ગાંધીનગર,
વિદેશ જવા ઇચ્છતા ભારતીય નાગરિકોને વિઝા મેળવવા માટેની અરજીઓ સાથે નેટીવીટી પ્રમાણપત્ર જરૂરી છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રમાં જણાવ્યાનુસાર, અરજદારના ડોમીસાઇલ પ્રમાણપત્રના આધારે નેટીવીટી પ્રમાણપત્ર આપી શકાશે. આ પ્રમાણપત્રો માટે પણ જન્મ-મરણ, લગ્ન, ડ્રાઇવીંગ, શૈક્ષણિક લાયકાત કે ‘‘પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન’’ જેવા દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે કરવામાં આવતી કાર્યવાહી કરીને પ્રમાણપત્રો પ્રમાણિત કરવાના રહેશે.
અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન
ગાંધીનગર-યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનુસૂચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને સરકારના ખર્ચે માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૧માં ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.
અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૦-૯-૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.
અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન
ગાંધીનગર,યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનુસૂચિત જન જાતિના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં યુવક-યુવતીઓને સરકારના ખર્ચે માઉન્ટ આબુ ખાતે ૧૦ દિવસ માટે આગામી ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૧માં ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પસંદ થયેલ ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.
અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૦-૯-૨૦૧૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતાં હોય, તેઓએ નિયત નમૂનામાં જેમાં, પૂરું નામ, સરનામું (ફોન નંબર સાથે), જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, રમત-ગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, અનુસૂચિત જન જાતિનું પ્રમાણપત્ર, વાલીની સંમતિ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તા. ૩૦-૮-૨૦૧૧ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારી, શિવશક્તિ બિલ્ડીંગ, જિલ્લા પંચાયત સામે, પાલનપુર, જિ. બનાસકાંઠા-૩૮૫૦૦૧ને મોકલી આપવાની રહેશે તેમ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.
‘‘વાંચે ગુજરાત’’ અભિયાન અંતર્ગત
પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરાયા
૬૧ જેટલા પુસ્તકોનું અંધજનો માટેની શાળાઓમાં વિનામૂલ્યે વિતરણ કરાશે
અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે તા. ૨૬મીએ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર
‘‘વાંચે ગુજરાત’’ અભિયાન અંતર્ગત વર્ષ દરમિયાન શાળા, કોલેજ તથા નાગરિકોના અલગ-અલગ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. એક નવતર અભિગમ તરીકે રાજ્યભરના પ્રજ્ઞાચક્ષુઓ માટે ‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત ખાસ બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. આ પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ તા. ૨૬-૭-૨૦૧૧ના રોજ સવારે ૯-૦૦ કલાકે અંધજન મંડળ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે. બ્રેઇલ પુસ્તકોનું લોકાર્પણ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા કરશે. અતિથિ વિશેષ તરીકે શ્રી જયસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઉપસ્થિત રહેશે. આ અંગેની વિગતો આપતા શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયાએ જણાવ્યું કે, ‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓની પ્રતિભા ખીલે, બહાર આવે અને તેમને પણ સમાન અવસર મળે તે ઉદ્દેશથી શ્રેષ્ઠ વાચક સ્પર્ધાનું ખાસ અલગ આયોજન પ્રજ્ઞાચક્ષુઓ માટે કરવામાં આવ્યું હતું. તેના ૩૫ વિજેતા નીવડેલાં પ્રજ્ઞાચક્ષુ ભાઇ-બહેનોએ તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી-૨૦૧૧ દરમિયાન ટાઉનહોલ અને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી જીવન ઘડતર શિબિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત સર્વે વિજેતાઓને તેમને ઉપયોગમાં આવે તેવા ઇનામો જેવા કે, આઇ-પોડ, ઓડિયો પ્લેયર વગેરે આપવામાં આવ્યા હતા. તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
અગ્રસચિવ શ્રી હસમુખ અઢિયાએ વધુમાં કહ્યું કે, જીવન ઘડતર શિબિર ઉપરાંત પહેલીવાર એવું બન્યું છે કે, રાજ્ય સરકારે પ્રજ્ઞાચક્ષુઓને વિનામૂલ્યે પુસ્તકો આપવા માટે ખાસ બ્રેઇલ લિપિમાં પુસ્તકો તૈયાર કરાવ્યા હોય. ‘‘વાંચે ગુજરાત’’ના સહઉપાધ્યક્ષ શ્રી હર્ષદભાઇ શાહ અને માનદ મંત્રી શ્રી મહાદેવભાઇ દેસાઇએ પસંદ કરેલા ૬૧ પુસ્તકો બ્રેઇલ લિપિમાં તૈયાર થયાં છે. આ પુસ્તકોના લેખકો-પ્રકાશકોએ સંમતિ આપીને અપૂર્વ સહયોગ આપેલ છે. રાજ્યની ૯૨ જેટલી અંધજનો માટેની સંસ્થાઓમાં તેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુઓ પુસ્તકોની દુનિયામાં ડોકિયું કરી શકે, ઇતર વાંચન વધુ ઉપલબ્ધ બની શકે તે માટેનો આ નાનકડો પ્રયાસ ‘‘વાંચે ગુજરાત’’ અન્વયે કરવામાં આવ્યો છે.
૬૧ પુસ્તકોમાં મોટાભાગના મહાપુરૂષોના જીવનચરિત્રો સામેલ છે ઉપરાંત બાળર્વાતાઓ, પ્રેરણાત્મક વાંચનનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી દરેક વયજૂથના વિદ્યાર્થીને તેમાંથી આનંદ, માર્ગદર્શન અને પ્રેરણા મળે.
‘‘વાંચે ગુજરાત’’ અંતર્ગત વિચાર, વાચન શિબિર, પ્રશિક્ષક પરિષદ, મને ગમતું પુસ્તક વાર્તાલાપ, શ્રેષ્ઠ વાચક સ્પર્ધા, ગ્રંથ મંદિર, ઝોલા પુસ્તકાલય, પુસ્તક પરબ, ગ્રંથયાત્રા, એક સાથે વાંચશે ગુજરાત, તરતાં પુસ્તકો, અધ્યયન અનુશીલન, રાજ્યમાં વિવિધ ૫૫ સ્થળે વિશિષ્ટ પુસ્તકમેળા આયોજન વગેરે જેવા વિવિધ પ્રકલ્પો સફળતાપૂર્વક રાજ્યભરમાં અમલી બન્યાં. તેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ વધુ ઇત્તર વાચન ઉપલબ્ધ કરવા માટેનો આ મહત્વનો પ્રયાસ હાથ ધરાયો. પ્રજ્ઞાચક્ષુઓને પુસ્તકોના પ્રકાશે નવી દષ્ટિ અને વિચારોની સૃષ્ટિ મળે તેવા શુભ આશય સાથે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો