અનુયાયીઓ

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

આઝાદીની લડતમાં અંકિત થયેલા ગુજરાતના સત્યાગ્રહો


સ્વરાજની લડતમાં ગુજરાતનું યોગદાન સૌથી મોખરે રહ્યું છે અને તેના
સત્યાગ્રહોના ઇતિહાસે સમગ્ર રાષ્ટ્રમાં જનશકિતની ચેતના જગાડી છે

આલેખન :: દિલીપ ગજ્જર

ગાંધીનગરઃ ૧રમી ઓગસ્ટઃ ર૦૧૧ઃ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં ખેડા-આણંદ જિલ્લાના વિવિધ સત્યાગ્રહોએ પ્રજામાં અનેરી ચેતના જગાવીહતી. રાષ્ટ્રના ૬પમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઊજ્વણી ખેડા જિલ્લામાં શાનદાર રીતે થઇ રહી છે ત્યારે પર્વે શહીદોને સ્મરણાંજલિ આપવાનો અવસર આપણને સાંડયો છે તો આવો આજે મહામૂલી આઝાદીના જતન માટે ૬પમાં સ્વાતંત્ર્ય પર્વે આપણે સૌ સંકલ્પબધ્ધબની આઝાદીની લડતમાં અંકિત થયેલા ગુજરાતના સત્યાગ્રહોને સ્મરણીએ..... રાષ્ટ્રીય આઝાદી અને એકતાના મશાલચી એવા મહાનસપૂતોની આકાશગંગા ગુજરાતમાંથી પ્રારંભાઇ. સ્વાતંત્ર્ય સંગ્રામના વયોવૃદ્ધ પ્રણેતા શ્રી દાદાભાઇ નવરોજી, અખંડ ભારતના શિલ્પીસરદાર વલ્લભભાઇ પટેલ અને રાષ્ટ્રપિતા ગાંધીજી જેવા અનેક મહાન માનવીઓએ ભારતની જનતાના હ્રદય અને જોમમાં નવા પ્રાણ પૂર્યાં.અંગ્રેજશાસનની નાગચૂડમાંથી મુકત થઇને આઝાદીનું સ્વપ્ન સાકાર કરવા પ્રત્યેક હિન્દવાસીઓની ઝંખના હતી. આઝાદી મેળવવા માટેના યજ્ઞમાં અનેક જવાનોએ બલિદાનો આપ્યાં. મહાનુભાવોએ તેમનામાં સહિષ્ણુતા, ભાતૃભાવ, અહિંસા અને દેશદાઝના ગુણોનું સીંચનકર્યું.
પ્રજાએ અનેક સત્યાગ્રહો અને સંગ્રામો આરંભ્યા. આઝાદીની ચળવળમાં સમગ્ર રાષ્ટ્રની સાથે ગુજરાતે પણ ખૂબ ખુમારી પૂર્વક સત્યાગ્રહોચલાવ્યા જે પૈકીના કેટલાક સત્યાગ્રહ અને સંગ્રામની રૂપરેખા અત્રે પ્રસ્તુત છે.
સત્યાગ્રહ એટલે શું ?
જોહનિસ બર્ગ વગર હથિયારે સરકાર સામે લડવાની રીતને શું નામ આપવું તેનો વિચાર ગાંધીજી કરતા હતા. ત્યારે મગનલાલ ગાંધીએ""સદાગ્રહ'' શબ્દ આપ્યો. સત્‍ને માટેનો આગ્રહ એવું નામ ગાંધીજીને યોગ્ય લાગ્યું અને સદાગ્રહ શબ્દમાં સત્ય શબ્દ ઉમેરી ""સત્યાગ્રહ'' શબ્દઆપ્યો. લોકોએ શબ્દ વધાવી લીધો અને ૧૯૦૬ની સાલથી સત્યાગ્રહ શબ્દ પ્રચલિત બન્યો.
દાંડી કૂચ ઃઃ
સવિનય કાનૂન ભંગની લડત સમગ્ર દેશમાં વ્યાપક રીતે ફેલાવવા માટે મહત્વનું ચાલક બળ પ્રદાન કરનાર દાંડીકૂચના બીજ ૧૯ર૯નાડિસેમ્બરમાં લાહોર ખાતે કોગ્રેસના અધિવેશનમાં રોપાયા. દસ પાઇના મીઠા પર બસો પાઇની જકાત સરકારેનાંખી હતી. તેને નાબૂદ કરવાગાંધીજીએ રજી માર્ચે ૧૯૩૦ના રોજ લોર્ડ ઇરવીનને પત્ર લખી. ૧રમી માર્ચે સત્યાગ્રહ શરૂ કરવા જણાવ્યું. સત્યાગ્રહનો આરંભ સાબરમતીઆશ્રમથી ગાંધીજી ૮૦ સૈનિકો સાથે નીકળી. સુરત જિલ્લાને વીધીને દાંડીના દરિયા કિનારે લઇ જવાનું નક્કી કરી. ૩૮૮ કિ.મી. સુધી પદયાત્રાશરૂ કરી. ર૪ દિવસ યાત્રા પુર્ણ કરી પમી એપ્રિલે દાંડી પહોંચ્યા અને બીજા દિવસે સવારે ગાંધીજીએ દરિયા કિનારે જામેલા મીઠાની ચપટીઉપાડી મીઠાનો કાયદો તોડયો. જેના પડધા ઇગ્લેન્ડ, અમેરિકા, જાપાનમાં પડયા અને બિ્રટીશ સામ્રાજ્યના પાયા હચમચી ઉઠયાં.
બારડોલી સત્યાગ્રહ ઃઃ-
ગાંધીજીએ ૧૯રરમાં બારડોલી ખાતે ""ના કરની લડત'' કરવાનો ઇરાદો વ્યકત કર્યો હતો. જે માટે બારડોલીની પસંદગી કરાઇ. ચોરીચૌરાનીબનેલી કરૂણ ધટનાને લીધે લડત વિલંબ પડી સને ૧૯ર૮માં બારડોલીમાં જમીન મહેસૂલ વધારાના પ્રશ્ને ફરી ચિનગારી પ્રગટી. બારડોલીમાં૧૯ર૬માં બિન અનુભવી અમલદાર દ્વારા ખોટી આકારણી કરી જમીન મહેસૂલમાં ૩૦ ટકા વધારો સૂચવ્યો. લડત માટે લોકસેવકોનીછાવણીઓ નંખાઇ. સરદાર વલ્લભભાઇ પટેલ તથા અન્ય નેતાઓના માર્ગદર્શનથી ઉત્સાહ જાગ્યો. સરકારે મહેસૂલ વસુલાત માટે જલદપગલા લીધાં. જમીનો ખાબસા કરાઇ, ઢોરની જપ્તી થઇ, ખેડૂતો પર ત્રાસો ગુજારવા પઠાણો રોકયા. જે માટે બારડોલીના લોકો મહિનાઝઝૂમ્યા અને સફળ થયા.
ધરાસણા સત્યાગ્રહ ઃઃ-
ગાંધીજીએ ધરાસણાના મીઠાના અગરો પર અહિંસક હલ્લો લઇ જવાનું નક્કી કર્યું એટલે તેમની ધરપકડ કરવામાં આવી અને સાથેધરાસણાનો સત્યાગ્રહ શરૂ થયો જેમાં ર૬પ૦ સૈનિકોએ ભાગ લીધો હતો. ધરાસણા સત્યાગ્રહમાં સરોજીની નાયડુ સહિત બહેનોએ પણ ભાગલીધો.
અડાસનો સત્યાગ્રહ ઃઃ-
અડાસ રેલ્વે સ્ટેશને હિન્દ છોડોની ચળવળમાં જોડાયેલા નવયુવાનોને પોલીસે નિર્દેસી રીતે વીંધી નાંખ્યા જેમાં ત્રણ યુવાનો શહીદીને વર્યા. શહીદોની ગાથા જેવા અડાસ સત્યાગ્રહમાં ૩૪ જેટલાં સત્યાગ્રહીઓએ ભાગ લીધો ""કરેંગે યા મરેગે''ના મંત્ર સાથે સૂત્રોચ્ચાર કરતાંવડોદરા જિલ્લાના યુવાનો સત્યાગ્રહમાં જોડાયા. વડોદરાથી નાવલી, નાવલી-આણંદ, આણંદથી વડોદ અને તેજ દિવસે યુવાનોનેવડોદરા પહોંચવું હતું. પરંતુ અડાસ સ્ટેશનથી વડોદરાની ટ્રેન પકડવા યુવાનો અડાસ સ્ટેશનથી થોડા દૂર હતાં ત્યાં પોલીસે તેઓનેખેતરમાં આંતર્યા અને લાઠીઓ અને બંદૂકોના ગૂંદા માર્યા આમ અડાસ શબ્દ સાથે જોડાયેલો અડાસનો સત્યાગ્રહ ચિરસ્મરણીય બની રહ્યો.
બોરસદનો સત્યાગ્રહ ઃઃ-
ખેડા જિલ્લામાં બહારવટિયાઓનો ત્રાસ હતો. સરકારે બહારવટિયાઓને જેર કરવા પોલીસની ટુકડી ગોઠવી અને તેનો ખર્ચ બોરસદતાલુકાની પ્રજા પાસેથી વસૂલ કરવાનું નક્કી કર્યું. અંગ્રેજ સરકારના પગલાં સામે ચાલેલી લડત. બોરસદના સત્યાગ્રહ તરીકે ઓળખાય છે.સરદાર વલ્લભભાઇ પટેલ, રવિશંકર મહારાજ, દરબાર ગોપાલદાસ, અબ્બાસ સાહેબ જેવા નેતાઓએ સત્યાગ્રહમાં ભાગ લીધો. આડત્રીસદિવસ ચાલેલી લડતના અંતે પ્રજાનો વિજય થયો તેથી બોરસદ સત્યાગ્રહ વિજય સત્યાગ્રહ તરીકે પણ ઓળખાય છે.
ખેડા સત્યાગ્રહ ઃઃ-
ખેડા જિલ્લામાં તે વખતની સરકારે સરકારી અધિકારીઓને ધાક ધમકી આપી વધુ આનાવારી કરાવી. દુષ્કાળની સ્થિતિ હતી છતાંય સરકારેમહેસૂલ વસુલાતમાં ઉદારતા બતાવી નહી તેના વિરોધમાં ખેડા સત્યાગ્રહ યોજાયો. ગાંધીજી અને તેમના સાથીઓએ લડતમાં સક્રિય ભાગભજવ્યો લડતના કારણે ખેડૂત વર્ગમાં જાગૃતિ આવી અને ખેડૂતોમાં રાજકીય કેળવણીનો આરંભ થયો.
રાસ સત્યાગ્રહ ઃઃ-
બોરસદ તાલુકાના નાના ગામ રાસ સાથે સંકળાયેલો રાસ સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણા મહત્વની રહી જમીન મહેસૂલનહીં ભરવા આખું ગામ હિજરત કરી ગયું અને રાસ સત્યાગ્રહનો પ્રારંભ થયો. ગાંધીજીની પ્રેરણાથી અહીં ગ્રામજનો માટે દવાખાનું, શાળાનુંમકાન તૈયાર થયું. રાસ સત્યાગ્રહમાં અંતે પ્રજાનો વિજ્ય થયો હતો.
વિરમગામ સત્યાગ્રહ ઃઃ-
૧૯૩૦માં ગુજરાતની પ્રાંતિક સમિતિએ વિરમગામ અને ધોલેરામાં મીઠાના સત્યાગ્રહના પગલે સત્યગ્રહનો પ્રારંભ થયો.
૧૯૩૦ની એપ્રિલથી ૧૯૩૧ના જાન્યુઆરી સુધી ચાલેલા સત્યાગ્રહમાં ઝવેરચંદ મેધાણી, બળવંતરાય મહેતા જેવા સત્યાગ્રહીઓમાં જોડાયાઅને ધરપકડ વહોરી. શ્રી મેધાણીએ ધંધુકાની કોર્ટમાં મેજીસ્ટ્રેટ સમક્ષ એમણે લખેલું રાષ્ટ્રગીત બુલંદ અવાજે ગાયા ત્યારે સહું કોઇ પીગળીગયા હતાં.
માણસા સત્યાગ્રહ ઃઃ-
માણસાના રાજવીએ અંગ્રેજોના પક્ષમાં રહીને લીધેલા અન્યાયી પગલા સામે પ્રજાનો આક્રોશ લડતના મૂળમાં હતો. માણસા ઠાકોરનીઆપખુદી અટકાવવા પ્રજાએ વેઠ પ્રથા અને વેપારીઓનું શોષણ કરતી પ્રવૃત્ત્િાઓ સામે સંગઠિત પ્રયાસો કર્યા. સત્તાવાળાઓ તરફથીલોકોની ધરપકડો કરવામાં આવી દરમ્યાન સમગ્ર દેશમાં અસહકારની લડત પ્રારંભ થતાં માણસાની પ્રજાએ પણ તેમાં સક્રિય ભાગલીધો. મહાત્મા ગાંધી, વલ્લભભાઇ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞીકના માર્ગદર્શન હેઠળ માણસાના સત્યાગ્રહમાં પ્રજા મતનો વિજય થયો.૧૯૩૮નો માણસા સત્યાગ્રહ પ્રજાના મક્કમ મનોબળના પ્રતિક સમો ગણાય છે.
રાજકોટનો સત્યાગ્રહ ઃઃ-
રાજકોટના ઠાકોરના આપખુદ અને જુલ્મી વલણ સામે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણાયી રાજકોટની પ્રજાએ ચલાવેલો સત્યાગ્રહ""રાજકોટ ના સત્યાગ્રહ તરીકે જાણીતો'' છે. સત્યાગ્રહમાં અંગ્રેજ પ્રતિનિધિ રેસીડેન્ટ ગીબ્સ સામે ગાંધીજીએ ઉપવાસ આદર્યા અનેસત્યાગ્રહીઓમાં જોમ આવ્યું. આખરે સત્યનો જય થયો અને રાજકોટ રાજયના વહીવટની લગામ અંગ્રેજ પ્રતિનિધિ તેમજ વીરાવાલાનાહાથમાંથી ગઇ. , રાજકોટના ઠાકોરની ખટપટનો અંત આવતા પ્રજાજનો આપખુદ અને જુલ્મી શાસનમાંથી મુકત થયાં. આમ, અંગ્રેજશાસનના અન્યાયો સામે લડવા સમગ્ર રાષ્ટ્રમાં જે અસરકારક સત્યાગ્રહો યોજાયા તેમાં ગુજરાતના સ્વાતંત્ર સંગ્રામો સિમાચિહન રૂપ ગણાય.ગુજરાતે સ્વતંત્રતાની ચળવળને વેગ આપ્યો અને ધરતીપર આઝાદીની લડતને વેગ આપતી અનેક નાની મોટી ધટનાઓથી સમગ્રદેશ મુકિત સંગ્રામનો સંદેશો ઝીલવા તૈયાર થયો. બારડોલી, દાંડીકૂચ, ધરાસણા જેવા અનેક સત્યાગ્રહો સામે અંગ્રેજ સરકાર ઝૂંકી ગઇ. અનેસમગ્ર રાષ્ટ્રમાં અંગ્રેજ શાસનમાંથી મુકત થવાની જાગેલી પ્રતિબધ્ધતાએ પ્રજાનું આઝાદીનું સ્વપ્ન સાકાર કર્યું.
આઝાદીનું પર્વ આપણા સૌને માટે આનંદનું અને ગૌરવનું પર્વ છે. કોઇપણ વ્યક્તિ પ્રજા, સંસ્કૃતિ કે રાષ્ટ્ર માટે આઝાદીએ સૌથી મોટીઉપલબ્ધિ છે. આઝાદીના જંગમાં આપણો ઇતિહાસ પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. ઉપર જણાવેલાં સ્વાતંત્ર્ય સંગ્રામના પૃષ્ઠોઉકેલતાં આપણું મસ્તક ગર્વથી ઉન્નત થઇ ઉઠે છે. ગાંધીજીએ સ્થાપેલાં સાબરમતી આશ્રમનો જગત માટે દર્શન-પ્રેરણાતીર્થ બની રહ્યો છે.બિ્રટિશ સત્તાના પાયા હચમચાવી નાંખનાર દાંડીકૂચ અહીથી આરંભાઇ હતી. ગુજરાતમાં ખેલાયેલાં નાના-મોટા સ્વાતંત્ર્ય સંગ્રામોનો અનેસ્વાતંત્ર્ય વીરોનો ઇતિહાસ અજોડ છે. ગુજરાતની ધરતીનું અનન્ય બળ નવી પેઢીને ઉપયોગી બની રહેશે.

સંદર્ભ :: સ્વાતંત્ર્ય પર્વ સુવર્ણ જ્યંતી વિશેષાંક, માહિતી ખાતું, ગુજરાત રાજ્ય.

ટિપ્પણીઓ નથી: