શિવરાજગઢ ગામે તિથી મહોત્સવ
જેતપુર તા.18
ગોંડલના શિવરાજગઢ ગામે આવેલ જસાબાપાની દેરીએ તા.20.3 અને 21.3 એમ 2 દિવસ તિથી મહોત્સવ ઉજવાશે. આ જગ્યાએ તા.20 ની રાત્રીએ સંતવાણી અને મહાપ્રસાદ તેમજ તા.21 ના રોજ શોભાયાત્રા વિગેરે કાર્યક્રમોના આયોજનો કરાયા હોય, ભટ્ટી પરિવારજનોએ લાભ લેવા સ્ટેશનવાવડી(જેતપુર)ના રોહિતભાઈ ભટ્ટીએ અનુરોધ કર્યો છે.
જેતપુરમાં સ્વાઈનફ્લુ
પ્રતિકારક ઉકાળાનું વિતરણ
જેતપુર તા.18
જેતપુરમાં સ્ટુડંટ યુનિયન દ્વારા લગાતાર 3 દિવસ સુધી અમરનગર રોડ, આલ્ફા સ્કુલ, બોસમીયા કોલેજ, દેસાઈવાડી, ગોપાવાડી,શંકર દેરી-ખોડપરા, રામનાથ મંદિર વિગેરે જગ્યાઓ પર સ્વાઈનફ્લુ પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરાયું હતું, તેમજ અમુક જરૂરીયાતમંદ વિસ્તારોમાં વિનામૂલ્યે માસ્ક પણ વિતરણ કરાયા હતા.આવી સેવામાં છાત્ર સંગઠનના ધવલ પંડ્યા, રવિ વઘાસીયા, મયુર સરવૈયા, નીરવ કોઠારી, ચિરાગ દોમડીયા, અમિત વઘાસીયા, દીપક નારિયા વી. ભારે જહેમત ઉઠાવી હતી.
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પરથી ગંદકીનું સામ્રાજ્ય હટાવવા માંગ...
જેતપુર તા.18
જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર પ્રજાપતિ જ્ઞાતિની વાડી સામેનો એક ખુલ્લો પ્લોટ ગંદકીનું કેન્દ્ર બન્યો છે. અહી કચરા-ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રાસી ગયા છે. બેસુમાર ગંદકીયુક્ત કચરાના ભરાવાને કારણે રેઢીયાર ઢોરનો પણ જમેલો થાય છે. આ પ્લોટ નજીકની પ્રજા-લત્તાવાસીઓ કોઈ ભયંકર રોગચાળામાં પટકાઈ તે પહેલાજ પાલિકા તંત્ર આ ગંદકી દુર કરાવે તેવું ચિરાગ અગ્રાવત સહિતના સેવાભાવી યુવાનો જણાવે છે





















