેઠળ તથા સી.પી.આઇ.શ્રી આર.જે.રામ સાહેબનાઓની સુચના મુજબ લીંબડી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.એન.એચ.સોલંકી તથા લીંબડી પોલીસ સ્ટાફના આસી સબ ઇન્સ.નંદલાલભાઇ જી.સાપરા તથા પો.હેઙ.કોન્સ.દશરથસિંહ એલ.જાદવ તથા ચંદુભાઇ પી.બાવળીયા તથા પો.કોન્સ.ભવાનભાઇ પી. બળોલીયા તથા ડ્રા.વિજયસિંહ ડી.ઝાલા નાઓ લીંબડી પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ.નંદલાલભાઇ જી.સાપરાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે બોડીયા ગામના મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલા તથા જયપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે.બંન્ને બોડીયા વાળા પોતાના અંગત આર્થિક ફાયદા સારૂબોડીયા ગામની આથમણી દિશાએ આવેલ રાજપુત સમાજની વાડી શક્તિમાં ના મંદીરની પાછળ વોકળાને અડીને આવેલ મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલાના કબજા ભોગવટા વાળા વાડામા ભારતીય બનાવટની ઇંગ્લીસ દારૂની બોટલો સંતાડી રાખી છુટકમા વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીહકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૯૫ કી.રૂા.૨૮,૫૦૦/-નો મુદામાલ મળી આવતા બંન્ને ઇસમો સામે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.હાલે સદરહુ ગુન્હાની તપાસ ચાલુમા છે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા, લીંબડી
પી.આઈ.રામ સાહેબના વૈચારિક ક્રાંતિ ગ્રુપમાં જોડાવા જેવું..
પીઆઇ રામ સાહેબ આ નામ ને ભાગ્યે જ કોઈ ના ઓળખતું હોય આહીર સમાજ જ નહીં પણ અન્ય સમાજ પણ જાણીતા અને માનીતા પી આઈ એટલે રામ સાહેબ
રામ સાહેબે સોશ્યલ મીડિયા નો સદ્ઉપયોગ કરી ફેસબુક માં એક આહીર સમાજ માટે ગ્રુપ બનાવ્યું છે જેનું નામ છે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ અને જોતજોતામાં તે ગ્રુપ એટલું બધું લોકપ્રિય અને ઉપયોગી બન્યું કે આ ગ્રુપ ની જેણે પણ મુલાકાત લીધી તે લોકો ને ખુબ પસંદ આવ્યું અને આહીર સમાજ ના દરેક ફિલ્ડ માંથી તેમા લોકો જોડાયા અને આજે પણ જોડાઈ રહ્યા છે અને એક બીજા પરીચિત થય રહ્યા છે
આ ગ્રુપ માં રામ સાહેબ પોતાનો કિંમતી સમય ફાળવી ને કાંઈક નું કાંઈક નવુ લોક ઉપયોગી થાય તેવી વસ્તુ હંમેશા ઉમેરતા રહે છે હંમેશા વ્યસ્ત રહેતો માણસ સમાજ માટે પોતાનો કિંમતી સમય આપી ને આવું કામ કરતો હોય તો સમાજ ના દરેક માણસ ને ગર્વ લીધા જેવી બાબત છે
જો સમાજ મા વૈચારિક ક્રાંતિ આવશે તોજ સમાજ અને આ દેશ આગળ આવશે એવું મારૂં સ્પષ્ટ માનવું છે
ખાસ કરીને હકારાત્મક અભિગમ થકી, દરેક સમાજ સાથે સંકલન રાખી, સમાજના વિકાસ થકી સક્ષમ રાષ્ટ્ નિર્માણમાં આપણું યોગદાન આપવું એ મુખ્ય ઉદ્દેશ્ય છે.
પાયલ બાંભણિયા
ઉના
શુક્રવાર, 4 ડિસેમ્બર, 2020
આજે કરુણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "શાકાહાર તંદુરસ્ત જીવન શૈલીનો આધાર" પર વૈશ્વીક વેબીનાર
કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "શાકાહાર-તંદુરસ્ત જીવનશૈલીનો આધાર" વિષય પર વૈશ્વીક વેબીનાર યોજાશે. જેમાં અચ્યુત ગોપાલદાસ (પ્રેકટીસીંગ માંક, જીવન દાર્શનીક,વિચારક,લેખક, વકતા અને સામાજીક કાર્યકર), ગીરીશભાઈ શાહ (વૈશ્વિક સ્તરે જન, જંગલ, જમીન,જાનવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં સદસ્ય), ડો. નિશિતા દિક્ષીત (સેક્રેટરી-જન ઉર્જા મંચ, હોસ્પીટલ તથા સ્વાસ્થય પ્રશાસન, વ્યુહાત્મક યોજના), સુશ્રી અનિકા (કલા, સંસ્કૃતિ,સામાજીક પ્રભાવકાર, ટીમ બીલ્ડર તથા ટાસ્ક માસ્ટર ઉ.વ.૧૨) પોતાનું માર્ગદર્શન આપશે.
આ વેબીનારનું સંચાલન મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવશે. આ વેબીનાર તા. ૦૪, ડીસેમ્બર, શુક્રવારે સાંજે ૬-૦૦ થી ૭–૩૦ સુધી ફેસબુક પેઈઝ Facebook.com/animalhelplinekarunafoundation પર જીવંત નિહાળી શકાશે. આ વેબીનારની સફળતા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. આ વેબીનારની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો.૯૮૨૪૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦૩૦૩૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ગુરુવાર, 3 ડિસેમ્બર, 2020
તાલાલા ગીરના અમર શહિદ ઇમરાન ભાઈ સાયલી ને સામૂહિક શ્રધ્ધાંજલિ અર્પવા શહેર સજ્જડ બંધ રહ્યું.
🖊️દિપક જોષી દ્વારા.... પ્રાચી...
તાલાલા શહેરમાં સુંદરમ સોસાયટી માં આવેલા કબ્રસ્તાનમાં ગાર્ડ ઓફ ઓનરની સલામી સાથે દફનવિધિ કરવામાં આવી.
તાલાલા શહેરમાં અંતિમ યાત્રા ના રૂટને રાષ્ટ્રધ્વજ તથા મોટા મોટા બેનરો થી શુસોભીત કરવામાં આવતા શહેર દેશભક્તિના રંગે રંગાયું.
તાલાલા ગિરના અરુણાચલ પ્રદેશની સરહદે વિરગતી પામેલ અમર સીદી બાદશાહ આદિવાસી યુવાન ઈમરાનભાઈ કાળુભાઈ સાયલી ઉંમર વર્ષ 33 ને તાલાલા શહેરમાં વસવાટ કરતાં તમામ સમાજે શહેર સજ્જડ બંધ રાખી સામૂહિક ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દેશના સીમાડા નો રખોપું કરતા કરતા રવિવારે વીરગતિ પામેલ ભારત માતાના વીર સપૂત ઈમરાન ભાઈ સાયલી નો મૃતદેહ અમદાવાદથી હવાઇ માર્ગેજૂનાગઢ આવ્યા બાદ આર્મીના વાહનોમાં આર્મીના 31 જવાનો બોડી સાથે તાલાલા આવ્યા ત્યારે ભારત માતાના વીર સપૂત ઈમરાનભાઈ અમર રહોના નારા સાથે માર્ગ ઉપર એક કિ.મી લાંબી લાઈનમાં કલાકોની પ્રતિક્ષા કરી રહેલા હજારો લોકોએ તાલાલા ગીરના ગૌરવ વીર શહીદ જવાન ઉપર પુષ્પ વર્ષા કરી હતી. ત્યારે સમગ્ર શહેરમાં દેશભક્તિનુ અભૂતપૂર્વ માહોલ છવાઇ ગયું હતું. ત્યારબાદ શહીદ જવાનના મૃતદેહને રમણેચી રોડ ઉપર આવેલ તેમના નિવાસ સ્થાને લઇ જવામાં આવેલ ત્યાં શહીદ જવાનના પિતા કાળુભાઈ તથા માતા જુમા બેન મોટાભાઈ જાફર ભાઈ સહિત પરિવારજનો તથા તાલાલા શહેરના તમામ સમાજ તથા વેપારી મંડળ તથા તમામ રાજકીય પક્ષો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અમર શહીદને પુષ્પાંજલી અર્પણ કરી તાલાલા ના ગૌરવ ને અંતિમ વિદાય આપી હતી.
|| મારો દીકરો દેશની રક્ષા કાજે શહીદ થયો છે ||
શહીદ વીર જવાન ના પિતા કાળુભાઈ સાયલી એ જણાવ્યું કે મારો દીકરો દેશની રક્ષા કાજે શહીદ થયો છે. જેનો અમને ગર્વ છે. માં ભોમની રક્ષા માટે અમારા પરિવારના બીજા દીકરાઓ પણ આર્મીમાં મોકલી ભારત માતાની રક્ષા કરશું. અમર શહીદ જવાન ઈમરાનભાઈ અરુણાચલ પ્રદેશ રાજપુત રેજીમેન્ટ-25 માં નાયક તરીકે 13 વર્ષથી સેવા આપતા હતા.
|| તાલાલા 36 વર્ષ પછી અભૂતપૂર્વ બંધ રહ્યું ||
તાલાલા ગીર નો જવાન અરૂણાચલ પ્રદેશ સરહદે શહીદ થયાના સમાચાર આવતા શહેરના વિવિધ માર્ગો તથા મુખ્ય ચોકમાં હિન્દુસ્તાન કે સૂત્રો સાથે મોટા-મોટા બેનરો તથા રાષ્ટ્રધ્વજ ઠેર ઠેર લગાવવામાં આવતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઇ ગયું હતું.આજે સવારથી શહેરમાં શાકભાજી, ફ્રૂટ, ચા-પાન સહિત નાના-મોટા તમામ દુકાનો સ્વયંભૂ સજ્જડ બંધ રહેતા શહેરમાં થઈ ગયું હતું. 1984 માં જ્યારે ઇન્દિરા ગાંધીની નિર્મળ હત્યા થઈ હતી ત્યારે શહેર સ્વયંભૂ અભૂતપૂર્વ બંધ રહ્યું હતું. તેની જેમ 36 વર્ષ પછી આજે વીર શહીદના માનમાં બંધ રહી તમામ સમાજે સહિદ જવાન ને ભાવભરી ભાવાંજલિ અર્પણ કરી હતી.
|| તાલાલાના શહીદ જવાનની અંતિમવિધિ માં ઉચ્ચ આર્મી અધિકારીઓ જોડાયા ||
તાલાલા ગીરના અમર શહિદ જવાનની કાયમી વિદાય આપવા અંતિમવિધિમાં ચીફ આર્મી કમાન્ડર- નવી દિલ્હી, મદ્રાસ, અમદાવાદ, જામનગર સહિત 31 જવાનો ઉપરાંત જામનગર સૈનિક કલ્યાણ અધિકારી શ્રી સંદીપ જયસ્વાલ - જામનગર ખાતેની સૈનિક વેલફેર કચેરીના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી રઈસભાઈ ધાંચી, શ્રી પ્રવિણસિંહ જાડેજા, ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી રામ ભાઈ ચારિયા, જૂનાગઢના પ્રમુખશ્રી રમેશભાઇ પરમાર ઉપરાંત તાલાલા પંથકમાંથી તમામ સમાજના તથા તમામ રાજકીય પક્ષો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.




















































