અનુયાયીઓ

રવિવાર, 15 નવેમ્બર, 2020

સરકારમાં સેવારત તમામ અધિકારી-કર્મચારીઓને ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ રાજ્ય સરકાર આપશે : CM VIJAYBHAI RUPANI

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગુજરાત સરકારના પાંચ લાખથી વધુ કર્મયોગીઓને દિપાવલી ભેટ

......

ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહિત કરવા રૂ-પે કાર્ડ સ્વરૂપમાં અપાશે ફેસ્ટિવલ એડવાન્સની રકમ

-: અંદાજે રૂ. પ૦૦ કરોડ રૂપિયાની નાણાં જોગવાઇ :-

.....

Ø  દિપાવલીના તહેવારોમાં લોકોને ખરીદીમાં સરળતા મળશે

Ø  નાના વેપાર-ધંધા રોજગારને વેગ મળશે

Ø  રાષ્ટ્ર-રાજ્યના અર્થતંત્રમાં પ્રવર્તમાન સ્થિતીમાં નવી ગતિ મળશે

......

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ રૂપે તહેવાર પેશગી આપવાનો ઉદાત્ત નિર્ણય કર્યો છે.

       મુખ્યમંત્રીશ્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણયને પરિણામે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતનવર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે મળશે.

રાજ્ય સરકારે આ હેતુસર અંદાજે રૂ. પ૦૦ કરોડની નાણાં જોગવાઇ કરી છે.

       ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

       અધિકારીઓ-કર્મચારીઓને મળનારી આ પેશગી રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત  લેવામાં આવશે.

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે.

        પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.

સી.એમ-પીઆરઓ/અરૂણ/ભરત ગાંગાણી....                                ......


ટિપ્પણીઓ નથી: