LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 18 જુલાઈ, 2013
એફિડેવિટ પર ફોટો લગાડવો ફરજિયાત
અમદાવાદ,મંગળવાર : નોટરી પાસે સોગંદનામા સહિતના દસ્તાવેજો કરાવવા માટે આવનારાઓની ઓળખની સમસ્યા ભવિષ્યમાં થતી હોવાના કિસ્સા બનતા હવે નોટરી પાસે કરાવવામાં આવતી એફિડેવિટ પર પણ હવે ફોટો લગાડવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. આ નવી જોગવાઈનો ચુસ્ત અમલ કરવાની સૂચના દરેક નોટરીને આપી દેવામાં આવી છે. સાક્ષી તરીકે એડવોકેટ હોય તો તેનો સનદ નંબર અને ઓળખપત્ર નંબર લખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. નોટરી એસોસિયેશ ગુજરાતના પ્રમુખ ધીરેશ ટી.શાહે આપેલી માહિતી પ્રમાણે વ્યક્તિનું નામ લખ્યું હોય તેની બાજુમાં જ તેનો ફોટો લગાડવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. દસ્તાવેજમાં જે વ્યક્તિનું નામ હોય અને તેના જે સાક્ષીઓ હોય તે તમામના ફોટા તેમના નામ અને સહી કરાવીને તેની બાજુમાં જ લગાડવાના રહેશે. આ દસ્તાવેજોમાં માત્ર સહી ચલાવવામાં આવશે નહિ. સહીની બાજુમાં નામ લખવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. નોટરી પાસે માર્કશીટની ટ્રુ કોપી એટેસ્ટ કરાવવા, વિલને નોટરાઈઝ કરાવવા, દરેક પ્રકારના એગ્રીમેન્ટને પ્રમાણિત કરાવવા, જમીન વેચાણના દસ્તાવેજોનો પ્રમાણિત કરાવવા, ખેડૂતની જમીનમાં વારસદારોના નામ લખાવવા સહિતના અનેક પ્રકારના દસ્તાવેજો લઈને લોકો નોટરાઈઝ કરાવવા આવે છે. દરેક પ્રકારના દસ્તાવેજોને પ્રમાણિત કરાવવા આવનારાઓ તથા સોગંદનામા કરાવવા આવનારાઓની સહી તથા ઓળખાણ આપનાર વ્યક્તિની સહી લેવામાં આવે છે. પરંતુ ભવિષ્યમાં તેમની ઓળખ પાકી કરવાની આવે ત્યારે સમસ્યા થતી હોવાથી અને તે અંગે વિવાદ ને વિખવાદ થતાં હોવાથી સરકારે બધાંના ફોટોગ્રાફ લગાડવાનું ફરજિયાત બનાવી દીધું છે. નોટરી દસ્તાવેજનું નોટરાઈઝેશન કરે ત્યારે તમામ લાગતા વળગતા લોકોની સહી, અંગૂઠો લઈને જેમના નામ નીચે લખ્યા હોય તે દરકેના ફોટા લગાડવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નોટરાઈઝેશન માટે ઓળખ આપનાર એડવોકેટ હોય તો તેવા કિસ્સામાં એડવોકેટનો ઓળખપત્ર નંબર અને સનદ નંબર લખવો ફરજિયાત કરવામાં આવ્યો છે.
બુધવાર, 17 જુલાઈ, 2013
ગ્રાહકને રાઉન્ડ ઓફમાં ચેક લખવાનું બેંક કહી ન શકે
મુંબઇ
જો તમારી બેંક પૈસા સાથેનો ચેક સ્વીકારવાની ના પાડે તો તે નિયમની વિરુધ્ધ છે અને તેનો અસ્વીકાર કરનાર બેંક સામે શિક્ષત્મક કાર્યવાહી થઇ શકે છે. રિઝર્વ બેંકે સ્પષ્ટ જણાવ્યું છે કે ચેકમાં રકમ રાઉન્ડ ઓફ કરવાની કોઇ જરૂર નથી. રાઉન્ડ ઓફ વગરના અને રૂપિયા-પૈસા સહિતની રકમ દર્શવતા ચેકનો અસ્વીકાર કરનાર બેંકોને કડક પગલા લેવાની ચેતવણી આપી છે. આ મુદ્દે અગાઉ પણ રિઝર્વ બેંકે તમામ બેંકોને નિર્દેશ આપતો આંતરિક પરિવત્ર જારી કર્યો હતો. વાસુદેવ ઠક્કર નામના એક ગ્રાહક બેંકમાં રૂા.૫,૬૮,૭૮૯નો ચેક જમા કરાવવા ગયા હતા. ત્યારે તેમને બેંકે તેમને રકમ રૂપિયામાં રાઉન્ડ ઓફ કરીને નવાં ચેક ઇશ્યુ કરવા જણાવ્યું હતું. બેંક ગ્રાહકને આંતરિક પરિપત્ર પણ બતાવ્યો હતો.જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે રૂપિયાના ફ્રેકશનવાળી રકમ લખેલા ચેકનો સ્વીકાર ન કરવો પરંતુ ઠક્કર કોઇ સેવાનું બિલ ચૂકવવા આવ્યા હતાં જેઓ બીજો ચેક બગાડવા લચ્છાતા ન હતાં. તેમણે આરટીઆઇ અરજી કરીને જાણવા માગ્યું હતું કે આ પરિપત્રનો કોઇ આધાર છે કે કેમ? તેમાં જવાબમાં રીઝર્વ બેંકે માર્ચ ૨૦૦૭નો આરબીઆઇ નં.૨૦૦૬-૨૦૦૭/૨૯૯ પરિપત્રની નકલ આપી હતી જેમાં લખ્યું હતું કે આવા ચેકનો અસ્વીકાર કરનાર બેંક પર કડક પગલા લેવામાં આવશે. આ પરિપત્રમાં આવા ચેકનો અસ્વીકાર કરનાર કર્મચારીઓ સામે પગલાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ પરિપત્ર હાલકોર્ટના જસ્ટિસ આર.એસ. ગર્ગના ચુકાદા સંદર્ભ જારી કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટે લખ્યું હતું કે રિઝર્વ બેંકને આથી નિર્દેશ આપવામાં આવે છે કે તે તમામ બેંકોને નવેસરથી અધિસુચના આપે અને જુએ કે રૂપિયા-પૈસા લખેલ અને રાઉન્ડ ઓફ આંકડો ન ધરાવતાં ચેક સ્વીકારવાનો ઇનકાર કરનાર લોકો સામે કડક પગલા લેવાય છે. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે બેન્ક માત્ર મોટી રકમની જ નોટ સ્વીકારશે. નાની નોટો ગ્રાહકો બજારમાં વાપરવી જોઇએ તેવું નહી કહી શકે. કોર્ટે નદધ્યું હતું કે કોઇ ગ્રાહક રૂા.૧ લાખ રૂા.પાંચની નોટોમાં જમા કરાવવા આવે તો તેનો સ્વીકાર કરવાનો ઇનકાર ન કરી શકાય.
ગુરૂવારે સેમીનાર યોજાશે
રાજકોટ,
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર - સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુકત ઉપક્રમે 'લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને સમૂહ માધ્યમો' વિષય પર એક પ્રેસ સેમીનારનું આયોજન આગામી તારીખ ૧૮-૭-૨૦૧૩ ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે શ્રી ઈન્દુબાઈ પારેખ આર્ટ ગેલેરી - સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે થયેલ છે. કુલપતિ શ્રી એમ. કે. પાડલીયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સેમીનારમાં રાજયના માહિતી ખાતાના પૂર્વ માહિતી કમિશનરશ્રી અને હાલમાં આર. ટી. આઈ. ના માહિતી કમિશ્નર પદે નિમાયેલા તથા લોકસાહિત્ય લોકસંસ્કૃતિ અને સમૂહ માધ્યમોના જાણતલ એવા શ્રી વી. એસ. ગઢવી ચાવીરૂપ પ્રવચન આપશે. આ સેમીનારમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદી, ફૂલછાબ તંત્રી શ્રી કોૈશિકભાઈ મહેતા અને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીના ડીન શ્રી જે. કે. ડોડીયા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે. આ પ્રેસ સેમીનારમાં ઉપસ્થિત રહેવા પ્રાદેશિક માહિતી કચેરી - રાજકોટ અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા રાજકોટ જીલ્લાના પત્રકારમિત્રોને નિમંત્રણો પાઠવાયા છે.
મંગળવાર, 16 જુલાઈ, 2013
mahiti khatu rajkot na samacharo
સાંસ્કૃિતિક વારસાની જાળવણી માટે અન્યજ રાજયોમાં કલાવૃન્દોો મોકલવા આર્થિક સહાયની યોજના
રાજકોટ
અકાદમીની સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અંતર્ગત શાસ્ત્રીનય નૃત્યસ અને નાટ્ય વૃંદોને રાજય બહાર અને વિદેશમાં કાર્યક્રમ રજુ કરવા માટે આર્થિક સહાય આપવાની યોજના અન્વવયે વર્ષ ૨૦૧૩-૧૪ માં રાજય બહાર કાર્યક્રમ માટે રૂ. ૨-૦૦ લાખ તથા વિદેશમાં કાર્યક્રમ રજૂ કરવા માટે રૂ. ૫-૫૦ લાખની સહાય લેવા ઇચ્છુ્ક શાસ્ત્રી ય નૃત્યી અને નાટ્ય વૃંદો/ દિગ્દાર્શકો, કોરીયલગ્રાફરોએ આ અંગેના અરજી પત્રક ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, બ્લોક નં.૯/૧, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતેથી મેળવી તા.૦૩/૦૮/૧૩ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે અકાદમીને પહોંચતા કરવાના રહેશે. પાત્રતાના ધોરણો અથવા અન્યમ માહિતી માટે અકાદમીનો રૂબરૂ અથવા ફોન નંબર ૦૭૯-૨૩૨૫૧૬૯૩ ઉપર સંપર્ક કરવા સચિવ, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વીરપુર (જ)ની યુવતી ઘરેથી ચાલી ગઇ
રાજકોટ
જેતપુર તાલુકાના વીરપુર (જ) ગામમાં જલારામનગર ખાતે રહેતા કિરીટગર શાંતિગર ગોસ્વામીની ૧૯ વર્ષની પુત્રી શીતલ તા.૨૫-૫-૧૩ના રોજ પોતાના ઘરેથી કોઇને કહ્યા વિના ચાલી ગઇ છે. તે શરીરે પાતળા બાંધાની, વાને ઉજળી છે. તેના વિશે કોઇ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
જામકંડોરણાના સોડવદરની મહિલા પુત્રી સાથે ગુમ
રાજકોટ
મૂળ મોટી પરબડીના અને હાલ જામકંડોરણાના સોડવદર ગામે રહેતા રસિકભાઇ લખમણભાઇ સારીખડાની પત્ની કમળાબેન (ઉ.વ.૩૨) તેની ૧૧ વર્ષની પુત્રી સાથે તા.૨૫-૫-૧૩ના રોજ પોતાના ઘરેથી ગુમ થઇ ગયા છે. તે શરીરે પાતળા બાંધાના, વાને ઘઉં વર્ણા છે. તેની કોઇ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર ૭૫૩૧૩૯ હેક્ટર સુધી પહોંચી ગયું
૩૪૮૬૮૧ હેકટરમાં તેલીબિયા પાકો, ૩૩૯૫૨૨ હેક્ટર જમીનમાં વાણિજ્ય પાકોનું વાવેતર
રાજકોટ
રાજકોટ જિલ્લામાં સર્વત્ર સોના જેવો વરસાદ થવાના કારણે ખેડૂતોએ હવે વાવણી કાર્ય સંપૂર્ણપણે આટોપી લીધું છે. બીજા તબક્કામાં રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૫૩૧૩૯ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પહેલા થયેલી વાવણી પર થયેલો વરસાદ કાચા સોના જેવો બન્યો છે. વરાપ નીકળતા ખેડૂતો હવે દવા છંટકાવ, નિંદણ, પારવવું, જેવા કાર્યોમાં પોરવાઇ ગયા છે.
સંયુક્ત ખેતી નિયામક શ્રી પી.ડી. રાઠોડના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લામાં આડી મગફળી ૨૧૮૭૪૮ હેક્ટર, ઉભડી મગફળી ૧૦૭૨૯૫ હેક્ટર, તલ ૧૩૩૬૮ હેક્ટર મળી તેલીબિયા પાકોનું કૂલ ૩૪૮૬૮૧ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે, બાજરીનું ૩૮૦૦ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. વાણિજ્ય પાકમાં આવતા કપાસનું ૩૩૯૩૬૭ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત મગનું ૧૨૨૩ હેક્ટર, અડદનું ૧૨૯૪ હેક્ટર અને તુવેરનું ૫૨૫ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે, ૭૭૬૫ હેકટર જમીનમાં ખેડૂતોએ શાકભાજી પણ વાવી છે. જુવાર ૩૨૪૭૫ અને મકાઇ ૪૦૪૫ હેક્ટરમાં વાવણી કરાઇ છે. આમ કૂલ મળી રાજકોટ જિલ્લામાં ૭,૫૩,૧૩૯ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.
બિમારીને લીધે યુવાનનો ગુહત્યાગ
રાજકોટ
મોરબી શહેરમાં સાવસર પ્લોનટ ખાતે રામચોક વિસ્તારમાં રહેતા શ્રીચંદભાઇ વ્યાસનો ૨૭ વર્ષનો પુત્ર શિવશંકર તેની તબિયત સારી રહેતી ન હોવાના કારણે તા.૧૨-૬-૧૩ના રોજ બપોરે એક વાગ્યે ટીંબળી ગામની સીમમાં આવેલા સ્ટોનના કારખાનામાંથી ક્યાંક જતો રહ્યો છે. તે શરીરે પાતળા બાંધાનો, વાને ઉજળો છે. તેના વિશે કોઇ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.
મોરબીમાંથી હિન્દીભાષી મહિલા ગુમ
રાજકોટ
મોરબી શહેરમાં દલવાડી હોટેલની બાજુમાં સરદાર પાર્કમાં રહેતા રામુભાઇ કાળુભાઇ આદીવાસી ભીલની પત્ની રાજકુમારી (ઉ. વ. ૨૧) તા.૧૯-૬-૧૩ના રોજ કોઇને કહ્યા વિના ક્યાંક ચાલ્યા ગયા છે. તે શરીરે મજબૂત બાંધાના, વાને ઘઉં વર્ણા છે અને માત્ર હિન્દી ભાષા જ જાણે છે. તેની કોઇ માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશનને આપવા વિનંતી કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લાી ઇ-ધરા કેન્દ્રન અને સબ-રજીસ્ટ્રા રની કચેરીનું સ્થ ળાંતર
પોરબંદર,
પોરબંદર જિલ્લાવ ઇ-ધરા કેન્દ્રં અને સબ-રજીસ્ટ્રા રની કચેરીઓ સેવા સદન-૨ માં બેસતી હતી, જેનું સ્થુળાંતર કરીને આજે તા.૧૫/૦૭/૨૦૧૩ થી સેવા સદન-૧, એરપોર્ટ સામે, કલેકટર કચેરી ના સંકુલમાં ગ્રાઉન્ડુ ફલોર ઉપર પાર્કીંગના સામેના સરનામે ખસેડવામાં આવી છે. જેથી કામકાજ માટે નવા સરનામે સંપર્ક કરવા કલેકટરશ્રી પોરબંદર દ્વારા જણાવાયું છે.
પોરબંદરઃ ઇ-ધરા કેન્દ્ર અને સબ-બજીસ્ટ્રાર કચેરી નવા સરનામે
કાર્યરત થઇ. કલેકટરશ્રી એમ.એ.ગાંધી ના હસ્તે પ્રારંભ કરાવાયો
પોરબંદર,
પોરબંદરના જિલ્લા સેવા સદન નં-ર માં કાર્યરત ઇ-ધરા કેન્દ્ર અને સબ-રજીસ્ટ્રારની કચેરીઓનું સ્થળાંતર થતા કલેકટરશ્રી એમ.એ.ગાંધીના હસ્તે નવા સરનામે પ્રારંભ કરાયો હતો, જેમાં અધિક કલેકટર શ્રી ચિરાગભાઇ ચાવડા, પ્રાંત અધિકારી શ્રી ચેતનભાઇ ગણાત્રા તથા સબ-રજીસ્ટ્રાર અને મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સેવા સદન નં-૧ ખાતે કલેકટર કચેરી શરૂ થયા પછી સંલ્ગન કચેરીઓ ને ત્યાં સ્થાળાંતરિત કરવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે આજે ઇ-ધરા કેન્દ્ર અને સબ-બજીસ્ટ્રારની કચેરીઓને પણ એરપોર્ટ સામે જિલ્લા સેવા સદન-૧ માં કલેકટર કચેરીના સંકુલમાં ગ્રાઉન્ડ ફલોર પર પાર્કીંગના સામેના ભાગે આ કચેરીઓ શરૂ થઇ છે.
આ પહેલાં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, ખાણ-ખનિજ, પુરવઠા, જિલ્લા આયોજન અધિકારી સહિતની કચેરીઓ સેવા સદન-૧ માં ખસેડાયેલ હોવાથી સંલગ્ન કામકાજ માટે આ કચેરીઓનું પણ સ્થાળાંતર થવાથી વધુ સરળતા રહેશે.
૪૬ મા યુવા ઉત્સગવ – ૨૦૧૩ની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃ તિક પ્રવૃત્તિઓનું આયોજન
સુરેન્દ્રાનગરઃ-
જિલ્લાન રમત-ગમત પરિષદ દ્વારા પ્રતિ વર્ષે વિવિધ સાંસ્કૃહતિક પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરાય છે. જે અન્વલયે ચાલુ વર્ષે ૪૬ મા યુવા ઉત્સપવ- ૨૦૧૩ની ઉજવણીના ભાગરૂપે ૧૫ થી ૩૫ વર્ષ સુધીની ઉંમરના ભાઇઓ-બહેનો માટે વિવિધ સ્પમર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુંષ છે.
આ સ્પીર્ધાઓ ત્રણ વિભાગમાં યોજાશે, જેમાં અ - વિભાગમાં ૧૫ વર્ષ થી ઉપરના અને ૧૯ વર્ષ સુધીના, બ - વિભાગમાં ૧૯ વર્ષથી ઉપરના અને ૩૫ વર્ષના સુધીના, જયારે ખુલ્લાછ વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૩૫ વર્ષ સુધીના સ્પંર્ધકો ભાગ લઇ શકશે.
આ યુવા ઉત્સેવ તાલુકા, જિલ્લા , પ્રદેશ, રાજય અને કેટલીક સ્પનર્ધાઓ રાષ્ટ્રીવય કક્ષાએ યોજાશે. સ્પ ર્ધક કોઇપણ એક જ તાલુકામાંથી સમગ્ર સ્પાર્ધા દરમિયાન ભાગ લઇ શકશે. દરેક સ્પ,ર્ધક તાલુકા યુવા ઉત્સણવ સ્પાર્ધા વખતે જે વિભાગમાંથી ભાગ લે તે જ વિભાગમાં જિલ્લાદ, પ્રદેશ તથા રાજય કક્ષાએ ભાગ લેવાનો રહેશે. એક વ્યવકિત વધુમાં વધુ ચાર સ્પજર્ધામાં ભાગ લઇ શકશે.
આ માટે તાલુકા કક્ષાના યુવા ઉત્સજવના કન્વીરનર તરીકે જે તે સંસ્થા ના વ્યા યામ શિક્ષક રહેશે. તાલુકા કન્વી નર તરીકે વઢવાણમાં ડી.એન.ટી. હાઇસ્કુસલ, જોરાવરનગર, લીંબડી ખાતે એચ.કે. ઝાલા માધ્યરમિક શાળા, હળવદ ખાતે તક્ષશીલા વિદ્યાપીઠ, મુળી ખાતે માધ્યજમિક શાળા-સરા, લખતર ખાતે માધ્યખમિક શાળા-ઓળક, ચોટીલા ખાતે મ્યુનિસિપલ હાઇસ્કુળલ, થાનગઢ, સાયલા ખાતે શ્રી એલ.એમ. વોરા ગર્લ્સજ હાઇસ્કુાલ, પાટડી ખાતે રાજેશ્વરી હાઇસ્કુકલ-ઝીંઝુવાડા, ચુડા ખાતે સી.ડી. કપાસી હાઇસ્કુેલ અને ધ્રાંગધ્રા શ્રેયસ હાઈસ્કુલલ ખાતે તાલુકા કક્ષાની સ્પીર્ધાઓ યોજાશે.
તાલુકાકક્ષાની આ સ્પ ર્ધાઓ તા. ૧૫ મી ઓગષ્ટે-૨૦૧૩ સુધીમાં પૂર્ણ કરી વિગતવાર એન્ટ્રી ઓ જિલ્લાલ રમત - ગમત કચેરીને મોકલી આપવાની રહેશે. આ યુવા ઉત્સરવમાં અ - વિભાગની-૯, બ - વિભાગની-૧૪ અને ખુલ્લાએ વિભાગની-૧૯ સ્પનર્ધાઓ મળી કુલ-૪૨ સ્પ ર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યોે છે.
આ માટે વધુ માહિતી અર્થે જિલ્લા્ રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, બ્લોમકનં.- એ/૫, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રરનગરનો સંપર્ક સાધવા વધુમાં જણાવાયું છે.
લશ્ક,રી ભરતી મેળામાં ઉતિર્ણ થયેલા સુરેન્દ્ર નગર જિલ્લાના ઉમેદવારો માટે લેખિત પરિક્ષા પૂર્વે તાલીમ વર્ગ યોજાશે
ઉમેદવારોએ તેમના એડમીટ કાર્ડ સાથે રૂબરૂ ઉપસ્થિ ત રહેવું
સુરેન્દ્રનનગરઃ-
ભાવનગર ખાતે ગત તા. ૪ અને તા. ૮ મી મે - ૨૦૧૩ના રોજ સોલ્જ,ર જનરલ ડયુટી, સોલ્જાર ટ્રેડમેન, સોલ્જાર ટેકનિકલ, સોલ્જનર કલાર્ક, સોલ્જ ર નર્સીંગ આસીસ્ટાન્ટ,ની જગ્યાયઓ માટે સુરેન્દ્ર્નગર જિલ્લાના ઉમેદવારો માટે લશ્ક રી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ. જે લશ્કરરી ભરતી મેળામાં સુરેન્દ્ર નગરના કુલ-૧૪૩ જેટલા ઉમેદવારો ઉતિર્ણ થયેલ છે. આ ઉમેદવારો માટે લેખિત પરીક્ષા પૂર્વેનો તાલીમ વર્ગ શેઠ એન.ટી.એમ. હાઈસ્કુયલ, સુરેન્દ્રટનગર ખાતે તા.૧૭/૭/૨૦૧૩ થી તા.૨૩/૭/૨૦૧૩ (દિન-૭) સુધી યોજાનાર છે. જે માટે તા.૧૭/૭/૨૦૧૩ના રોજ સવારના ૧૧-૩૦ કલાકે એડમીટકાર્ડની નકલ સાથે ઉમેદવારોને રૂબરૂ હાજર રહેવા સુરેન્દ્ર નગર જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
આ યાદીમાં વધુમાં જણાવ્યા પ્રમાણે અરજદારોએ તેમના એડમીટકાર્ડની ઝેરોક્ષ નકલ તાલીમના પ્રથમ દિવસે રજુ કરવાની રહેશે, જે ઉમેદવાર તેમાં નિષ્ફોળ રહેશે તેને શિષ્યિવૃતિનો લાભ આપવામાં આવશે નહી, આ ઉમેદવારો સિવાય અન્યે કોઈ અરજદાર પણ જો પાસ થયેલ હોય તો તેઓ પણ આ તાલીમવર્ગમાં ભાગ લઈ શકે છે.
આ માટે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો સ્વપખર્ચે રૂબરૂ અથવા ટેલીફોન નં.-(૦૨૭૫૨)-૨૮૨૩૫૩ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યઉમિક તથા ઉચ્ચણત્તર માધ્યચમિક શિક્ષણ બોર્ડના સભ્યો ની ચૂંટણીને અનુલક્ષીને તા. ૨૦ મી જુલાઈના રોજ સુરેન્દ્ર નગર જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવું
સુરેન્દ્રનગરઃ-
સુરેન્દ્રીનગર જિલ્લામાં ગુજરાત માધ્યલમિક તથા ઉચ્ચઉત્તર માધ્યજમિક શિક્ષણ બોર્ડના સભ્યો્ની ચૂંટણી તા.૨૦/૭/૨૦૧૩ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૧૭-૦૦ કલાક દરમિયાન યોજાનાર હોઈ આ દિવસે જિલ્લાંની તમામ માધ્યનમિક તથા ઉચ્ચ ત્તર માધ્યામિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આથી જણાવવામાં આવે છે.
અમરેલી અન્યલ રાજ્ય તથા વિદેશમાં કાર્યક્રમ રજૂ કરવા માટે આર્થિક સહાય
અમરેલી તા.૧૫ સાંસ્કૃરત્તિક વારસાની જાળવણી માટે અન્ય રાજ્યોમાં તથા વિદેશમાં કલાવૃંદ મોકલવા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. શાસ્ત્રીય નૃત્યે અને નાટ્યવૃંદને અન્યી રાજ્યોમાં કાર્યક્રમ રજૂ કરવા માટે રૂ.૨ લાખ તથા વિદેશમાં કાર્યક્રમ રજૂ કરવા માટે રૂ.૫.૫૦ લાખની સહાય લેવા ઇચ્છુ ક હોય તેવા શાસ્ત્રી ય નૃત્યે અને નાટ્યવૃંદ /દિગ્દર્શકો /કોરિયોગ્રાફરોએ અરજી કરવાની રહેશે. આ અરજીપત્રક ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, બ્લોટક નં.૯/૧, ડૉ.જીવરાજ મહેતા ભવન-ગાંધીનગર ખાતેથી મેળવીને તા.૩ ઓગષ્ટો સુધીમાં પહોંચતા કરવાના રહેશે. પાત્રતાના ધોરણો અને અન્યા માહિતી માટે અકાદમીનો રૂબરૂ અથવા ફોન નં. (૦૭૯) ૨૩૨૫૧૬૩૯ પર સંપર્ક કરવા, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર-સચિવ શ્રીની યાદીમાં જણાવાયું છે.
તા.૧૬મીએ અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
મેટોડા જિ.રાજકોટ અને સાણંદ-જિ.અમદાવાદ ખાતે આવેલ ઇન્ટાીસ ફાર્માસ્યુનટીકલ કંપનીને કંપની ટ્રેઇનીની જગ્યાઓ માટે પુરૂષ ઉમેદવારોની જરૂરિયાત છે.
રોજગાર વિભાગ-અમરેલી દ્વારા તા.૧૬/૦૭/૨૦૧૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે, આઇ.ટી.આઇ.-અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુા છે. કંપની ટ્રેઇનીની જગ્યા માટે આઇ.ટી.આઇ. પાસ હોય તેવા ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા અને રાજકોટ-અમદાવાદ જિલ્લામમાં રોજગારી માટે જવા ઇચ્છુીક હોય તેવા સશક્ત પુરૂષ ઉમેદવારોએ સ્વ૩ખર્ચે પોતાના બાયોડેટા તથા ફોટોગ્રાફ સાથે રોજગાર ભરતી મેળામાં હાજર રહેવા જિલ્લા રોજગારી અધિકારીશ્રી-અમરેલીની યાદીમાં જણાવાયું છે.
SVEEP PHASE-II અંતર્ગત યુવા મતદાર મહોત્સગવ-૨૦૧૩માં જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજાશે
મતદાર યાદી ક્ષતિરહિત બને તથા આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તે હેતુસર SVEEP PHASE-II કાર્યક્રમના અમલીકરણના ભાગરૂપે યુવા મતદાર મહોત્સથવ-૨૦૧૩નું આયોજન કરવામાં આવનાર છે. શાળા-કોલેજમાં અભ્યાતસ કરતા વિદ્યાર્થીઓને કાર્યક્રમની જાણકારી મળી રહે તે હેતુસર યુવા મતદાર મહોત્સછવ જનજાગૃત્તિલક્ષી કાર્યક્રમો યોજાશે, તેમ અમરેલી જિલ્લાા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રીની યાદીમાં જણાવાયું છે.
જુનાગઢ સાંસ્કૃજતિક વારસાની જાળવણી માટે અન્યલ રાજ્યોમાં તથા વિદેશમાં કલાવૃંદો મોકલવા આર્થિક સહાય યોજના
અકાદમીની સાંસ્કૃાતિક વારસાની જાળવણી યોજનાં અંતર્ગત શાસ્ત્રી ય નૃત્યા અને નાટ્ય વૃંદોને રાજ્ય બહાર (વિદેશમાં) કાર્યક્રમ રજુ કરવા માટે આર્થિક સહાય આપવાની યોજનાં અન્વયયે વર્ષ ૨૦૧૩-૧૪ માં રાજ્ય બહાર કાર્યક્રમ માટે રૂા. ૨.૦૦ (બે લાખ) તથા રાષ્ટ્ર બહાર (વિદેશમાં)કાર્યક્રમ રજુ કરવા માટે રૂા. ૫.૫૦ (સાડા પાંચ લાખ)ની સહાય લેવા ઈચ્છુનક શાસ્ત્રી ય નૃત્યદ તથા નાટ્યવૃંદો/દિગ્દાર્શકો ,કોરીયોગ્રાફરોએ આ અંગેની અરજી પત્રક ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી બ્લોક નંબર ૯-૧ ડો.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતેથી મેળવી તા. ૩-૦૮-૨૦૧૩ સુધીમાં સંપુર્ણ વિગતો સાથે અકાદમીને પહોંચતા કરવાનાં રહેશે. પાત્રતા ધોરણો અથવા અન્ય્ માહિતી માટે અકાદમીનો રૂબરૂ અથવા ફોન નંબર ૦૭૯-૨૩૨૫૧૬૯૩ ઉપર સંપર્ક કરવો.તેમ સચિવશ્રી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે
હરિયાળુ નગર બનાવવા નગરજનોએ વૃક્ષોને મિત્રો બનાવવા જોઇએ
-શ્રી રામભાઇ મોર વન અધિકારી શ્રી સામાજીક વનીકરણ વિભાગ જુનાગઢ
જુનાગઢનાં રણછોડનગરમાં યોજાયો પબ્લીક પાર્ટનરશીપ મોડ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ
જુનાગઢ શહેરનાં રણછોડનગર ખાતે જુનાગઢ સામાજીક વનીકરણ કચેરી તથા રણછોડનગર સોશ્યલગૃપનાં સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સોસાયટીનાં અધ્યક્ષશ્રી કાન્તીનભાઇ પારખીયા તથા રેન્જડ ફોરેસ્ટય ઓફીસર શ્રી રામભાઇ મોરનાં હસ્તે સોસાયટીનાં સાર્વજનીક પ્લોનટમાં વિવિધ પ્રકારનાં વૃક્ષોને રોપવામાં આવ્યાો હતા.અત્રે ઉલ્લેહખનિય છે કે રણછોડનગર સોસાયટી નગરની જળસંચય બાબતે પ્રેરક સોસાયટી છે. આ સોસાયટીમાં ઘરે ઘરે પાણીનાં મિટર, સોસાયટીનું વરસાદી પાણી કુવામાં રિચાર્જ કરી ભુગર્ભ જળસંચયનું કામ સોશ્યમલગુપનાં સાંનિધ્યે થઇ રહ્યુ છે. આ પ્રસંગે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રેન્જ્ ફોરેસ્ટસ ઓફીસર શ્રી રામભાઇ મોરે જણાવ્યુર હતુ કે વૃક્ષો એ તો સૃષ્ટીસ પરની કુદરતની અણમોલ ભેટ છે. વૃક્ષ સંવર્ધન એ દરેક નગરજનનું કર્તવ્યા બનતુ હોય છે. ત્યારે આજે રણછોડ નગર સોસાયટી અને વનવિભાગનાં સંયુક્ત ઉપક્રમે આ સોસાયટીનાં ખાલી પ્લોૃટમાં વૃક્ષો વાવી વનવિભાગ સાથે પબ્લીક પાર્ટનરશીપ વ્યુક્ત કરી તે અન્યા સોસાયટીઓએ પ્રેરણા લેવા જેવી છે. વૃક્ષો માત્ર ગામડા કે સીમમાં જ કેમ ? આપણું નગર હરિયાળુ બનાવવા આવો આપણે સૈા સાથે મળી આપણાં જુનાગઢને હરિયાળુ બનાવીએ તેમ શ્રી મોરે વધુમાં ઉમેર્યુ હતુ.સમગ્ર કાર્યક્રમનું સંકલન અશ્વિનભાઇ પટેલે કર્યુ હતુ.સોસાયટીનાં નવનિયુક્ત પ્રમુખશ્રી ગિરીશભાઇ રાખોલીયા તથા ઉપપ્રમુખશ્રી હરસુખભાઇ હિરપરાને આગામી વર્ષમાં સોસાયટીમાં વિકાસલક્ષી કાર્યોમાં સૌ સભ્યોએ સહકાર આપવાનો કોલ આપી શુભકામનાં પાઠવી હતી.
૧૫ ઓગસ્ટ ૨૦૧૩ સ્વાસતંત્ર્યદિન પર્વની ઉજવણી અંતર્ગત ૨૨ મી જુલાઇએ બેઠક યોજાશે
આગામી ૧૫ મી ઓગષ્ટસ ૨૦૧૩ સ્વાઉતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની માળીયા હાટીનાં તાલુકા મથકે પરંપરાગત રીતે શાનદાર ઉજવણી કરવાની થાય છે. આ ઉજવણીનાં આયોજન સંદર્ભે જરૂરી ચર્ચા/વિચારણા કરવા અને પૂર્વ આયોજન અંગે તા. ૨૨-૦૭-૨૦૧૩નાં રોજ સાંજે ૧૭-૦૦ કલાકે કલેકટર કચેરી ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવેલ છે.સંબંધકર્તા વિભાગનાં અધિકારીશ્રીઓએ લગત માહિતી સાથે બેઠકમાં ઉપસ્થિોત રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયુ છે.
પર્યાવરણ દિવસે બાંટવા ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ
નહેરૂ યુવાકેન્દ્રં –જુનાગઢ અને શ્રી કન્યાા વિનય મંદિર બાંટવાનાં સંયુક્ત ઉપક્રમે બાંટવા કન્યા વિનયમંદિરનાં પટાંગણમાં તાજેતરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવાયો હતો. નહેરૂ યુવા કેન્દ્રંનાં કો-ઓર્ડીનેટર શ્રી બિપીનભાઇ જોષીનાં વરદ હસ્તેપ શાળાનાં ચોગાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ્ હતુ. આ પ્રસંગે શાળાનાં આચાર્યા શ્રીમતિ ડી.એમ.વાળા, વૃક્ષપ્રેમી શ્રી પી.ડી.પરમાર, પ્રોજેક્ટ ઈન્ચામર્જશ્રી કે.વી.પરમાર સહિત મહાનુભાવોએ શાળા સંકુલમાં સ્મૃતિરૂપ વૃક્ષોનું વાવેતર કરી શાળાનાં બાળકોને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે શ્રી બિપીનભાઇ જોષીએ મતદાર જાગૃતિ અંગેની સમજણ આપી હતી. જેનાં પ્રતીભાવરૂપ શાળાનાં વિદ્યાર્થીઓએ ૨૫૧ વૃક્ષોનું વાવેતર કરી તેનાં સંવર્ધનની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે પર્યાવરણ વિષયક સંવાદ અને નાટીકા રજુ કરી ગામમાં પર્યાવરણ માટે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ઉર્મિલા રાઠોડે કર્યુ હતુ.
વેરાવળ તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જૂલાઇ ચોથા બુધવારે યોજાશે
તાલુકા કક્ષાનાં પ્રશ્રોના નિકાલ માટે લોકોએ તેમની ફરિયાદ રજુ કરવા માટે ઉચ્ચા કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ સ્વાિગત ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૨૪ જુલાઇ-૧૩(ચોથા બુધવાર)નાં રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાનાં પ્રશ્નોડ-ફરિયાદો તાલુકા મામલતદારશ્રી વેરાવળને પહોંચતા કરવા. અરજીના મથાળે વેરાવળ તાલુકા માટેનો સ્વા ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. જેમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલાં ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ. અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ર હોય તો તાલુકાનાં જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન લેખિતમાં રજુઆત કરેલ હોવી જોઇએ.અને તે અનિર્ણિત હોય આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોે ગ્રામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જઇએ. તેમજ અરજદારે રૂબરૂમાં પોતાનાં પ્રશ્ન્ના આધાર પુરાવા સાથે રજુઆત કરી શકાશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆતો થઇ શકશે નહીં તેમ મામલતદાર વેરાવળની યાદીમાં જણાવાયું છે
જુનાગઢ જિલ્લાજમાં સભા સરઘસબંધી જૂનાગઢ જિલ્લાજમાં પ્રવર્તમાન સ્થિીત સંદર્ભે કાયદો વ્યીવસ્થાય અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છઆનીય બનાવ ના બને તે માટે તાત્કારલીક અસરથી તા.૨૭/૭/૨૦૧૩ સુધિ સમગ્ર જિલ્લાોમાં અધિક જિલ્લાન મેજસ્ટ્રે ટશ્રીએ.વી.વાઢેરએ મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧નાં આંક ૨૨ ની કલમ ૩૭ ની પેટા કલમ-૩ થી મળેલ સત્તાની રૂઇએ એક આદેશ જારી કરી સભા સરઘસબંધિ ફરમાવી છે.
આ આદેશ સરકારી ફરજમાં હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ,સરકારી નોકરી પર અવર જવર કરતા હોય તેવા કર્મચારીઓ,કોઇ લગ્ન્નાં વરઘોડાને, સ્મ શાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યયક્તિને,સક્ષમ અધિકારીએ કાયદેસરની પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં.આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુનો સાબીત થયે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
જુનાગઢનાં બફેલ રેન્જ નાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્તા રમાં પ્રવેશબંધી
એડજ્યુટન્ટ,રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮ ગોંડલ ખાતે ફરજ બજાવતા અધીકારીઓ/જવાનોને ૧૬ જુલાઇ થી ૨૫ જુલાઇ સુધી ૧૦ દિવસ માટે રાઇફલ તેમજ અન્યા હથીયારોથી ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જુનાગઢનાં બફેલ રેન્જઇ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર ભયજનક જણાતા અધિક જીલ્લા મેજિસ્ટ્રે ટશ્રી એ.વી.વાઢેરે તેમને મળેલ સત્તાની રુઇએ તાત્કા લીક અસરથી ૨૫-૭-૨૦૧૩ દરમ્યાએન સવારનાં ૬-૦૦ થી સાંજનાં ૧૮-૦૦ કલાક સુધી જુનાગઢનાં બફેલ રેન્જલનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્જયમાં રાહદારીઓને તેમજ વાહનોને પ્રવેશબંધી ફરમાવેલ છે.
જૂનાગઢ જિલ્લામાં હથીયાર બંધી આગામી ૯-૮-૧૩નાં રમજાન ઇદનો તહેવાર આવતો હોય તથા પ્રવર્તમાન સ્થિત સંદર્ભે કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જૂનાગઢ જિલ્લામાં તાત્કાલીક અસરથી તા.૦૯-૦૮-૨૦૧૩સુધિ સમગ્ર વિસ્તારમાં અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રી એ.વી.વાઢેરએ મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ નાં આંક-૨૨ ની કલમ -૩૭(૧) અન્વયે મળેલ સત્તાની રૂઇએ એક આદેશ જારી કરી હથિયારબંધિ ફરમાવી છે. શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી અથવા શારીરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇ ચીજો સાથે લઇ જવી નહીં. પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા તથા તૈયાર કરવા નહીં., વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં. અપમાન કરવા અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવા નહીં. અશ્લીલ ગીતો ગાવા નહીં. જેનાથી સુરૂચીનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં. તેવા હાવભાવ કરવા નહીં. તેવી ચેષ્ટા કરવી નહીં. તથા ચિત્રો, પ્લે કાર્ડ અથવા વસ્તુઓ કરવી નહીં. આ આદેશ સરકારી ફરજમાં હોય, ખેડૂતોના ખેત ઓજારો, તથા જિલ્લા પોલીસ અધિકારીશ્રીએ શારીરીક અશકિતને કારણે શુભ હેતુ થી પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં. આ હુકમનું પાલન ન કરનાર કે તેમાં મદદગારી કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો સાબીત થયે દંડ અને શિક્ષાને પાત્ર ઠરશે.
જૂનાગઢ જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલાં પોલીસને જાણ કરવી ફરજીયાત
જુનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિતી સંદર્ભે મકાન માલીક જયારે મકાન ભાડે આપે ત્યારે નિયત ફોર્મમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિત મકાન ભાડે આપી શકશે નહીં. તેમ એક આદેશ જારી કરી જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.વી.વાઢેરએ જણાવ્યું છે.આ આદેશ તાત્કાલીક અસરથી તા. ૦૭/૦૯/૨૦૧૩ સુધી અમલમાં રહેશે.
મકાન માલીકે પોલીસને આઠ કોલમમાં વિગતો આપવાની રહેશે. જેમાં પ્રથમ કોલમ અનુક્રમ, બીજી કોલમમાં મકાન માલીકનું નામ, સરનામું અને ટેલીફોન/મોબાઇલ નંબર તથા ભાડે આપેલ મકાનની વિગત, જેમાં કયા વિસ્તારમાં મકાન આવેલ છે. અને આ મકાનનું બાંધકામ કેટલા ચોરસ મીટરમાં છે તેની વિગત, કોલમ ત્રણમાં મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યકિતનું નામ, સરનામું, ટેલીફોન નંબર/મોબાઇલ નંબર, ચોથા કોલમમાં મકાન કઇ તારીખથી આપેલ છે. તથા માસીક ભાડું કેટલું છે. કોલમ પાંચમાં જે વ્યકિતને મકાન ભાડે આપેલ છે. તેનું પુરૂ નામ, હાલનું સરનામું, ટેલીફોન/મોબાઇલ નંબર ફોટા સાથે, કોલમ છમાં જે વ્યકિતને મકાન ભાડે આપેલ છે. તેમના મુળ વતનનું પાકુ સરનામું તથા ઓળખતા ત્રણ સગા સબંધીના નામ અને સરનામા, કોલમ સાતમાં મકાન માલીકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ, સરનામું, ટેલીફોન/મોબાઇલ નંબર અને કોલમ આઠ રીમાર્કસનું રહેશે. આ આદેશનો ભંગ કરનાર વ્યાકિત ભારતીય દંડ, સંહીતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
રાજકોટ પોલીસની નવી વેબસાઇટ
રાજકોટ,
શહેર પોલીસ કમિશ્નર એચ.પી.સિંઘ દ્વારા પોલીસની નવી વેબસાઇટ www.rajkotcitypolice.org નું લોન્ચીંગ માધ્યમોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. પત્રકારોને માહીતી આપતા શ્રી સિંઘે જણાવ્યું હતું કે, નવી વેબસાઇટમાં મહિલાઓ અને વૃધ્ધોને ફરીયાદો માટે ખાસ પેઇજ આપવામાં આવ્યું છે. આના પર મહિલાઓ અને વૃધ્ધો પોતાની ફરીયાદો કરી શકશે. ફરીયાદીઓને કોમ્પ્યુટર સીસ્ટમ જ ઓટોજનરેટેડ રિપ્લાય આપશે. પાછળથી ફરીયાદ સંદર્ભની પ્રગતી અને નિરાકરણની વિગતો પણ આપવામાં આવશે. આ વેબસાઇટ ઉપર શહેરના તમામ પોલીસ સ્ટેશનો અને તેમના ઇન્ચાર્જ અધિકારીઓના નામ-સરનામા અને કોન્ટેકટ નંબર આપવામાં આવ્યા છે. આ સાઇટને ફેસબુક અને ટ્રાફીક પોલીસની લીન્ક પણ આપવામાં આવી છે. નાગરીકોને તેમનો વિસ્તાર કયા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે? તેમને ફરીયાદ કયાં કરવી? જેવી માહીતી પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સાથોસાથ પોલીસ વિભાગની મહત્વની કામગીરીના ડે ટુ ડે ન્યુઝ પણ અપલોડ કરવામાં આવશે. આ પ્રસંગે ડીસીપી ચૌધરી, એસીપી બી.ડી.રબારી અને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ હાજર રહયા હતા. ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સ્કીમ લાગુ કરવામાં આવી છે. તે અંતર્ગત આ સાઇટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
SMS વડે સમાચાર
15 જુલાઇ. : સમાચારના રસિયાઓ માટે આનંદના સમાચાર છે !!! ટુંક સમયમાં જ તમને આકાશવાણી મોબાઇલ પર SMS Text રૂપે જોવા મળે તો નવાઇ નહિ! ઓલ ઇન્ડિયા રેડિયો હવે તમારા મોબાઇલ પર ન્યુઝ SMS Alert વડે, ટેક્સ્ટ રૂપે પાઠવશે. હવે જાહેર ક્ષેત્રની બ્રોડકાસ્ટ કંપની આ સેવા નોંધાયેલા ગ્રાહકોને આપીને તાજા સમાચારો મોબાઇલની સ્ક્રીન પર દિવસમાં ત્રણ વખત મોકલશે. દરેક smsમાં 3 થી 4 સમાચારોની હેડલાઇન જાહેરખબરના ટેગ સાથે સાંકળીને મોકલાશે. અધિકારીઓના કહેવા મુજબ AIRની આ અત્ચાધુનિક સેવા તેના ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો તો કરશે પણ કંપનીનો વ્યાપ પણ વધારશે. સાથોસાથ આ સેવાની લોકપ્રિયતા વધતા જાહેરખબરનું જોડાણ પણ કંપનીને સારી આવક રળી આપશે. એમ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. SMS સમાચારની હેડલાઇન્સ જેમાં કન્ટેન્ટ(વાંચન સામગ્રી)100 અક્ષરોની રહેશે જેની અંગે AIRના સમાચાર વિભાગે જ પહલેથી ગોઠવણ કરી રાખી છે જ્યારે એની સાથે જાહેરખબર 60 અક્ષરોની રહેશે. ઓલ ઇન્ડિયા રેડિયોનો માર્કેટિંગ વિભાગ જાહેર ખબરનો ભાવ નક્કી કરશે જે જાહેરખબર ન્યુઝ એલર્ટની સાથે ટેગ તરીકે આવશે. વધારામાં ઇન્ટરનેટ એપ્લિકેશનથી એવી પણ ગોઠવણ કરવામાં આવી છે કે જો કોઇ નોંધાયેલ ગ્રાહક SMS News Alert સર્વિસ ન ઇચ્છે તો તે એક રીકવેસ્ટ મોકલીને આ ન્યુઝ સેવાને બંધ પણ કરાવી શકે. સુત્રોએ જણાવ્યું કે એઆઈઆરે આ સેવા સત્વરે ચાલુ કરવા માટે ટ્રાઇ પાસેથી જથ્થાબંધ ન્યુઝ મેસેઝ મોકલવાની પરવાનગી પણ લઇ લીધી છે.
સોમવાર, 15 જુલાઈ, 2013
રવિવાર, 14 જુલાઈ, 2013
શનિવાર, 13 જુલાઈ, 2013
ADD FOR GUJARAT SAMACHAR ON SAURASHTRA PAGE 14-7-2013
PUBLISH ON SAURASHTRA PAGE 14-7-2013
શુક્રવાર, 12 જુલાઈ, 2013
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર | |
- ગુરુથી કામ નહિ ચાલે, સદ્ગુરુના શરણે જાવ
- ઈશ્વરની પ્રાપ્તિ સરળતમ ૫ણ, કઠિનતમ ૫ણ
- આ૫ણે આ૫ણને પ્રેમ કરીએ જેથી ઈશ્વરનો પ્રેમ પામી શકીએ.
- તમામ સફળતાઓનો હેતુ – મન
- જીવનની મૂળ પ્રેરણા – કર્તવ્યપાલન
| ગુરુથી કામ નહિ ચાલે, સદ્ગુરુના શરણે જાવ Posted: 11 Jul 2013 10:59 AM PDT ગુરુથી કામ નહિ ચાલે, સદ્ગુરુના શરણે જાવ સદ્ગુરુ અંતઃકરણમાં નિવાસ કરે છે. તેને નિર્મળ આત્મા અથવા પ્રકાશ સ્વરૂ૫ ૫રમાત્મા કહી શકાય. પ્રકાશનો અર્થ રોશની નથી, સન્માર્ગ ૫ર જવાની પ્રેરણા છે. તેને ઋતંભરા પ્રજ્ઞા ૫ણ કહે છે. સદ્ગુરુનો ઉ૫દેશ આ વાણી, આ ભાષા અને આ સીમામાં હોય છે. તેમનો ૫રામર્શ આ૫ણને સતત ઉ૫લબ્ધ રહે છે. બહારના […] |
| ઈશ્વરની પ્રાપ્તિ સરળતમ ૫ણ, કઠિનતમ ૫ણ Posted: 10 Jul 2013 10:14 PM PDT ઈશ્વરની પ્રાપ્તિ સરળતમ ૫ણ, કઠિનતમ ૫ણ ઈશ્વર પ્રાપ્તિ અતિ સરળ છે, કારણ કે તે જીવનની મુખ્ય આવશ્યકતા છે. તેની સાધના સુગમ છે. તેમાં એવી કોઈ મુશ્કેલી નથી, જેના માટે ભારે દોડધામ કરવાની અને સાધનો ભેગાં કરવાની જરૂર ૫ડે. ત૫શ્ચર્યા, યોગસાધના, યોગપ્રક્રિયાનું માત્ર એટલું જ પ્રયોજન છે કે નશાની ખુમારી અને નિદ્રાની મૂર્ચ્છાને દૂર કરવી દેવામાં […] |
| આ૫ણે આ૫ણને પ્રેમ કરીએ જેથી ઈશ્વરનો પ્રેમ પામી શકીએ. Posted: 10 Jul 2013 10:04 PM PDT આ૫ણે આ૫ણને પ્રેમ કરીએ જેથી ઈશ્વરનો પ્રેમ પામી શકીએ. બીજા પાસે પોતાની શ્રેષ્ઠતા પ્રકટ કરવાનું તેના માટે જ સંભવ છે જે ભીતરથી શ્રેષ્ઠ છે. પ્રભુના માર્ગ ૫ર ભરવામાં આવેલું પ્રત્યેક ૫ગલું પોતાની આત્મિક પ્રગતિ માટે કરવામાં આવેલો પ્રયાસ જ છે. બીજા માટે જે કંઈ કરવામાં ઓ છે, તે વાસ્તવમાં પોતાના માટે કરેલું કર્મ જ છે. […] |
| Posted: 10 Jul 2013 10:03 PM PDT તમામ સફળતાઓનો હેતુ – મન જીવનમાં અભ્યુદયની ઇચ્છા રાખનારે બીજું કઈ ન કરીને ૫હેલા પોતાના મનની મહાન શકિતઓનું ઉદ્ઘાટન કરવું જોઇએ. મનની શકિતઓનું ઉદ્ઘાટન કરવા માટે તેને પોતાને અનુકૂળ બનાવવાનું આવશ્યક છે. મન અનુકૂળ થતા જ તેની બધી શકિતઓ કલ્યાણકારી કાર્યો તરફ લાગી જાય છે અને મનુષ્યના જીવનમાં એક એકથી ચડિયાતા ફળ લાવે છે. મનને […] |
| જીવનની મૂળ પ્રેરણા – કર્તવ્યપાલન Posted: 10 Jul 2013 09:58 PM PDT જીવનની મૂળ પ્રેરણા – કર્તવ્યપાલન સંસારને પ્રકાશિત રાખવા માટે સૂર્યદેવ નિરંતર ગતિમાન રહે છે. મેઘનો અભાવ અનાવૃષ્ટિનું કારણ ન બને તેના માટે સમુદ્ર સતત અડવાનલમાં બળ્યા કરે છે. તારલિયા રોજ ટમટમે છે, જેથી મનુષ્ય પોતાની અહંતામાં જ ન ૫ડયો રહીને વિરાટ બ્રહ્મની પ્રેરણાઓથી પૂરિત બની હે. પોતાની શ્વાસોચ્છસવાની ક્રિયા દ્વારા સંસારનું વિષ પીવાનો અને અમૃત […] |
| You are subscribed to email updates from ઋષિ ચિંતનના સાંનિધ્યમાં To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
ગુરુવાર, 11 જુલાઈ, 2013
Longest Sea Bridge
> World's Longest Sea Bridge Unvieled
> China has unveiled the world's longest sea bridge, which stretches a massive 26.4 miles! The road bridge, which took four years and cost a cool £5.5billion to build, will be open for use in the New Year and is almost three miles longer than the previous record-holder, the Lake Pontchartrain Causeway in Louisiana.
>
>
>
>
>
> With an overall length of 42.58km, the route between Qingdao and Huangdao will be shortened by 30km, cutting the travel time by about 20 minutes.
> However, the colossal construction is set to hold the record as the longest sea bridge only for a few years – and it will be bettered by another Chinese bridge in the next decade.
Inspiring Cinemagraphs
Inspiring Cinemagraphs
Can You Smell Them? I can’t really smell them, but I can feel that it’s hot and delicious! This is what cinemagraph can do, strengthens the expression of a photo
Cheers. Endless wine with endless elegance, achieved by cinemagraph.
Coco Takes Manhattan. If you cannot capture wind, make a cinemagraph to get people feel it.
Delicious Bacon. Believe me, cinemagraph will be the next big thing for food advertising.
Endless Time. Time is endless, so is cinemagraph.
Have A Bubbly Weekend! The moving effect has grabbed all you focus to the wine, showing you the attention-grabbing power of cinemagraph.
Have An Adventurous Weekend. By simply moving some grasses, the entire photo has brought back to life completely.
He Swept Her Away. Amazed by the dynamic of the swinging dress, simply cool.
How He Passed The Time. Cinemagraph can not only give you the feel of wind, but also the feel of speed.
Infinite Coke. Where can I buy this coke? I will pay any money for it. An interesting effect achieved by cinemagraph to confuse your mind.
Mouse Is Always Busy. Is he browsing the Hongkiat? Perfect cinemagraph that captures the life of a computer addict.
Paint It On. Beauty needs patience.
Prabal’s Beauty. Inspiring and lively at the same time, demonstrating how cinemagraph can be the best piece in your portfolio.
Slide To Unlock. How many times you unlock iDevice a day? A common activity made interesting by cinemagraph.
Smoke ‘n Models. Now I will call this professional, both makeup artist, photographer and cinemagrapher.
So Tasty! How fresh it is! A tasty cinemagrah made for online grocery site, Gilt Taste.
Spinning Coffee. Very nice attempt from Editor Simon, I like the peaceful feel of the entire photo, and the motion part has really strengthened the feel.
Sweeping Moments. Great collaboration between model and cinemagrapher, I believe more models will want to have a cinemagraph as self portrait, it’s simply more attractive.
The Never-ending Commute. The moving train really adds to the epicness of this photo.
Yuki. Its name is Yuki, an animal brought back to life by cinemagraph.
We've fea tured exam ples of street art pre vi ous ly, but dig i tal artist ABVH has gone one bet ter by adapt ing the art form entire ly. He's turned some of the most cel e brat ed artworks from cult icon Banksy and breathed life into them, tak ing a sta t ic series of street art sten cils and giv ing them added depth by ani mat ing them. The results are sim ply bril liant, you'll be star ing at them for a good few min utes – hypno tised mes mersed at the same time. We're only fea tur ing a small selec tion of ABVH's ani ma tion, you can see his lat est cre ations via his awe some Tum blr Blog. We reck on Banksy should buy this guy a beer – don't you?


























