અનુયાયીઓ

શનિવાર, 12 ડિસેમ્બર, 2020

શ્રી હરિ ઓમ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમના ૭૦ વર્ષના વૃધ્ધનું સિવિલમાં અવસાન થતા તેમનો સામાન પરત કરતા કર્મચારીઓ

રાજકોટ -કોરોનાથી સંક્રમિત અમારા વૃધ્ધાશ્રમના ૭ લોકોને સિવિલ તેમજ કોવીડ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે. જેમાંના કેટલાક વૃધ્ધ દર્દી સજા થઈ વૃધ્ધાશ્રમ ખાતે પરત ફર્યા છે. ૭૦ વર્ષના હરિભાઈ હંસરાજભાઈ વેકરીયાનું સારવાર દરમ્યાન દુઃખદ અવસાન થયું હતું. હરિભાઈ હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે તેમણે પહેરેલી ઘડિયાળ, રૂ. ૧૯૨૦ તેમજ અન્ય સામાન જમા કરાવ્યો હતો. સિવિલના સભ્યોએ આ સામાન તેમજ રોકડ રકમ અમોને પરત કરી તેમની માનવતાની મહેંક પ્રસરાવી હોવાનું શ્રી હરિ ઓમ વૃધ્ધાશ્રમના સંચાલક જોશીબાપાએ સિવિલના સ્ટાફનો આભાર માનતા ભીના હ્ર્દયે જણાવ્યું છે.
શ્રી હરિ ઓમ સેવા ટ્રસ્ટ સંચાલિત વૃધ્ધાશ્રમ ખાતે હાલ ૯૦ થી વધુ વૃધ્ધો આશરો લઈ રહયા હોવાનું જોશીબાપા જણાવે છે. જે પૈકી ૭ સભ્યોને કોરોના થતા તેમને સિવિલ તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. દાદાની ઉંમરના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હોવાની અને તેઓ કેટલીક દવાઓ લેતા હોવાનું જોશીબાપા જણાવે છે. સિવિલ ખાતે સારવારમાં કાર્યરત ડો. ઝાટકીયાએ જણાવ્યું હતું કે, જયારે કોઈ દર્દી અહીં દાખલ થાય ત્યારે તેમનો સામાન એક થેલીમાં અમે લઈ તેના પર તેમનું નામ, એડ્રસ તેમજ કોન્ટેક્ટ નમ્બર રાખીયે છીએ. જયારે દર્દી ડિસચાર્જ થાય ત્યારે તેમને તેમનો સામાન અમે પરત કરી દઈએ છીએ. રાજકોટ સિવિલ ખાતે દર્દીઓની સારવાર સાથોસાથ ભોજન અને અન્ય જરૂરી તમામ પ્રકારની સુવિધા અર્થે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી આઠ કંપનીઓ સામે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ફોજદારી રાહે ગુનો દાખલ કરાયો

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ખાનગી કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની રકમ ન ચૂકવવા અંગે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે અધિક મુખ્યસચિવશ્રી વિપુલ મિત્રા દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને વલસાડની આઠ સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે વિવિધ સંસ્થાના કર્મચારીઓ તેમજ સંગઠનો દ્વારા પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972 હેઠળ કંપનીઓ દ્વારા ગ્રેચ્યુઇટી ન ચૂકવવા અંગે શ્રમ વિભાગને અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના અનુસંધાને શ્રમ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરી, ખરાઈ કરવામાં આવી હતી કે રાજ્યનાં આઠ એકમો દ્વારા ગ્રેચ્યુઇટીની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્યો છે અથવા ગ્રેચ્યુઇટીની ચૂકવણી કરવામાં આવી નથી. જેના લીધે આ આઠેય સંસ્થાઓને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી હતી. આ સંસ્થાઓ વિરુદ્ધ દંડની જોગવાઈઓ સહિત પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972ની કલમ 9 અને કલમ 11 હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવશે. જે પ્રમાણે, કોઈ પણ નિયોક્તા આ કાયદાની અથવા તો આ કાયદા હેઠળ બનાવવામાં આવેલા કોઈ પણ નિયમો અથવા તો હુકમોની કોઈ પણ જોગવાઈઓનું પાલન ન કરે અથવા તેનું ઉલ્લંઘન કરે, તો તેને ઓછામાં ઓછી ત્રણ મહિનાની અને વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ.10,000 અને વધુમાં વધુ રૂ.20,000 સુધીનો દંડ અથવા બંને સજાની જોગવાઈ છે. આ આઠ સંસ્થાઓમાં ચાર સંસ્થાઓ અમદાવાદની છે, જેમાં પેસ સેન્ટર્સ બિઝનેસ સોલ્યુશન પ્રા. લિ., નિંબ્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ., રોઝબેલ બાયોસાયન્સ લિ. અને પરફેક્ટ બોરિંગ પ્રા.લિ.નો સમાવેશ થાય છે. આ સિવાય, ટીમલીઝ- એલ એન્ડ ટી, રાજકોટ; ડી.જી. નાકરાણી GMERS હોસ્પિટલ, વડોદરા; એકતા પ્રિન્ટ્સ પ્રા.લિ., સુરત અને ક્રિએટિવ ટેક્સ મિલ્સ પ્રા.લિ., વલસાડને પણ કારણદર્શક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર માસમાં શ્રમ વિભાગ દ્વારા કટારિયા ઓટોમોબાઇલ્સ સહિત કર્મચારીઓને ગ્રેચ્યુઇટીની ચૂકવણી નહીં કરનારી અમદાવાદ, ગાંધીનગર અને સુરતની કુલ નવ સંસ્થાઓ સામે પણ કારણદર્શક નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી. ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા ગ્રેચ્યુઇટીના નિયમોનું પાલન ન કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન બહાર આવતાં, આ તમામ સંસ્થાઓ સામે પેમેન્ટ ઑફ ગ્રેચ્યુઇટી ઍક્ટ, 1972 હેઠળ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિક મુખ્યસચિવશ્રી વિપુલ મિત્રાએ ઉમેર્યું હતું.

જસદણની બાળકીઓએ કોરોના સંદર્ભે રંગોળી સજાવી

જસદણની બાળકીઓએ કોરોના સંદર્ભે રંગોળી સજાવી
(હુસામુદ્દીન કપાસી દ્વારા)
જસદણ, તા. 12
જસદણના પટેલ શોપિંગમાં રહેતી બાળાઓ હેતવી અંબાણી, મેઘા જાની, તુલસી સોલંકી, નામની બાળાઓએ હાલમાં રહેલી મહામારી કોરોના વાયરસની જાગૃતિ અંગે જુદાં જુદાં સ્લોગનો ટાંકી સરસ મજાની રંગોળી બનાવી હતી જસદણમાં લોકડાઉનથી અત્યાર સુધીના અનલોકમાં સેવાના કાર્યો સાથે સેવાનો ગોકીરો અને ખાયકી પણ થઈ રહી છે ત્યારે કોરોના સંદર્ભે બાળસહજ પ્રવુતિની નોંધ લેવાઈ રહી છે. તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ

મો.9924.01 352

જાફરાબાદ તાલુકાના રોહિસા ગામે ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા રમતગમતનાં મેદાનનું ઉદ્ઘાટન

રાજુલા જાફરાબાદ ખાંભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ને થોડા સમય પહેલા રોહિસા ગામના યુવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે અમારા ગામની વર્ષો જૂની માંગ હતી કે તેમને રમત ગમત માટે સારું એક મેદાન મળી રહે જેથી યુવાનો આ મેદાનમાં ક્રિકેટ,વોલીબોલ, રનિંગ, ફૂટબોલ, ખો-ખો, કબડ્ડી સહિતની રમતો રમી શકે. આ મુદ્દે ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ને રોહિસા ગામના યુવાનોએ રજુઆત કરી હતી અને તે રજુઆતને ધ્યાને લઇ યુવા ધારાસભ્ય દ્વારા પોતાના સ્વખર્ચે બનાવી આપવાનું વચન પૂર્ણ કર્યું હતું.
તેમજ આ રમતગમત ના મેદાનનું ઉદ્દઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્દઘાટન સ્થળે સત્યનારાયણ ભગવાનની કથા નું પણ સ્થાનિક આગેવાનો અને યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ધારાસભ્ય દ્વારા એક ઓવર ની બેટિંગ પણ કરી યુવાનો નો ઉત્સવ વધાર્યો હતો. આ તકે પ્રદેશ કોંગ્રેસ નાં આગેવાન પ્રવિણભાઈ બારૈયા, દિપકભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ બાંભણીયા, ધોરી સાહેબ, મુનાભાઈ વાળા, ડાયાભાઈ મકવાણા, બચુભાઈ બારૈયા, કાદરભાઈ જાડેજા, હમીરભાઈ સાંખટ, ભરતભાઈ મકવાણા, નાનુભાઈ વાઘેલા, ગફારબાપુ, જીવનભાઈ બારૈયા, લક્ષ્મણભાઈ બાંભણીયા, ભરતભાઈ બારૈયા, કનુભાઈ સાંખટ, નાનજીભાઈ બારૈયા, શિવાભાઈ મકવાણા, દુલાભાઈ વાંજા, સહિતના સ્થાનિક આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર:- પાયલ બાંભણિયા ઉના

૧૧ ગૌવંશને કતલખાને લઈ જતા ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસ

ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ શહેરમાં આવેલ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ૧૧ ગૌવંશને કતલખાને લઈ જતા ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસ 👮 સ્ટાફની સફળ કામગીરી 🙏🏻 તારીખ 11/12/2020નાં રોજ ગીર સોમનાથ વેરાવળ પોલીસ 🚔 સ્ટાફ ને મળેલ બાતમીના આધારે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશ 🐄 ને કતલખાને લઇ જવાતા હોય તે બાબતનાં આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબની ટીમ દ્વારા સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી મૂકી નાશી ગયેલા અને તે ગાડીમાં ૧૧ ગૌવંશને 🐄 જીવીત બચાવવામાં પોલીસ સ્ટાફને સફળતા મળેલ આ બંને તસ્કરોની શોધખોળ ચાલુ છે.
કતલખાને લઇ જવાતા ગૌવંશને બચાવવા બદલ વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર સાહેબ, એ.એસ.આઈ જેઠાભાઈ તેમજ પીઠરામ ભાઈ જેઠવા, હેડ કોન્સ્ટેબલ નટુભા, દેવદાનભાઈ, મયુરભાઈ પોલીસ કોન્સ્ટેબલ કમલેશ ભાઈ, અરજણભાઇ અને અશોકભાઈ મોરી કતલખાને જતા ગૌવંશ ને જીવિત બચાવવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐 પો.ઇન્સ્પેક્ટર શ્રી પરમાર સાહેબ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ આપની બહાદુરી અને ગૌવંશોનો જીવ બચાવવા બદલ હિન્દૂ યુવા સંગઠન આપના કાર્ય ને સલામ કરે છે 🙏🏻 વેરાવળ પોલીસ સ્ટાફ નો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐 પાયલ બાંભણિયા ઉના

વેરાવળ પોલીસે 11 ગૌવંશને કતલખાને જતા બચાવ્યા

ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ શહેરમાં આવેલ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ૧૧ ગૌવંશને કતલખાને લઈ જતા ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસ  સ્ટાફની સફળ કામગીરી 

તારીખ 11/12/2020નાં રોજ ગીર સોમનાથ વેરાવળ પોલીસ 🚔  સ્ટાફ ને મળેલ બાતમીના આધારે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશ 🐄 ને કતલખાને લઇ જવાતા હોય તે બાબતનાં આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર સાહેબની ટીમ દ્વારા સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી મૂકી નાશી ગયેલા અને તે ગાડીમાં ૧૧  ગૌવંશને 🐄 જીવીત બચાવવામાં પોલીસ સ્ટાફને સફળતા મળેલ આ બંને તસ્કરોની શોધખોળ ચાલુ છે.

કતલખાને લઇ જવાતા ગૌવંશને બચાવવા બદલ વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર સાહેબ, એ.એસ.આઈ જેઠાભાઈ તેમજ પીઠરામ ભાઈ જેઠવા, હેડ કોન્સ્ટેબલ નટુભા, દેવદાનભાઈ, મયુરભાઈ પોલીસ કોન્સ્ટેબલ કમલેશ ભાઈ, અરજણભાઇ અને અશોકભાઈ મોરી કતલખાને જતા ગૌવંશ ને જીવિત બચાવવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐

પો.ઇન્સ્પેક્ટર શ્રી પરમાર સાહેબ  તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ આપની બહાદુરી અને ગૌવંશોનો જીવ બચાવવા બદલ હિન્દૂ યુવા સંગઠન આપના કાર્ય ને સલામ કરે છે 🙏🏻

વેરાવળ પોલીસ સ્ટાફ નો ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐

પાયલ બાંભણિયા
ઉના

ધ્રોલમાં તીસરી આંખ બંધ થતા તસ્કરો શક્રિય

ધ્રોલમાં તીસરી આંખ બંધ થતા તસ્કરો શક્રિય 
(સંજય ડાંગર) ધ્રોલ, તા.11
સરકાર સુરક્ષાને લઈને રાજ્યભરમાં અને ખાસ કરીને તાલુકા મથકો એવા શહેરમાં તીસરી આંખ એટલકે સીસી કેમેરા કાર્યરત કર્યા છે. તીસરી આંખથી ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. એક તબ્બકે મહદંશે મેજર ગુનાઓ બનતા અટક્યા છે. પણ જામનગરના ધ્રોલ શહેરમાં મુકાયેલા તમામ સીસી કેમેરા(તીસરી આંખ) બંધ થઇ ગઈ હોવાથી તસ્કરોએ તેઓની આંખો ખોલી ચોરીચપાટી શરુ કરી છે.
તાજેતરમાં જ મામલતદાર કચેરીમાંથી ધોળે દિવસે એક બાઈકની ઉઠાંતરી થઇ ગઈ છે તો રાત્રિને લોકોને અધકચરું સૂવું પડતું હોવાની ફરિયાદો ઉઠી છે. એક રીતે કહીયે તો ધ્રોલમાં તમામ સીસી કેમેરા બંધ થઇ જતા તસ્કરો અને  અસામાજિક તત્વોને મોકળું મેદાન મળતું હોવાના આક્ષેપો થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને પૂનમ માડમ  જેવા બાહોશ સાંસદ  મળ્યા છે. પૂનમબેન સતત શક્રિય રહીને પ્રજા ફરિયાદો હલ કરવામાં પોતાનો સમય વધુ કાઢે છે.
ત્યારે ધ્રોલમાં બંધ પડેલા તીસરી આંખ જેવા તમામ કેમેરા કેમ બંધ થઇ ગયા ? આ વાત પાછળ કોઈ જવાબદાર છે કે કેમ ? તે બાબતે તપાસ કરાવીને બંધ સીસી  કેમેરા ચાલુ  કરાવે તે જરૂરી છે.

ઉમેરો હોય તો બોલ,મને બાદબાકી નહીં ફાવે

ઉમેરો હોય તો  બોલ,મને બાદબાકી  નહીં   ફાવે

ઉમેરો હોય તો  બોલ,મને બાદબાકી  નહીં   ફાવે
સીધે કાઢવું  છે ઘી તો બોલ,મને વાંકી નહીં  ફાવે

ભોળો ભલો  ને મૂર્ખ હું ,મને ચાલાકી  નહીં  ફાવે
કોઈની  લીટીને   ભૂંસીને ,મને  તરક્કી  નહીં  ફાવે

નિષ્ફળતા , વિઘ્નોને  હું  સ્વીકારી  લઈશ  આખા
સૌની પ્રાપ્તિ એકલાં લેવાની,મને પદ્ધતિ નહીં ફાવે

દેવા હોય તો  દર્શન  દે  પૂરાં  એ  ઈશ્વર , એ  પ્રિયે
સમૂળગાનો  જીવ  છું  હું, મને   ઝાંખી  નહીં  ફાવે

આજે ઉધારને કાલે  રોકડાં  એવું  ના  કર  તું  પ્રભુ
કર્મનો ચૂકતો કર  હિસાબ તું,મને બાકી  નહીં  ફાવે

તું કૃષ્ણ તો હું ય સુદામા  છું  તારો  જ  દોસ્ત  પ્રભુ
લેવાં તું જ આવજે  દોડીને,મને  પ્રોક્સી  નહીં  ફાવે

રાવણને  મારીશ  તીર  તો  છાતીએ જ  મારીશ  હું
રામનો જ  વંશજ  છું તો ય, મને  નાભિ  નહીં  ફાવે

પાવું  હોય  તો તું જ  પાજે  મને  મય  કે  ગંગાજળ
યજમાન તું જ બન પ્રભુ મારો,મને  સાકી  નહીં ફાવે

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999) નાં કાવ્ય સંગ્રહ 'स्वान्तः सुखाय' માં થી

શુક્રવાર, 11 ડિસેમ્બર, 2020

મિચ્છામિ દૂકડમ

મિચ્છામિ દુક્કડમ

કરવાં ખાતર  ના  આ  કાજ  કરજો
સાચે સાચું  જ  સૌને  માફ   કરજો

દુભાવ્યા   હોય  તેને  અશ્રુથી  ધોઈ
એ રીતે નિજ  હૃદયને  સાફ  કરજો

જીતવાં જેવું દિલ જ છે આ જગમાં
સરળ સહજ બની ત્યાં રાજ કરજો

માફી આપવી એ તો  છે વિરનું કામ
માફી માંગી મહાવીર રિવાજ કરજો

જે કર્મની માફી માંગી કર્મ તે ત્યજજો
રાગ દ્વેષ મોહ મત્સરથી લાજ ભરજો

જાણતાં સાથે અજાણતાંય થાય પાપ
ક્ષમા માંગી અશુભોને તારાજ  કરજો

મિચ્છામિ દુક્કડમ નો આજીવન અમલ
આચરણ થકી સદા  આ  જાપ  કરજો

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ 'શબ્દ ઘેર આનંદ ભયો' માં થી

જેતપુર નગરપાલીકા વિસ્તારમાં કોરોના વાયરસ મહામારી અટકાવવા અંગે સધન કામગીરી કરાઈ

રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા માસ્ક વિતરણ કરાયુ રાજકોટ : - રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારીના નિયંત્રણ માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ સધન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જેતપુર શહેરની મેઇન બજાર, બસ સ્ટેશન તથા આસપાસના વિસ્તારમાં અધિકારીઓની ટીમ બનાવી ચાર દિવસમાં અંદાજિત ૯૯ જેટલા લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.
ઉપરાંત, જાહેર જનતાને યોગ્ય રીતે માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા માટે તથા સોશ્યલ ડીસ્ટસિંગ જાળવી રાખવાની બાબતો અંગે આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યુ હતું. જિલ્લાના તમામ લોકોને તાવ, શરદી, ઉધરસ એવા કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ આરોગ્ય કર્મચારીઓનો સંપર્ક કરવા અથવા કોરના હેલ્પલાઇન નં. ૧૦૪ પર ફોન કરવો, તેમ આરોગ્યશાખા-જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાાવાયું છે.

જેતપુરના બિંદિયાબેન મકવાણાની શહેર ભાજપ મંત્રી તરીકે નિમણુંક

(કશ્યપ જોશી દ્વારા) જેતપુર નવાગઢ નગર પાલિકાના માજી પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાના સુપુત્રી બિંદિયાબેન અનેકવિધ મહિલા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગરીબ તેમજ મધ્યમ વર્ગના મહિલાઓના તેઓ સતત માર્ગદર્શક તરીકે ફરજ બજાવતા આવે છે. અનેક સરકારી યોજનાઓથી તેઓ મહિલા વર્ગને સતત વાકેફ કરતા રહે છે. એટલુંજ નહીં કોઈ સરકારી કચેરી સુધી અરજદારોને લઇ જઈને સરકારી સુવિધા પુરી પડાવવા તેઓ સતત કાર્યરત રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે. માતા-પિતાની ભાજપ પરત્વેની સનિષ્ઠાનો તેઓને લાભ મળ્યો છે. એટલે બિંદિયાબેન પણ ભાજપ સાથે જોડાઈને કાર્યરત છે. નાનકડા જેતપુરમાં તેમની સતત શક્રિયતા જોઈને ભાજપના ઉચ્ચ પદાધિકારીઓએ બિંદિયાબેનને જેતપુર શહેર ભાજપ મંત્રી તરીકે સુકાન સોંપવાનું મુનાસીબ માન્યું છે. બિંદિયાબેનની શહેર ભાજપ મંત્રી તરીકે નિમણુંક થતાજ તેમના રહેણાંક વિસ્તાર વડલી ચોક ઉપરાંત શહેરમાં દલિત સમાજમાં રાજીપો છવાયો છે. સમાજની એક દીકરી આવા પદ પર પહોંચી છે ત્યારે માતા રમાબેન, પિતા રામજીભાઈ, ભાઈ યોગેશભાઈ ઉપરાંત દલિત સમાજના મોભી સમાન આગેવાનોએ બિંદિયાબેનનું સન્માન કરી બિરદાવ્યા છે. પ્રસ્તુત તસ્વીરોમાં બિંદિયાબેનની લત્તાવાસીઓ ઉપરાંત હિતેચ્છુંઓ દ્વારા સન્માન થતું નજરે પડે છે.

મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય

જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગે આખરી-ફાયનલ મંજૂરી આપી છે. અગાઉ આવી તકરારી નોંધ જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે પહેલાં મામલતદાર કક્ષાએ સૂનાવણી હાથ ધરાયા બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં જુદા જુદા ત્રણ તબક્કે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાયનલ) જાહેરનામું જારી કર્યુ છે, હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પગલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર)કરવાની સત્તા નાયબ મામલતદારની છે.ઘણી બધી વખત જૂદા જૂદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે. આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ વિભાગમાં જમીન મહેસૂલને સ્પર્શતી બાબતોમાં વિવિધ કાયદાઓ હેઠળ વખતોવખત તેમાંસુધારા, નિયમો, ઠરાવો-પરિપત્રો બહાર પાડીને મહેસૂલી વહીવટી પ્રક્રિયાઓને સરળ, પારદર્શી અને ઝડપી બનાવી છે. હવે, આ પ્રજાલક્ષી નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે.

ગુરુવાર, 10 ડિસેમ્બર, 2020

કર્ણાટકમાં ગૌહત્યા નિવારણ કાયદાને અમલી બનાવવા બદલ મુખ્યમંત્રીશ્રી બી.એસ. યેદુરપ્પાનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન

• સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારનો કડક કાયદો ઘડાય તેમજ તેનું કડક અમલીકરણ પણ થાય તેવી માંગણી કરતું એનીમલ હેલ્પલાઈન RAJKOT : કર્ણાટકના ગૌવ્રતી, મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાએ કર્ણાટકમાં ગૌમાતા અને ગૌવંશ સંરક્ષણ માટે "ગૌવધ નિવારણ અદ્યાદેશ-૨૦૨૦" ને મંજુરી આપી છે. ગૌમાતા પ્રત્યે અત્યંત આદર અને પ્રેમ ધરાવતા ગૌભકત મુખ્યમંત્રીએ કર્ણાટકમાં ગૌવંશને ક્ષતિ પહોંચાડનાર અપરાધી ઉપર ૩ થી લઈને ૭ વર્ષ સુધીની કડક કેદની જોગવાઈ કરી છે. આ કાયદામાં ગૌહત્યા, ગાય, વાછડા, બળદ, (૧૩ વર્ષથી ઓછી ઉંમરના) કત્લ પર કર્ણાટક સરકારે પ્રતિબંધ કરી દીધો છે. તથા ગૌહત્યાનાં કાયદામાં એક પશુ માટે રૂા. ૫૦ હજાર થી માંડીને ૧૦ લાખ રુપિયાનો દંડ તેમજ આવા આરોપીને ૩ થી લઈને ૭ વર્ષ સુધી સજાની જોગવાઈ કરવામાં આવી છે. તથા બીજા અપરાધો માટે ૩ થી ૫ વર્ષની જેલની સજા તથા પ૦ હજારથી લઈને ૫ લાખ રૂપીયા સુધીનો દંડ પણ ભરવો પડશે. કર્ણાટકની ગૌપ્રેમી જનતાની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને તેમજ ગૌમાતા, ગૌવંશની રક્ષા અને ગૌ તસ્કરી તેમજ આ પ્રકારના અપરાધો સંપૂર્ણપણે અટકાવવાની ભાવનાથી આ કાયદો ઘડાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌહત્યા કરનાર અપરાધી સામે 'ઝીરો ટોલરન્સ"ની નીતી અપનાવીને જાહેરમંચ પર અનેકવાર કહયું છે કે, જે ગાયની દયા ન ખાય તેની દયા સરકાર ખાવા માંગતી નથી.સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારના કડક કાયદાનું નિર્માણ થાય અને સૌથી મહત્વનું અધીકારીઓ તેનું ગ્રાસરૂટ લેવલે કડક અમલીકરણ કરાવે તેવી માંગણી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી,એનીમલ હેલ્પલાઈનના પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ સહીતનાએ મુખ્યમંત્રીશ્રી યેદુરપ્પાને અભિનંદન આપવાની સાથોસાથ કરી છે. કડક કાયદાઓ પણ જયા સુધી તેનું કડક અમલીકરણ ન થાય ત્યાં સુધી અધુરા જ છે. ગાય બચશે તો જ આપણે સૌ બચી શકીશું. કોરાના જેવી મહાભયંકર બીમારી સામે પણ ગૌમાતા આપણને રક્ષણ આપી શકતી હોય તેવી સમર્થ છે, ત્યારે તેના રક્ષણની જવાબદારી માટે સરકારની સાથોસાથ પ્રજા પણ જાગૃત થાય તેવી લાગણી એનીમલ હેલ્પલાઈન પરીવારે વ્યકત કરી છે. -- Thanks

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા કોઈપણ જાતનાં ઉપકરણો વિના ગાયનાં ગોબરમાંથી ધુપબતી તથા રંગોળી બનાવવાની ઓનલાઈન ટ્રેનીંગ અપાશે

. ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનું આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયા દ્વારા “ગો આધારિત અર્થ વ્યવસ્થાનાં” પુનઃનિર્માણ માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યાં છે. જેનો અંતર્ગત કોઈપણ જાતના ઉપકરણો વિના ગોમય ધુપબતીઓ તથા ગાયનાં ગોબરમાંથી રંગોળી બનાવવા માટે તા.૧૧ ડીસેમ્બર ને શુક્રવારના રોજ સાંજે ૦૩-૦૦ થી પ-૦૦ દરમ્યાન ઓનલાઈન ટ્રેનીંગ શ્રી લોકેશજી (હેદરાબાદ) આપશે. પર જોઈન્ટ થવા યાદીમાં જણાવાયું છે. આ પ્રશિક્ષણ ટ્રેનીંગ ફેસબુક લીંક https://m.facebook.com/RKamdhenuAayog પણ જીવંત નિહાળી શકાશે. ગાયના છાણમાંથી નિર્મીત ૩૦૦ થી પણ વધુ વસ્તુઓ જેવી કે ધૂપ, ધૂપ લાકડીઓ, શુભ-લાભ, સ્વસ્તિક, સમરાની, હાર્ડબોર્ડ, વોલપીશ, પેપરવેટ, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને લક્ષ્મીજી મૂર્તિઓનું નિર્માણ કાર્ય સમગ્ર રાજયમાં શરૂ થયું છે. આ ઉપરાંત છાણનો ઉપયોગ જૈવિક ઈધણ માટે થાય છે જેનાથી ગૌરક્ષા, સ્વનિર્ભરતાને પ્રખર વેગ મળશે.

બુધવાર, 9 ડિસેમ્બર, 2020

વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.


સુરેન્દ્રનગર શહેરના રતનપરમાં માનવ ઉત્થાન સેવા સમિતી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી દ્વારા કોરોના વોરિયર્સને સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો.


 

સુરેન્દ્રનગર શહેરના રતનપર માનવ ધર્મ આશ્રમ ખાતે કોરોના વોરિયર્સને સન્માનિત અને આયુવૈદીક ટેબલેટ વિતરણ સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી અને શહેરના ડોકટરોની ટીમના સહયોગથી સેવાનું સુંદર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોગ પ્રતિરોધક નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળા શિબિર, માસ્ક વિતરણ, આયુર્વેદિક સંસવની વટી ટેબ્લેટ, હોમીઓપેથી આર્સેનિક 30, ટેબ્લેટ વિતરણ અને ડાયાબિટીસ ચેક-અપ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલ હતું. 






કેમ્પ મા ઝાલાવાડ ના સામાજીક કાર્યકર સુબોધ જોષી એ કોરોના અટકાયત પગલાં રૂપે સરકાર શ્રી ની ગાઈડ લાઈન નુ ચુસ્ત પાલન કરવા સામુહિક સૌગંદ વિધિ કરાવી હતી. આ પ્રસંગે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતી ગુજરાત રાજ્ય અધ્યક્ષ નિલેશભાઈ જોષીદ્વારા જિલ્લાની કારોબારી સદસ્ય ને કોરોના વોરિયર્સ તરીકે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે માનવ ધર્મ આશ્રમ ના મહાત્મા પ્રવીણા બાઈજી દ્વારા કોરોના સમય દરમ્યાન સમાજ સેવા કરેલ મહાનુભાવો મોહનભાઈ પટેલ સહિતના અગ્રણિ આગેવાનો અને પત્રકાર મિત્રોને કોરોના વોરિયર્ષ તરીકે સન્માન પત્ર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર પરમાર સાહેબ, ડો.બારૈયા અને જિલ્લા એન. સી. ડી. સેલ ના ડોક્ટર ટીમ દ્વારા ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેસર ના દર્દીઓ ને ચકાસી સ્થળ પર દવા વિતરણ કરવામાં આવેલ હતી. 

કાર્યક્રમ ને સફળ બનાવવા માટે, માનવ અધિકાર નિગરાની સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ ઈલેશભાઈ ખાંદલા,જિલ્લા ઉપ પ્રમુખ અને સામાજીક કાર્યકર સુબોધભાઈ જોષી, શહેર પ્રમુખ સાગરભાઈ ચામડીયા,જિલ્લા મહામંત્રી કલ્પેશભાઈ વાઢેર, જિલ્લા મંત્રી નઝીરભાઈ સોંલકી, જિલ્લા ઉપ પ્રમુખ નવિનભાઈ પુજારા, પંકજભાઈ જાની, ઉન્નતિબેન શાહ, પીનાબેન વોરા, હેતલબેન પરમાર, શરીફાબેન જેડા, કૈલાશબેન સહિતનિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનુ સફળ સંચાલન જાણીતા એન્કર અને સમાજ સેવક ધર્મેન્દ્રભાઈ શાહે કર્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનવ ઉત્થાન સમિતી અને અખિલ ભારતીય માનવ નિગરાની સમિતીના યુવા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર

 દિપકસિંહ વાઘેલા સુરેન્દ્રનગર

સંસદ રાજેશ ચુડાસમા એ ગળોડર ગામ માં સિમેન્ટ રોડ ખુલ્લો મુક્યો

: માળીયા હાટીના તાલુકા ના ગળોડર  ગામે થી શેપા તરફ જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હતો તે વિસ્તાર ના ખેડૂતો એ અનેક વખત રસ્તો બનાવવા માંગણી કરી હતી . 


આવિસ્તાર ના ખેડૂતો એ તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા ને આ રસ્તા ની રજુઆત કરી હતી. દિલીપ ભાઈ સીસોદીયા એ તાત્કાલીક આ વિસ્તાર ના સંસદ રાજેશ ભાઈ ચુડાસમા ને રજુઆત કરી સંસદ સભ્ય એ પોતાની ગ્રાન્ટ માંથી 525000/મજૂર કરી આપ્યા.













 આ વર્ષો જૂનો રસ્તા નગડીયા વિસ્તાર    થી અમરાભાઈ ઠારણભાઈ ના વાડી તરફ જતા રસ્તા નું કામ સિમેન્ટ રોડ થી મઢવા બીજી તરફ ખુશી ની વાત એ છે કે  આ રસ્તો વધુ મજબૂત બને તે માટે આ વિસ્તાર ના ખેડૂતો એ 150000/ જેટલો ફાળો વધુ એકત્રિત કરી આ રસ્તા ના કામ માં વાપરિયા


 આ રસ્તો સંપૂર્ણ પણે તૈયાર થઈ જતા સંસદ રાજેશ ચુડાસમા અને તાલુકા પંચાયત ના પ્રમુખ દિલીપસિંહ સીસોદીયા દ્વારા રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

તેમજ ઠાકરશી ભાઈ જાવીયા ,હમીરસિંહ સીસોદીયા, મુળુભાઈ જુનજીયા,રાજેશ ભાઈ ભાલોડિયા, ઠારણ ભાઈ સિંધવ, બચુભાઇ સીસોદીયા, જીતુભાઇ સીસોદીયા, વિક્રમભાઈસિંધવ, દિલીપભાઈ સીસોદીયા, બહાદુર ભાઈ કાગડા, માનસિંગ ભાઈ લાખાણી, જીવા સીસોદીયા,ભરત ભાઈ વાઢીયા સહિત ના આગેવાનો તેમજ તે વિસ્તાર ના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા



રિપોર્ટર પ્રતાપ સીસોદીયા 

માળીયા હાટીના

મો.7575863292


કલ્પેશ વાઢેરની મહામંત્રી તરીકે નિમણુંક..

 સુરેન્દ્રનગર જીલ્લા માનવ અધિકાર નિગરા સમિતિ દ્વારા આજે કલ્પેશ વાઢેરને સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવી


ત્યારે લીંબડી તાલુકા કલ્પેશ વાઢેર જેઓ એમ એ બીએડ બીએ એલ એલ બી અને જનાલીજમ છે જેઓને માનવ અધિકાર નિગરા સમિતિના સુરેન્દ્રનગર જિલ્લાની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.




ત્યારે આ માનવ અધિકાર નિગરા સમિતિ ની કામગીરીની સોંપણી કરતા સુરેન્દ્રનગર જિલ્લાના મિત્રો દ્વારા શુભેચ્છા કલ્પેશ વાઢેર ને પાઠવવામાં આવી રહી છે


ત્યારે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર જિલ્લાના લોકોના કામ અર્થે સદાય તત્પર હોય છે ત્યારે આ વધુ કામગીરી સોંપતા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી શુભેચ્છા પાઠવવામા આવી રહી છે.



રિપોર્ટર

દિપકસિંહ વાઘેલા, લીંબડી

ઇંગ્લીસ દારૂનો સફળ ક્વોલીટી કેસ શોધી કાઢતી લીંબડી પોલીસ


 લીંંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના બોડીયા ગામે મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલાના કબ્જા ભોગવટા વાળા વાડામા રેઇડ

કરી ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારૂનો સફળ ક્વોલીટી કેસ શોધી કાઢતી લીંબડી પોલીસ



સુરેન્દ્રનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ગે.કા. દારૂ-જુગારની પ્રવૃતિને જડ-મુળથી નાબુદ કરવા સુચનાં કરતાં મ્હે.ના.પો.અધિ.શ્રી સી.પી.મુંધવા સાહેબની સુચનાં અને માર્ગદર્શન હેઠળ તથા સી.પી.આઇ.શ્રી આર.જે.રામ સાહેબનાઓની સુચના મુજબ લીંબડી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.એન.એચ.સોલંકી તથા લીંબડી પોલીસ સ્ટાફના આસી સબ ઇન્સ.નંદલાલભાઇ જી.સાપરા તથા પો.હેઙ.કોન્સ.દશરથસિંહ એલ.જાદવ તથા ચંદુભાઇ પી.બાવળીયા તથા પો.કોન્સ.ભવાનભાઇ પી. બળોલીયા તથા ડ્રા.વિજયસિંહ ડી.ઝાલા નાઓ લીંબડી પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ.નંદલાલભાઇ જી.સાપરાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે બોડીયા ગામના મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલા તથા જયપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે.બંન્ને બોડીયા વાળા પોતાના અંગત આર્થિક ફાયદા સારૂબોડીયા ગામની આથમણી દિશાએ આવેલ રાજપુત સમાજની વાડી શક્તિમાં ના મંદીરની પાછળ વોકળાને અડીને આવેલ મહેન્દ્રસિંહ ભીખુભા ઝાલાના કબજા ભોગવટા વાળા વાડામા ભારતીય બનાવટની ઇંગ્લીસ દારૂની બોટલો સંતાડી રાખી છુટકમા વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીહકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૯૫ કી.રૂા.૨૮,૫૦૦/-નો મુદામાલ મળી આવતા બંન્ને ઇસમો સામે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.હાલે સદરહુ ગુન્હાની તપાસ ચાલુમા છે.



રિપોર્ટર

દિપકસિંહ વાઘેલા, લીંબડી

પી.આઈ.રામ સાહેબના વૈચારિક ક્રાંતિ ગ્રુપમાં જોડાવા જેવું..


પીઆઇ રામ સાહેબ આ નામ ને ભાગ્યે જ કોઈ ના ઓળખતું હોય આહીર સમાજ જ નહીં પણ અન્ય સમાજ પણ જાણીતા અને માનીતા પી આઈ એટલે રામ સાહેબ 

        રામ સાહેબે સોશ્યલ મીડિયા નો સદ્ઉપયોગ કરી ફેસબુક માં એક આહીર સમાજ માટે ગ્રુપ બનાવ્યું છે જેનું નામ છે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ અને જોતજોતામાં તે ગ્રુપ એટલું બધું લોકપ્રિય અને ઉપયોગી બન્યું કે  આ ગ્રુપ ની જેણે પણ મુલાકાત લીધી તે લોકો ને ખુબ પસંદ આવ્યું અને આહીર સમાજ ના દરેક ફિલ્ડ માંથી તેમા લોકો જોડાયા અને આજે પણ જોડાઈ રહ્યા છે અને એક બીજા પરીચિત થય રહ્યા છે 

આ ગ્રુપ માં રામ સાહેબ પોતાનો કિંમતી સમય ફાળવી ને કાંઈક નું કાંઈક નવુ લોક ઉપયોગી થાય તેવી વસ્તુ હંમેશા ઉમેરતા રહે છે હંમેશા વ્યસ્ત રહેતો માણસ સમાજ માટે પોતાનો કિંમતી સમય આપી ને આવું કામ કરતો હોય તો સમાજ ના દરેક માણસ  ને ગર્વ લીધા જેવી બાબત છે

જો સમાજ મા વૈચારિક ક્રાંતિ આવશે તોજ સમાજ અને આ દેશ આગળ આવશે એવું મારૂં સ્પષ્ટ માનવું છે

ખાસ કરીને હકારાત્મક અભિગમ  થકી, દરેક સમાજ સાથે સંકલન રાખી, સમાજના વિકાસ થકી સક્ષમ રાષ્ટ્ નિર્માણમાં  આપણું યોગદાન આપવું એ મુખ્ય ઉદ્દેશ્ય છે.


પાયલ બાંભણિયા

ઉના

શુક્રવાર, 4 ડિસેમ્બર, 2020

આજે કરુણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "શાકાહાર તંદુરસ્ત જીવન શૈલીનો આધાર" પર વૈશ્વીક વેબીનાર

         

            કરૂણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન દ્રારા "શાકાહાર-તંદુરસ્ત જીવનશૈલીનો આધાર" વિષય પર વૈશ્વીક વેબીનાર યોજાશે. જેમાં અચ્યુત ગોપાલદાસ (પ્રેકટીસીંગ માંક, જીવન દાર્શનીક,વિચારક,લેખક, વકતા અને સામાજીક કાર્યકર), ગીરીશભાઈ શાહ (વૈશ્વિક સ્તરે જન, જંગલ, જમીન,જાનવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં સદસ્ય), ડો. નિશિતા દિક્ષીત (સેક્રેટરી-જન ઉર્જા મંચ, હોસ્પીટલ તથા સ્વાસ્થય પ્રશાસન, વ્યુહાત્મક યોજના), સુશ્રી અનિકા (કલા, સંસ્કૃતિ,સામાજીક પ્રભાવકાર, ટીમ બીલ્ડર તથા ટાસ્ક માસ્ટર ઉ.વ.૧૨) પોતાનું માર્ગદર્શન આપશે.



આ વેબીનારનું સંચાલન મિતલ ખેતાણી દ્વારા કરવામાં આવશે. આ વેબીનાર તા. ૦૪, ડીસેમ્બર, શુક્રવારે સાંજે ૬-૦૦ થી ૭–૩૦ સુધી ફેસબુક પેઈઝ Facebook.com/animalhelplinekarunafoundation પર જીવંત નિહાળી શકાશે. આ વેબીનારની સફળતા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ વિગેરે જહેમત ઉઠાવી રહયાં છે. આ વેબીનારની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો.૯૮૨૪૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦૩૦૩૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ગુરુવાર, 3 ડિસેમ્બર, 2020

તાલાલા ગીરના અમર શહિદ ઇમરાન ભાઈ સાયલી ને સામૂહિક શ્રધ્ધાંજલિ અર્પવા શહેર સજ્જડ બંધ રહ્યું.

🖊️દિપક જોષી દ્વારા.... પ્રાચી...

તાલાલા શહેરમાં સુંદરમ સોસાયટી માં આવેલા કબ્રસ્તાનમાં ગાર્ડ ઓફ ઓનરની સલામી સાથે દફનવિધિ કરવામાં આવી.

તાલાલા શહેરમાં અંતિમ યાત્રા ના રૂટને રાષ્ટ્રધ્વજ તથા મોટા મોટા બેનરો થી શુસોભીત કરવામાં આવતા શહેર દેશભક્તિના રંગે રંગાયું.


તાલાલા ગિરના અરુણાચલ પ્રદેશની સરહદે વિરગતી પામેલ અમર સીદી બાદશાહ આદિવાસી યુવાન ઈમરાનભાઈ કાળુભાઈ સાયલી ઉંમર વર્ષ 33 ને તાલાલા શહેરમાં વસવાટ કરતાં તમામ સમાજે શહેર સજ્જડ બંધ રાખી સામૂહિક ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.









દેશના સીમાડા નો રખોપું કરતા કરતા રવિવારે વીરગતિ પામેલ  ભારત માતાના વીર સપૂત ઈમરાન ભાઈ સાયલી નો મૃતદેહ અમદાવાદથી હવાઇ માર્ગેજૂનાગઢ આવ્યા બાદ આર્મીના વાહનોમાં આર્મીના 31 જવાનો બોડી સાથે તાલાલા આવ્યા ત્યારે ભારત માતાના વીર સપૂત ઈમરાનભાઈ અમર રહોના નારા સાથે માર્ગ ઉપર એક કિ.મી લાંબી લાઈનમાં કલાકોની પ્રતિક્ષા કરી રહેલા હજારો લોકોએ તાલાલા ગીરના ગૌરવ વીર શહીદ જવાન ઉપર પુષ્પ વર્ષા કરી હતી. ત્યારે સમગ્ર શહેરમાં દેશભક્તિનુ અભૂતપૂર્વ માહોલ છવાઇ ગયું હતું. ત્યારબાદ શહીદ જવાનના મૃતદેહને રમણેચી રોડ ઉપર આવેલ તેમના નિવાસ સ્થાને લઇ જવામાં આવેલ ત્યાં શહીદ જવાનના પિતા કાળુભાઈ તથા માતા જુમા બેન મોટાભાઈ જાફર ભાઈ સહિત પરિવારજનો તથા તાલાલા શહેરના તમામ સમાજ તથા વેપારી મંડળ તથા તમામ રાજકીય પક્ષો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અમર શહીદને પુષ્પાંજલી અર્પણ કરી તાલાલા ના ગૌરવ ને અંતિમ વિદાય આપી હતી.


|| મારો દીકરો દેશની રક્ષા કાજે શહીદ થયો છે ||

શહીદ વીર જવાન ના પિતા કાળુભાઈ સાયલી એ જણાવ્યું કે મારો દીકરો દેશની રક્ષા કાજે શહીદ થયો છે. જેનો અમને ગર્વ છે. માં ભોમની રક્ષા માટે અમારા પરિવારના બીજા દીકરાઓ પણ આર્મીમાં મોકલી ભારત માતાની રક્ષા કરશું. અમર શહીદ જવાન ઈમરાનભાઈ અરુણાચલ પ્રદેશ રાજપુત રેજીમેન્ટ-25 માં નાયક તરીકે 13 વર્ષથી સેવા આપતા હતા.


|| તાલાલા 36 વર્ષ પછી અભૂતપૂર્વ બંધ રહ્યું ||

તાલાલા ગીર નો જવાન અરૂણાચલ પ્રદેશ સરહદે શહીદ થયાના સમાચાર આવતા શહેરના વિવિધ માર્ગો તથા મુખ્ય ચોકમાં હિન્દુસ્તાન કે સૂત્રો સાથે મોટા-મોટા બેનરો તથા રાષ્ટ્રધ્વજ ઠેર ઠેર લગાવવામાં આવતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઇ ગયું હતું.આજે સવારથી શહેરમાં શાકભાજી, ફ્રૂટ, ચા-પાન સહિત નાના-મોટા તમામ દુકાનો સ્વયંભૂ સજ્જડ બંધ રહેતા શહેરમાં થઈ ગયું હતું. 1984 માં જ્યારે ઇન્દિરા ગાંધીની નિર્મળ હત્યા થઈ હતી ત્યારે શહેર સ્વયંભૂ અભૂતપૂર્વ બંધ રહ્યું હતું. તેની જેમ 36 વર્ષ પછી આજે વીર શહીદના માનમાં બંધ રહી તમામ સમાજે સહિદ જવાન ને ભાવભરી ભાવાંજલિ અર્પણ કરી હતી.


|| તાલાલાના શહીદ જવાનની અંતિમવિધિ માં ઉચ્ચ આર્મી અધિકારીઓ જોડાયા ||

તાલાલા ગીરના અમર શહિદ જવાનની કાયમી વિદાય આપવા અંતિમવિધિમાં ચીફ આર્મી કમાન્ડર- નવી દિલ્હી, મદ્રાસ, અમદાવાદ, જામનગર સહિત 31 જવાનો ઉપરાંત જામનગર સૈનિક કલ્યાણ અધિકારી શ્રી સંદીપ જયસ્વાલ - જામનગર ખાતેની સૈનિક વેલફેર કચેરીના શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી રઈસભાઈ ધાંચી, શ્રી પ્રવિણસિંહ જાડેજા, ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ શ્રી રામ ભાઈ ચારિયા, જૂનાગઢના પ્રમુખશ્રી રમેશભાઇ પરમાર ઉપરાંત તાલાલા પંથકમાંથી તમામ સમાજના તથા તમામ રાજકીય પક્ષો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.