💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* હાલમાં લોક ડાઉન મા છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે *જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા ઉપરાંત લગ્ન પ્રસંગે તેમજ સ્મશાન યાત્રામાં પણ મર્યાદિત લોકો રાખવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી, જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના* કરવામાં આવેલ..._
💫 _જુનાગઢ
*રેન્જના પોલીસ વડા ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા પણ જૂનાગઢ પોલીસને સૂચના આપી, *જૂનાગઢ જીલ્લામાં લોકોને કોરોના વાયરસના સંક્રમણ સામે ઘડવામાં આવેલ નિયમોથી વાકેફ કરી, વધુમાં વધુ જાગૃત કરી, કાર્યવાહી કરવા પણ સુચનાઓ* કરવામાં આવેલ છે...._
💫 _આજરોજ જૂનાગઢ શહેરમાં કોરોના રથને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીએસઆઇ કે.એસ.પરમાર, ટ્રાંફિક બ્રાન્ચના પીએસઆઇ એ.બી.દેસાઈ, પીએસઆઇ વી.યુ.સોલંકી, પીએસઆઇ જે.એચ.કછોટ, પીએસઆઇ વી.બી.ચાવડા, ટેક્નિકલ સેલના પીએસઆઇ પ્રતીક મશરૂ, ઇન્ચાર્જ એમટીઓ રાજુભાઇ પંપાણિયા તથા સ્ટાફના માણસો
તેમજ અનુશાસન એન.જી.ઓ.ના રાજેશભાઇ કવા, ઓન્લી ઇન્ડિયન તથા કારકુન એસ.જે.પુરોહિતની હાજરીમાં *લીલી ઝંડી આપી, રવાના કરી, પ્રસ્થાન કરવામાં આવેલ* હતો. આ કોરોના રથ ઉપર *લોકોને સાવચેત રહેવા માટે અનુશાસન એન.જી.ઓ. ના રાજેશભાઇ કવાના સયહયોગ થી સ્લોગન લખેલા પોસ્ટર લગાવવામાં આવેલ* છે. ઉપરાંત લોકોને જાગૃત કરવા એક માઇક સિસ્ટમ પણ રાખવામાં આવેલ છે. આ *માઈકમાં જૂનાગઢ પોલીસના હે.કો. દેવાભાઈ તથા એફએમ રેડીયોના આરજે નીતિનભાઈ હરિયાણી દ્વારા બનાવવામાં આવેલ સ્લોગન લખેલ કલીપ દ્વારા જાગૃતિ* લાવવા આવશે. શરૂઆતમાં શહેરના પોલીસ સ્ટેશનોમાં અને ત્યારબાદ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ફેરવવામાં આવશે, જેના ઇન્ચાર્જ જે તે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ.ને રાખવામાં આવશે. આમ, *જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કોરોના રથ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ભીડભાડ વાળા વિસ્તારમાં લોકોને જાગૃત કરવા કાર્યવાહી* કરવામાં આવશે..._
💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના *જૂનાગઢ શહેર તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં એક કોરોના રથ તૈયાર કરી, જૂનાગઢ જિલ્લાની પ્રજાને કોરોના વાયરસ સામે લડવા માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, વારંવાર હાથ સેનેટાઇઝ કરવા ઉપરાંત લગ્ન મેળાવડા, સ્મશાન યાત્રામાં ભીડ નહીં કરવા તથા સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા* જણાવવામાં આવે છે. જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લામાં કોરોના રથ તૈયાર કરી, *શાક માર્કેટ, શોપિંગ મોલ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ ધાર્મિક સ્થાનો જેવા ભીડ ભાડ વાળા વિસ્તારમાં જઈને માઈકમાં જાહેરાત* કરવામાં આવે છે અને *લોકોને સાવચેત રહેવા જાણ કરી, કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ માહિતગાર* કરવામાં આવે છે....._
💫 _હાલના સંજોગોમાં જ્યારે કોરોના વાયરસના કેસોમાં તહેવારો બાદ ઉછાળો આવ્યો છે, ત્યારે કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં *જિલ્લાના જુદા જુદા શહેરો તથા ટાઉનમાં કોરોના રથ મોકલી, જાગૃતિ લાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહી* કરવામાં આવી રહી છે...._



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો