નેત્રહિન અને બહેરા-મુંગા , મંદબુધ્ધિવાળા, રકતપિતમુકત તથા વિકલાંગ વ્યકિતઓ કે જે ૪૦ ટકા કે તેથી વધુ ક્ષતિ ધરાવતા હોય તેવા વિકલાંગોને નોકરીએ રાખતા નોકરીદાતાઓ તેમજ સ્વરોજગાર કરતી વિકલાંગ વ્યકિતઓ અને વિકલાંગોને નોકરી આપવાની કામગીરી કરતા શ્રેષ્ડ પ્લેસમેન્ટ ઓફિસરોને પારિતોષિક આપવાની ભારત સરકાર તેમજ રાજય સરકારની યોજના અન્વયે વર્ષ ૨૦૧૧ માટેની સ્પર્ધામાં ભાગ લેવા જણાવવામાં આવે છે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી ફોર્મ મદદનીશ નિયામક રોજગારની કચેરી, ઓ-૪, ન્યુ મેન્ટલ કેમ્પસ, અસારવા અમદાવાદ ખાતેથી તા. ૫/૧/૧૨ સુધીમાં વિનામૂલ્યે મળી રહેશે. આ ફોર્મ ભરીને તા. ૯/૧/૧૨ સુધીમાં આપી દેવાના રહેશે તેમ મદદનીશ નિયામક, રોજગાર દ્વારા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો