અનુયાયીઓ

શુક્રવાર, 27 નવેમ્બર, 2020

શહેરમાંથી લગ્ન પ્રસંગ માટેની મંજુરીનો નિર્ણય હટાવવા બદલ શહેર પોલીસ કમિશનરનો આભાર માનતું ચેમ્બર



રાજકોટ: હાલમાં તહેવારોની પુર્ણતાની સાથે જ રાજકોટ તથા ગુજરાત આખામાં કોરોનાએ ફરીવાર કહેર મચાવ્યો છે ત્યારે રાજય સ૨કા૨ દ્વા૨૨ સંક્રમણ ને રોકવા માટે ૪ મહાનગરોમાં રાત્રી કર્ફયુની અમલવારી કરી દેવામાં આવી છે. સાથો સાથ લગ્નગાળાની પણ સિઝન શરૂ થઈ ગયેલ છે. ત્યારે સરે કારના નિયમો પ્રમાણે લંડન પ્રસંગમાં માત્ર ૧૦૭ વ્યકિતઓને જ મંજુરી આપવામાં આવેલ છે અને તેમાં પણ લગ્નના આયોજન દર્મ્યાન જે તે વિસ્તારના પોલીસ મથકમાંથી લોકોએ મંજૂરી મેળવવાની રહેશે.

આ નિયમના અમલીકરણ કરવાથી લોકોને મંજુરી મેળવવામાં નાની મોટી મુશકેલીઓ પડતી હતી અને વારંવાર ધકકા ખાવા પડતો હતા. સાથો સાથે જે તે વિસ્તારના પોલીસ મથકની મંજુરી મેળવવાની કાર્યવાહીમાં ૧% માણસોનું લિસ્ટ પણ આપવું પડતું તેવી વગેરે બાબતે હાલાકી પડતી હોવાથી સમગ્ર પ્રજાના હિતને ધ્યાને લઈ ગઈકાલ સવારના તાત્કાલીક અસરથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી.પી. વૈષણવએ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ સાથે આ મુશ્કેલીના નિવારણ અર્થે સવિસ્તાર ચર્ચા-વિચારણા કરેલ

અને લગ્ન પ્રસંગના ઓયોજન દરમ્યાન લોકોને પોલીસ ખાતા દ્વારા સરળતાથી મંજુરી કેમ મળી રહે અને સાથો સાથ લોકોને કોઈપણ તકલીફ ન પડે તે બાબતે રજુઆત કરતા તેનો પોલીસ કમિશનરશ્રીએ હકારાત્મક અભિગમ દર્શાવી તાત્કાલીક અસરથી લગ્ન પ્રસંગ માટેના મંજુ રીનો નિર્ણય હટાવી લીધેલ હોય આવા ત્વરીત અને સરાહનીય નિર્ણય લેવા બદલ ૨ાજકોટ ચેમ્બર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબનો સહર્ષ આભાર ની લાગણી વ્યકત કરે છે. આમ રાજકોટ ચેમ્બરે ની રજુઆતનો સ્વિકાર કરવામાં માવેલ છે.


ટિપ્પણીઓ નથી: