અનુયાયીઓ

શનિવાર, 30 જાન્યુઆરી, 2021

ગૌ સેવક ભંવર લાલ કોઠારી ની પુણ્યસ્મૃતિમાં રાષ્ટ્રીય સ્તર પર સન્માન સમારોહનું આયોજન


રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને રાજસ્થાન ગૌ સેવા પરિષદના સંયુકત ઉપક્રમે ગૌ સેવાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય વિકાસ કાર્યો સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે.
ગૌ સેવક ભંવર લાલ કોઠારી  ની પુણ્યસ્મૃતિમાં રાષ્ટ્રીય સ્તર પર સન્માન સમારોહનું આયોજન



રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને રાજસ્થાન ગૌ સેવા પરિષદના સયુંકત ઉપક્રમે ગૌ સેવાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય વિકાસ કાર્યો સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે.નજીકના સમયમાં જ દિલ્હી ખાતે  સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાષ્ટ્રીય સ્તર પર ગૌ સેવાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય વિકાસ કાર્યો સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે. આ સન્માન સમારોહનું આયોજન ગૌ સેવક ભંવર લાલ કોઠારી ની પુણ્યસ્મૃતિમાં કરાશે. આ સન્માન સમારોહમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં  અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા ખાસ ઉપસ્થિત રહેશે. 


આ સન્માન પ્રાપ્તિ માટે ગૌ સેવાના ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યો સાથે જોડાયેલ સંસ્થાઓ પાસેથી આવેદનપત્ર તા. ૨૦/ ફેબ્રુઆરી/૨૦૨૧ સુધી સ્વીકારવામાં આવશે. ભાગ લેવા ઈછનાર સંસ્થાઓએ  પોતાના આવેદનપત્રો રાષ્ટ્રીય કામધેનું આયોગ, ડી. એમ. એસ કોમ્પ્લેક્સ, શાદીપુર, નવી દિલ્હી . અથવા રાષ્ટ્રીય સમન્વયક, રાજસ્થાન ગૌ સેવા પરિષદ, સીતા રામ સોલંકી ૫/૧૬, મહેશનગર, ઇન્દોર ( મધ્યપ્રદેશ ) ખાતે મોકલવાના રહેશે. ઇ-મેઇલ - sitaram.rgsp@gmail.Com અને rkamdhenu-aayog@gov.in  અથવા  9425064016 - વ્હોટ્સએપ નંબર પર પણ સંસ્થાઓ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. ગૌ સેવા સાથે સંકળાયેલ દરેક ને વિનંતી છે કે એ આ જાણકારી ગૌ સેવા સાથે જોડાયેલ સૌ સંસ્થાઓ સુધી પહોંચાડે. આ સન્માન સમારોહમાં એવોર્ડની ઘોષણા માટે શ્રી સુનીલ માનસિંઘકાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે.સૌ ગૌ પ્રેમીઓને પોતાની ઉમેદવારી નોંધવવા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં મિતલ ખેતાણી મો.૯૮૨૪૪૨૧૯૯૯ એ અપીલ કરી છે.


ટિપ્પણીઓ નથી: