સર્વ વૈષ્ણવ સમાજ ને જણાવતા આનંદ થાય છે કે અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજી ના વંશજ અને ગુરુદેવ ગો.૧૦૮ શ્રી વ્રજ ભૂષણલાલજી મહારાજશ્રી (ચોપાસેની-જામનગર)ના ષષ્ઠ લાલજી જેતપુરશ્રી મોટી હવેલી ના વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગો.૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી ના આત્મજ, યુવા અને ઉત્સાહી પૂજ્ય જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદય શ્રી ના શુભ વિવાહ પ્રસ્તાવ પૂજ્ય પાદ ગો.૧૦૮ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી ની આજ્ઞા થી આગામી મહા વદ ૧૧,ને શુક્રવાર તા .૧૭.૨.૨૦૧૨ ના શુભ દિવસે નીર્ધારેલ છે જે માટે ની જોરદાર તૈયારી ઓ અત્યાર થી જ પ્રારંભાઈ ચુકી છે . પૂજ્ય પાદ ગો.૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી ના અધ્યક્ષ સ્થાન હેઠળ શુભ વિવાહ પ્રસ્તાવ સમિતિ પ્રમુખ તરીકે રાજુભાઈ પટેલ કે જેઓ જેતપુર શહેર ના ડાઈંગ એન્ડ પ્રી.એસો.ના તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અને શહેર ના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે.જેઓ પોતાના ગુરુ ઘર ની સેવા કરવાનો કોઈ પણ અવસર છોડતાં નથી.આ રૂડા અને સોનેરી અવસર ની જવાબદારી પણ ખુશાલી પૂર્વક તેમણે સ્વીકારી બધી તૈયારી શરુ કરાવી દીધી છે .જેતપુર ના આંગણે પુષ્ટિ સંપ્રદાય ના શ્રી શુભ વિવાહ પ્રસ્તાવ નો આ પહેલો પ્રસંગ તેમજ અવસર હોય દરેક વૈષ્ણવો તેમજ શહેર ની આજુબાજુ ના ગામડાઓ અને ધર્મ પ્રેમી પ્રજા આ સોનેરી અવસર ની જાણ થતા જ ખુબ આનંદ અને પ્રસન્નતા ની લાગણી અનુભવી રહ્યા છે.શ્રી ઠાકોરજી ના શુભ વિવાહ હોય આનંદ કિલ્લોલ માં ઉછળી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે અમુક વર્ષો અગાઉ જલ સંચય અભિયાન ની સમાજ સેવારૂપી પ્રવૃત્તિ થી આપ શ્રી એ ખુબજ પરિશ્રમ કરી આજુબાજુ ના ગ્રામ્યજનો તેમજ શહેરી જનો ના હૃદય માં પૂજનીય સ્થાન અંકિત કર્યું છે એવા પૂજ્ય પાદ ગો.શ્રી બાલ કૃષ્ણલાલજી મહારાજ શ્રી ના આત્મજ, યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય જેજેશ્રી પ્રિયાંક રાયજી દ્વારા પણ સમાજસેવા રૂપી અનેક કાર્યો થી સુવિખ્યાત બનેલા MYM ફાઉંડેશન ની સ્થાપના પાંચ વર્ષ પહેલા કરવામાં આવી,જેમાં મુખ્યત્વે વ્યસન મુક્તિ અભિયાન ,મેડીકલ કેમ્પ બ્લડ ડોનેસન કેમ્પ,જેવા અનેક સેવાકીય કાર્યો દ્વારા આપ શ્રી શ્રમ લઇ ને લોકો ની વચ્ચે રહી ને ખુબ જ પ્રિય અને પૂજનીય બન્યા છો .લગભગ ૫૦૦ સભ્યો થી પણ વધુ સંખ્યા ધરાવતું શ્રી મદન મોહન પ્રભુ યુવક મંડળ જેતપુર,સુરત,રાજકોટ,દુબઈ તેમજ આજુબાજુ ના ગામડાઓ માં ખુબજ પ્રવૃતિમય છે.દરેક વૈષ્ણવો ના હૃદય કમળ માં આપ બિરાજમાન છો.માટે સ્વાભાવિક છે કે આપનાં શુભ વિવાહ પ્રસ્તાવ ની તૈયારી માં કોઈપણ કમી ના રહે અને દરેક ને આ સેવા નો લાભ મળે તે માટે અત્યાર થી જ અલગ અલગ કમિટી ઓ નું બંધારણ અને માળખું તૈયાર થઇ રહ્યું છે.જુદી જુદી ૪૦ જેટલી અગત્યની જવાબદારી સાથે ની કમિટી માં ૪૦૦ થી ૫૦૦ સભ્યો ને આવરી લેવામાં આવશે.આ ઉપરાંત સ્વયં સેવકો પણ બહોળી સંખ્યા માં સેવા પૂરી પાડશે.આ શુભ વિવાહ પ્રસ્તાવ પાંચ થી સાત દિવસ સુધી દમદાર અને શાનદાર રીતે ભવ્યતા થી આયોજિત થશે.દરેક કમિટી માં માર્ગદર્શક તરીકે જુનાગઢ,નડિયાદ,કાશી,જામનગર,જોધપુર તેમજ જેતપુર ના ગોસ્વામી બાલકો,તેમજ તેમના આત્મજ શ્રીઓ બિરાજશે.દરેક કમિટી માં વરિષ્ઠ કન્વીનર,કન્વીનર,સહ કન્વીનર અને સભ્યો એમ બધા સાથે મળી ને આ સેવા પૂરી પાડશે.આ શુભ વિવાહ પ્રસ્તાવ દરમિયાન અનેક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો,આપ શ્રી નો વરઘોડો જે શહેર ના મુખ્ય માર્ગો પર થી પસાર થશે,વૈષ્ણવો માટે આખા શુભ પ્રસંગ દરમિયાન પ્રસાદ ની વ્યવસ્થા તેમજ વિશાળ બેઠક વ્યવથા પણ કરવામાં આવશે.અત્યાર થી જ પોતાના ગુરુઘર ને જુદી જુદી સેવાઓ આપવા વૈષ્ણવો નો ઘસારો થઇ રહ્યો છે ,જેમાં પોતાના વાહનો ની સેવા ,ઉતારા વ્યવસ્થા ની સેવા ,સ્વયં સેવક તરીકે ની સેવા,જુદી જુદી સેવાઓ તેમજ મનોરથ માટેની તૈયારી,મંડાણ તેમજ શુભ વિવાહ પ્રસ્તાવ સ્થળે આવતી જવાબદારીઓ વગેરે અનેક કાર્યો માં નામ લખવાનું શરૂ થઇ ગયું છે. પૂજ્ય પાદ ગો.શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રી ખુબ શ્રમ લઈને ખુબજ હોંશ થી આ તૈયારી ઓ માં માર્ગદર્શક તરીકે પરિશ્રમ લઇ રહ્યા છે.શ્રી મદનમોહન પ્રભુ ની કૃપા થી જેતપુર શહેર ના આંગણે આવી રહેલ આ રૂડા અને અનેરા અવસર ને વધાવા સમગ્ર પુષ્ટિ સંપ્રદાય તલ પાપડ થઇ રહ્યો છે.આ તકે નોંધનીય છે કે આ સોનેરી અવસર માં વૈષ્ણવો તેમજ દરેક ધર્મ પ્રેમી જનતા સ્વેછીક પોતાની સેવા પૂરી પાડે કારણ કે આટલા મોટા પ્રસંગ ખભેખભા મિલાવી ને કામ કરીએ તો જ પૂર્ણ થાય અને આશા રાખીએ કે દરેક શહેરીજન અને ગ્રામ્યજન આ સેવા થી વંચિત ના રહે અને આ રૂડા અવસર ને ખુબજ આનંદ અને ઉત્સાહ થી માણે.આ પૂર્વ સુચના થી જાણ કરવામાં આવે છે કે સર્વે વૈષ્ણવો પોતાના પારિવારિક પ્રસંગો વિગેરે લગ્ન પ્રસ્તાવ ના દિવસો ને અનુલક્ષી ને રાખે.લગ્ન પ્રસ્તાવ ની વિગતવાર પત્રિકા હવે પછી બહાર પડશે.પ્રસ્તાવ ને લગતી કોઈપણ માહિતી મેળવવા માટે કિશોરભાઈ કાકડિયા મોબાઇલ નં ૯૮૨૫૧૮૯૫૦૮ નો સંપર્ક કરવો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો