LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 10 ડિસેમ્બર, 2020
કર્ણાટકમાં ગૌહત્યા નિવારણ કાયદાને અમલી બનાવવા બદલ મુખ્યમંત્રીશ્રી બી.એસ. યેદુરપ્પાનો આભાર માનતું એનીમલ હેલ્પલાઈન
• સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારનો કડક કાયદો ઘડાય તેમજ તેનું કડક અમલીકરણ પણ થાય તેવી માંગણી કરતું એનીમલ હેલ્પલાઈન
RAJKOT : કર્ણાટકના ગૌવ્રતી, મુખ્યમંત્રી બી.એસ. યેદુરપ્પાએ કર્ણાટકમાં ગૌમાતા અને ગૌવંશ સંરક્ષણ માટે "ગૌવધ નિવારણ અદ્યાદેશ-૨૦૨૦" ને મંજુરી આપી છે. ગૌમાતા પ્રત્યે અત્યંત આદર અને પ્રેમ ધરાવતા ગૌભકત મુખ્યમંત્રીએ કર્ણાટકમાં ગૌવંશને ક્ષતિ પહોંચાડનાર અપરાધી ઉપર ૩ થી લઈને ૭ વર્ષ સુધીની કડક કેદની જોગવાઈ કરી છે. આ કાયદામાં ગૌહત્યા, ગાય, વાછડા, બળદ, (૧૩ વર્ષથી ઓછી ઉંમરના) કત્લ પર કર્ણાટક સરકારે પ્રતિબંધ કરી દીધો છે. તથા ગૌહત્યાનાં કાયદામાં એક પશુ માટે રૂા. ૫૦ હજાર થી માંડીને ૧૦ લાખ રુપિયાનો દંડ તેમજ આવા આરોપીને ૩ થી લઈને ૭ વર્ષ સુધી સજાની જોગવાઈ કરવામાં આવી છે. તથા બીજા અપરાધો માટે ૩ થી ૫ વર્ષની જેલની સજા તથા પ૦ હજારથી લઈને ૫ લાખ રૂપીયા સુધીનો દંડ પણ ભરવો પડશે. કર્ણાટકની ગૌપ્રેમી જનતાની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને તેમજ ગૌમાતા, ગૌવંશની રક્ષા અને ગૌ તસ્કરી તેમજ આ પ્રકારના અપરાધો સંપૂર્ણપણે અટકાવવાની ભાવનાથી આ કાયદો ઘડાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગૌહત્યા કરનાર અપરાધી સામે 'ઝીરો ટોલરન્સ"ની નીતી અપનાવીને જાહેરમંચ પર અનેકવાર કહયું છે કે, જે ગાયની દયા ન ખાય તેની દયા સરકાર ખાવા માંગતી નથી.સમગ્ર રાષ્ટ્રમાં આ પ્રકારના કડક કાયદાનું નિર્માણ થાય અને સૌથી મહત્વનું અધીકારીઓ તેનું ગ્રાસરૂટ લેવલે કડક અમલીકરણ કરાવે તેવી માંગણી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી,એનીમલ હેલ્પલાઈનના પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ સહીતનાએ મુખ્યમંત્રીશ્રી યેદુરપ્પાને અભિનંદન આપવાની સાથોસાથ કરી છે. કડક કાયદાઓ પણ જયા સુધી તેનું કડક અમલીકરણ ન થાય ત્યાં સુધી અધુરા જ છે. ગાય બચશે તો જ આપણે સૌ બચી શકીશું. કોરાના જેવી મહાભયંકર બીમારી સામે પણ ગૌમાતા આપણને રક્ષણ આપી શકતી હોય તેવી સમર્થ છે, ત્યારે તેના રક્ષણની જવાબદારી માટે સરકારની સાથોસાથ પ્રજા પણ જાગૃત થાય તેવી લાગણી એનીમલ હેલ્પલાઈન પરીવારે વ્યકત કરી છે.
--
Thanks
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો