અનુયાયીઓ

બુધવાર, 27 જુલાઈ, 2011

રાજકોટ જિલ્લાનાં ર૦ જળાશયોમાં થયેલ પાણીની આવક

રાજકોટ જિલ્લાનાં ર૦ જળાશયોમાં થયેલ પાણીની આવક

રાજકોટ

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમની યાદીમાં જણાવાયા મુજબ આજ સવારે ૮-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાના ચાર જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. જે ડેમોમાં પાણી આવ્યું છે તે નીચે મુજબ છે.

ક્રમ

યોજનાનું નામ

જળાશયની કુલ ઉંડાઇ ફુટમાં

ર૪ કલાકમાં ઉંડાઇમાં થયેલ વધારો ફુટમાં

ડેમની હાલની સપાટી

ભાદર

૩૪.૧૦

૨.૯૯

૨૮.૪૦

ન્યારી-ર

ર૦.૭૦

૦.૫૨

૧૮.૯૦

મચ્છુ-૧

૪૨.૦૦

૦.૩૦

૪૦.૩૦

મોજ

૪૪.૦૦

૦.૨૦

૪૦.૨૦

વેણુ-ર

૧૯.૭૦

૦.૬૬

૧૨.૧૦

આજી-૧

૨૯.૦૦

૦.૪૯

૨૫.૬૦

આજી-ર

૩૦.૧૦

૦.૩૩

૧૦.૫૦

સુરવો

૨૫.૩૦

૧.૯૭

૨૧.૨૦

ડોંડી

૮.૯૦

૨.૬૨

૨.૦૦

૧૦

ગોંડલી

૩૦.૨૦

૨.૪૯

૧૭.૫૦

૧૧

વાછપરી

૧૮.૦૦

૨.૦૦

૭.૫૦

૧૨

વેરી

૯.૪૦

૨.૭૬

૬.૮૦

૧૩

ન્‍યારી-૧

૨૧.૮૦

૩.૨૮

૧૮.૦૦

૧૪

મોતીસર

૧૪.૮૦

૪.૯૨

૬.૬૦

૧૫

ફાડદંગ બેટી

૧૧.૭૦

૧.૧૫

૧૧.૧૦

૧૬

છાપરવાડી-૧

૧૧.૫૦

૫.૨૮

૯.૧૦

૧૭

છાપરવાડી-ર

૨૫.૦૦

૦.૬૬

૧૦.૬૦

૧૮

ઇશ્વરીયા

૧૯.૦૦

૦.૯૮

૧૬.૧૦

૧૯

કરમાળ

૧૩.૧૦

૦.૯૮

૧૧.૫૦

૨૦

કર્ણકી

૧૮.૦૦

૦.૪૯

૧૫.૬૦



જેતપુર ખાતે તા. છઠ્ઠી ઓગસ્‍ટના રોજ આરટીઓ કેમ્‍પ યોજાશે

રાજકોટ

જેતપુર તાલુકાના મોટરીંગ પબ્‍લીકને જણાવવામાં આવેલ છે કે તા. ર૯/૭/૨૦૧૧ના રોજ જેતપુર મુકામે કેમ્‍પ રાખવામાં આવેલ હતો જે તારીખનો કેમ્‍પ વહીવટી કારણોસર હવે ફેરફાર કરી તા. ૬/૮/૨૦૧૧ના રોજ રાખવામાં આવેલ છે. જેની તાલુકા મથકની મોટરીંગ પબ્‍લીકને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયું છે.

જન્‍માષ્‍ટમીએ દ્વારકા આવતા યાત્રાળુઓની યાત્રા સુવિધાસભર બનાવવા કલેકટરશ્રી સંદિપકુમારનો અનુરોધ-દ્વારકામાં જન્‍માષ્‍ટમીનો અવસર ઉજવવા વહિવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન-અતિથિદેવો ભવની આપણી પરંપરા,સંસ્‍કૃતિને જાળવજો-કલેકટરશ્રી સંદિપકુમાર-દ્વારકા વિશ્‍વના પ્રવાસન નકશામાં અદકેરૂ સ્‍થાન ધરાવે છે


ભારતવર્ષના શ્રધ્‍ધા કેન્‍દ્ર દ્વારકામાં વિશ્‍વના કોઇ પણ સ્‍થળે સ્‍થાયી થયેલા શ્રધ્‍ધાળુને જન્‍માષ્‍ટમીનો અવસર દ્વારકામાં ઉજવવાની પ્રબળ ઇચ્‍છા હોય છે. દરેક માણસની આ ઇચ્‍છા પૂર્ણ થતી નથી. પરંતુ જન્‍માષ્‍ટમીના શુભ પ્રસંગે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ માણવા દ્વારકામાં જેટલા પણ યાત્રાળુઓ આવે તેની આ યાત્રા સુવિધાસભર બનાવવા જિલ્‍લા કલેકટરશ્રી સંદિપકુમારે અનુરોધ કર્યો છે.

જન્‍માષ્‍ટમી ઉત્‍સવની ઉજવણીના આગોતરા આયોજન અર્થે આજે દ્વારકામાં જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ બેઠકમાં તેમણે વધુમા કહયું કે, અતિથિદેવો ભવની આપણી સંસ્‍કૃતિ પરંપરાને જાળવી બહારથી આવતા યાત્રાળુને કોઇ પણ પ્રકારની અડચણ ના પડે તેમની યાત્રા સુખદાયી રહે, સુવિધાસભર બને તેની વહિવટીતંત્રના તમામ અધિકારીઅને દ્વારકાવાસીઓએ કાળજી લેવાની છે.

દ્વારકા વિશ્‍વની પ્રવાસન મેપમાં અદકેરૂ સ્‍થાન ધરાવે છે. અહીં વર્ષે ૨૫ લાખથી વધુ યાત્રાળુઓ આવતા હોય ત્‍યારે તેમને રહેવા જમવાની વાજબી ભાવે સવલત મળે, ઉતમ કવોલીટીનું ભોજન મળે, યાત્રાળુઓ સાથે સારો વ્‍યવહાર થાય તે જોવાની સૌની જવાબદારી છે.

દ્વારકાના વેપારી મહાજનો, હોટલ એસોસીએશન, ધાર્મિક સ્‍થળો, ધર્મશાળાઓ, યાત્રી નિવાસોમાં સ્‍વચ્‍છતા-સુઘડતા જળવાઇ, તેની કાળજી લેવા સાથે નગરપાલિકા સતાવાળાઓએ સફાઇ પ્રત્‍યે તકેદારી લેવા સાથે યોગ્‍ય સ્‍થળોએ દિશાસૂચક શાઇનબોર્ડ મૂકવા જિલ્‍લા કલેકટરશ્રીએ સુચના આપી હતી.

જન્‍માષ્‍ટમી નિમિતે ટ્રાફીક નિયમન, પોલીસ અધિકાર કર્મચારીઓનો વ્‍યવહાર સૌહાદપૂર્ણ રહે તેની તાકીદ કરવા સાથે શ્રી સંદિપકુમારે કહયુ કે, બહારથી આવતા યાત્રિકો દ્વારકાની સારી ઇમેજ લઇને જાય ફર ફરીને લોકો દ્વારકામાં આવે તેવુ વાતાવરણ સર્જવાની આપણી સૌની નૈતિક ફરજ છે.

વહિવટીતંત્રના અધિકારીઓ અને દ્વારકાના ધંધાર્થીઓને ભગવાન શ્રીકૃષ્‍ણના સાનીધ્‍યે ફરજ કે સવો આપવાની તક મળે છે ત્‍યારે પૂરી નિષ્‍ઠાથી અદા કરવા જિલ્‍લ કલેકટરશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે દ્વારકામાં રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલ વિરાસ કાર્યોની પણ વિગતો આપી હતી. એસટી દ્વારા રૂટની બસ મૂકવા સાથે રેલ્‍વેને પણ જન્‍માષ્‍ટમી નિમિતે પણ ટ્રેન શરૂ કરવા જણાવ્‍યુ હતું.

જન્‍માષ્‍ટમી ઉજવણીની આ બેઠકમાં મામલતદાર અને વહિવટદારશ્રી ઠાકરે સૌનુ સ્‍વાગત કરી બેઠકની કાર્યવાહીનું સંચાલન કર્યુ હતું. આ તકે દ્વારકા નગરપાલિકા પ્રમુખસુશ્રી ભાવના લાલ, રીલાયન્‍સ કોર્પોરેટ અફેર્સના સીનિયર મેનેજર સંજીવ ગુપ્‍તા, નાયબ પોલીસ અધિકારીશ્રી પંડયા, શહેર ભાજપ પ્રમુખશ્રી મહેશ ઠાકર, હોટલ એસોસીએશન, વેપારી એસોસીએશન સાથે ચીફ ઓફીસરશ્રી અમીન, સ્‍વામીનારાયણ મંદિરના શ્રીએસ.પી. સ્‍વામી, પુરાતત્‍વ, રેલ્‍વે, એસટી તથા દેવસ્‍થાન સમિતિના અધિકારીઓ, પ્રેસ પ્રતિનિધીશ્રીઓ, અગ્રણીઓ ઉપસ્‍થિત રહી ઉપયોગી સુચનો કર્યા હતા. ઉપરાંત પ્રાંત અધિકારીને સમગ્ર કામગીરી પર સતત નજર રાખવા જણાવાયુ હતું.



દ્વારકા મંદિરમાં પાન-ગુટખા લઇ જનાર દંડાશેધાર્મીક સ્‍થળોની પવિત્રતા લોકો સ્‍વયં જાળવે તે ઇચ્‍છનીય છે. આમ છતા પાન-ગુટખા-ધ્રુમપાનથી ટેવાયેલા લોકો મંદિર જેવા પવિત્ર સ્‍થળોએ પણ આવી વસ્‍તુઓ લઇને જાય છે. આથી દ્વારકા ખાતે જિલ્‍લા કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને આજે મળેલ બેઠકમાં મંદિરમાં પાન-ગુટખા લઇ જવા પર પ્રતિબંધ મૂકી આવા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો હતો.

દ્વારકા મંદિરના પરિસરમાં સલામતી સ્‍ટાફ દ્વારા જરૂરી ચેકીગ થશે જેમાં પાન-ગુટખા લઇ જતા લોકો પકડાશે તો તેમને સ્‍થળ પર રૂ.૧૦૦નો દંડ કરાશે. આ નિર્ણયને બેઠકમાં ઉપસ્‍થિત તમામ લોકોએ આવકાર્યો હતો.

દ્વારકા જવા બોટ પર ભાડુ અને બોટની કાર્યવાહી દર્શાવવા કલેકટરશ્રીનો આદેશ

દ્વારકા આવતા યાત્રાળુઓ બેટ દ્વારકા પણ દર્શનાર્થે જાય છે. અહીં જતાં યાત્રાળુઓ બોટનો ઉપયોગ કરે છે ત્‍યારે બોટ માલિકો દ્વારા વધુ યાત્રાળુઓને બેસાડવામાં આવતા હોવાની સાથે વધુ ભાડુ વસુલવાની ફરિયાદો મળતા જિલ્‍લા કલેકટરશ્રી સંદિપકુમારે બોટ પર નિયત ભાડુ દર્શાવવા સાથે બોટમાં કેટલા માણસો બેસી શકે તેની કેપેસીટી દર્શાવવા આદેશ કર્યો છે.

દ્વારકા ખાતે જન્‍માષ્‍ટમી ઉજવણીની આગોતરા આયોજન માટે મળેલ બેઠકમાં બોટ માલિકો સામે વ્‍યાપક ફરિયાદો મળતા જિલ્‍લા કલેકટરશ્રીએ ગુજરાત મેરી ટાઇમ બોર્ડના અધિકારીને સ્‍પષ્‍ટ તાકિદ કરી યાત્રાળુઓને આ અંગે કોઇપણ પ્રકારની અડચણ ના આવે તે જોવા જણાવ્‍યુ હતું. આ બાબતે નગરપાલિકા અને રેવન્‍યુ તંત્રના અધિકારીઓને સુપરવિઝન કરવા પણ કલેકટરશ્રીએ સુચનાઓ આપી હતી.

ઉપરાંત જન્‍માષ્‍ટમીના દિવસોમાં બેટ દ્વારકા ખાતે પોર્ટના માણસોને પણ ફરજ બજાવવા આદેશ કરાયો હતો.


કચ્‍છના દરેક તાલુકાની આગવી ઓળખને માધ્‍યમ બનાવી મોડેલ સ્‍વરૂપમાં મૂકાશેઃ

તાલુકા સરકાર અને ‘‘ચલો તાલુકા’’ કાર્યક્રમમાં અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્‍લા કલેકટરઃ

કચ્‍છ વિશાળ પંથકનો મુલક હોવાથી તાલુકે તાલુકે રોજગારી અને આર્થિક ઉપાર્જનના મૂલ્‍યો અલગ અલગ હોવાને કારણે તાલુકાની જે આગવી ઓળખ હોય તેને માધ્‍યમ બનાવી વ્‍યવસ્‍થિત ઓપ આપવા જિલ્‍લા કલેકટર એમ.થેન્‍નારસને અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

ભુજ ખાતે ‘‘ચલો તાલુકે’’ તથા તાલુકા સરકાર કાર્યક્રમના આયોજન અંગે મળેલી બેઠકમાં જિલ્‍લા કલેકટરએ પ્રત્‍યેક તાલુકાની અસ્‍મિતાને તબક્કાવાર લઇને કહ્યું કે, દયાપર, પ્રવાસન અને પશુપાલન માટે જાણીતું છે, પરંતુ આ બન્‍ને સાથે જળસ્‍ત્રાવના કાર્યક્રમને વૈજ્ઞાનિક રીતે વિકસાવી ખેતીને સમુધ્‍ધ બનાવી શકાય છે. એવી જ રીતે નખત્રાણાની ખેતી તેનું હદય છે. ત્‍યારે જો ત્‍યાં માર્કેટિંગને પ્રોજેકટ કરાય તો તે બાબત વધુ લોકોને ફાયદાકારક પુરવાર થાય. અબડાસા હવે ખેતીનું કેન્‍દ્ર બને છે સાથે સાથે ખનિજ આધારિત ઉધોગોએ પણ અબડાસાને સમૃધ્‍ધ બનાવતું હોવાથી તેને જરૂરી માળખું મળે તે માટે પ્રાંત અધિકારી ડી.ડી.જાડેજાને સૂચવ્‍યું હતું.

માંડવીને બીચ તથા બાગાયત અને ખેતીનું કેન્‍દ્ર બનાવી તે પ્રકારે સુવિધા વિચારવા તથા મુન્‍દ્રા, ઉધોગ અને ખારેક માટે જાણીતું છે પરંતુ તાલુકાને સુંદર સેપ મળે તેવું આયોજન. આગળ વધારવા પ્રાંત અધિકારી સુદાણીએ સૂચવ્‍યું હતું. ભુજ માટે પ્રવાસન, ખેતી અને ઉધોગ માટે સુનિચ્‍ચિત કાર્યપધ્‍ધતિની રૂપરેખા તૈયાર કરવા નાયબ કલેકટર પી.એ.ગામિતને કહયું હતું.

ઉપરાંત અંજાર ભચાઉ અને ગાંધીધામનો ઉધોગ અને ખેતી તથા રાપર માટે જળસ્‍ત્રાવના કાર્યક્રમ દ્વારા ખેતી તથા તેની આનુષંગિક બાબતોને વણી લેવા જણાવાયું હતું. સાથે સાથે જિલ્‍લા કલેકટરે મુખ્‍ય બાબતોની સાથે જે ગૌણ બાબતો હોય તેને પણ ચોકકસ દિશા મળે તો લાંબાગાળા માટે આર્થિક સંવાહકનું સાધન બની શકે તેમ હોવાથી તે બાબતને પણ નજર તળે લઇ લેવા અનુરોધ કર્યો હતો.

દરેક અધિકારીઓને તાલુકાવાર મેળવેલી સિધ્‍ધિ તૈયાર કરવા માર્ગદર્શન અપાયું હતું. ઉપરાંત આગામી દસ વર્ષનું આયોજન પણ વિચારવા જણાવ્‍યું હતું. આ મુદાએ પગલે અધિકારીઓ તાલુકાની પ્રોફાઇલ તૈયાર કરશે. દરેક વિભાગમાં વિકાસની કઇ ખૂટતી કડી છે તે શોધી તેને પૂર્ણ કરવા પ્રયત્‍નો કરાશે અને કયા તાલુકાને કયા મોડેલમાં લઇ જવાશે તેના માટે આયા કરી ચોક્કસ દિશા નિર્દેશ ઘડી કાઢશે ખાસ કરીને તાલુકા માટે મિશન શું છે તેનો પરામર્શ કરાશે. સખીમંડળ અને મિશન મંગલમને પ્રાધાન્‍ય આપવા પણ કહેવાયું હતું.

જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલે માર્ગદર્શન આપ્‍યું હતું. આ બેઠકમાં જિલ્‍લા પોલીસ વડાશ્રી જીતેન્‍દ્ર રાજગોર, અધિક નિવાસી કલેકટરરી સી.પી.નેમા, આયોજન અધિકારી બી.જે.ઠકકર ઉપસ્‍થિત રહયા હતા. જયારે એસ.ટી.ના વડા સંજય જોષી, પા.પુ.કાર્યપાલક ઈજનેર એલ.જે.ફોફલ અને એસ.એચ.કાનાણી, વન વિભાગના એમ.આર.ગુર્જર, ખેતીવાડી અધિકારી અનિલ પટેલ, બાળ કલ્‍યાણ વિભાગના મીતાબેન દવે વિગેરેએ પોતાના આયોજન રજુ કર્યા હતા.

૧લીએ બી.ઇ.પ્રથમ વર્ષના વિધાર્થીઓનો ઓરિએન્‍ટેશન કાર્યક્રમ

જુલાઇ-૨૦૧૧માં બી.ઇ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્‍યો હોય તેવા દરેક બ્રાંચના વિધાર્થીઓનો ઓરીએન્‍ટેશન કાર્યક્રમ તા.૧/૮/૧૧ ને સોમવારના રોજ ૧૧ કલાકે મીકેનીકલ સેમિનાર હોલમાં યોજાશે. તથા પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઇ ગયો હોવાનું સરકારી ઈજનેરી કોલેજના આચાર્યની યાદીમાં જણાવાયું છે.


આજે જાહેર સમિતિ કંડલાની મુલાકાતે

ભુજ, વિધાનસભાની જાહેર સાહસો માટેની સમિતિ ૨૭મીએ સવારે ૮ થી દોઢ વાગ્‍યા દરમિયાન કંડલા પોર્ટની મુલાકાત લેશે.


કુતિયાણા ખાતે જિવાદોરી સમાન સારણડેમ છલકાતા ડેમના નવા નીરની આવકને હરખાતે હૈયે આવકારતા ધારાસભ્‍યશ્રી કરસનભાઇ ઓડેદરા

પોરબંદર

ગુજરાત રાજય કૃષિ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં છે ત્‍યારે કૃષિ વિકાસ માટે સૌથી મોટી અગત્‍યતા એટલે પાણી જગતનો તાત એટલે ખેડૂતના હૈયામાં ચોસામામાં વરસાદના આગમન સાથેજ નવા નીરની આવકથી હરખની હેલી ચડે છે.

રાજયના ખેડૂતની આર્થીક ઉન્‍નતી માટે રાજય સરકાર સતત પ્રયત્‍નશીલ રહી છે. આ માટે અનેક યોજનાઓ તથા પાણીની સિંચાઇ યોજનાઓ કાર્યરત કરી છે. સૌરાષ્‍ટ્રમાં સિંચાઇની ઓછી ઉપલબ્‍ધ તકો અને ક્ષારયુકત જમીનને કારણે ખેત ઉત્પાદનમાં ખેડૂતને પારાવાર મુશ્‍કેલીઓ પડે છે. આ મૂશ્‍કેલીમાંથી ખેડૂતને ઉગારવા રાજય સરકારે સૌરાષ્‍ટ્રમાં નાની મોટી અનેક સિંચાઇ યોજનાઓ અમલી બનાવી છે. જેમાં પોરબંદર જિલ્‍લાના કુતીયાણા તાલુકામાં સીંધપૂર પાસે બંજર જમીનને નવસાધ્ય અને ઉપજાઉ બનાવવા ખાસ ગતવર્ષે સારણ જળસિંચાઇ યોજના ૧૪૬૫ લાખના ખર્ચે કાર્યરત કરાઇ છે.

ચાલુ વર્ષે આ ડેમમાં વરસાદના અમીસમા પાણીની અનરાધાર આવકને કારણે આ ડેમ ૩૫ફુટની મહત્તમ સપાટીએ ઓવરફલો થતાં આ વિસ્‍તારના લોકોમાં હરખની હેલી ચડી છે. આ આનંદના ભાગીદાર બની આ વિસ્‍તારના ધારાસ્‍ભયશ્રી કરસનભાઇ ઓડેદરાએ વિધિવત નવાનીરની આવકને શ્રીફળ અને પુષ્‍પ વધાવી હતી.આ જળસીંચાઇ યોજના વિશે વિશેષમાં જણાવતાં તેઓએ કહયું હતું કે જમીનમાં પાણીના ઉંડા તળ અને ક્ષારયુકત જમીનને કારણે સિંચાઇ માટે પાણીની સુવિધા અંગે અનેકવાર રજુઆતો છતાં યોજના યોગ્‍ય મંજૂરના અભાવે અમલી બનતી ન હતી. પરંતુ મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની દુરંદેશિતાને કારણે ખેડૂતો માટે આશીર્વાદ સમાન અને આ વિસ્તારના લોકોની જિવાદોરી સમાન આ યોજના કાર્યરત કરી શકાઇ છે. જે માટે રાજય સરકાર યશનું હકકદાર છે. આ યોજનાથી સિંધપરુ આસપાસના ગોકરણ, ટેરી, માલણકા, હામદપર હેલાબેલી સહીતના ગામોની હજારો એકર જમીનને સિંચાઇની સુવિધાનો લાચ મળશે. આ ઉપરાંત કુવાના પાણીના તળ રિચાર્જ થતાં ઉપર આવવાથી પીવાના પાણી અને અન્‍ય નાની સિંચાઇ માટે પણ પુરતું પાણી ઉપલબ્‍ધ બનશે. આમ આ યોજના ખેડુતો અને અન્‍ય લોકો માટે આશીર્વાદ સમાન પુરવાર થશે. આ તકે નવાનીરને વધાવતાં તેઓએ નવા પાણીની આવકનો હર્ષ વ્‍યકત કર્યો હતો.

આ વિસ્‍તારના ખેડુત અગ્રણી જગમાલ ભાઇએ આ યોજનાથી સીંચાઇની સુવિધા મળવાથી ખેત ઉત્‍પાદનમાં અનેકગણો વધારો થશે તેવો આશાવાદ વ્‍યકત કરતાં રાજયસરકારનો આ યોજનાને સાકાર કરવા માટે આભાર વ્‍યકત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે આ ડેમને કારણે આસપાસની ક્ષારયુકત જમીનને નવસાધ્‍ય કરવામાં સહાયતા થશે આ. ઉપરાંત ખેતઉત્‍પાદન વધતાં ખેડુત આર્થિક સધ્‍ધર બનશે.

સારણ ડેમ યોજના વીશે વિગતે વાત કરતાં જળસીંચાઇ વિભાગના નાયબ ઇજનેરશ્રી કલોલા એ જણાવ્‍યું હતું કે છેલ્‍લા બે ત્રણ વર્ષની કામગીરી બાદ કૂલ રૂપીયા ૧૪૬૫ લાખના ખર્ચે આ યોજના ગતવર્ષે પૂર્ણ કરવામાં આવી છે.આ ડેમની લંબાઇ ૧૮૧ મીટરની અને માટી ડેમની લંબાઇ ૧૩૨૪ મીટરની છે. આ ડેમને ૩૦ x ૧૦ ફુટના ૧૬ દરવાજા આવેલા છે. આ ડેમની મહત્તમ પાણી સમાવવાની કપેસીટી ૩૭ મીટરની છે. જેમાં પૂર્ણ સપાટીએ ૬૦ મીલીયન ધનફૂટ પાણી સમાવી શકાય છે. આ સિંચાઇ યોજનાથી આસપાસના ચાર થી પાંચ ગામોને સીધો સિંચાઇ યોજનાનો લાભ મળશે જયારે અન્‍ય દશથી બાર ગામોમાં પાણીના તળ ઉંચા આવતા સિંચાઇ યોજનાનો લાભ મળશે.

ઉલ્‍લેખનીય છેકે ગત વર્ષે યોજના પૂર્ણ થયા બાદ પ્રથમવાર જ આ ડેમમાં પાણીનું સ્‍ટોરેજ કરવામાં આવ્‍યું છે અને આ ડેમમાં પાણીની આવક થતાં આસપાસના ગામના લાકો હૈયે ટાઢક થતાં હર્ષ છલકાઇ રહયો છે. આ ડેમની પાણીની આવકનો સિંચાઇ લાભ મળતાં ખેડૂતોની કૃષિ ઉત્‍પાદન ક્ષમતા લગભગ બમણી કરતાં વધુ થવાની સંભાવના છે. આ પ્રસંગે જીલ્‍લા પંચાયત પ્રમુખશ્રી ભોજાભાઇ પરમાર તાલુકાપંચાયત પ્રમુખશ્રી પુંજાભાઇ તથા તાલુકા પંચાયતના સદસ્‍યો અને બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થીત રહયા હતા.

રાણાવાવના અમરદડ ગામે રૂપીયા ૪,૫ લાખના ખર્ચે થનાર સી.સી.રોડ તથા કોમ્‍યુનિટી હોલનું ખાતમૂહર્ત સંપન્ન

પોરબંદર

સ્‍વર્ણીમ વર્ષમાં ગુજરાત રાજયને વિકાસની નવીજ ઉંચાઇએ લઇ જવાની નેમ ધરાવતા માન. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રામ્‍યપંથકની જરૂરીયાતને પ્રાધાન્‍ય આપી લોકોની સુખાકારીમાં ઉતરોત્તર વધારો થાય તે માટે તબક્કાવાર વીકાસના કાર્યો હાથ ધર્યા છે. જે વિકાસ કુચને આગળ ધપાવતાં રાણાવવાના અમરદડ ગામે ધારાસભ્‍યશ્રીની ગ્રાંટમાંથી મંજૂર થયેલ રૂપીયા ૨ લાખના ખર્ચે નિર્માણ થનાર સી.સી. રોડ અને રૂપીયા ૨,૫૦ લાખના ખર્ચે નિમાર્ણ થનાર કોમ્‍યુનિટીહોલ નું: ખાતમૂહૂર્ત ધારાસમ્‍યશ્રી કરસનભાઇ ઓડેદરાના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું. આ તકે તેઓએ આ સુવીધાથી લોકોને પોતાના રોજીંદા પ્રસંગોને સંપન્ન કરવામાં મદદરૂપ થશે તેમજ સી.સી.રોડ થવાથી રોજીંદી કામગીરીમાં સુવિધા ઉપલબ્‍ધ થશે તેવો આશાવાદ વ્‍યકત કર્યો હતો.

આ પ્રસંગે તાલુકાપંચાયત પૂર્વ પ્રમુખશ્રી છગનભાઇ ઓડેદરા, તા. પંચાયત ઉપપ્રમુખશ્રી ગોપલભાઇ કોઠારી, ન્‍યાય સમીનીના અધ્‍યક્ષશ્રી ભોજાભાઇ ડોડીયા, તાલુકા ભાજપના મહામંત્રીશ્રી વેજાભાઇ, અને જીલ્‍લા મીડીયા સેલના સહ કન્‍વીનરરી બાબુભાઇ ચૌહાણ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.


જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની કચેરીનું નવનિર્મિત ભવનમાં સ્‍થળાંતર

સુરેન્દ્રનગર

પ્રમુખશ્રી, જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, સુરેન્‍દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે સુરેન્‍દ્રનગર જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની કચેરી જે બહુમાળી ભવન, બ્‍લોક એ, રૂમ નંબર-૩/૪, ખેરાળી રોડ ખાતે કાર્યરત હતી, પરંતુ ફોરમના નવા ભવનનું સરકારી આયુર્વેદિક હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડ, જેલ ચોક પાસે, નિર્માણ થતાં તે ભવનમાં કચેરીને સ્‍થળાંતર કરી કાર્યરત કરવામાં આવી છે. જેના ફોન નંબરઃ- (૦૨૭૫૨) ૨૮૨૧૪૨ છે, જેથી હવે પછી જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમની સદરહું કચેરી ખાતે સર્વે અસીલો - વકીલશ્રીઓને તથા તમામ લોકોને સંપર્ક કરવા જણાવવામાં આવે છે.


ચોકીના સરપંચ પ્રજાને સાથે રાખી અંદોલન છેડશે ગામના અણઉકેલ પ્રશ્નો બાબતે જાડી ચામડી ના સતાધીસોને જગાડવાનો પ્રયાસ કરવામાં કોઈ કચાસ નહિ રખાય. રાજુભાઈ મિસ્ત્રી



ચોકીના સરપંચ પ્રજાને સાથે રાખી અંદોલન છેડશે
ગામના અણઉકેલ પ્રશ્નો બાબતે જાડી ચામડી ના સતાધીસોને જગાડવાનો પ્રયાસ કરવામાં કોઈ કચાસ નહિ રખાય. રાજુભાઈ મિસ્ત્રી

પાણી પ્રદુષણ, શાળાનું મેદાન, એસઆરપી મેદાન, બેઠી ધાબી, વીજ કંપનીનું ઓરમાંયુ વર્તન, વિગેરે પ્રશ્નો બાબતે જરૂર પડ્યે આત્મવિલોપન જેવા કાર્યક્રમો રજુ કરાશે.

મંગળવાર, 26 જુલાઈ, 2011

UNIQUE ID પ્રોજેકટ માટે ગુજરાત મોડેલ બનશે

યુનિક આઇ ડી પ્રોજેકટના ગુજરાતમાં સર્વગ્રાહી અમલીકરણ માટેની રાજ્‍ય સરકારની નવતર કાર્યશૈલીની પ્રસંશા કરતા નંદન નિલેકાની......

યુનિક આઇડેન્‍ટીફિકેશન ઓથોરિટીના ચેરમેન શ્રી નંદન નિલેકાની એ ગાંધીનગરમાં મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાથે સવિસ્‍તર પરામર્શ કર્યો

મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સૌજન્‍ય મૂલાકાતે આવેલા ભારત સરકારે નિયુકત કરેલી યુનિક આઇડેન્‍ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (U.I.D.A.I) ના અધ્‍યક્ષ શ્રી નંદન નિલેકાનીએ યુનિક આઇ.ડી. પ્રોજેકટની સફળતા માટે ગુજરાત સરકારે જે આગોતરી પૂર્વતૈયારીઓ સાથે સર્વગ્રાહી મંથન કર્યું છે તેની પ્રસંશા કરી હતી અને ગુજરાત U.I.D.માં મોડેલ બને તે માટે UIDAI અને ગુજરાત સરકાર સંયુકત રીતે સહભાગી બનીને કાર્યયોજના સાથે આગળ વધશે એમ જણાવ્‍યું હતું.

યુનિક આઇ.ડી. પ્રોજેકટ અને આધાર દ્વારા સામાન્‍ય નાગરિકોને જે ફાદાઓ થવાના છે તેની રૂપરેખા અને ગુજરાતમાં યુનિક આઇ.ડી. પ્રોજેકટની પ્રક્રિયાની કાર્યપધ્‍ધતિ અંગે મુખ્‍યમંત્રીશ્રી સાથે શ્રી નંદન નિલેકાનીએ દોઢ કલાક સુધી પરામર્શ બેઠક યોજી હતી. ગુજરાત સરકાર UNIQUE ID પ્રોજેકટના માધ્‍યમ દ્વારા તમામ સેવાઓ, યોજનાઓ અને વ્‍યકિતગત સરકારી કાર્યક્રમોના પારદર્શી અમલીકરણ માટેનું સર્વસમાવેશક આયોજિત મોડેલ તૈયાર કરવા પ્રતિબધ્‍ધ છે એમ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ શ્રી નંદન નિલેકાનીને જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીશ્રીના સૂચનને આવકારતાં શ્રી નંદન નિલેકાનીએ ગુજરાત સરકારની ટીમ સાથે UNIQUE આઇ.ડી.ની સર્વગ્રાહી યોજના માટે કાર્યશિબિર યોજવાની તત્‍પરતા વ્‍યકત કરી હતી. અન્‍ય રાજ્‍યો તથા દેશોમાં UNIQUE ID માટેની ઉત્તમ વ્‍યવસ્‍થાનો અભ્‍યાસ કરવા, ટેકનોલોજીના માધ્‍યમનો તથા યોગ્‍ય માનવશકિતનો સુચારૂ ઉપયોગ થાય તેના ઉપર મુખ્‍યમંત્રીશ્રીએ ખાસ ભાર મૂકયો હતો, અને રાષ્‍ટ્રીય હિતોને કોઇ પ્રકારે હાની પહોંચે નહીં પરંતુ સામાન્‍ય અને ગરીબ નાગરિકોને તેના હક્કોનો લાભ મળે, બધી સરકારી યોજનાઓનું અને સેવાઓનું પારદર્શી અમલીકરણ થાય તથા મિલ્‍કતો અને નાગરિકોના સલામતી અધિકારોનું રક્ષણ થાય તે દિશામાં ગુજરાત UNIQUE ID પ્રોજેકટ હાથ ધરવા આતુર છે એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

શ્રી નંદન નિલેકાનીની મુખ્‍યમંત્રીશ્રી સાથેની આજની બેઠક UNIQUE ID ના માધ્‍યમથી સામાન્‍ય માનવી માટેની સેવાઓ અને અધિકારો માટેની અનેક નવી ક્ષિતિજો ગુજરાતમાં આકાર લેશે જે દેશને પથદર્શક બનશે.

આ બેઠકમા_ UIDAIના અન્‍ય પદાધિકારીઓ ઉપરાંત આયોજનના અધિક મુખ્‍ય સચિવશ્રી વી. એન. માયરા અને મુખ્‍યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન ઉપસ્‍થિત હતા


વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી

ગાંધીનગર,

વિદેશ જવા ઇચ્છતા ભારતીય નાગરિકોને વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં જણાવ્યાનુસાર, અરજદારના ડોમીસાઇલ પ્રમાણપત્રના આધારે નેટીવીટી પ્રમાણપત્ર આપી શકાશે. આ પ્રમાણપત્રો માટે પણ જન્મ-મરણ, લગ્ન, ડ્રાઇવીંગ, શૈક્ષણિક લાયકાત કે ‘‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન’’ જેવા દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે કરવામાં આવતી કાર્યવાહી કરીને પ્રમાણપત્રો પ્રમાણિત કરવાના રહેશે.

અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન

ગાંધીનગર-યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને સરકારના ખર્ચે માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૧માં ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૦-૯-૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન

ગાંધીનગર,યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનુસૂચિત જન જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને સરકારના ખર્ચે માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૧માં ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.

અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૦-૯-૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

‘‘વાંચે ગુજરાત’’ અભિયાન અંતર્ગત

પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરાયા

૬૧ જેટલા પુસ્તકોનું અંધજનો માટેની શાળાઓમાં વિનામૂલ્યે વિતરણ કરાશે

અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે તા. ૨૬મીએ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર

‘‘વાંચે ગુજરાત’’ અભિયાન અંતર્ગત વર્ષ દરમિયાન શાળા, કોલેજ તથા નાગરિકોના અલગ-અલગ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. એક નવતર અભિગમ તરીકે રાજ્યભરના પ્રજ્ઞાચક્ષુઓ માટે ‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત ખાસ બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ તા. ૨૬-૭-૨૦૧૧ના રોજ સવારે ૯-૦૦ કલાકે અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે. બ્રેઇલ પુસ્તકોનું લોકાર્પણ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા કરશે. અતિથિ વિશેષ તરીકે શ્રી જયસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે. આ અંગેની વિગતો આપતા શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયાએ જણાવ્યું કે, ‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓની પ્રતિભા ખીલે, બહાર આવે અને તેમને પણ સમાન અવસર મળે તે ઉદ્દેશથી શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનું ખાસ અલગ આયોજન પ્રજ્ઞાચક્ષુઓ માટે કરવામાં આવ્યું હતું. તેના ૩૫ વિજેતા નીવડેલાં પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનોએ તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી-૨૦૧૧ દરમિયાન ટાઉનહોલ અને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી જીવન ઘડતર શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત સર્વે વિજેતાઓને તેમને ઉપયોગમાં આવે તેવા ઇનામો જેવા કે, આઇ-પોડ, ઓડિયો પ્લેયર વગેરે આપવામાં આવ્યા હતા. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયાએ વધુમાં કહ્યું કે, જીવન ઘડતર શિબિર ઉપરાંત પહેલીવાર એવું બન્યું છે કે, રાજ્ય સરકારે પ્રજ્ઞાચક્ષુઓને વિનામૂલ્યે પુસ્તકો આપવા માટે ખાસ બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરાવ્યા હોય. ‘‘વાંચે ગુજરાત’’ના સહઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઇ શાહ અને માનદ મંત્રી શ્રી મહાદેવભાઇ દેસાઇએ પસંદ કરેલા ૬૧ પુસ્તકો બ્રેઇલ લિપિમાં તૈયાર થયાં છે. આ પુસ્તકોના લેખકો-પ્રકાશકોએ સંમતિ આપીને અપૂર્વ સહયોગ આપેલ છે. રાજ્યની ૯૨ જેટલી અંધજનો માટેની સંસ્થાઓમાં તેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુઓ પુસ્તકોની દુનિયામાં ડોકિયું કરી શકે, ઇતર વાંચન વધુ ઉપલબ્ધ બની શકે તે માટેનો આ નાનકડો પ્રયાસ ‘‘વાંચે ગુજરાત’’ અન્વયે કરવામાં આવ્યો છે.

૬૧ પુસ્તકોમાં મોટાભાગના મહાપુરૂષોના જીવનચરિત્રો સામેલ છે ઉપરાંત બાળર્વાતાઓ, પ્રેરણાત્મક વાંચનનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી દરેક વયજૂથના વિદ્યાર્થીને તેમાંથી આનંદ, માર્ગદર્શન અને પ્રેરણા મળે.

‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત વિચાર, વાચન શિબિર, પ્રશિક્ષક પરિષદ, મને ગમતું પુસ્તક વાર્તાલાપ, શ્રેષ્ઠ વાચક સ્પર્ધા, ગ્રંથ મંદિર, ઝોલા પુસ્તકાલય, પુસ્તક પરબ, ગ્રંથયાત્રા, એક સાથે વાંચશે ગુજરાત, તરતાં પુસ્તકો, અધ્યયન અનુશીલન, રાજ્યમાં વિવિધ ૫૫ સ્થળે વિશિષ્ટ પુસ્તકમેળા આયોજન વગેરે જેવા વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક રાજ્યભરમાં અમલી બન્યાં. તેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ વધુ ઇત્તર વાચન ઉપલબ્ધ કરવા માટેનો આ મહત્વનો પ્રયાસ હાથ ધરાયો. પ્રજ્ઞાચક્ષુઓને પુસ્તકોના પ્રકાશે નવી દષ્ટિ અને વિચારોની સૃષ્ટિ મળે તેવા શુભ આશય સાથે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

સોમવાર, 25 જુલાઈ, 2011

જેતલસર હાઈ સ્કુલ ની ખોખો ની ટીમ ગેર લાયક ઠરતા ચકચાર


જેતપુર :
તાજેતરમાં જેતલસર ની હાઈ સ્કુલ ખાતે બાળ કક્ષાની ખો ખો સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. અંડર ૧૬ ની આ સ્પર્ધામાં ૧૬ વર્ષ ની અંદર ની બાળાઓનેજ રમવાનું હતું. આમ છતાં આ શાળા ના સમ્બન્ધિત ગુરુજીઓએ મોટી ઉમરની ત્રણ બાળાઓ ને આ સ્પર્ધામાં જોડી રમતમાં ઉતારતાં આ ટીમ સામે રમવા ઉતરેલી જેતપુર સરદાર પટેલ કન્યા છાત્રાલય ની ટીમ હારી ગઈ હતી.
આવા સમયે જેતપુર ની આ શાળાના ચબરાક રેફરી ને જેતલસર ની બાળા ઓની ઉમર બાબતે શંકા જતા તેમણે બધી બાળા ઓની ખાનગી રીતે ઉમર પુંછતા જેતલસર ની ૩ છાત્રાઓ ડીમ્પલ, ક્રિષ્ના અને પ્રિયંકા ની ઉનાર નિયમો કરતા વધુ નીકળી હતી.
આ સમયે વાસ્તવિકતા સ્વીકારવાને બદલે એક શિક્ષકે તો પોતાની સત્તાનું પ્રદર્શન કરી અમો દર વખતે આવું ખોટું કરીયેજ છી એ તમારે થાય તે કરી લેવું.
પણ પછી આપણી શાળા ની આબરુ જશે તેવું મનોમન માની બેઠેલા જેતલસર હાઈ સ્કુલ ના ગુરુજીઓએ સત્ય સ્વીકારી જેતપુર ની શાળા ને વિજેતા જાહેર કરી હતી.
વાત અહી પૂરી થતી નથી. પણ સૌથી દુખ ની એ વાત જાણવા મળી કે જેતલસર હાઈ સ્કુલ ની ટીમ નો આવો ભાંડો ફૂટ્યા બાદ ત્યાં ફરજ પર હાજર રહેલા જેતપુરના એક રમત ગમત અધિકારી એ જેતલસર ની આ ખો ખો ની ટીમ ને કહેવાય છે કે વર્ષ માટે ગેરલાયક જાહેર કરતા આ ટીમ ૩ વર્ષ સુધી ક્યાય નહિ રમી શકે . પણ જો તે શિક્ષકે બતાવેલ હુંકાર મુજબ તેઓ અવાર નવાર શાળાની બાળાઓની ઉમર આમ ખોટી ને ખોટી બતાવીનેજ રમાડ્યા રાકે તો કોણ પહોંચે જેતલસર ની હાઈ સ્કુલ ના ગુરુજીઓને......

(૧) પરશુરામ મહિલા મંડળી જેતપુર ના પ્રમુખ તરીકે નીમાયેલા rinabe દવે (૨) સિંધી સમાજ જેતપુર નું ગૌરવ

શુક્રવાર, 22 જુલાઈ, 2011

આતંકવાદના જડમૂળ સુધી પહોંચવા માટે રાજ્ય સરકાર દ્વારાફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવી છેઃ રમણલાલ વોરા

ગુજરાતના વિઘાર્થીઓને રાજ્યબહાર ટેક્નીકલ અભ્યાસ માટે ન જવું પડે તે માટે ટેક્નીકલ શિક્ષણ માટેની બેઠકો વધારીને ૧.૮ લાખ કરી દેવામાં આવીઃ
ગુજરાતને વીર અને વીરાંગના મળે તે માટે આગામી દિવસોમાં
ચિલ્ડ્રન યુનિ.ની સ્થાપના કરવામાં આવશેઃ
આ વર્ષે ૪૨૮ નવી શાળાઓ શરૂ કરવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છેઃ
વાંકલ ખાતે સરકારી વિનયન કોલેજનું ઉદ્ધાીટન કરતા શિક્ષણ મંત્રીઃ

સૂરતઃ
બહુધા આદિવાસી વસતી ધરાવતા માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી વિનયન કોલેજના ઉદ્ધાહટન પ્રસંગે રાજ્યના શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ આંતકવાદ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, રાજ્ય સરકાર આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી રાજ્ય સરકારે આતંકવાદના જડમૂળ સૂધી પહોંચવાની પહેલ કરી છે. આજે જ્યારે દેશના ૫૦ જેટલા જિલ્લાઓ આતંકવાદ, નક્સલવાદ જેવા દાનવથી ત્રાહિહામ છે. દેશની સરહદો પર ખતરો મંડાઇ રહ્યો છે. ત્યારે આ યુનિવર્સિટીમાંથી તૈયાર થયેલા યુવાનો દેશ દાઝ સાથે આતંકવાદને ખતમ કરી નાંખવામાં સક્ષમ હશે.
વિધાનસભાના અધ્યક્ષશ્રી ગમપતભાઈ વસાવાના પ્રયાસોથી માંગરોળ, ઉમરપાડા અને માંડવી સહિત આસપાસના વિસ્તારોના લોકોને તેમની વર્ષો જૂની કોલેજની માંગણી પૂર્ણ થતાં આજે શિક્ષણ મંત્રીએ વાંકલ ખાતે સરકારી વિનયન કોલેજનું ઉદ્ધા્ટન કર્યું હતું. સાથે આવનારા સમયમાં નવી સાયન્સ કોલેજ આપવાની પણ બાહેધરી આપી હતી. આ કોલેજમાં હાલ ૫૫૩ વિઘાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યાં સાત વિષયોનું શિક્ષણ કાર્ય પ્રારંભ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી વોરાએ મોટી સંખ્યામાં હાજર ગ્રામજનો અને વિઘાર્થીઓને પોતાની રમૂજ અદામાં સંબોધતા જણાવ્યું કે, વિધાસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઈ વસાવાની વિઘાર્થીઓ પ્રત્યેની લાગણીને કારણે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં પહેલા પાંચ નવી શાળાઓ શરૂ કરી દીધી છે. અને હવે નવી ચાર શાળાઓ શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે રાજ્યમાં ૨૦૦૮માં સરકારી ૩૧૭ શાળાઓ હતી, ૨૦૦૯-૧૦માં ૨૪૦ નવી શાળાઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં માત્ર ૪૦ તાલુકાઓમાં જ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ હતી, જ્યારે હવે ૨૨૫ તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે.
શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવની સફળતાની વાત કરતા શ્રી વોરાએ કહ્યું કે, શાળા પ્રવેશોત્વને કારણે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ ધટયો છે. જ્યારે ગુણોત્સવને કારણે શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારનો લક્ષ્ય બાળકો સારૂ, ગુણવત્તાસભર અને સંસ્કાર યુક્ત શિક્ષણ મેળવી દેશને સારા નાગરીક આપવાની છે.
રાજ્યમાં કોલેજ શિક્ષણ અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, દેશમાં ધોરણ ૧૨ પછી માત્ર ૧૧.૫ ટકા વિઘાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવે છે. ગુજરાતમાં આ રેશીયો ૧૨ ટકાનો છે. ત્યારે ૨૦૦૮માં રાજ્યમાં ૧૧ યુનિવર્સિટીઓ હતી જ ૨૦૧૦-૧૧માં ૩૮ થઇ ગઇ છે. આ યુનિવર્સિટીઓ એવા પ્રકારની છે જે પ્રજાને પ્રત્યેક ક્ષેત્રમાં સારા અને સુયોગ્ય કર્મયોગીઓ આપી શકે, કામધેનું યુનિવર્સિટી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે છે. ત્યારે આતંકવાદને પહોંચી વળતા રક્ષા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિ.ના વિઘાર્થીઓને અભ્યાસકાળથી જ દેશ સેવા માટેનો લક્ષ્ય નિર્ધારિત કરી દેવામાં આવે છે.
વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા અંગે જણાવતા તેમણે કહ્યું કે, પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા બાદ જ આ સફળતાને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના યુવાનોને સમર્પિત કરી હતી. જ્યારે રાજ્ય ભરમાં ઉઘોગો સ્થાપાશે ત્યારે તેમને ઉત્તમ માનવબળની જરૂર ઉભી થશે. તેથી જ ટેક્નીકલ ક્ષેત્રે વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૧.૮ લાખ ટેક્નીકલ શિક્ષણ માટેની બેઠકો વધારી છે. જેથી ગુજરાતના વિઘાર્થીઓને રાજ્ય બહાર અભ્યાસ માટે જવું ન પડે. રોજગારી આપવાની બાબતમાં ગુજરાત ૨૦૦૩થી અત્યાર સુધી દેશભરમાં પ્રથમ સ્થાને રહ્યું છે. દેશમાં ૭૧ ટકા રોજગારી માત્ર ગુજરાતે આપી છે.
વિઘાર્થીઓમાં સ્પોર્ટ્સ મેનશિપનો વિકાસ થાય તે માટે મુખ્યમંત્રીએ ખેલમહા કુંભનો પ્રારંભ કરાવ્યો, જેથી હાર પછી નવા જોશ અને નવી તાકાત સાથે રાજ્યનો યુવાન ફરી જીત માટે ઉભો રહી દરેક પરિસ્થિતનો નિડરતાથી સામનો કરી શકે.
મહાભારતમાં અભિમન્યુના પાત્ર વર્તા કરતાશ્રી વોરાએ જણાવ્યું કે, માના ગર્ભમાંથી બાળક યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકાર ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવા જઇ રહી છે. ગર્ભ ત્રણ માસનો થાય ત્યારથી જ દંપતિને અહીં પ્રવેશ આપી બાળકને માતાની સંપૂર્ણ કાળજી લઇ યોગ્ય શિક્ષણ આપવામાં આવશે અને બાળક ૧૪ વર્ષનો થાય ત્યાં સુધી તેને યુનિવર્સિટીમાં જ રાખવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને આવનારા સમયમાં વીર અને વીરાગનાઓ આપવાનો છે.
આ પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે હાજર રહેલા વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ રમણભાઈ વોરાનો આભાર માનતા જણાવ્યું કે, આ તાલુકાના વિઘાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ધણી તકલીફ પડતી હતી. કોલેજમાં અભ્યાસ માટે તેમને સૂરત, બારડોલી અથવા રાજપીપળા સુધી જવું પડતું હતું. આ કોલેજ શરૂ થતાં અહીં વિઘાર્થીઓ રાજ્યનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ગામે ગામ ફરી વિઘાર્થીઓને આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાવતા હોય ત્યારે વાલીઓને પણ તેમના બાળકો સારી રીતે ભણે તે પ્રત્યે ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલે વિઘાર્થીઓને આ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી રાજ્યના વિકાસમાં ભાગીદાર બનવા અને સારકારનો ધ્યેય સાકાર કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચયાત દ્વારા શિક્ષણ માટે પૂર્ણ સહકાર આપવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિશ્રી દક્ષેશ ઠાકરએ પ્રાસંગિક ઉદ્બોેધન કર્યું હતું. જ્યારે શાળાના આર્ચાય ડો. સી.પી. ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી એન.કે.ફીટરે આભારવિધી કરી હતી.
આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જગદીશભાઈ ગામીત, ઉમરપાડા તાલુકાના પ્રમુખશ્રી ગંભીરભાઈ વસાવા, તરસાડી નગર પંચાયતના પ્રમુખ શ્રીમતી ઇન્દીરાબેન સાપરીયા, સૂરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દિનેશ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, શિક્ષકો, વિઘાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
શિક્ષણ મંત્રી/અધ્યક્ષના હસ્તે માંગરોળ તાલુકાના વાંકલ ગામની તેજસ્વી દિકરીના પિતાને સ્મૃતિભેટ અર્પણ/બહુમાન કરાયું



ખેત મજૂરની દિકરી શર્મિલાએ આઈ.આઇ.ટી. ખડગપૂરમાં પ્રવેશ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યુ છેઃ
સૂરતઃ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે વાલી પાસે "દિકરી'ને ભણાવવા માટેની ભીખ માંગતા હોય તેવા સમયે સૂરત જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વસતાં એક ગરીબ ખેતમજૂરની દિકરી શર્મિલા ચૌધરી ટોપર ગણાતી પ.બંગાળના ખડગપૂર આઈ.આઈ.ટી. પાસ કરી પ્રવેશ મેળવતી હોય તો એ સમગ્ર રાજ્યનું ગૌરવ સમુ છે.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી વિનયન કોલેજના શુભારંભ પ્રસંગે પધારેલા શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ તથા વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઈ વસાવાએ ખૂબ જ ગૌરવ સાથે આ ગામની "દિકરી'ના પિતા ધનસુખભાઈને સ્મૃતિભેટ અપર્ણ કરી તેમનું બહુમાન કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલે જિલ્લા પંચાયતના સ્વ.ભડોળમાંથી રૂા.૧૦,૦૦૦ આપવાની ધોષણા કરી હતી.
સાચુ જ છે, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની જાગૃતિને કારણે આજે ગરીબ પરિવાર પણ શિક્ષણ પ્રત્યે ચિંતિત બન્યો છે અને એના પરિણામો પણ જોવા મળી રહ્યાં છે.
આજે આઈ.આઈ.ટી. કે આઈ.આઈ.એમ.ની પ્રવેશ પરીક્ષા પાસ કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.જે ગરીબ ધરની દિકરીએ પાસ કરી સમગ્ર આદિવાસી સમાજનું નામ રોશન કરી આવતીકાલની ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પાડી છે.



છેલ્લા ત્રણ વર્ષમાં ટેકનિકલ શિક્ષણની બેઠકોમાં બમણી કરાઈ છે.- શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા
વિઘાર્થીઓ પોતાના અભ્યાસ થકી દેશ-દુનિયામાં ગુજરાતનું નામરોશન કરેઃ - પ્રભારીમંત્રીશ્રી મંગુભાઈ પટેલ

સુરત ખાતે રૂા.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી ઈજનેરીકોલેજની લોકાર્પણવિધિ સંપન્નઃ
સુરતઃ

""છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૦૮ થી ૨૦૧૧ દરમિયાન ટેકનિકલ શિક્ષણની ૫૨ હજાર બેઠકોમાં વધારો કરી બમણી એટલે કે ૧.૦૮ લાખ બેઠકો કરાઈ છે. જે ટેકનિકલ કૌશલ્યની ભાવિ માંગને પૂર્ણ કરવામાં ખૂબ જ સહાયક પૂરવાર થશે''
ઉપર મુજબ રાજયના શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાએ આજરોજ સરકારી ઈજનેરી કોલેજ-સુરતના અંદાજીત રૂા.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત ભવનના લોકાર્પણ અને ડો.એસ.એન્ડ એસ.એસ. ગાંધી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી સુરતના પાંચ પ્રકલ્પોના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે જણાવ્યું હતું.
ટેકનિકલ શિક્ષણની બેઠકો છેલ્લા ત્રણ વર્ષમાં બમણી થઈ તે માત્રને માત્ર મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જ શકય છે તેવો સ્પષ્ટ મત વ્યકત કરતા મંત્રીશ્રી વોરાએ મુખ્યમંત્રીના નેતૃત્વમાં સુનિયોજીત રાજયના વિકલ્પના મધુર ફળો ભાવિપેઢીને ચોક્કસ મળવાનો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
રાજયમાં જયાં પોલીટેકનીક કે એન્જીનીયરીંગ કોલેજ બને ત્યાં સાથે જ ટી.વી., ઈન્ડોર ગેમ, લાયબ્રેરી સહિતની આધુનિક હોસ્ટેલ પણ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે વર્તમાન રાજય સરકાર કાર્યરત થયાનું પણ તેમણે ઉમેર્યું હતું.
વાયબ્રન્ટ-૨૦૧૧માં શિક્ષણક્ષેત્રે રૂા.૧૬ હજાર કરોડના એમ.ઓ.યુ. થયા છે અને ૩૦ જેટલી વિદેશી યુનિવર્સિટીઓ સાથે કરાર થયા છે ત્યારે તેનો લાભ રાજયના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મળે તેવા રાજય સરકારના આયોજનની ભૂમિકા આપતા મંત્રીશ્રી વોરાએ વાલીઓની આશા-અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા વિઘાર્થીઓને મહેનતમાં કોઈ કચાશ ન રાખવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
રાજયને ઓજસ્વી અને તેમસ્વી સ.ંતાનો મળે અને સંસ્કારિતા સાથે મૂલ્ય આધારિત ગુણવતાસભર શિક્ષણ આપવાની રાજય સરકારની નેમ પણ મંત્રીશ્રી વોરાએ વ્યકત કરી હતી.
આ પ્રસંગે રાજયના વન અને પર્યાવરણ મંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી મંગુભાઈ પટેલે વર્તમાન રાજય સરકારની સક્રિયતા અને સહયોગથી રાજયમાં વિવિધ ઉચ્ચ અભ્યાસોની બેઠકોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતનો વિઘાર્થી દિલો-દિમાગથી પોતાના અભ્યાસને આત્મસાત કરી દેશ-વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી રમણલાલ વોરાએ મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિના કુલ રૂા.૨ લાખથી વધુના બે ચેકો કોન્ટ્રાકટર તરફથી સુપ્રત કરાયાં હતા.
સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ટેકનિકલ વિભાગના કમિશનરશ્રી આઈ.બી.પીરઝાદાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જયારે ઈજનેરી કોલેજ સુરતના આચાર્ય શ્રી બી.એમ.વાઢેરે સૌને આવકાર્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કિશોરભાઈ વાંકાવાલા, વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.દક્ષેશ ઠાકર, ગાંધી કોલેજના આચાર્ય એચ.આઈ.પટેલ, પ્રાધ્યાપકો વિઘાર્થીે ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



રાજ્યકક્ષાના ગૃહમંત્રીનો સૂરત પ્રવાસ કાર્યક્રમઃ

સૂરતઃ
રાજ્યકક્ષાના ગૃહમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પટેલ આવતીકાલે તા. ૨૨મીએ વડોદરાથી "ચલો તાલુકે' કાર્યક્રમની સમાપ્તી બાદ અનુકુળતાએ સૂરત આવતી સરકીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે તા. ૨૩મીના રોજ સવારે ૯ઃ૦૦ વાગે કામરેજ તાલુકામાં આવેલા ઉમામંગલ હોલ ખાતે યોજાનારા "ચલો તાલુકે' કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થતાં અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.



દિનશા પટેલનો સુરત પ્રવાસ કાર્યક્રમઃ
સુરતઃ

ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી દિનશા પટેલ તા.૨૫/૭/૧૧ના રોજ સવારે ૧૧.૩૦ વાગે સુરત જિલ્લાના બારડોલી તાલુકા ખાતે સ્વરાજ આસરમ ખાતે સરધારા ટ્રસ્ટ્રની મીટીંગમાં હાજરી આપશે. બપોરે ૨.૦૦ વાગે નડિયાદ જવા રવાના થશે.



કુટીર ઉઘોગ રાજ્યમંત્રી શનિવારે "ચલો તાલુકે' કાર્યક્રમમાં હાજરી આપશેઃ

સૂરતઃ
કુટીર ઉઘોગ, મીઠા ઉઘોગ, છાપકામ અને લેખન સામગ્રી, આયોજન અને વાહનવ્યવહાર વિભાગના રાજ્યમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા આવતીકાલે તા. ૨૨મીના રોજ સવારે ૬ઃ૦૦ વાગે સૂરતથી વડોદરા "ચલો તાલુકે' કાર્યક્રમમાં હાજરી આપવા જશે. કાર્યક્રમ પૂર્ણ થતાં સૂરત પરત ફરી બીજા દિવસે તા. ૨૩મીના રોજ સવારે ૯ઃ૦૦ વાગે કામરેજ તાલુકામાં ઉમા મગલ હોલ ખાતે "ચલો તાલુકે' કાર્યક્રમમાં ભાગ લેશે. તા. ૨૪મીના રોજ સવારે ૯ઃ૦૦થી ૨ઃ૦૦ વાગ્યા દરમિયાન તેઓ સૂરત ખાતે લોકસંપર્ક સાધશે.



શિક્ષણના દાયિત્વને ઉજાગર કરવા અનુરોધ કરતા તાપી જિલ્લાના કલેકટર આર.જે.પટેલ

સુરતઃ
તાપી જિલ્લાના વ્યારા ખાતે એમ.પી.પટેલ હાઈસ્કુલમાં ગુરુપૂર્ણિમાં નિમિત્તે ભાવવંદના, નવનિયુકત કલેકટરશ્રી આર.જે.પટેલનો આવકાર અને શિક્ષણ સંવર્ધન સંદર્ભે કાર્યક્રમનંવ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્ત્િાઓ, શ્લોક, ભજનગાન તેમજ ગુરુ વિશે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. તાપી જિલ્લાના નવનિયુકત કલેકટરશ્રીનું અભિવાદન ર.ફ.દાબુ કેળવણી મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ આચાર્ય સંધના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં શિક્ષણ સંવર્ધન સંદર્ભે શિક્ષકના દાયિત્વને ઉજાગર કરવા અનુરોધ કરતા અબ્રાહમ લિકન દ્વારા પોતાના પુત્રના શિક્ષકને લખેલ પત્રની વિગતોની છણાવટ કરી હતી. વાલી અને સમાજની શિક્ષક પાસેથી અપેક્ષાઓની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે, કે કલેકટરશ્રીએ તાપી જિલ્લા શિક્ષણ સંવર્ધન સમિતિ અને ચુનંદા સો શિક્ષકોની ટીમ બનાવવા શિક્ષણાધિકારીને સુચિત કર્યા હતાં.



બોર્ડર સિકયૂરિટી ફોર્સમાં ૮૮૪ જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈઃ

સુરતઃ
ભારતીય પુરુષ નાગરિકો પાસેથી બોર્ડર સિકયુરીટી ફોર્સમાં હેડ કોન્સ્સટેબલ(રેડિયો ઓપરેટર/ફિટર) અને આસિસ્ટન્ટ સબ ઈનસ્પેકટર(રેડિયો મિકેનિક) માટે ૮૮૪ જગ્યાઓ માટે તા.૧૦/૮/૧૧ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં હેડ કોનસ્ટેબલ માટે તા.૧૦/૮/૧૧ના રોજ ૧૮ વર્ષથી ઓછી અને ૨૩ વર્ષથી વધુ ઉમર હોવી જોઇએ નહિ. આસિસ્ટન્ટ સબ ઈનસ્પેકટર માટે ૧૮ થી ઓછી અને ૨૫ વર્ષથી વધુ હોવી જોઇએ નહી. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, શારીરિક માપદંડ તેમજ ફી વગેરેની માહિતી માટે રોજગાર સમાચારનો ૧૩મી જુલાઇના અંકમાંથી મળી શકશે.



ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મુખ્ય કાર્યકારી અધિકારી વાપીની મુલાકાતે

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી ડો. આર બેનરજી તા.૨૭/૭/૨૦૧૧ના રોજ વાપીની મુલાકાતે આવશે. તેઓ વાપી ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશન દ્વારા કરવામાં આવેલી મીની ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની દરખાસ્ત બાબતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશન હોલ ખાતે ઉપસ્થિત રહી સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સંબંધિત દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા હાથ ધરશે. સંબંધકર્તાઓએ આ બાબતની નોંધ લેવી- બેઠકમાં હાજર રહેવા જણાવાયું છે.


કપરાડાના દુર્ગમ વિસ્તારમાં માહિતી વિભાગની ધૂમ શૈક્ષણિક સેમિનાર, વક્તૃત્વ સ્પર્ધા તથા પ્રદર્શન સહિતના ત્રિવિધ કાર્યક્રમોનો લાભ લેતા ત્રણસોથી વધુ વિઘાર્થીઓ

ચેરાપુંજી તરીકે ઓળખાતા વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા માની તથા તાલુકા મથક કપરાડા ખાતે વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, વક્તૃત્વ સ્પર્ધા તથા પ્રદર્શનીનું આયોજન કરાયુ હતું.
વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા માની તથા તાલુકા મથક કપરાડા ગામે આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમો દરમિયાન વિઘાર્થીઓને જીવનલક્ષી શિક્ષણ આપતા કેળવણીકાર શ્રી અખીલ સુતરીયાએ ધોરણ ૮, ૯, ૧૦ અને ૧૧-૧રનાં ઉપસ્થિત ૩૦૦ થી વધુ આદિવાસી વિઘાર્થીઓને યોગ્ય કારકિર્દી માટે યોગ્ય અભ્યાસક્રમની પસંદગી કરવા અંગેનું માર્ગદર્શન આપ્યુ હતું. ગમ્મત સાથે જ્ઞાન પીરસતા શ્રી સુતરીયાએ તેમની વિશિષ્ટ શૈલીથી વિઘાર્થીઓમાં અનોખા આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.
કપરાડા તાલુકામાં મોટાભાગના શ્રમજીવી પરિવારોના બાળકોને તેમના વાલીઓનાં પ્રસ્વેદનું ઋણ ચુકવવાની હાંકલ કરતા શ્રી સુતરીયાએ સાચી દિશાનાં અભ્યાસનું આયોજન કરવા, ટેકનિકલ અભ્યાસક્રમના ઉપલબ્ધ વિકલ્પો તથા કારકિર્દીમાં અંગ્રેજી અને કોમ્પ્યુટર શિક્ષણના વધતા પ્રભાવને અનુરૂપ તૈયાર થવાની હિમાયત કરી હતી. દરમિયાન વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા રાજ્ય સરકારની જુદી જુદી શૈક્ષણિક યોજનાઓ, આર્થિક ઉત્કર્ષની યોજનાઓ, ગ્રામવિકાસને લગતી યોજનાઓ જેવી લોકોપયોગી યોજનાઓની તસવીરી ઝાંખી દર્શાવતું પ્રદર્શન પણ યોજાયુ હતું. જ્યારે શાળા પરિવાર તથા વિઘાર્થીઓને યોજનાકિય સાહિત્યનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયુ હતું.
સાર્વજનિક નિવાસી માધ્યમિક શાળા-માની તથા અરૂણોદય સાર્વજનિક માધ્યમિક શાળા-કપરાડા ખાતે અંદાજે ૩૦૦ થી વધુ આદિજાતિ પરિવારોના બાળકોએ આ કાર્યક્રમોનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કેળવણીકાર શ્રી અખીલ સુતરીયા ઉપરાંત આયોજક અને લાભાર્થી વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરનાર વનેચર શ્રી ધીરૂભાઇ મેરાઇ, માહિતી વિભાગનાં કર્મયોગીઓ સર્વશ્રી મનોજ ખેંગાર, રમેશ પટેલ અને નરેશ આહિર તથા માની શાળાના આચાર્ય શ્રી મહેશ સોલંકી અને કપરાડા શાળાના આચાર્ય શ્રી મંછુભાઇ ધુમ અને શાળા પરિવાર વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



કપરાડા જેવા દુર્ગમ વિસ્તારમાં શિક્ષણ સેવાની જ્યોત પ્રજ્વલીત રાખતી સંસ્થા ઃ શબરી કન્યા છાત્રાલય
કન્યા કેળવણીની મુખ્યમંત્રીશ્રીની હૃદયસ્પર્શી અપીલનો પડધો કપરાડામાં પડધાઇ રહ્યો છે ઃ
માતાપિતા પાસે તેમની દિકરીઓના શિક્ષણ માટે સરેઆમ ભિક્ષા માંગતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કન્યા કેળવણીની હૃદયસ્પર્શી અપીલનો પડધો છેક છેવાડેના કપરાડા તાલુકામાં પણ પડધાવા પામ્યો છે.
વાત છે કપરાડા તાલુકા મથકે શિક્ષણ સેવાની ધૂણી ધખાવનાર શબરી કન્યા છાત્રાલયની. ગામડા ગામમાં ધરઆંગણે માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણની સુવિધા ન હોવાને કારણે ખાસ કરીને આદિવાસી પરિવારોની બાળાઓ ગામમાં જ ઉપલબ્ધ ધો-૪, પ કે ૭ સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવીને તેમનો અભ્યાસ પડતો મુકી દેતી હોય છે. આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હોવા છતાં, ક્યારેક ભૌગોલિક પરિસ્થિતિ તો ક્યારેક આર્થિક પરિસ્થિતિ આવી વનકન્યાઓને તેમના અરમાન પુરા કરવામાં બાધારૂપ બનતી હતી. આ પરિસ્થિતિમાંથી આવી આદિવાસી બાળાઓને ઉગારવા, તથા તેમના અશિક્ષિત કે અર્ધશિક્ષિત માવતરની ચિંતા દૂર કરવા અને માન.મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કન્યા કેળવણીની હૃદયસ્પર્શી અપીલને આગળ વધારવા માટે સને ૧૯૯૦થી કપરાડા ખાતે શબરી કન્યા છાત્રાલયે તેના સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે. શરૂઆતમાં માત્ર ૧૩ દિકરીઓથી શરૂઆત કરનાર આ છાત્રાલયમાં આજે ધોરણ ૮ થી ૧રની ૧૩૦ દિકરીઓ આશ્રય અને શિક્ષણ મેળવી રહી છે, એમ છાત્રાલયની સંચાલક બેલડી શ્રી પ્રવિણભાઇ તથા સુધાબેન પટેલે માહિતી વિભાગને એક રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું.
કપરાડા તાલુકા મથકે આવેલી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી આ આદિવાસી કન્યાઓ છેક અંતરિયાળ વિસ્તારનાં વિરક્ષેત્ર, માલધર, કાસદા, હુંડા, સુથારપાડા જેવા ગામોમાંથી આવી, અહીં આશરો મેળવી રહી છે. દાતાઓના દાનથી ચાલતી આ સંસ્થામાં કન્યાઓની સલામતી તથા જરૂરી સગવડની પૂરતી તકેદારી અને કાળજી લેવામાં આવી રહી છે, એમ ઉમેરી આ સંચાલક બેલડીએ છાત્રાલયની ખેતીવાડી સહિતની અન્ય પ્રવૃત્ત્િાની ઝાંખી કરાવી હતી.
શબરી છાત્રાલયની સૌથી સીનિયર છાત્રા એવી કાસદા (માલધર) ગામની કુ.કલ્પના પવારે તેના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, કાસદા (માલધર) માં માધ્યમિક શાળા ન હોવાથી, તેના વાલીને કપરાડાના આ છાત્રાલયની જાણકારી મળતાં તે અહીં ધોરણ-૮ થી રહીને અભ્યાસ કરી રહી છે. હાલમાં તેણી ધોરણ-૧રનો અભ્યાસ કરે છે. કલ્પનાએ જણાવ્યું હતું કે, જો કપરાડામાં શબરી કન્યા છાત્રાલય ન હોત, તો તે માધ્યમિક શિક્ષણ મેળવી શકી ન હોત. કલ્પના પવારનું ગામ કાસદા એ કપરાડા તાલુકા મથકથી પચાસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
કલ્પના જ શું કામ ? આ છાત્રાલયમાં તો રપ કિલોમીટર દૂરથી આવતી વિઘાર્થીનીઓને જ આશરો-પ્રવેશ અપાઇ રહ્યો છે. જેથી દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારની આદિવાસી કન્યાઓ સવલતના અભાવે તેમનો અભ્યાસ છોડી ન દે, એમ ઉમેરી સંચાલક પ્રવિણભાઇ પટેલે કહ્યું હતું કે, કપરાડા આસપાસના નજીકના ગામોની વિઘાર્થીનીઓ તો અપડાઉન કરી શકે છે. જ્યારે છેક સરહદી ગામોના બાળકો તેમનો આગળનો અભ્યાસ પૂર્ણ કરે તેવા શુભઆશયથી જ અહીં આ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં અવારનવાર દાતાઓના દાનની સરવાણી વહેતી રહે છે. જે આવા કામમાં આગળ વધવાની પ્રેરણા પુરી પાડતું રહે છે.
કન્યા કેળવણી અને તેમાંયે આદિવાસી કન્યાઓનાં શિક્ષણ માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રાજ્ય સરકાર અને માન.મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં પ્રયાસોમાં શબરી કન્યા છાત્રાલય જેવી સેવાકિય સંસ્થાઓ ખભેખભા મિલાવીને યોગદાન આપી રહી છે, જે અન્યો માટે પ્રેરણાદાયી બાબત ગણી શકાય.




આહવામાં વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબીર યોજાઇ

ગમત યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરીત ડાંગ જિલ્લા રમત ગમત કચેરી સંચાલીત ડાંગ જિલ્લા કક્ષા અનુસુચિત જાતી અને જનજાતીના વ્યકિત વિકાસ અને યોગાસન તાલીમ શિબીર આહવા ખાતેના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લાશિક્ષણાધિકારીશ્રી બી.કે.ગાવિતના અધ્યક્ષસ્થાને તાજેતરમાં યોજાયો હતો. આ શિબીરમાં ડાંગ જિલ્લાનાં કુલ-૭૦ શિબીરાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
વ્યકિત વિકાસ અને યોગાસન શિબીરની શરૂઆત ડાંગના યુવા શિબીરાર્થીઓની સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. પ્રાસંગીક પ્રવચનમાં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ડી.જે.ચૌધરીએ શિબીર અંગે પ્રાથમિક માહિતી આપી શિબીરનું મહત્વ સમજાવ્યું હતું. રમત ગમત કચેરીના સુધાકર બાવીસકર અને શિબીરાર્થીઓ દ્રારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતુ઼.
આ પ્રસંગે બોલતા શ્રી ગાંડાભાઇ પટેલેએ જણાવ્યુ઼ કે યુવાનો ના ધડતરમાં કર્મભકિત અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ થાય તો જ સાચો વિકાસ છે યુવાનો કંઇક નવો સુધારો કરો એ જ તમારો વિકાસ છે.શ્રી ગુણવંત ભાઇ પરીખે કહયુ કે દેશ અને સમાજને આગળ લાવવા માટે યુવા વર્ગની જરુર છે યુવાનોના ધડતર માટે યોગ જેવી આધ્યાત્મક પ્રવૃત્તિ ખુબ જ જરૂરી છે યોગ દ્રારા યોગી બની સમાજ ઉપયોગી બનો એ જ સાચો વિકાસ છે જ્યારે અનુસુચિત મોર્ચાના પ્રમુખ દીપક પીપળે જણાવ્યુ કે રાજય સરકાર દ્રારા થઇ રહેલ આ પ્રવૃત્તિ ડાંગના યુવાનોના જીવન ધડતર માટે ખુબ જરુરી છે તેનો લાભ એસટી અને એસી યુવાનોએ લેવો જોઇએ. આ સાત દિવસીય શિબીરમાં ડો. પાટીલ,ફાલ્ગુની પટેલ,જયેશ પટેલ, રાજેશ પટેલ, સેવા આપી હતી શિબીરમાં ભાગ લેનાર તમામ શિબીરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ શિબીરમાં સ્વાતંત્ર્યસેનાનીશ્રી ધેલુભાઇ નાયક,નહેરુ યુવા કેન્દ્રના શ્રી એસ.એસ.પોલ,ગટુભાઇ નાયક ખાસ ઉપસ્થિત રહયા હતા.




ડ્રાઇવરનું મોત નિપજાવનાર અંગેની બાતમી હોય તો પોલીસને જાણ કરવી

જિલલા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આહવા પોલીસ સ્ટેશન તા.૧૨-૭-૨૦૧૧ ના રોજ નોધાયેલા પોલીસ કેસ મુજબ અજાણ્યા તોહમતદારો દ્રારા જીપ ગાડી ને જી.જે.-૧૫ બીબી-૧૧૯૯ ભાડે કરી લઇ ગયા હતા અને આ જીપ ગાડીના ડ્રાઇવર અશ્વિનભાઇ ગામીતનું મોત નિપજાવેલ છે આ ગુનો અનડિટેકટ હોય જેથી આ ગુના ગે જે કોઇને બાતમી તથા માહિતી હોય તો તાત્કાલિક નાયબ પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગના કંન્ટ્રોલરૂમના ફોન નં-(૦૨૬૧)-૨૬૫૫૦૨૦ તથા પોલીસ કંન્ટ્રોલરૂમ આહવા (૦૨૬૩૧)૨૨૦૩૨૨,૨૨૦૬૫૮ ઉપર જાણ કરવા પોલીસ અધિક્ષક ડાંગની અખબારી યાદીમાં જણાવ્યું છે.


ડાંગમાં વિપરીત ભૌગોલિક પરિસ્થિતીમાં પણ આધુનિક ઢબે ખેતી કરી સમૃધ્ધિ તરફ ડગ માંડતા ખેડૂતો
સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ ઉઠાવી ખેતી ક્ષેત્રે પગભર બનતા ખેડૂતો


આહવાઃ ગુજરાતના ખેડૂતએ જુની પુરાણી ખેતીની પધ્ધતિની જગ્યાએ આમૂલ પરિવતૃન સાથે ઓછા પાણીએ ઓછા ખર્ચે વધુ ગુણવત્તા સભર વિપુલ ખેત ઉપજ અપતી આધુીનક અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી અને સિંચાઇ પધ્ધતિ અપનાવીને ખેતી ક્ષેત્રે સમૃધ્ધિ પ્રાપ્ત કરી રહયો છે રાજયનો ખેડૂત ખેતી ક્ષેત્રે સમૃધ્ધ થવાને કારણે ગુજરાત રાજયમાં દેશમાં બીજી હરિયાળી ક્રન્તિ તરફ મક્કમ ડગ માંડી રહયુ઼ છે.
રાજયનો ડાંગ જિલ્લો સૌથી નાનો ૧.૭૨ લાખ હેકટર વિસ્તાર ધરાવે છે તે પૈકી ૧.૦૧ લાખ હેકટરમાં સૌથી વધુ વનસંપત્તિ અને સમૃધ્ધ વન સંપત્તિ આવેલી છે જે પૈકી ડાંગ જિલ્લામાં વસતા આદિવાસી લોકો ૫૮ હજાર હેકટર વિસ્તારમાં ખેતી કરી પોતાનુ઼ જીવન નિર્વાહ કરે છે.
જિલ્લામાં પ્રતિવર્ષ સરેરાશ ચોમાસા દરમ્યાન ૧૦૦ થી ૧૫૦ ઇંચ વરસાદ પડે છે ડુંગર-ઢોળાવવાળા અને પોલાણ ખડકોના કારણે વરસાદના પાણી નિરર્થક નદી નાળામાં વહી જાય છસિંચાઇ ઉપયોગી ડેમ ન હોવાન કારણે સિંચાઇનું પ્રમાણ નહીવત છે પરંતુ ચોમાસા બાદ જિલ્લાના કુવા, બોર,નદી નાળા પર નાના ચેકડેમ આધારિત ૨૦ હજાર હેકટર વિસ્તારમાં સિચાઇથી ખેતી કરવામાં આવે છે. કૃષિ મહોત્સવના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતો જૂની પુરાણી ખેતી પધ્ધતિની જગ્યાએ વિપરીત ભૌગોલિક પરિસ્થિતમાં પણ વૈજ્ઞાનિક અને આધુનિક ઢબે ખેતી તથા ખેત સિંચાઇ પધ્ધતિ અપનનવાના થાય છે અને પધ્ધતિ અને આધુનિક માર્ગદર્શન મુજબ ખેતી કરી ખેતી ક્ષેત્રે પગભર થવા કટિબધ્ધ બન્યા છે.
ડાંગમાં કુલ ખાતેદાર ખેડૂતોની સંખ્યા ૧૨,૭૦૦ જેટલી છે પરંતુ અંદાજે ૪૦,૦૦૦ કુટુંબો ખેતી કરે છે જેમા ૧૨ હજાર મોટા ખેડૂતો અને ૧૫ હજાર નાના ખેડૂતો સહીત ૧૩ હજાર સિમંત ખેડૂતો છે જીલ્લામાં મુખ્ય ડાંગર, નાંગલી ,વરી, જુવાર, મકાઇ,જેવા ધાન્ય પાકોનુ વાવેતર થાય છે તેમજ અડદ, તુવેર, સોયાબીન જેવા કઠોળ પાકોનુ વાવેતર પણ કરવામાં આવે છે ખેડૂતોમાં ખેતી પ્રત્યે જાગૃતી આવવાને કારણે છેલ્લા પાંચ વર્ષમાં વધુ નફો આપતા પાકો જેવા કે ડાંગર હાઇબ્રીડ મકાઇ અને જુવારનો વિસ્તાર ૧૭૫૦૦ હેકટરથી વધીને ૨૭૫૦૦ હેકટર જેટલો થયો છે.ઓછા ઢોળાવ વાળી જમીનામાં તેમજ સપાટ અને ક્યારી વાળી જમીનમાં ડાંગરની વધુ ઉત્પાદન આપતી જાતોનું વાવેતર કરતા થયા છે
સરકારની વિવિધ સિંચાઇ યોજનાઓને કારણે જીલ્લામાં ૪ હજાર હેકટર જેટલો પિયત વિસ્તાર વધીને ૨૨હજાર હેકટર થયેલ છે જીલ્લાની મુખ્ય નદીઓ પર સિંચાઇ વિભાગ દ્રારા ૧૭૦ જેટલા ચેક ડેમોનો બાંધકામ આવતા અને સિંચાઇના સાધનો ડીઝલ પંપસેટ અને પાઇપ લાઇન અપવામાં આવતા ખેડૂતોને થવાને કારણે સિંચાઇ વિસ્તાર વધવા પામ્યો છે. બાગાયતી પાકોનો વિસ્તાર અંદાજે અઢી થી ત્રણ ગણો વધીને આજે ૮ હજાર હેકટર જેટલો થવા પામ્યો છે. સરકારની વિવિધ સહાય યોજનાઓ જેવી કે જીવિકા પ્રોજેકટ, નેશનલ હોર્ટીકલ્ચર મીશન, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના તેમજ ટીએસપીની યોજનાઓને કારણે મંડપ પધ્ધતિથી વેલાવાળા શાકભાજી તેમજ ટેલીફોન પધ્ધતિથી ટામેટાની ખેતી કરતા થયા છે. આ સાથે ભીંડા, પરવળ, રીંગણ વગેરે શાકભાજી પાકોનો વિસ્તાર પણ વધવા પામેલ છે.
ડાંગમાં કૃષિક્ષેત્રે કૃષિ મહોત્સવ થકી ખેડૂતોને તાંત્રીક માર્ગદર્શન અને ૫૦૦ થી ૬૦૦ લાખ જેટલી માતબર સહાય આપવાને કારણે ખેડૂતોમાં જાગૃતી આવેલ છે અને ડાંગનો ખેડૂત પોતાનો કૃષિ ઉત્પાદન બજારમાં વેચાણ કરતા થયા છે.ખેડૂતોને સારા ભાવો મળી રહે તે માટે વધઇ ખાતે ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તેમજ ખેડૂતોને ખેતી વિષયક તાલીમ મળી રહે તે માટે આહવા ખાતે અધતન ખેડૂત તાલીમ કેન્દ્રનુ નિર્માણ થઇ રહયુ તેમજ વધઇ ખાતે ખેડૂતોને રહેવા માટેની વ્યવસ્થા સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પણ તમામ સગવળતાઓ સાથે સવલતો ઉભી કરવામાં આવેલ છે. ખેડૂતો યોજનાકીય લાભો એકસાથે ગ્રૃપમાં લઇ શકે અને ખેતીમા નવા પાકો દાખલ કરી શકે તે માટે આત્મા પ્રોજેકટ થકી બિયારણ, ખાતર, દવા વગેરેની ખરીદીમાં ૯૦ ટકા સુધીની સહાય આપવામાં આવે છે.તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્રારા ખેડૂતોને લોન સહાય અને ડીઝલ પંપસેટ વિતરણ કરવામાં આવેલ જેમાં ડાંગ જિલ્લાના ૨૧૩ લાભાર્થી ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આમ ખેડૂતો આધુનિક ઢબે ખેતી કરી તથા સરકારની અનેકવિધ કૃષિ સહાય યોજનાઓનો લાભ લઇ ખેતી સમૃધ્ધિ મેળવવા તરફ ડગ માંડી રહયા છે.



સુબીર હાઇસ્કુલમાં મહેંદી સ્પર્ધા યોજાઇ

આહવા ઃ સરકારી ઉ.માધ્યમિક શાળા સુબીર ખાતે તાજેતરમાં ગુરુપૂર્ણિમા ઉજવણી અને મહેંદી સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્ય આશાબેન દેસાઇના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ આ પ્રસંગે આચાર્યશ્રીએ ઇશ્વર એ સૂર્ય છે ગુરુ એ ચંન્દ્ર છે સૂર્યની સાથે જીવી શકાય નહી પણ તે સૂર્ય શકિત મેળવી ચંન્દ્ર જેવા ગુરુ સાથે તેના વિચાર, દષ્ટિને સાધના પધ્ધતિથી જીવન સાર્થક કરે છે તેમ જણાવી ગુરુનું વિધાર્થી જીવનમાં શુ઼ મહત્વ છે તે સમજાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલનું શાળાના વિધાર્થી મનોજભાઇએ કર્યુ હતુ઼ં જયારે અભારીવધિ હિતેશભાઇ ટંડેલે કરી હતી. અણુણાવ્રત નિમિત્તે આ શાળાની બહેનો માટે મહેદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમા઼ ૧૯ બહેનોએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ ક્રમે ચૌધરી અંજના ધો-૧૧, દ્રીતીય ક્રમે પાડવી સંગીતા ધો-૧૧ અને તૃતીય ક્રમે ગામીત અશ્વિનાબેન ધો-૧૨ વિજેતા થયા હતા.



"" નર્મદાનું પાણી માત્રને માત્ર ગુજરાતના ભૂમિપુત્રો માટે છે. ''
ઔઘોગિક એકમોમાં રોજગારીમાં સ્થાનિક લોકોને તેમજ "લેન્ડ લુઝર' ને પ્રાથમિકતા.ઃ--- મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ
દહેઝ ખાતે ૧૨૦ કરોડના ઇઝરાયેલની મૂડીરોકાણ એગ્રો એકમનો પ્રારંભ.


ભરૂચઃ
ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નર્મદા પાણી અને તેનું સમગ્રયતા વ્યવસ્થાપન માત્રને માત્ર ગુજરાતના ખેડૂતો માટે છે અને ગુજરાત સરકાર છેલ્લા સાત વર્ષથી ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવે તેમની તેમના પરિવારની સુખાકારીમાં વધારો થાય તેવા કરેલા સતત પ્રયાસો અને તે પ્રયાસો સફળતાને વર્યા છે.
મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આજે ભરૂચ જિલ્લાના ઔઘોગિક વિસ્તાર એવા દહેજ ખાતે ઇઝરાયેલના ઉઘોગકારો ધ્વારા વાયબ્રન્ટ ગુજરાત સંદર્ભે કરાયેલા મૂડી રોકાણ કરાશે. પૈકી અંદાજે રૂા.૧૨૦ કરોડના મૂડીરોકાણવાળા "એગ્રો' સંદર્ભની ગુણવત્તા યુક્ત દવાઓના ઉત્પાદન એકમનો મંગલ પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઇ ગોહિલ અને અગ્રણી શ્રી શિરીશભાઇ બંગાળી સહિત ઈઝરાયેલામ ઉઘોગ કારો સર્વશ્રી ઇરેઝ વિગોડમેન, અવિરામ લહાવ, રાન મેદાન, યોસી ગોલ્ડસ્થિમ, સેન લિમટેનસ્ટેઇન ઉપસ્થિત રહ્યા હતા.
મેક્થેશીમ અગન ઇન્ડિયા નામની એગ્રોબેઝ એકમનો પ્રારંભ કરાવતાં ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે વધુમાં કહ્યુ કે ગુજરાતમાં મૂડીરોકાણ આવી રહ્યુ છે. તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. રોજગારીની તકો વધી રહી છે. સાથે સાથે ગુજરાત સરકાર સ્થાનિકને રોજગારી તેમજ જમીન ગુમાવનાર વ્યક્તિઓને રોજગારી બાબતે સંપૂર્ણ સ્પષ્ટ છે અને તે સાથે કોઇપણ બાંધછોડ ન હોવાનું ઉમેર્યુ તેમણે દહેઝ સહિત ગુજરાતમાં આવતા મૂડી રોકાણ એકમોમાં પોતાની જરૂરીયાતનું પાણી કામ ચલાઉ સરકાર તરફથી મળશે. પરંતુ કાયમી ધોરણે દરેક ઔઘોગિક એકમે જાતે કરવાનું રહશે. દરિયાનું પાણીને શુધ્ધ કરીને પોતાની જાતે જ વ્યવસ્થા કરવાની રહશે. મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે નર્મદાનું પાણી કાયમી ધોરણે ઉઘોગને આપવાની સ્પષ્ટ ના પાડી હતી અને જણાવ્યું કે નર્મદા ઉપર હક્ક માત્ર ગુજરાતના ભૂમિપુત્રનો હતો અને રહશે.
તેમણે ગુજરાતના ગામે-ગામ કૃષિપુત્રોના ધેર સમૃધ્ધિમાં થયેલા વધારા અને ખેત ઉત્પાદનમાં થયેલા વધારાને કારણે દેશભારમાં માત્ર ગુજરાતના ખેડૂતોએ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે. તેથી ખેડૂતોને હિત શત્રૃઓ અને સ્વાર્થી તત્વોથી દુર રહેવા સલાહ આપી હતી. મેક્થેશીમ અગન ઇન્ડિયા કંપની ધ્વારા છેલ્લા બે વર્ષમાં ભારતીય બજારમાં પ્રવેશી હવે પોતાની એગ્રો પ્રોડક્ટને એક વર્ષમાં જ પોતાના એકમમાં ઉત્પાદન કરવાનો આજથી પ્રારંભ ર્ક્યો હતો. તેને શુભેચ્છા પાઠવતા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કહ્યું કે ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઉત્પાદન ખેડૂતોના ખેતર સુધી પહોચે સાથે સાથે એકમ ધ્વારા ખેડૂતોની અને સામાજિક સેવા માટે પણ તત્પરતા બતાવી ગુજરાતના ગ્રામ્ય લોકોની સેવા કરવા અનુરોધ ર્ક્યો હતો.
ગુજરાતમાં ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મળેલી સફળતાનો યશ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપતા મંત્રીશ્રીએ સૌરભભાઇ પટેલે કહ્યું કે ગુજરાતમાં થયલો વિકાસ અને વિદેશી મૂડી રોકાણનું આકર્ષણમાં ૨૪ કલાક વિજળી ઔઘોગિક શાંતિ સરકારનો સહકાર સારો સહિત ધણા આકર્ષણ ગુજરાતમાં છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે ૧.૭૫ લાખ હેક્ટર જમીનમાં ટપક સિંચાઇ પધ્ધતિ દાખલ કરવા સરકાર કટિબધ્ધ હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
મેક્થેશીમ અગન ઇન્ડિયા કંપનીના સી.ઇ.ઓ. શ્રી ઇરેઝ વિગોદમનએ કહ્યું કે ભારત અને ગુજરાતમાં અમોને ખૂબ સારો સહકાર અને આવકાર મળ્યો છે. ગુજરાતને તેમણે ખૂબ આકર્ષણનું કેન્દ્ર ગણાવી ગુજરાતના વિકાસમાં પોતાનો હ્દયપૂર્વકનો સહયોગને જોતાં મુખ્યમંત્રીશ્રીને નરેન્દ્રભાઇ મોદીને શુભેચ્છા પાઠવી હતી.
શ્રી મલહોત્રાએ કંપનીના છેલ્લા બે વર્ષના દેખાવ અને ઉત્પાદાનની સરાહના કરી ગુજરાતના કૃષિક્ષેત્ર માટે ખુબ સારી "પ્રોડક્ટ' ના ઉત્પાદનને આવકારી સૌને શુભેચ્છા પાઠવી હતી.



નર્મદા શ્રમ અને સેવા શિબિર યોજાશે.

ભરૂચઃ
સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ધ્વારા આયોજીત ""નર્મદા શ્રમ અને સેવા શિબિર'' ૨૦૧૧-૧૨ના નાણંકીય વર્ષમાં કેવડીયાકોલોની, જિ.નર્મદા ખાતે યોજવામાં આવનાર છે. જેમાં વડોદરા-પ્રદેશમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, તાપીનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદ-પ્રદેશમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ખેડા, આણંદ અને રાજકોટ-પ્રદેશમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદરનો સમાવેશ થાય છે.
વિશ્વની મોટામાં મોટી સિંચાઇ યોજના અને ગેજરાતની જીવા દોરી સમાન નર્મદા યોજનાના વિકાસ કાર્યમાં રાજ્યના યુવાનો પાતાની શક્તિઓને જોતરે, સદ્દ ઉપયોગ કરે અને તે રીતે રાજ્યના અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનો ફાળો પ્રદાન કરે તેવા શુભ આશયથી આ શ્રમ-સેવા શિબિરનું આયોજન વિચાયું છે. આ શિબિરમાં નર્મદા યોજના તથા પર્યાવરણને લગતું શ્રમ કાર્ય કરવામાં આવશે તથા નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી , ચર્ચા, સભા, પ્રવચન ધ્વારા યુવાનોને નર્મદા શ્રમ શિબિરમાં જોતરવામાં આવનાર છે. આથી રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતિઓને કે જેઓ આ શ્રમ કાર્યમાં જોડાવવા માંગતા હોય તેઓએ પુરૂ નામ / સરનામું, જન્મ તારીખ(ઉંમર સહિત), શૈક્ષણિક લાયકાત, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ. કે સ્કાઉટ ગાઇડ, હોમગાર્ડઝ જેવી પ્રવૃતિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃતિઓમાં ભાગ લીધો હોય તો તેની વિગત, પર્યાવરણ વિશેની સૂઝ, વાલીઓનો સંમતિ પત્ર, શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ર્ડાક્ટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિતની અરજી કરવા જણાવવામાં આવે છે, અધુરી વિગતો વાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવાની રહેશે.
પસંદગી પામેલ શિબિરાર્થીઓને શિબિરની જાણ કરવામાં આવશે તેમજ તેમના આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન / નિવાસની વ્યવસ્થા સરકારશ્રી તરફથી કરવામાં આવશે તેમ જિલ્લા રમતગમત અધિકારીએ ભરૂચની એક યાદીમાં જણાવ્યું.



ભરૂચના ધારાસભ્યશ્રીના હસ્તે ગ્રામીણ લોકકલાકારોને પુરસ્કાર અર્પણ કરાશે.
જિલ્લા માહિતી કચેરી ભરૂચ ખાતે લોકકલાકારોને ચેક અર્પણ વિધિ કાર્યક્રમ યોજાશે.
ભરૂચ જિલ્લાના લોકકલાકારો નોંધે.


ભરૂચઃ
જિલ્લા માહિતી કચેરી ભરૂચ ઘ્વારા જિલ્લાના ગ્રામિણ લોક કલાકારોના માઘ્યમથી રાજય સરકારની જન સમૂહના કલ્યાણની યોજનાના વ્યાપક પ્રચાર અર્થે મનોરંજન સાથે પ્રચાર માટે ગત કૃષિ મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ સહિત ગ્રામ્ય વિસ્તારમાં યોજેલ લોકડાયરા ને મળેલ સફળતા બાદ આ લોક કલાકારોને ચેક અર્પણ વિધિ કાર્યક્રમ તા.૨૫/૭/૨૦૧૧ ના રોજ સવારના ૯.૩૦ કલાકે જિલ્લા માહિતી કચેરી ભરૂચના સભાખંડમાં યોજાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ધ્વારા કૃષિમહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજાયા હતા. પરંપરાગત માધ્યમ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ભરૂચ ધ્વારા ૮૪ ગામોમાં લોકડાયરાઓ યોજાયા હતા લોકકલાકારોએ લોકડાયરાના માધ્યમ ધ્વારા કૃષિલક્ષી અને શાળા પ્રવેશોત્સવ વિશે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલના વરદ્દ હસ્તે લોકકલાકારોને પુરસ્કાર ચેકો અર્પણ કરવામાં આવશે. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એન.રાજગોર અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બી.જી.ગામીન ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન કરશે. જેથી ગ્રામીણ વિસ્તારના લોકકલાકારોએ ઉપસ્થિત રહેવા નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્યાયે જણાવ્યું છે.



આગામી ૧૫ મી ઓગષ્ટની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી ઝધડીયા ખાતે થશે.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના આયોજન અંગે યોજાયેલ બેઠક.

ભરૂચઃ
આગામી ૧૫ મી ઓગષ્ટ-૧૧ ઉજવણીના સુચારૂ આયોજન અંગેની બેઠક જિલ્લા કલેકટરશ્રી રૂપવંતસિંહના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભરૂચ ખાતે યોજાઇ હતી.
બેઠકમાં સંબંધિત અધિકારીઓને સંબોધતાં જિલ્લા કલેકટર શ્રી રૂપવંતસિંહે રાજય સરકારના અભિગમ મુજબ આગામી ૧૫ મી ઓગષ્ટની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી ઝધડીયા ખાતે થશે. જેથી સંબંધિત અધિકારીઓ સંકલનમાં રહી સુચારૂ આયોજન કરી કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે જન સુખાકારી અને વિકાસલક્ષી કામોને પ્રાધાન્ય આપી વહેલી તકે પૂર્ણ કરવા તાકિદ કરી હતી. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે લોકોની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા અને વહીવટી પારદર્શકતાનો એહસાસ થાય તે માટે લોક હિતાર્થે વિવિધ વિકાસલક્ષી કામોને લગતા લોકાપર્ણ અને ખાતમુર્હૂતના કાર્યક્રમો યોજાય તે માટે સુચારૂ આયોજન ધડી કાઢવા ભાર મૂકયો હતો.
અધિક નિવાસી કલેકટરશ્રી આર.એસ.તિવારીએ પંદરમી ઓગષ્ટ ઉજવણીના આયોજનની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસને ઝાંખી કરાવતા પ્રદર્શન ગોઠવવા ઔઘોગિક, વિકાસ, ખેતી, ગ્રામ્યવિકાસ, પાણી પુરવઠા અને આરોગ્યને લગતા અધિકારીઓને સૂચન કર્યુ હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓનું અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. જેથી જરૂરી વ્યવસ્થા કરવા તાકિદ કરાઇ હતી. મંડપ વ્યવસ્થા, માઇક વ્યવસ્થા, તેમજ પરેડ માટે પોલીસ, એનસી.સી., હોમગાર્ડ ભાગ લે તે માટે સંબધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. ઉપરાંત શાળાના બાળકો ઘ્વારા પ્રભાત ફેરી થાય તેમજ શકય હોય તો સાંસ્કૃતિક કાર્યક્રમનોનું આયોજન કરવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સૂચના આપી હતી. લોક ભાગીદારીથી સરકારી કચેરીઓ અને ખાનગી મકાનો, સંસ્થાઓમાં રોશની કરવા ઉપર ભાર મૂકયો હતો. વધુમાં ઝધડીયા ખાતે યોજાનાર પંદરમી ઓગષ્ટ-૧૦ ની ઉજવણી દબદબા પૂર્વક થાય તે માટે તમામ અધિકારીઓ સંકલનથી કામગીરી કરવા સૂચન કર્યું હતું. સાથે-સાથે રાષ્ટ્રિય પર્વને દિપાવવા જિલ્લા તેમજ તાલુકાના પ્રજાજનોને પધારવા અનુરોધ કર્યો અને તા.૧૪ મી ઓગસ્ટે સવારે ૯.૦૦ વાગે રીહર્સલ થશે જેથી સંબધિત અધિકારીઓએ ઉપસ્થિત રહેવા ભાર મૂક્યો હતો.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર્દ્રા અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને મામલતદારશ્રી વાલીયા તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.




પૂ.મહાત્માગાંધી જીવનકવન સચિત્ર પુસ્તક શૈક્ષણિક સંસ્થાઓ માટે વિનામૂલ્યે

ભરૂચઃ
શહેર તથા જિલ્લામાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓ માટે પૂ.મહાત્માગાંધીના જીવન અંગેનું સચિત્ર પુસ્તક તેમજ ગુજરાત દીપોત્સવી અંક અને અન્ય સાહિત્ય વિનામૂલ્યે તા.૧૮/૭/૨૦૧૧ થી ૨૨/૭/૨૦૧૧ સુધી સવારે-૧૧ થી ૧૩ કલાકે વચ્ચે સંસ્થાના લેટરપેડ પહોંચ સાથે જિલ્લા માહિતી કચેરી-કણબીવગા ખાતે શ્રી વસંત સોજસત્રાનો સંપર્ક કરવાથી મળશે.



વાલીયા ખાતે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સર્વાગી વિકાસ વિષયે પરિસંવાદ યોજાશે.

આદિજાતી યુવકો-યુવતીઓને તજજ્ઞો ધ્વારા વનબંધુ કલ્યાણ યોજનાની સમજણ અને થયેલ વિકાસ અંગે માર્ગદર્શન આપશે.


વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતી યુવક-યુવતીઓને વનબંધુ કલ્યાણ યોજનાની યોજનાકીય સમજણ અને થયેલ વિકાસ અંગે જાણકારી આપવા માટેના શુભાશયથી ગુજરાત રાજ્ય પ્રેસ અકાદમી ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે વનબંધુ કલ્યાણ યોજનાની સર્વાગી વિકાસ વિષયે પરિસંવાદ તા.૨૨/૭/૨૦૧૧ ના રોજ સવારના ૯.૦૦ કલાકે શ્રી રંગનવચેતન વિઘાલય મહિલા કોલેજના સભાખંડ વાલીયા ખાતે યોજાશે.આ પરિસંવાદમાં પ્રાયોજના વહિવટદારશ્રી બી.જી.પ્રજાપતિ, જિલ્લાગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી હિતેશ કોયા, નાયબ માહિતી નિયામકશ્રી નિખીલેશ ઉપાધ્યાય અને શ્રી રંગનવચેતન વિઘાલય મહિલા કોલેજના પિ્રન્સિપાલ શ્રી એ.ડી.પંડયા ઉપસ્થિત રહી કોલેજના આદિજાતી યુવક-યુવતીઓને વનબંધુ કલ્યાણ યોજના વિશે માર્ગદર્શન આપશે. તેમજ ભરૂચના જિલ્લાના વનવાસી વિસ્તારમાં થયેલ વિકાસ અંગેની એક ફિલ્મ પણ બતાવવામાં આવશે.



આઇ.ટી.આઇ. અંકલેશ્વર ખાતે કેમીકલ સેકટરમાં પ્રવેશ મેળવવા જોગ

ભરૂચઃ
ઔઘોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ખાતે સી.ઓ.ઇ(કેમીકલ સેક્ટર) માં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૧૧ નીચે જણાવેલ એડવાન્સ મોડયુલમાં ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ CHAT-1 એટેન્ડન્ટઓપરેટર કેમીકલ પ્લાન્ટ - સી.ઓ.ઇ.કેમીકલ(બીબીબીટી) પાસ અથવા એ.ઓ.સી.પી. ટ્રેડમાં એન.ટી.સી./એન.એ.સી. પાસ અથવા કે મીકલ એન્જીનીયરીંગ ડીપ્લોમાં પાસ હોવા જરૂરી છે. CHAT-2 મેન્ટેનન્સ કે મીકેનીક કેમીકલ પ્લાન્ટ - સી.ઓ.ઇ.કેમીકલ(બીબીબીટી) પાસ અથવા એ.ઓ.સી.પી. ટ્રેડમાં એન.ટી.સી./એન.એ.સી. પાસ અથવા ડીપ્લોમાં ઇન મીકેનીકલ/પ્રોડક્ષન એન્જીનીયરીંગ અને CHAT-3 સી.ઓ.ઇ.કેમીકલ(બીબીબીટી) પાસ અથવા એ.ઓ.સી.પી. ટ્રેડમાં એન.ટી.સી./એન.એ.સી. પાસ અથવા ડીપ્લોમાં ઇન ઇન્સ્ટુમેન્ટ એન્જીનીયરીંગ જરૂરી છે. તેમ ઔઘોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વરની એક યાદીમાં જણાવ્યું છે. પ્રવેશ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ પ્રવેશ માટેના કોરા અરજી પત્રકો રૂા.૨૫/- ચુકવેથી સંસ્થા ખાતેથી કામકાજના દિવસો દરમ્યાન ૧૧.૦૦ કલાકથી ૧૬.૦૦ કલાક દરમ્યાન મેળવી રજીસ્ટ્રેશન ફી રૂા.૫૦/- સાથે અરજી પત્રક તા.૨૮/૭/૨૦૧૧ સુધીમાં જમા કરવાના રહેશે.



રોમિયોગીરી કરતા ચાર વિઘાર્થીઓની ધરપકડ ઃ
ધુમ બાઇક ચલાવતા સાત વિઘાર્થીઓની બાઇક ડીટેઇન કરાઇ ઃ

નવસારીઃ
પ્રજાભિમુખ વહીવટ સાથે કાયદાના કડક અમલના આગ્રહી એવા ગુજરાતી આઇપીએસ અધિકારી શ્રી હસમુખ પટેલ નવસારી ખાતે તાજેતરમાં યોજાયેલા લોકદરબારમાં સ્કુલ-કોલેજ પાસે અસામાજિક તત્વો ઘ્વારા થતી હેરાનગતિ અને અસામાજિક તત્વોને ડામવા પોલીસ કડક પગલાં સુચના આપી હતી આ ઉપરાંત શાળા/કોલેજના આચાર્યોને આ બાબતે જાણ કરવા તેમજ સુચન પેટીઓ મુકવા જણાવ્યું હતું. આજે જિલ્લા પોલીસ વડા શ્રી જે.આર.મોથલીયાને મળેલી ફરિયાદના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર (ટ્રાફિક) શ્રી કે.ડી.નકુમ અને તેમના સ્ટાફે એરૂ ચાર રસ્તા નારણલાલા કોલેજના ગેઇટ બહાર જાહેર રસ્તા પર આવતી-જતી વિઘાર્થીઓને છેડતી-મશ્કરી અને બિભત્સ વર્તન કરતા અસામાજિક તત્વો પર વોચ ગોઠવવામાં આવી હતી. આ સમયે ચાર જેટલા વિધાર્થીઓ કોલેજ આવતી વિધાર્થિનીઓની છેડતી-મશ્કરી કરતા નજરે પડતાં તાત્કાલિક ધરપકડ કરી, મુંબઇ પોલીસ એકટ-૧૧૦, ૧૧૧,૧૧૭ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં નારણલાલા કોલેજમાં એસવાયબીકોમમાં અભ્યાસ કરતા સરફરાઝ ખુરશીદ કપુર ઉમર-૨૦, આસીફ ખુરશીદભાઇ કપુર ઉંમર-૧૮ બન્ને રહે લંગરવાડ લુન્સીકુઇ નવસારી, જલ્પેશ રવિન્દ્રભાઇ મિસ્ત્રી ઉંમર-૧૯ રહે-લીમડાચોક નવસારી અને ફૈઝલ સલીમભાઇ ભાટી ઉંમર-૧૮ રહે રંગુનનગર, જલાલપોર નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત જાહેરમાર્ગો પર આડેધડ ટુ વ્હીલર ચલાવતા સાત કોલેજીયનની બાઇક ડીટેઇન કરવામાં આવી હોવાનું પોલીસ સબ ઇન્સપેકટર શ્રી કે.ડી.નકુમ દ્વારા જણાવાયું છે.
જિલ્લા પોલીસ વડા શ્રી જે.આર.મોથલીયાએ પોલીસ સંબંધી કોઇપણ ફરિયાદ કે માહિતી આપવાની હોય તો ફોન નંબર (૦૨૬૩૭) ૨૪૫૩૩૩ અને ૨૪૬૩૦૩ પર આપવા જાહેર જનતા જોગ અપીલ કરી છે. ઉપરાંત દરરોજ બપોરે ૧૨ થી ૧-૩૦ અને સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન પોલીસભવન લુન્સીકુઇ નવસારી ખાતે જિલ્લા પોલીસવડા સાથે મુલાકાત કરી શકાશે

ગુજરાતના યુવાધનને હિમાલય વિસ્તાર શિખર આરોહણ અભિયાનમાં જોડાવવા માટેની અમુલ્ય તક


ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના નિયંત્રણ હેઠળની કમિશ્નર, યુવક સેવા અને સંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દવારા સંચાલિત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટઆબુ દવારા આગમી માહે:-સપ્ટેમ્બર/૨૦૧૧ દરમ્યાન હિમાલય વિસ્તાર શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવમાં આવ્યું છે.
તા.૦૧/૦૭/૨૦૧૧ની સ્થિતિએ ગુજરાતના ૧૮ થી ૫૦ વર્ષની વય ધરાવતી સાહસિક વ્યક્ત્તિઓ આ અભિયાનમાં ભાગ લઇ શકશે. હિમાલય વિસ્તાર શિખર આરોહણ અભિયનમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્ત્તિઓએ બરફ ચઢાણનો એડવાન્સ કોર્ષ અથવા બેઝીક કોર્ષ પૂર્ણ કરેલો હોવો જરૂરી છે. શિખર આરોહણ અભિયાનમાં સફળતા મેળવનાર કે અગાઉ ભાગ લેનાર સાહસિકને તથા બરફ ચઢાણના મેથડ ઓફ ઇન્સ્ટ્રકસન કોર્ષ અથવા સર્ચ એન્ડ રેસ્ક્યુ કોર્ષ પુર્ણ કરનાર અથવા માઉન્ટઆબુ ખાતે ખડક ચઢાણનો કોચીંગ કોર્ષ પૂર્ણ કરનારને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.
દરેક ઉમેદવારે બાયોડેટામાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલીફોન નંબર,જન્મ તારીખ ,શૈક્ષણિક લાયકાત, પર્વતારોહણક્ષેત્રે કરેલ કોર્ષ વગેરે વિગતો જણાવવાની રહેશે.બરફ તથા ખડક ચઢાણના પ્રમાણપત્રો ઉપરાંત સ્વાસ્થ્ય અંગેનું ડોકટરનું પ્રમાણપત્ર અને અભિયાનમાં જોડાવવા માટે વાલીનું સંમતિપત્ર પણ બીડવાનું રહેશે. ખાસકિસ્સામાં ઉમેદવારની લાયકાતના ધોરણમાં કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છૂટછાટ મુકી શક્શે.
ઇચ્છુક ઉમેદવારે પોતાના બાયોડેટા તથા જરૂરી પ્રમાણિત પ્રમાણપત્રોની નકલો સાથેની અરજી તા.૦૩/૦૮/૨૦૧૧ સુધીમાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, સાધના ભવન, ગૌમુખરોડ, માઉન્ટઆબુ, રાજસ્થાનને અરજી મોકલવની રહેશે. જેની નોંધ લેવા યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, કમિશ્નરશ્રી એમ.એમ.કોટવાલની યાદીમાં જણાવાયું છે.

તૃણમૂલસ્તરે શાસન વ્યવસ્થા સુદૃઢ બનાવવાનું મુખ્યમંત્રીશ્રીનું સપનું સાકાર થયું આજે બોડેલી એપીએમસી ખાતે ૧૧ મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં "ચલો તાલુકે'' કાર્યક્રમનું મંગલાચરણ

તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને પ્રજાજનો સમક્ષ વિકાસ ગાથાનું નિદર્શન કરાશે
વડોદરા,
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના તૃણમૂલસ્તરે પ્રશાસન વ્યવસ્થાને સુદૃઢ કરવાના નિર્ધારના ભાગરૂપે તા.૨૨મી જુલાઇએ સવારે વડોદરા જિલ્લાના બોડેલીના આંગણે "ચલો તાલુકે' અભિયાનના શ્રીગણેશ થશે. તાલુકા પ્રશાસન પોતાના ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટેનું સૂક્ષ્માતિસૂક્ષ્મ આયોજન તાલુકાકક્ષાએથી જ ધડીને તેના નક્કર અમલ માટે અગ્રેસર બને તે હેતુસર રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં પ્રારંભાનારા "આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો' અભિયાન અંતર્ગત રાજ્યના છ જિલ્લાઓમાં પ્રારંભિક પાઇલોટ પ્રોજેક્ટ તરીકે આવતીકાલથી આ ચળવળના મંડાણ થશે.
વિકેન્દ્રીત શાસન વ્યવસ્થાને નવી ચેતના આપવા માટેના "ચલો તાલુકે'' કાર્યક્રમનો મધ્ય ગુજરાતમાં વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાથી શુભારંભ થશે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર દેશ સમક્ષ તાલુકા વિકાસનું નવતર મોડેલ પ્રસ્તુત કરવા અને તાલુકા સરકારની ક્રાંતિકારી વિકેન્દ્રીત શાસન વ્યવસ્થાને વેગ આપવા આ કાર્યક્રમ સધન મનોમંથનના નિચોડના રૂપમાં સૂચવ્યો છે. જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આ કાર્યક્રમ યોજાવાનો છે જેનો શુભારંભ સંખેડા તાલુકાથી થશે. આ કાર્યક્રમ સંખેડા તાલુકાના વ્યાપાર મથક બોડેલીના એપીએમસી (ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ) ના સંકુલમાં યોજાશે.
તાલુકા માટે વિક્રમરૂપ ગણાય તે રીતે આ કાર્યક્રમમાં, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સહિત રાજ્ય સરકારના ૧૧ મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવો, જિલ્લાના પ્રભારી અગ્રસચિવ તેમજ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત પંચાયત અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચાધિકારીઓ ભાગ લેશે. જ્યારે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો, ગ્રામ પંચાયતોના સરપંચો / ઉપસરપંચો, પોલીસ અને પ્રશાસકીય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સવારના ૯-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી આ કાર્યક્રમ ચાલશે. વડોદરા જિલ્લાના પ્રભારી અને શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ કાર્યક્રમનું સંચાલન કરશે.
મંત્રીશ્રી પટેલ ઉપરાંત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, ફકીરભાઇ વાધેલા, પ્રદીપસિંહ જાડેજા, કનુભાઇ ભાલાળા, જયદ્રથસિંહ પરમાર, પરબતભાઇ પટેલ, વસુબેન ત્રિવેદી, રણજીતભાઇ ગીલીટવાળા, સંસદીય સચિવશ્રી યોગેશ પટેલ અને પંકજ દેસાઇ જોડાશે.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેકટર વિનોદ રાવ તેના હેતુની જાણકારી આપશે. રાજ્ય સરકારની દશ વર્ષીય વિકાસ ગાથાનું સીડીના માધ્યમથી નિદર્શન કરાશે. જિલ્લાના પ્રભારી મંત્રી તથા અન્ય મંત્રીશ્રીઓ તેમના ખાતાની કામગીરીથી માહિતગાર કરશે. સરપંચો તેમની સાફલ્ય ગાથાઓ રજૂ કરશે. તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને પ્રજાજનો સમક્ષ વિકાસ ગાથાના નિદર્શનથી તેનું સમાપન થશે.




કુદરતના અફાટ અને અકળ સૌંદર્યને માણવાનો અણમોલ અવસર એટલે સાપુતારા મોનસુન ફેસ્ટીવલ

૩૦ જુલાઇથી એક મહિલા સુધી ચાલનારા આ વર્ષા મહોત્સવને અનેકરીતે વિવિધતાસભર બનાવાયો છે

વડોદરા,
ગુજરાત પાસે ગિરનાર અને સાપુતારાના બે બેનમૂન ગિરીમથકો છે. તે પૈકી ડાંગ જિલ્લાના કુદરતે છૂટે હાથે વરેલા અફાટ અને અકળ પ્રાકૃતિક સૌંદર્ય અને નિસર્ગને માણવાનો ગુજરાતના અને ગુજરાત બહારના પ્રકૃતિ અને પ્રવાસન પ્રેમીઓને અવસર આપવા ગુજરાત ટુરીઝમ - રાજય પ્રવાસન વિકાસ નિગમે વધુ એકવાર સાપુતારા મોનસુન ફેસ્ટીવલ - સાપુતારા વર્ષા મહોત્સવનું આયોજન કર્યુ. છે. તા. ૩૦મી જુલાઇથી શરૂ થઇને એક મહિના સુધી ચાલનારા આ વર્ષા મહોત્સવને માણવા અને માતા પ્રકૃતિની સ્નેહાળતા સાથે એકાકાર થઇ જવા ભારતભરના પ્રવાસીઓને પ્રવાસન રાજય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા, સંસદિય સચિવશ્રી યોગેશભાઇ પટેલ અને રાજય પ્રવાસન નિગમના અધ્યક્ષશ્રી કમલેશ પટેલે આમંત્રણ પાઠવ્યું છે.
સાપુતારા વર્ષા મહોત્સવને અનુલક્ષીને ટીસીજીએલએ તૈયાર કરેલા ટુરીસ્ટ પેકેજીસની માહિતી આપવાની સાથે તેમણે પ્રવાસનકારો (ટુરીઝમ પ્રોફેશનલ્સ) સાથે વિગતવાર ચર્ચા કરી હતી તથા તેમના સૂચનોના સંતાોજનક અમલની ખાતરી આપી હતી. તથા રૂા.૬૫૦ કરોડના પ્રવાસન સુવિધા વિકાસ આયોજનના અમલીકરણની માહિતી પણ આપી હતી. તેમણે ગુજરાતની સાથે પડોશી રાજયો અને અન્ય રાજયોના લોકો સાપુતારાના મનમોહક સૌંદર્યને માણે તે માટે યોગ્ય પ્રવાસ આયોજનો ગોઠવીને સહકાર આપવાનો વિશેષ અનુરોધ આ લોકોને કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજયના રણોત્સવ સહિતના પાંચ ચાવીરૂપ વાર્ષિક પ્રવાસન મહોત્સવમાં સાપુતારા વર્ષા મહોત્સવનો સમાવેશ થાય છે. ચોમાસામાં ડાંગના કથ્થાઇ રંગના પહાડો લીલી ચાદર ઓઢી લે છે, ૮૭૩ મીટરની ઉંચાઇએ આવેલા સાપુતારામાં ધુમ્મસીયા વાદળો અને જળસંકટોથી અને જળવૈભવથી ઉભરાતાં ધોધની વાંછટોથી ભીંજાવાના આહલાદક અનુભવો પ્રવાસીઓ જીવનભર ભુલી ન શકે તેવાં હોય છે. મોનસુન ફેસ્ટીવલ આ માયાવી કુદરતની સાથે પમ્પા સરોવર, શબરીધામ, પાંડવગુફા જેવા મહાભારત-રામાયણ કાળના સ્થળોની પાવનતા માણવાનો અવસર આપે છે. ટીસીજીએલના પેકેજીસમાં ડાંગના જાણીતા ધોધોની મુલાકાત પણ સમાવી લેવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં શહેરીકરણ નહીંવત છે અને તેના ૬૦ કરોડના ખર્ચે અમલીકરણ હેઠળના વિકાસ આયોજનમાં પણ સિમેન્ટ કોન્ક્રીટના જંગલને કયાંય તક ન મળે, નદીઓ, ઝરણાં, જંગલો જળવાય તેની પૂરતી કાળજી લેવામાં આવી છે. ભાગ્યેજ જોવા મળતા વાંસના ફૂલ ડાંગ-સાપુતારામાં જોઇ શકાય છે. મોનસુન ફેસ્ટીવલના ભાગરૂપે સાહસિક રમતો, જળ રમતો (વોટર ગેઇમ્સ), ફન કોન્ટેસ્ટ રોપ કલાઇમ્બીંગ, લેઝર-શો, હેરીટેજ પરેડ જેવા આબાલવૃદ્ધ સહુ માટે રોચક કાર્યક્રમો યોજવામાં આવે છે. તેની સાથે સાંસ્કૃતિક સંધ્યાઓના રોમાંચનું સંયોજન કરવામાં આવે છે. ડાંગની આદિજાતિ સંસ્કૃતિની અદ્ભૂધતતાની સોડમ તેમાં ભળેલી હોય છે. આમ, સંસ્કૃતિ વન્યજીવન, પ્રકૃતિ અને સાહસિકતાના સમન્વિત રોમાંચને માણવાની ખેવના હોય તો તા. ૩૦મી જુલાઇથી ૩૦ ઓગસ્ટ સુધી સાપુતારાની મુલાકાત લેવાની તક ચૂકવા જેવી નથી.




ઔઘોગિક વિકાસ કરતાં પણ વધુ રોજગારી આપવાની ક્ષમતા પ્રવાસન ઉઘોગનીઃ પ્રવાસન રાજય મંત્રી
વડોદરા, પાવાગઢ, નર્મદા સર્કિટ દ્વારા પ્રવાસીઓને આકર્ષવાનું પ્રવાસન નિગમનું આયોજન


વડોદરા,
ઔઘોગિક વિકાસ કરતાં પણ વધુ રોજગારી આપવાની ક્ષમતા પ્રવાસ ઉઘોગ ધરાવે છે, તેવી લાગણી વ્યકત કરતાં પ્રવાસન રાજય મંત્રી શ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાએ જણાવ્યું હતું કે કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર બંધ પાસે સ્થપાનારી વિશાળકાય સરદાર પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનીટીની સ્થાપના પછી માત્ર દેશના જ નહીં, વિદેશોના અઢળક પ્રવાસીઓ ગુજરાતમાં આવવાની શકયતા છે. તેને અનુલક્ષીને ટીસીજીએલએ વડોદરા શહેર તેમજ તેની પાસે આવેલા પાવાગઢ-ચાંપાનેર અને જિલ્લાના પ્રવાસન આકર્ષણોને સમાવી લેતી વડોદરા સર્કિટ, નર્મદા કાંઠાના તીર્થ અને પર્યાવરણ પ્રવાસ ધામોને આવરી લેતી નર્મદા સર્કિટની રૂપરેખા ધડી કાડી છે.
તેના અમલીકરણથી સ્ટેચ્યુ ઓફ યુનીટીના મુલાકાતીઓ વડોદરા શહેર જિલ્લાના ધામો જોવાનું પણ પસંદ કરે અને પ્રવાસન દ્વારા વિકાસ અને રાજગારીને વેગ મળે તેવું આયોજન છે. ચોમાસાં પછી વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગતિર્થ ચાંણોદ અને કુબેર ભંડારી ધામ કરનાળીના વિકાસ આયોજનનું અમલીકરણ શરૂ થઇ જશે તેવો સંકેત આપતાં શ્રી સુખડિયાએ જણાવ્યું હતું કે નર્મદા તટ વિકાસ માટે રૂા. ૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કચ્છની ટુરીસ્ટ સર્કિટમાં ઔઘોગિક વિકાસ ઉપરાંત ઇતિહાસધામો, રણ અને બાગાયતનો સમાવેશ કરાશે. વડોદરા ઉપરાંત ભરૂચમાં નર્મદા કાંઠે હાઇવે ટચ વિશાળ રીસોર્ટ બનશે જેનો લાભ વડોદરા, સૂરત, ભરૂચના પ્રવાસ શોખીનો લઇ શકશે.
ગુજરાત ૧૬૦૦ કિલોમીટર લંબાઇનો દરિયાકાંઠો, ગિર અને ડાંગના જંગલો, વન્યપ્રાણીઓ, પહાડો, રણ ઐતિહાસિક અને પુરાતન સ્થળો તેમજ નર્મદા કાંઠા સહિતના સોમનાથ, દ્વારકા, અંબાજી, પાટણ જેવા તીર્થસ્થળોની વિવિધતા ધરાવે છે, તેવો ઉલ્લેખ કરતાં સંસદિય સચિવશ્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે રાજય અને દેશના અન્ય રાજયોના પ્રવાસીઓના અનુભવોને વણી લઇને, પર્યાવરણ સચવાય તે રીતે રાજયમાં પ્રવાસન વિકાસની રૂપરેખા ધડવામાં આવી છે. રાજયના ટ્રાવેલ એજન્ટસ, પ્રવાસનકારોને યોગ્ય વળતર મળે અને પ્રવાસીઓની સગવડ સચવાય, મધ્યમ અને નિમ્ન વર્ગના લોકો પણ પ્રવાસનનો આનંદ માણી શકે તેવી કાળજી લેવાનો સંકેત પ્રવાસન નિગમના અધ્યક્ષશ્રી કમલેશ પટેલે આપ્યો હતો.



મોટર સાઇકલ વાહનો માટે પસંદગીનો નંબર મેળવવાની તક

વડોદરા,
આર.ટી.ઓ. વડોદરામાં મોટર સાઇકલ (બે પૈંડાવાળા વાહનો) વાહનો માટે તા. ૨૮/૭/૧૧ના રોજ જીજે-૬-ઇ.એમ. ૧થી ૯૯૯૯ સુધીના નંબરની નવી સિરીઝ શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા માટેની અરજીઓ રૂબરૂમાં કચેરીના વડા કારકુન શ્રી કે.વી.બારીયા સમક્ષ તા. ૨૮/૭/૧૧ના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં ઓફર સહિતની રકમ દર્શાવવાની રહેશે. અરજદારે નિયત ફી રૂા. ૫૦૦/- કે તેથી વધુ જે રકમ ભરવા માંગતા હોય તે રકમનો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વડોદરાના નામનો ફકત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ડીમાન્ડ પે ઓર્ડર સામેલ કરી રકમની વિગત આંકડા તથા શબ્દોમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
વાહન રજિસ્ટ્રેશનની તારીખથી તા. ૨૮/૭/૧૧ ના રોજ ૩૦ દિવસ પૂર્ણ થયેલ હોય તેવા અરજદારોએ પસંદગી નંબર માટે કરેલી અરજી વિચારણા હેઠળ લેવામાં આવશે નહિ.




ગોરવા આઇ.ટી.આઇ.ના પાર્ટ ટાઇમ કોર્સિસમાં પ્રવેશ

વડોદરા
ઔઘોગિક તાલીમ સંસ્થા ગોરવા, રીફાઇનરી રોડ, વડોદરા ઔઘોગિક કામદાર અને તેના આશ્રિતો અને અન્ય ઉમેદવારોને સંસ્થા ખાતે પાર્ટટાઇમ ચાલતા વ્યવસાય વેલ્ડિંગ અને ટેલરિંગ કટિંગમાં ઓછામાં ઓછું ધો. ૭ પાસ લાયકાત ધરાવતા ઉમેદવારોને ઓગસ્ટ-૨૦૧૧માં પ્રવેશ મેળવવા માટે તા. ૨૮/૭/૧૧ સુધીમાં ૧૨.૦૦ થી ૪.૦૦ કલાક દરમ્યાન વિનામૂલ્યે પ્રવેશ ફોર્મ મેળવી/ભરી પરત કરવાના રહેશે. વધુ વિગત માટે આચાર્યશ્રી ઔઘોગિક તાલીમ સંસ્થા વડોદરાને સંપર્ક કરવાનો રહેશે.



મહિલા આઇ.ટી.આઇ.માં પ્રવેશ

વડોદરા,
ઔઘોગિક તાલીમ સંસ્થા ગોરવા, (મહિલા) ખાતે પ્રવેશ ઓગસ્ટ,૨૦૧૧ કટિંગ એન્ડ સુઇંગ (૮ પાસ), ઇલેકટ્રોકિસ મિકેનિક (૧૦ પાસ) ઇ-કોમર્સ, (૧૨ પાસ) ટ્રેડમાં ખાલી બેઠકો ઉપર પ્રવેશ મેળવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારોએ તાત્કાલિક આચાર્યશ્રી ઔઘોગિક તાલીમ સંસ્થા ગોરવાનો સંપર્ક કરવો અને અને તેઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે જેની નોંધ લેવી.



પોણા ત્રણ વર્ષથી ભગવાનભાઇ માછી ગુમ થયા છે

વડોદરા,
આજવા રોડ પરના અવન્તીનગરના નિવાસી, ૪૭ વર્ષના ભગવાનભાઇ માછી તા. ૧૨/૧/૨૦૦૯ (લગભગ પોણા ત્રણ વર્ષ) થી ગુમ થયા છે. અસ્થિર મગજના આ ભાઇ મકરપુરા જીઆઇડીસીમાંથી છૂટીને પરત ધેર આવ્યા જ નથી. તેમના જમણા હાથના પંજા પર ઓમનું નિશાન છે. ગુજરાતી બોલે છે. તેમની ભાળ મળેથી કિસનવાડી પોલીસ મથકને જાણ કરવા જણાવાયું છે.




પંચમહાલ જિલ્લાઇમાં કેરોસીનના જથ્થાપબંધ તથા છુટક વેચાણ ભાવો નિયત કરાયા
ગોધરા,
પંચમહાલ જિલ્લાતના તાલુકાઓ માટે કેરોસીના જથ્થારબંધ તેમજ ઘરગથ્થુંા વપરાશ માટે વાદળી કેરોસીનના છુટક વેચાણ ભાવેા જાહેર કરવામાં આવ્યાા હતા. તાજેતરમાં પ્રેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં વધારો થતા જાહેર વિતરણ વ્ય વસ્થા હેઠળ વિતરણ કરાતા કેરોસીનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી ધી કેરોસીન (રીસ્ટ્રી કશન ઓન યુઝ એન્ડમ ફીક્સેશન ઓફ સેલીંગ પાઇઝ) ઓર્ડર ૧૯૯૩ ની કલમ ૨ (ડી) (૧) અન્વડયે કલેક્ટરશ્રી પંચમહાલે તા. ૨૫-૬-૧૧ થી અમલમાં આવે તે રીતે જિલ્લા ને અપાતા કેરોસીનના જથ્થાડબંધ અને છુટક વેચાણ ભાવો નક્કી કરવામાં આવ્યા છે.
તદઅનુસાર છુટક વિક્રેતાઓ ગ્રાહકો પાસેથી ૧ લીટર કેરોસીનના ગોધરા તાલુકામાં રૂ.૧૪.૧૫, કાલોલમાં રૂ.૧૪.૦૦, હાલોલમાં રૂ.૧૩.૯૫, જાબુંઘોડામાં રૂ.૧૪.૧૦, શહેરામાં રૂ.૧૪.૨૫, લુણાવાડામાં રૂ.૧૪.૩૫,ઘોઘંબામાં રૂ.૧૪.૦૫, સંતરામપુરમાં રૂ.૧૪.૫૫, મોરવા(હ)માં રૂ.૧૪.૩૫, ખાનપુરમાં રૂ.૧૪.૫૦ તથા કડાણા તાલુકામાં રૂ. ૧૪.૬૫ નો ભાવ નિયત કરવામાં આવ્યોં છે.



વિશ્વ વિરાસત ચાંપાનેર અને શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાજીના સાનિધ્યિમાં વિરાસત વનનું નિર્માણ
વિરાસત વનમાં વિકાસની થીમ આધારિત આરાધ્ય, આરોગ્યી, આજીવિકા સાંસ્ક્રૃ તિક, નિસર્ગ અને જૈવિક વન પંચવટી રાશિ અને નક્ષત્ર વન ઉભા કરાશે

આંતરરાષ્ટ્રી ય વન વર્ષ નિમિતે ચાંપનેર બાયપાસ પર જેપુરા ખાતે વિરાસત વનમાં મુખ્યરમંત્રીશ્રી વૃક્ષારોપણ કરી ૬૨ મા વન મહોત્્સષવનો રાજ્યમાં પ્રારંભ કરાવશે. પંચમહાલ જિલ્લા માં ૬૨ મા વન મહોત્સ‍વ નિમિતે વૃક્ષ વૈભવમાં ૪૦ લાખ રોપાઓ ધરાના છોરુ બનશે
ગોધરા
હરિયાળુ ગુજરાતનો સંકલ્પ જનસહયોગથી સાકાર કરવા મુખ્ય મંત્રીશ્રીએ દર વર્ષે વન મહોત્સકવને નવા આયામો સાથે જોડવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. આ સંદર્ભરાજયનો ૬૨ મો વન મહોત્સમવ આ વર્ષે વિશ્વ વિરાસત ચાંપાનેર અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાના સાંનિધ્યમાં વિરાસત વન નિર્માણ કરવાના હેતુથી યોજવામાં આવનાર છે. શક્તિપીઠ પાવાગઢમાં લાખો યાત્રિકો આધશક્તિની આરધના માટે આવે છે. ત્યાશરે વિરાસત વન દ્રારા વૃક્ષ ચેતનાનો સાક્ષાત્કાઆર કરીને શ્રધ્ધા ભાવે ભક્તિ કરે તે હેતુથી વિરાસત વનમાં આરાધ્યો વૃક્ષોનું સંવર્ધન કરનાર છે. પંચમહાલ જિલ્લામાં ૬૨ માં વન મહોત્સંવ નિમિતે ૪૦ લાખ ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.
આંતરરાષ્ટ્રીય વન વર્ષની ઉજવણી નિમિતે પંચમહાલ જિલ્લાેના જેપુરા ખાતે ચાંપનેર બાયપાસ પર પાવાગઢની તળેટીમાં વિરાસત વનમાં આનંદ વન,સાંસ્ક્રૃ તિક વન,આરોગ્યન વન,આરાધ્યન વન,જૈવિક વન તેમજ આજીવિકા વન નિર્માણ કરવામાં આવશે.જેનો મુખ્યર ઉદેશ પાવાગઢમાં દર્શનાથે આવનાર શ્રધ્ધા ળુઓને આકર્ષી વૃક્ષ ઉછેર માટે પ્રેરિત કરવા તથા સ્થાઆનિક લોકોને સક્રિય રીતે સાંકળી વનની ટકાઉ વ્યષવસ્થાર ઉભી કરવાનો છે. જેપુરામાં નિર્માણ થયેલ થીમ આધારિત વિરાસત વનમાં આરાધ્યી વનમાં વનોનું આધ્યારત્મિસક મહત્વ , આરોગ્યઆ વનમાં ઔષધિય મહત્વા, આજીવિકા વનમાં લોકોની જરુરિયાત સંતોષવામાં વનોનું મહત્વ , આનંદ વનમાં વનોનું મનોરંજન મહત્વી , સાંસ્કૃુતિક વનમાં સાંસ્કૃયતિક મહત્વ , નિસર્ગ વનમાં પંચમહાભુત પૈકી જળ તથા જમીનના સંરક્ષણ અને વાયુના શુધ્ધિઔકરણમાં વનોનું મહત્વમ જ્યારે જૈવિક વનમાં પાવાગઢ વિસ્તાઅરમાં આવેલ જૈવિક વિવિધતાની સમજણ આપવામાં આવશે.
આરાધ્યવ વનમાં વડ, પીપળ, રૂદ્રાક્ષ, બીલી, કદમ્બૈ, અશોક તથા નાળીયેરીનુ મહત્વં આત્મ્કથા રૂપે દર્શાવવામાં આવશે. આરોગ્યક વનમાં હરડે, બહેડા, આંબળા, અર્જુન સાદડ, બીપો, ગરમાળો અને ચંદનના વૃક્ષોનું ઔષધિય મહત્વ દર્શાવાશે.આજીવિકા વનમાં મહુડા, ચારોલી, રાયણ, અરડુસો, નીલગીરી જેવા લોકોની જીવન જરૂરિયાત સંતોષવા તથા આવક આપતા વૃક્ષો ઉછેરવામાં આવશે. આનંદ વનમાં ઘાસનું મેદાન, બાળ ક્રિડાગણ, ફુલોના કયારા ,સાંસ્કુઘતિક વનમાં પંચવટી રાશિ અને નક્ષત્ર વન તથા નિસર્ગ વનમાં પર્યાવરણની સમતુલા જાળવવા વાયું શુધ્ધિં કરણ, જળ અને જમીન સંરક્ષણ અંગેની માહિતી પુરી પાડવામાં આવશે.
જૈવિક વનમાં પાવાગઢ વિસ્તાંરમાં મળી આવતા મહત્વશપુર્ણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.ચાંપાનેર બાયપાસ પર જેપુરામાં ૬.૫ હેકટરમાં પથરાયેલ વિરાસત વનમાં વૃક્ષ વૈભવમાં વિવિધ ૧૦ હજાર ઉપરાંત રોપાઓ ધરાના છોરુ બનશે. આ ઉપરાંત સ્મૃવતિ વનમાં એક હજાર, વન વિસ્તાપરમાં ૩૦ હજાર, રોડ સાઇડમાં ૧૧ હજાર, જેપુરા/ગોકુળપુરાની જમીનમાં ૧૨,૫૦૦, હાલોલ નગરમાં ૩૫ હજાર તથા ૨૫ હજાર રોપાઓના વિતરણ સહિત ૧,૧૪,૫૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. વિરાસત વનમાં પાવાગઢનું મહત્વો દર્શાવતા મોડલ તથા બોર્ડ, તળાવ કાંઠે પંખીઓના મોડલ્સા, ફુવારા, પીવાના પાણી, કાફેટેરીયા, બેસવા માટે બાંકડા, ટોયલેટસ બનાવવામાં આવશે. એટલુ જ નહી વિરાસત વનને પ્રકૃતિ શિક્ષણની પાઠશાળા તરીકે વિકસાવાશે તેમજ વનવિભાગના કાયમી રોપ કેન્દ્રી તરીકે સ્થાઠપિત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેઠખનીય છે કે વૃક્ષોનું માનવ જીવનમાં અનેરુ મહત્વદ છે આયોજન પંચે રાજયમાં બિન જંગલ વિસ્તાછરમાંથી ઉત્ન્ભા થતા લાકડાનું જીડીપીમાં યોગદાન અંદાજે રૂ.૩૫૦૦૦ કરોડનું આંક્યું છે. આગામી વર્ષ ૨૦૨૦ સુધીમાં જીડીપીમાં લાકડાનું યોગદાન રૂ.૫૦૦૦ કરોડે પહોચશે. રાજયમાં બિન જંગલ વિસ્તાંરમાં ૨૦૦૪ માં વૃક્ષોની સંખ્યા ૨૫.૧ કરોડ,૨૦૦૯ માં ૨૬.૯ કરોડ હતી. વર્ષ-૨૦૨૦ સુધીમાં આ સંખ્યા ને ૩૫ કરોડ સુધી પહોચાડવાનું નિર્ધારિત કરવામાં આવ્યુંધ છે.રાજયમાં બિન જંગલ વિસ્તા રમાં વૃક્ષોની ગીચતા હેક્ટરે ૨૦૦૪ માં ૧૪,૨૦૦૯ માં ૧૬ છે.જે ૨૦૨૦ સુધીમાં પ્રતિ હેક્ટરે ૨૧ વૃક્ષ સુધી લઇ જવાનું વનવિભાગ દ્રારા આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાચમાં આંતરરાષ્ટ્રી્ય વન વર્ષ નિમિતે ૬૨ મા વન મહોત્સ‍વની ઉજવણીની તડામાર તૈયારીએ કરવામાં આવી રહી છે. પાવાગઢ તળેટીમાં નિર્માણ થયેલ વિરાસત વનમાં માનનીય મુખ્યએ મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી વૃક્ષારોપણ કરી રાજયમાં વનમહોત્સાવનો પ્રારંભ કરાવશે.
આવો આપણે સૌ પણ ગુજરાતને હરિયાળુ બનાવવા મહત્મજ વૃક્ષોનું વાવેતર કરી તેનું સંરક્ષણ અને જતન કરીએ.




બામરોડાના ચિનલબેન ઉપાધ્યાળય ગુમ

ગોધરા-ચિનલબેન હરજીવન ઉપાધ્યા ય ઉ.વ. ૨૨ રહે મુ. પા બામરોડા તા. ખાનપુર કયાંક જતા રહયા છે. જેની તપાસ કરતા મળી આવેલ નથી.ગુમ થનાર શરીરે મધ્યંમ બાંધો, રંગે ઘઉવર્ણી, મોઢુ લંબગોળ, ઉચાઇ ચાર ફુટ બી. એડ સુધીનો અભ્યા‍સ કરેલ છે. શરીર આસમાની કલરનો ડ્રેસ પહેરેલ છે. આ અગેની જાણ બાકોર પો.સ્‍ટે. નં. ૦૨૬૭૪-૨૮૬૭૩૩ ઉપર કરવા વિનંતી છે.



માખલીયાના પુષ્પા.બેન ગુમ થયા છે

ગોધરા-પુષ્પા બેન વા. ઓફ. ભુરાભાઇ બારીયા ઉ.વ. ૨૫ રહે માખલીયા તા . લુણાવાડા કયાંક જતા રહયા છે. જેની તપાસ કરતા મળી આવેલ નથી.ગુમ થનાર શરીરે મધ્ય્મ બાંધો, રંગે ઘઉવર્ણી, પાતળા બાંધાની શરીરે સફેદ કલરની લાલ પટાવાળી સાડી પહેરેલ છે. ગુજરાતી ભાષા બોલે છે. આ અગેની જાણ કોઠંબા પો.સ્ટે . નં. ૦૨૬૭૪-૨૩૦૫૩૩ ઉપર કરવા વિનંતી છે.



ગોધરાના લુકમાન યાસીન અબ્દલ અજીજ ગુમ

ગોધરા-લુકમાન યાસીન અબ્દુધલ અજીજ કુરેશી ઉ.વર્ષ ૧૮ મૂળ રહે ઇન્દોંર મદીના ગેટ પાસે એમ.પી. હાલ રહે સિંગલ ફળીયા મસ્જિ૩દ પાસે ગોધરાથી ઇન્દોેર જવા નીકળે જે ઘરે પહોચેલ નથી .જેની તપાસ કરતા મળી આવેલ નથી .ગુમ થનાર શરીરે ઘઉવર્ણો, જીન્સીનુ કાળુ પેન્ટી તથા લાઇનિંગવાળુ ભુરા કલરનું શર્ટ, બાંધો મધ્યેમ, આગળનો દાંત તુટેલો છે જેની જાણ થયે ગોધરા શહેર બીડીવી. પો.સ્ટે્. ટે.નં. ૦૨૬૭૨-૨૪૨૧૪૭ ઉપર જાણ કરવા વિનંતી છે.



મોરનામુવાડાની લીલાબેન માલીવાડ તથા આંકલીયાના રાજુભાઇ પગી ગુમ

ગોધરા-લીલાબેન જેસિંગભાઇ સરદારભાઇ માલીવાડ ઉ.વ.૧૫ રહે મોરના તળાવ, તા.ખાનપુર આરોપી રાજુભાઇ રામાભાઇ પગી રહે આંકલીયા તા. કડાણા એ લલચાવી, ફોસલાવી ફરીયાદીના વાલીપણામાંથી પત્નીવ તરીકે રાખવાના ઇરાદે ભગાડી ગયા છે. જેમની તપાસ કરતા મળી આવેલ નથી. ભોગ બનનાર તથા આરોપી રાજુભાઇ રામાભાઇ પગીની જાણ થયે સર્કલ પો.ઇન્સ.. લુણાવાડા ટે.નં.૦૨૬૭૪-૨૫૦૧૯૯ તથા પો.સ.ઇ. બાકોર પો.સ્ટે.. ટે.નં.૦૨૬૭૪-૨૮૬૭૩૩ ઉપર જાણ કરવા વિનંતી છે.