અનુયાયીઓ

શનિવાર, 30 જાન્યુઆરી, 2021

સ્વરના વિજ્ઞાનની જાણકારીથી કાર્યસિદ્ધિની અગમચેતી મળે છે


 

તમે સવારે ઉઠો છો ત્યારે કયો પગ પહેલા મુકવો અને કેટલીવાર મુકવો તેની જાણકારી તમારો કયો સ્વર ચાલે છે તેના આધારે નક્કી કરી શકાય છે 

 

યોગ શબ્દ યજ્ ધાતુ પરથી ઉદ્યૃત કરવામાં આવેલો છેયજ્ એટલે જોડાણપોતાનું પોતાની સાથે જોડાણએટલે કે શીવ અને શક્તિનું મિલનમન અને આત્માનું બેનમૂન જોડાણઅને  આનંદના અફાટ સાગરની અનુભૂતિ માટે પ્રાણાયામ અને આસનનો નિયમિત અભ્યાસ કરવાથી સિદ્ધિ અને સમાધિની પ્રાપ્તિ થાય છેસોઈમાં દોરો પરોવેલો હોય અને તે અરબી સમુદ્રમાં પડે તોપણ આપણે તે સોઈને પાછી લાવી શકીએ છીએ તેમ આપણા પ્રાણ ઉપર આપણું જો નિયંત્રણ હોય તો આપણા મન અને ઈન્દ્રિયને આપણા કાબુમાં લાવી શકીએ છીએઆપણા શરીરમાં સ્વર કયો ચાલે છે તે જાણવાથી પણ અમાપ-સમાપ ફાયદાઓ થાય છેજે લોકો સ્વર વિજ્ઞાન જાણે છે તેઓ મુશ્કેલીમાં ફસાતા નથી.

 

કયો સ્વર ચાલે છે તે જોવાની સરળ રીત

 

જે નસકોરૂ વધારે સહેલાઈથી શ્ર્વાસ લેતું હોય તે નાડી તે સમયે ચાલતી હોય તેમ કહેવાય છેડાબું નસકોરૂ તે ચંદ્રનાડી છે અને જમણું નસકોરૂ તે સૂર્ય નાડી છેચંદ્રનાડીને પિંગળા અને અને સૂર્ય નાડીને ઈડા કહેવામાં આવે છેએટલે તમારા નસકોરા પાસે એક નસકોરૂ દબાવીને બીજા નસકોરા પર તમારી આંગળી રાખવાથી ખ્યાલ આવશે કે કઈ નાડી ચાલે છેજમણા નસકોરા દ્વારા શ્ર્વાસ જો સહેલાઈથી ચાલતો હોય તો તે સૂર્યનાડી ચાલે છે તેમ કહેવાયઅને ડાબા નસકોરાથી શ્ર્વાસોચ્છશ્ર્વાસની ક્રિયા સહેલાઈથી ચાલતી હોય તો ચંદ્ર નાડી ચાલે છે તેમ કહેવાયઅરિસા પાસે ઊભા રહીને શ્ર્વાસ લેવાથી પણ ખ્યાલ આવશે કે જે નાડી ચાલતી હશે તે બાજુ અરિસામાં વરાળ જેવી છાંય પડી જશેબંને નસકોરામાંથી શ્ર્વાસ ચાલતો હોય તેને સુષુમ્ણા નાડી કહેવામાં આવે છે

 

નાડી બદલાવાનો સમય

 

પ્રત્યેક નાડી લગભગ અઢી ઘડી એટલે કે 60 મિનિટ સુધી ચાલતી હોય છેએક નાડીમાંથી બીજી નાડીમાં જતા 36 ગુરૂઅક્ષર બોલાય એટલે કે લગભગ બે થી ત્રણ મિનિટનો સમય લાગતો હોય છેઅને  જે સંક્રમણ થાય છે તે સુષુમ્ણા નાડી દ્વારા થાય છેજેને અધ્યાત્મની નાડી કહેવામાં આવે છેસરસ્વતી માતાનો વાસ પણ  સુષુમ્ણા નાડીમાં થયેલો છે તેમ કહેવાય છે નાડી ચાલતી હોય ત્યારે કોઈ કાર્યનો આરંભ  કરવો અને માત્ર ધર્મક્રિયાઓ કરવીપ્રભુનું નામ લેવું.  

 

એક મત પ્રમાણે સૂર્યના ઉદય સમયે ચંદ્રનાડી ચાલતી હોય અને સૂર્યના અસ્ત સમયે સૂર્ય નાડી ચાલે તો શુભ જાણવીતેજ પ્રમાણે સૂર્યના ઉદય સમયે સૂર્ય નાડી વહેતી હોય અને અસ્તના સમયે ચંદ્ર નાડી વહેતી હોય તો શુભ જાણવું

 

પ્રાતકાળે અથવા બહાર જતી વખતે નાડી તપાસીને જવું

 

સવારના ઉઠતી વખતે કે ઘરની બહાર નીકળતી વખતે નિરીક્ષણ કરવું જોઈએ કે કઈ નાડી ચાલે છેડાબુ નસકોરૂ એટલે કે ચંદ્રનાડી ચાલતી હોય ત્યારે ડાબો પગ ચાર વખત પહેલા મૂકીને પછી પ્રયાણ કરવું જોઈએઅને જમણું નસકોરૂ ચાલતું હોય તો જમણો પગ પથારીમાંથી પહેલો બાર મૂકીને જમણા પગેથી  પાંચ વખત જમણો પગ પહેલા મૂકીને પ્રયાણ કરવું જોઈએપણ ઉઠતી વખતે જો સુષુમ્ણા નાડી ચાલતી હોય તો પથારીમાં ફરીવાર સૂઈ  રહેવું જોઈએઅને બેમાંથી એક  નાડી જ્યારે ચાલે ત્યારે ઉપરોક્ત નિયમાનુસારે જે નાડી ચાલતી હોય તે પ્રમાણેનો પગ બહાર મૂકવો જોઈએ

 

જમણી નાડી ચાલતી હોય ત્યારે પાંચ પગલા અને

ડાબી નાડી ચાલતી હોય ત્યારે ચાર પગલા

 

પરાક્રમના કે શૌર્યભર્યા કાર્યો કરવાના હોય ત્યારે જમણી નાડી ચાલતી હોય ત્યારે જમણો પગ ઉંબરાની બહાર મૂકીને પ્રથમ પાંચ પગલા જમણા પગેથી  ભરવાતે  પ્રમાણે ધીરતાનાગંભીરતાના કે ધર્માદિક અનુષ્ઠાનો કરવાના હોય ત્યારે ડાબી નાડી ચાલતી હોય ત્યારે ડાબો પગ બહાર મૂકીને પ્રથમ ચાર પગલા ડાબા પગના  મૂકીને જો

...

ટિપ્પણીઓ નથી: