અનુયાયીઓ

મંગળવાર, 20 ડિસેમ્બર, 2011

મુખ્યમંત્રીશ્રી આજે જામનગરમાં સદ્દભાવના મિશન અંતર્ગત જિલ્લા ઉપવાસ અભિયાન રૂપે એક દિવસની ઉપવાસ તપસ્યા કરશે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સદ્દભાવના મિશન અંતર્ગત જિલ્લા ઉપવાસના અભિયાન રૂપે તા. ર૦મી ડિસેમ્બરે જામનગરમાં ઉપવાસની એક દિવસની તપસ્યા કરશે.



મુખ્યમંત્રીશ્રીના આ સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનમાં જામનગર શહેર ઉપરાંત જામનગર ગ્રામ્ય, ધ્રોળ-જોડિયા, અને કાલાવાડ તાલુકામાંથી જનતા જર્નાદનનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીના સદ્દભાવના મિશનના આ અભિયાનમાં આવતીકાલે જામનગરમાં ૧૧ હજાર ઉપરાંત નાગરિકો સ્વયંભૂ ઉપવાસ તપ કરશે.
એસ્સાર વાડિનાર રિફાઇનરી આસપાસનો નિર્દિષ્ટ વિસ્તાર પ્રતિબંધિત જાહેર
ગાંધીનગરઃ
 રાજ્ય સરકારે સંભવિત ભાંગફોડ અને અડચણની પ્રવૃત્ત્િાને ધ્યાને લઇને જામનગર જિલ્લાના જામખંભાળીયા તાલુકામાં આવેલી એસ્સાર વાડિનાર રિફાઇનરી અને મરીન ફેસિલિટીમાં આસપાસના વિસ્તારને એક જાહેરનામા દ્વારા પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે.
આ જાહેરનામા અનુસાર લાલપુર તાલુકાના મીઠોઇ, મોડપર, રસંગપર અને ઝાંખર તેમજ ખંભાળિયા તાલુકાના કાઠી દેવળિયા, કજુરડા, સોઢા તરધડી, ટીંબડી, વાડિનાર, ભરાણા અને વડાલિયા સિંહણ ગામની કુલ ૭૮૧ સરવે નંબરોની ૧,૯૯,૬૮,૦૪૭ ચો.મી. જમીન વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે. જાહેરનામા અનુસાર ભરાણા, ટીંબડી અને ઝાખર ગામના લોકોને તેમની જમીન સુધી આવવા-જવા માટે ક્રુડ ઓઇલ, ફાર્મા અને રિફાઇનરીને જોડતા ત્રણ દરવાજા ખુલ્લા રાખવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે પોલીસદળના જવાનો, લશ્કરના જવાનો, આ કંપનીઓમાં રોજગારી મેળવતા લોકો અને ન્યાયાધિશોને જાહેરનામાંથી છુટછાટ આપવામાં આવી છે.

માહે ઓકટોબર-ર૦૧૧ના માસનો ગ્રાહક ભાવાંક
ગાંધીનગરઃ
રઃ ઔઘોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો માહે ઓકટોબર-ર૦૧૧નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના સિમલા ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔઘોગિક કામદારો માટે માહે ઓકટોબર-ર૦૧૧ માટેના પાયાના વર્ષ (ર૦૦૧)ને ૧૦૦ પર આધારિત ગણત્રી કરેલ ગ્રાહક ભાવાંક ૧૯પ છે. આંકને રાજ્ય સરકારે સ્વીકારેલ ૩.૧૭ના સાંકળતાં આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔઘોગિક કામદાર વર્ગ માટેનો માહે ઓકટોબર-ર૦૧૧ મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (૧૯ર૬-ર૭-૧૦૦) પ્રમાણે ગ્રાહક ભાવાંક ૧૩૬પ૩ થાય છે તેમ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

વિધાનસભા ખાતે દરબાર સાહેબ દેસાઇની ૧૨૪મી જન્મતિથિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પુષ્પાંજલિ અપાઇ

ગાંધીનગરઃ
 ગુજરાત વિધાનસભાના પ્રથમ માળે આવેલ પોડિયમમાં દરબાર સાહેબ દેસાઇના તૈલચિત્રને તેમની ૧૨૪મી જન્મતિથિ નિમિત્તે આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવા દ્વારા ભાવસભરપુષ્પાંજલી આપવામાં આવી હતી.
મહાત્મા ગાંધી દ્વારા દરબાર સાહેબના હુલામણા નામને પ્રાપ્ત કરનાર ગોપાળભાઇનો જન્મ ૧૯ડિસેમ્બર, ૧૮૮૭ના રોજ રાજવી પરિવારમાં તેમના મોસાળ ઢસામાં થયો હતો. તેમની માતા સમજુબાના પિતા અંબાઇદાસ દેસાઇ વસો, ઢસા અને રાયસાંકળીયાના જાગીરદાર હતા. તેમણે વઢવાણ ખાતે આવેલ રાજવીઓ માટેની શિક્ષણ સંસ્થા ગરાસિયા કોલેજમાંથી શિક્ષણ લીધું હતું. ત્યારબાદ ૧૯૦૭માં વડોદરા ખાતે આવેલ એક કોલેજમાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા, જયાં તેઓ શ્રી અરવિંદ ધોષ સાથે સંપર્કમાં આવતા બંગ-ભંગ ચળવળમાં સક્રિયપણે જોડાયા. આ ચળવળે તેમને દેશપ્રેમમાં સંપૂર્ણ ઓતપ્રોત કર્યા
૧૯૧૫ બાદ ગાંધીજીના સંપર્કમાં આવતા અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશમાં સક્રિય ભાગ ભજવ્યો. મિત્રની નાની ટકોરથી મલમલ રેશમી જરિયાન વસ્ત્રો અને રાજવી શણગારને ત્યજીને જીવનમાં સાદગી અને ખાદી અપનાવી. ૧૯૩૮માં હરિપુરા ખાતે ભરાયેલા ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિના તેઓને અધ્યક્ષ બનાવામાંઆવ્યા હતા. સૌરાષ્ટ્રના અમરેલીમાં આવેલ ઢસા રાયસાંકળીયાનું પોતાનું નાનું રાજય ભારતના સ્વાતંત્ર્ય યજ્ઞમાં સામે ચાલીને સોંપી દીધું. સન ૧૯૪૭માં સ્વરાજ આવતાં જાગીર પાછી મળી પણ તે ન સ્વીકારી અને જાહેર સેવાને પોતાનું કાર્યક્ષેત્ર માનનાર આ દરબાર સાહેબની જીવનલીલા ૫ મી ડિસેમ્બર ૧૯૫૧ના રોજ સંકેલાઇ ગઇ.
આ પુષ્પાંજલી પ્રસંગે ગુજરાત વિધાનસભાના સચિવશ્રી ડી.એમ.પટેલ, ઉપ સચિવશ્રી બી.ડી.વસાવા, અંગત સચિવશ્રી દિનેશ વ્યાસ તેમજ કર્મચારીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પી હતી.

ટિપ્પણીઓ નથી: