LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 10 ડિસેમ્બર, 2020
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા કોઈપણ જાતનાં ઉપકરણો વિના ગાયનાં ગોબરમાંથી ધુપબતી તથા રંગોળી બનાવવાની ઓનલાઈન ટ્રેનીંગ અપાશે
.
ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનું આયોગના પ્રથમ અધ્યક્ષ, પ્રખર ગૌવ્રતી ડો. વલ્લભભાઈ કથીરીયા દ્વારા “ગો આધારિત અર્થ વ્યવસ્થાનાં” પુનઃનિર્માણ માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યાં છે. જેનો અંતર્ગત કોઈપણ જાતના ઉપકરણો વિના ગોમય ધુપબતીઓ તથા ગાયનાં ગોબરમાંથી રંગોળી બનાવવા માટે તા.૧૧ ડીસેમ્બર ને શુક્રવારના રોજ સાંજે ૦૩-૦૦ થી પ-૦૦ દરમ્યાન ઓનલાઈન ટ્રેનીંગ શ્રી લોકેશજી (હેદરાબાદ) આપશે.
પર જોઈન્ટ થવા યાદીમાં જણાવાયું છે. આ પ્રશિક્ષણ ટ્રેનીંગ ફેસબુક લીંક https://m.facebook.com/RKamdhenuAayog પણ જીવંત નિહાળી શકાશે.
ગાયના છાણમાંથી નિર્મીત ૩૦૦ થી પણ વધુ વસ્તુઓ જેવી કે ધૂપ, ધૂપ લાકડીઓ, શુભ-લાભ, સ્વસ્તિક, સમરાની, હાર્ડબોર્ડ, વોલપીશ, પેપરવેટ, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને લક્ષ્મીજી મૂર્તિઓનું નિર્માણ કાર્ય સમગ્ર રાજયમાં શરૂ થયું છે. આ ઉપરાંત છાણનો ઉપયોગ જૈવિક ઈધણ માટે થાય છે જેનાથી ગૌરક્ષા, સ્વનિર્ભરતાને પ્રખર વેગ મળશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો