અનુયાયીઓ

મંગળવાર, 20 ડિસેમ્બર, 2011

મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સૂરત શહેરને ખૂબસૂરતી સાથે સુખાકારીને પ્રાધાન્ય આપવા શિખઃ સરકારી તરાહમાંથી બહાર આવીને દિલ- આત્મા રેડીને કામ કરવા અમલદારોને અનુરોધઃ સૂરતઃ






- મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૂરત મહાનગરપાલિકાના તંત્રને શહેરમાં સૌંદર્ય- મનોરંજન વૃધ્ધિના સ્ત્રોતો ઊભા કરવાની સાથે જન સુખાકારીને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. વિકાસ માટેની પહેલ માત્ર રાજય સ્તરેથી જ ન થાય પણ સૂરત મહાનગરપાલિકા જેવા તંત્રો પણ પહેલરૂપ ભૂમિકા ભજવે, તેમ તેમણે જણાવ્યું હતું.
સદ્‍ભાવના મિશન કાર્યક્રમ અંતર્ગત સૂરત આવેલા મુખ્યમંત્રીએ મોડી સાંજે પાલિકા- રાજયના અમલદારોની સાથેની બેઠકમાં શહેરના વિકાસની સાથે આરોગ્ય, શિક્ષણના સ્તર તથા સ્લમ વિસ્તારના નાગરિકોની સુખાકારી બાબતે ચિંતા સેવવા જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, શાળાઓ-હોસ્પિટલોમાં ફાયરસેફટી અંગેની તાલીમ- મોકડ્રીલ નિયમિત સમયાંતરે યોજીને કલકતાની હોસ્પિટલમાં બનેલી આગની ધટના જેવી કરૂણાંતિકા નિવારી શકાય. માસમાં આવા ત્રણથી ચાર કાર્યક્રમો યોજીને લોકોમાં આ બાબતે જાગૃતિ લાવવા પર તેમણે ભાર મૂકયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સૂરતના ભાવિ વિકાસના આયોજનમાં પર્યાવરણનું માહાત્મય સ્વીકારવા પર ભાર મૂકતા નવા આવાસોના બાંધકામની મંજૂરી વેળાએ વરસાદી પાણી નિકાલ- સૌર ઊર્જાના ઉપયોગ જેવી બાબતોનું પ્લાનિંગ કરી, ગ્રીનરી તરફ લોકોનો ઝોક વધે તે માટેના પ્રયાસો કરવા જણાવ્યું હતું.
સૂરત- નવસારી ટ્વીન સિટી  બનવાની દિશામાં જઇ રહયા છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન મિકેનિઝમ, સહિતના પાસાંઓ મદ્‍ેનજર રાખીને સૂરતે જ મોટાભાગનું દાયિત્વ અદા કરવુ પડશે, તેમ તેમણે ઉર્મેર્યું હતું. મહાનગરપાલિકાના વિકાસ પ્રકલ્પો સમયમર્યાદામાં સંપન્ન થાય તે બાબતે મોનિટરિંગ તંત્ર ગોઠવવાની તેમણે તાકીદ કરી હતી
મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.કે. દાસે મહાપાલિકા અંગે તથા પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતું. મહાનગરપાલિકા તેમજ સરકારના વરિષ્ઠ અમલદારો ઉપસ્થિત રહયા હતા.
અછારણે ત્રીજીવાર સમરસગામબની અનુકરણીય ઉદાહરણ પાડયુંઃ
ત્રણ- ત્રણ વખત સમરસ ગ્રામ પંચાયત બન્યુ અછારણઃ
સૂરતઃ
 ૧૨૦૦ આજુબાજુની વસતિ,૭૫૦ જેટલા કુલ મતદારો ગ્રામ પંચાયતના કુલ સાત વોર્ડ અને તમામ વોર્ડમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૧૧માં મહિલાઓ સર્વાનુમતે બીન હરિફ વિજેતા બને અને મહિલા સમરસ ગામ બનવાના દિને જ સરપંચ સહિત ચૂંટાયેલા  સભ્યોનો સન્માન કાર્યક્રમ ગ્રામજનો યોજે આવું કયાંય જોવા મળ્યું છે.
હા- આ વાત છે સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મહિલા સમસ ગામ બનેલ અછારણની અછારણ અગાઉ બે વખત અને આ સાથે મળી કુલ ત્રણ વખત સમરસ ગામ બન્યું છે. જેમાં મહિલા સરપંચ પદે બીનહરિફ સર્વાનુમતે શ્રીમતિ રમીલાબેન ધીરજભાઇ પટેલની વરણી થઇ છે.
પ્રથમ વખત મહિલા સમરસ ગામ અછારણ બનતા તેને રૂા. ત્રણ લાખ અનુદાન પેટે મળશે વધારામાં તાલુકા પંચાયત દ્વારા આયોજન મંડળના રૂા. એક લાખના કામો પ્રતિવર્ષ મુજબ મળશે એટલે કે કુલ પાંચ લાખના વિકાસ કાર્યો થશે. ધોરણ- 1 થી ૭ ની સુવિધામાં વધારો કરતા ધોરણ-૮ માટે પ્રાયોરીટી મળશે.
પટેલો અને હિન્દુ હળપતિની મુખ્ય વસિત વાળા અછારણના નવા વરાયેલા સરપંચ શ્રીમતી રમીલાબેન ગામને વરીયાવ પાણી પુરવઠા યોજનામાંથી પાણી મળે તે કાર્યને અગ્રીમતા આપવા માંગ  છે.
સન્માન કાર્યક્રમમાં અછારણ મહિલા સમરસના સરપંચ સહિતના મહિલા સભ્યોને સન્માનતા મામલતદારશ્રી આર.ડી. જાદવ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.વી દવેએ શુભેચ્છાઓ પાઠવતા તાલુકા વહીવટીતંત્ર તરફથી પૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી.
ઉલ્લેખનીય છે કે પંચાયત રાજય અમલમાં આવેલ ત્યારથી લઇ મૃત્યુપર્યત ૨૫(પચ્ચીસ) વર્ષ સુધી બીનહરિફ સરપંચપદે ભગુભાઇ મધુભાઇ પટેલ રહયાં હતા. જેની સ્મૃતિરૂપે તેમના પરિવારે ગામને સુંદર(પ્રવેશદ્વાર) મંગલદ્વાર બનાવી આપ્યું છે.

ઓલપાડ તાલુકાના કુલ-૧૦૮ ગામો પૈકી ૯૪ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી યોજાઇ છે. જેમાં ૩૩ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. અને તેમાં શાદલા, કારેલી, ભારૂંડી, મોરથાણ અને અછારણ ગ્રામ પંચાયતો મહિલા સમરસ થઇ છે તેવી માહિતી તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.વી. દવેએ આપી હતી.
હવે  ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજદારોની અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવશેઃ
સૂરતઃ
 સુરત આર.ટી.ઓ ખાતેથી લાયસન્સ મેળવવા માંગતા અરજદારો હવે તા.૦૧/૦૧/૨૦૧૨થી લર્નિગ લાયસન્સની અરજી ઓનલાઈન પણ સ્વીકારવામાં આવશે. તેમજ અરજદારોને બેવડી પ્રક્રિયાથી પસાર ન થવું પડે અને સમયનો બચાવ થાય તે હેતુસર કાચા અને પાકા ડ્રાઈવિંગ લાયસન્સની ફી એક જ વખતે એક જ સાથે સિંગલ વિડો સિસ્ટમ થી સ્વીકારવામાં આવશે તેમજ ઈસ્યુ કરવામાં આવશે. આ ઉપરાત ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ મેળવનાર અરજદારે કોમ્ય્યુટર ઉપર ફોટો પડાવવાનો રહેશે. કોઇ અરજદાર કાચા લાયસન્સ બાદ પાકું લાયસન્સ ન કઢાવે તો ભરેલી ફી પરત કરવામાં આવશે નહિ. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.



બિહાર વિધાન પરિષદની ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિહેબીલીટેશન સમિતિનો સૂરતના પ્રવાસેઃ
સૂરતઃ
 બિહાર વિધાન પરિષદની ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિહેબીલીટેશન સમિતિના ૧૨ સભ્યો તા.૨૪/૧૨/૧૧ના રોજ બપોરે ૧૨.૩૦ વાગ્યા થી સાંજના ૬.૦૦ વાગ્યા દરમિયાન સુરતના જોવાલાયક સ્થળોની મુલાકાત લેશે. તા.૨૫/૧૨/૧૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે  સુરતથી ટ્રેન મારફતે અમદાવાદ જવા રવાના થશે.
વિધાનસભા સચિવાલયની સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિ સુરતના પ્રવાસેઃ
સૂરતઃસોમવારઃ- વિધાનસભા સચિવાલયની સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિના ૧૧ સભ્યો આગામી તા.૨૨/૧૨/૧૧ના રોજ સુરત ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકના હજીરા ખાતેના બંદરની મુલાકાત લેશે. જે અંતર્ગત સવારે ૧૦.૩૦ વાગે રીલાયન્સની, બપોરે ૧૨.૩૦ વાગે એલ.એન.ટી.ની મુલાકાત તેમજ બપોરે ૩.૦૦ વાગે એસ્સાર સ્ટીલની મુલાકાત લેશે. સાંજના ૫.૦૦ વાગે ગાંધીનગર જવા રવાના થશે.


ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન વાહનોના ઉપયોગ પર લદાયેલ પ્રતિબંધ
 આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ વલસાડ જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાય જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદાનના દિવસે તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ તથા જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તા.૩૦/૧૨/૨૦૧૧ના રોજ ઉમેદવારે પોતાના ઉપયોગ માટે એક વાહન તથા મતદાર વિભાગમાં  મતદાનની તારીખે ચૂંટણી એજન્ટ અથવા તેના કાર્યકરો અથવા પક્ષીય કાર્યકરો માટે એક જ વાહન ચૂંટણી અધિકારી દ્વારા આપેલ પરમીટ ધારણ કરેલું વાપરી શકાશે. વાહન ઉપર પરમીટ નંબર પ્રદર્શિત કરવાનું રહેશે. ઉમેદવાર/મતદાન/પક્ષીય કાર્યકરો આવા પરમીટ ધારણ કરેલ વાહનોનો ઉપયોગ ચૂંટણી કાર્યના સમય દરમિયાન મતદારોને લાવવા લઇ જવા માટે, અસામાજિક તત્વોની હેરફેર માટે, ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કરી શકાશે નહિં.કોઇપણ વ્યક્તિ પોતાના કોઇપણ પ્રકારના વાહનોમાં મતદારોની હેર ફેર કે તેવા હેતુસર વાહનનો ઉપયોગ કરી શકશે નહિં, વાહનનો પોતાના અને ફકત કુંટુંબની વ્યક્તિઓ પુરતો મર્યાદિત કરવાનો રહેશે. આ પ્રતિબંધ સરકારી અધિકારીઓ કે જે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ છે તેઓને લાગુ પડશે નહિં.


ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં ટેબલ, ખુરશી મુકવી નહિં
આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ વલસાડ જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાય જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વ્સિતારમાં મતદાનના દિવસે તા.૨૯/૧૨/૨૦૧૧ના તથા પુનઃ મતદાન યોજવાનું થાય તો તા.૩૦/૧૧/૨૦૧૧ના રોજ મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર કોઇ ટેબલ, ખુરશીઓ કે કોઇ મંડપ કે તાડપત્રીના ટુકડાની છત્રીની વ્યવસ્થા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ ફરજ પરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નોડલ અધિકારી, પોલીસ અધિકારી, ચૂંટણી પંચે અધિકૃત કરેલ  અધિકારીશ્રીઓ, સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીશ્રીઓ અથવા તેઓને મદદ કરતી એજન્સીઓને લાગુ પડશે નહિં. આ હુકમનો ભંગ કરનાર કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ફાયરીંગ બટ્ટ વિસ્તારમાં પ્રવેશ નિષેધ
ભરૂચઃ  પોલીસ અધિક્ષકશ્રી ભરૂચના જણાવ્યાનુસાર તેઓની કચેરી હસ્તકનાં તમામ પોલીસ સ્ટેશનો તેમજ હેડ.કર્વાટરનાં તેમજ શાખાઓનાં અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓનાં વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાનાં હોવાથી ડી.એસ.પી. બંગલોની બાજુમાં આવેલ સ્થાનિક ફાયરીંગ બટ્ટ વિસ્તારમાં તા.૧૨/૧૨/૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૧, સુધી દિન-૨૦ માટે પ્રતિબંધિત જાહેરનામુ બહાર પાડવા માંગણી કરી છે.
ભરૂચ જિલ્લાના અધિકારી/કર્મચારીઓ વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે ફાયરીંગ બટ્ટ ઉપયોગમાં લેવાના હોઇ જાહેર શાંતિ અને સલામતી જાળવવા માટે તેમજ જાનહાની થતી રટકાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.એસ.નિનામાએ એક હુકમ ધ્વારા તા.૧૨/૧૨/૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૧ સુધી દિન-૨૦ માટે સિવિલ લાઇન્સ રોડ પર નર્મદા નદી કિનારે ધોબીધાટ આગળ રાયફલ રેન્જની આસપાસનો એટલે કે પૂર્વ દિશા તરફ કાર્યપાલક ઇજનેરશ્રીનો બંગલો સુધી તેમજ પશ્રિમે બાવા દરગાહ સુધી અને દક્ષિણે નદીના સામાકાંઠા સુધીના એક માઇલનો વિસ્તારમાં  કોઇપણ આવ-જાવ કરવી નહી, હરવુ-ફરવુ નહી, તેમજ હાજર રહેવું નહી તથા ઢોર વિગેરે ચરાવવા નહી કે હરવા-ફરવા દેવા નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ-ઢોરના માલિકો સામે કાયદેસર પગલા ભરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે.


ટ્રાફિક સેવકોની માનદ સેવા માટે અરજીઓ મંગાવાઇ
ભરૂચઃ
 ભરૂચ શહેર ખાતે ટ્રાફિકના સંચાલન માટે લાયકાત ધરાવતા પુરૂષ સેવકોની માનદ સેવા લેવા માટે અરજી મંગાવવામાં આવે છે. જુમાં ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ, શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ /નાપાસ. માનદ સેવકોની ઉંચાઇ પ ફુટ પ ઇંચ હોવી જોઇએ. રસ ધરાવનાર અરજદારે અરજી સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા રહેઠાણ અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના પુરાવા સાથે લાવવાના રહેશે. અરજદારોએ સિવિલ લાઇન્સ ભરૂચ તા.૨/૧/૨૦૧૨ નાં રોજ સવારે આઠ વાગે રૂબરૂ હાજર રહી પોતાનું નામ નોંધાવવાનું રહેશે. અરજદારના ઇન્ટરવ્યુની પ્રક્રિયા તા.૨/૧/૨૦૧૨ નાં રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકથી થરૂ થશે. આખરી ઇન્ટરવ્યુ માટે પસંદગી પામેલ ઉમેદવારોએ સામાન્ય જ્ઞાન તથા ટ્રાફિકને લગતી માહિતી અંગેના લેખિત કસોટી પાસ કરવાની રહેશે. તમામ કસોટીમાંથી પસાર થનાર ઉમેદવારોની તા.૫/૧/૨૦૧૨ થી તા.૧૫/૧/૨૦૧૨ સુધી ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે તાલીમ માટે ઉપસ્થિત થવાનું રહેશે. તાલીમનો સમય સવારના ૯ઃ૦૦ કલાક થી ૧૨ઃ૦૦ કલાક સુધી રહેશે. તાલીમ દરમ્યાન કોઇ માનદ વેતન ચુકવવામાં આવશે નહી. માનદ સેવા અંગેની નિમણૂંક હંગામી અને ખાનગી ધોરણે દિન ૨૬ માટે રહેશે અને દિવસના રૂા.૧૫૦/- ચુકવવામાં આવશે.
જંતુનાશક દવાઓની ખરીદી માટે ખેડૂતો જોગ
ભરૂચઃ  ભરૂચ જિલ્લાના ખેડૂતોને જણાવવામાં આવે છે કે, જંતુનાશક દવાઓની ખરીદી જંતુનાશક દવા વેચવાનો કાયદેસરનો પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ કે ખાનગી વેપારીઓ પાસેથી જ ખરીદી કરવી. વધુમાં જંતુનાશક દવાની ખરીદી વખતે જે તે પરવાનેદાર પાસેથી તેના લાયસન્સ/પરવાના નંબરવાળું પાકુ બીલ મેળવવું તથા જંતુનાશક દવાનું પેકિંગ સીલબંધ છે કે કેમ? તેની ખાતરી કરવાની સાથે સાથે જંતુનાશક દવાની મુદ્દત વીતી ગયેલ જંતુનાશક દવાની ખરીદી કરવી નહી. વધુમાં લોભામણી જાહેરાત કરી બીલ વગર કોઇપણ લેભાગુ તત્વો ધ્વારા જંતુનાશક દવાનું વેચાણ થતું હોય તો તેવી જંતુનાશક દવાની ખરીદી કોઇપણ સંજોગોમાં કરવી નહી તથા આ બાબતની જાણ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)-ભરૂચ, મદદનીશ ખેતી નિયામક(ગુ.ની.)-ભરૂચ, મદદનીશ ખેતી નિયામક(વિસ્તરણ), અંકલેશ્વર તથા જેતે તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રી વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા ગ્રામસેવકને તાત્કાલીક જાણ કરવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે.




ટિપ્પણીઓ નથી: