અનુયાયીઓ

મંગળવાર, 20 જાન્યુઆરી, 2015

: સંપતિને સાચવનારા વોચમેન અને વાપરનારા માલિક કહેવાય

જેતપુરમાં પધારેલા જૈનમુનીની શીખ 
સંપતિને સાચવનારા વોચમેન અને 
વાપરનારા માલિક કહેવાય 
જેતપુર તા.20
તાજેતરમાં જેતપુર ખાતે ખોડપરા ઉપાશ્રયમાં ધીરજમુની મહારાજ સાહેબે પધરામણી કરતા જૈન સમાજમાં આનંદની હેલી ઉમટી હતી. આ તકે જૈન અગ્રણીઓએ સંઘ પૂજન, સમૂહ જાપ, નવકારશી  વિગેરે પ્રસંગોનો લાભ લીધો હતો. મનુભાઈ બાવીશી(ઇન્દોર)એ કાયમી સ્વામી વાત્સલ્યમાં રૂ.સાડા ચાર લાખનું અનુદાન જાહેર કરેલ. ધર્મ ભક્તિ ગૌ શાળા માટે રૂ.2.51 લાખ જાહેર કરાયા હતા.
ગૌશાળાના ટ્રસ્ટીઓને નવકાર મંત્ર ફ્રેમ અર્પણ કરાઈ હતી.  જીતુભાઈ દેસાઈના હસ્તે ઉત્તરાધ્યયન સુત્ર ને નીતાબેન દોશીના હસ્તે જીવન જાગૃતિ કેલેન્ડરની અર્પણ વિધિ કરાઈ હતી. આ તકે પ્રવચન કરતા ધીરજ્મુનીએ જણાવેલ કે સંપતિને સાચવનારા વોચમેન કહેવાય અને વાપરનારા માલિક કહેવાય ત્યારે ઉપસ્થિત જૈન શ્રેષ્ઠીઓએ આ વાતને તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)

 



કપાસની ખરીદીમાં વ્હાલાદવલાની નીતિ વપરાતા ખેડૂતોમાં રોષ




જેતપુરના યાર્ડમાં શરુ થયેલ સીસીઆઈ કેન્દ્રના અધિકારીઓ દ્વારા 
કપાસની ખરીદીમાં વ્હાલાદવલાની નીતિ 
વપરાતા ખેડૂતોમાં રોષ 
યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની ચીમકી : તો પછી ખેડૂતો હાથમાં નહિ રહે 
જેતપુર તા.20
જેતપુરની યાર્ડમાં કપાસની ખરીદી માટે રાજ્યમંત્રી જયેશ રાદડિયા, સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા તેમજ યાર્ડના ચેરમેન દિનેશ ભૂવાના સંગીન પ્રયાસો વચ્ચે સીસીઆઈનું કેન્દ્ર શરુ થતા ખેડૂત આલમ ખુશ છે. પણ કપાસની ખરીદી માટે જેઓને જવાબદારી સોંપાઈ છે તેવા સીસીઆઈના અધિકારીઓ કપાસની ખરીદીમાં ભેદભાવની નીતિ અખત્યાર કરતા હોવાની ફરિયાદ બાદ ચેરમેન દિનેશ ભુવાએ ચીમકી ઉચ્ચારી છે કે આ બાબતે ઘટતું નહિ કરાય તો ખેડૂતો આંદોલનાત્મક માર્ગો શરુ કરતા રોકી નહિ શકાય..
મળતી વિગતો મુજબ જેતપુરની યાર્ડમાં હાલના દીવસોમાં જેતપુર, ભેસાણ, વડીયા, કુંકાવાવ, બગસરા, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા વિગેરે તાલુકાઓમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો પોતાનો કપાસ સીસીઆઈ કેન્દ્રમાં વેંચવા આવી રહ્યા છે. પણ સીસીઆઈ કેન્દ્રના અધિકારીઓ પત્તીવાળા, પીળી ટચવાળા તથા કોડીવાળા કપાસ તરફથી મોઢું ફેરવી આ કપાસ નબળી ગુણવત્તાવાળો છે તેવા બહાના ધરી કપાસ ખરીદીમાં વ્હાલાદવલા અને ભેદભાવ ભરેલી નીતિ અખત્યાર કરી રહ્યા  હોય, દુર દુરથી કપાસ વેંચવા જેતપુર આવતા ખેડૂતોમાં ભારે રોષ સાથે અસંતોષ ફેલાઈ રહ્યો છે.
ચેરમેન દિનેશ ભુવા જણાવે છે કે ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન 50 ટકા થયું છે. કપાસની નબળી ગુણવત્તા એ કુદરતી આફત છે. લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ખેડૂતોને પોતાના ભાગીયાઓને છુટા કરવાનો સમય છે. 
આવા સમયે કપાસ ખરીદીમાં  સંબંધિતોની આવી નીતિ ખેડૂતોને આર્થિક સંકટ અને પાયમાલી તરફ ધકેલશે તો ખેડૂતોને જીવવું હરામ થઇ જશે. ખેડૂતોની આવી કફોડી હાલતને ધ્યાને લઇ જેતપુર યાર્ડમાં સીસીઆઈ કેન્દ્રના કાર્યવાકો નબળી ગુણવત્તાવાળો કપાસ પણ ખરીદ કરીને ખેડૂતોને સહકાર નહિ આપે તો ખેડૂતો નાં છૂટકે આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી કૃષિમંત્રી બાબુભાઈ બોખીરીયા, રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, સાંસદ તથા સીસીઆઈ કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓને કરેલી રજુઆતમાં દિનેશ ભુવાએ ચીમકી ઉચ્ચારી છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર  99742 62812


 

KASHYAP JOSHI JETALSAR URGENT METTERસંભારણું : 21-1-1915 બરાબર 100 વર્ષ પહેલા, આજની તારીખે મહાત્મા ગાંધીજી જેતપુર પધારેલા

::::::::::::સંભારણું : 21-1-1915 ::::::::::::::::
બરાબર 100 વર્ષ પહેલા, આજની તારીખે 
    મહાત્મા ગાંધીજી જેતપુર પધારેલા
જેતપુરના ઇતિહાસવિદ જીતુભાઈનો વસવસો : જુના માસ્તરોનેય ખબર નથી કે ગાંધીજી 
          જેતપુરમાં ક્યાં ઉતર્યા હતા ?! તેઓએ શું ઈતિહાસ ભણાવ્યો હશે ??!
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા.20
આજના દિવસે તા.21-1-1915 એટલેકે બરાબર એકસો વર્ષ પહેલા પૂજ્ય મહાત્મા ગાંધીજી(બાપુ) નો જાણે જેતપુર(કાઠી ) સાથે ઘરોબો હોવાની ગવાહી પુરતી તસ્વીરો બતાવતા જેતપુરના લેખક અને ઇતિહાસવિદ જીતુભાઈ ધાધલ ધાધલની આંખોમાં જયારે જળજળીયા દેખાયા ત્યારે તેમની વાત અટકી ગઈ કે ભાઈ..શહેરના જુના માસ્તરોને ખબર નથી કે પૂજ્ય બાપુ જેતપુરમાં ક્યાં રોકાયા હતા ? આ લોકોએ(માસ્તરોએ) શું ઉકાળ્યું હશે ઈતિહાસ ભણાવવામાં ?!, બસ હવે કઈ નથી બોલવું ! આટલું બોલી જીતુભાઈ ધાધલે ઇતિહાસના પાનાં ખોલ્યા તે કૈક આવા હતા..

ઈ.સ.1915 ની 21 મી જાન્યુઆરી ના દિવસે મહાત્મા ગાંધીજી, પુ. કસ્તુરબા, બેરિસ્ટર શુકલ સહિતના દેશપ્રેમીઓ સાથે જેતપુરના દીલાવરગઢના રેલવે સ્ટેશને ઉતર્યા હતા. ગોંડલ થઈને પૂજ્ય બાપુ જેતપુર પધાર્યા હોવાની જાણ પરથી તેમને બા અદબ સન્માન સાથે તેડવા માટે જેતપુરના રાજવી દરબાર સાહેબ શ્રી મુળુવાળા સુરગવાળા સાહેબ, ડોક્ટર દીનશા સાહેબ, એદલજી વારછાસાહેબ, શ્રી દેવચંદ ઓતમચંદ પારેખ, બચુભાઈ પ્રેસવાળાના કાકા વલ્લભભાઈ કાગદી સહિતના હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ રેલવે સ્ટેશને દોડી ગયા હતા.

બાપુને દિલાવરગઢ(અત્યારનું નવાગઢ) રેલવે મથકે તેડવા ગયેલા ઉપરોક્ત તમામ યેનકેન સહયોગી બની આઝાદીની ચળવળના સેનાનીઓ હતા..પણ જેતપુરની કમનશીબી કે ઇતિહાસના પાનાઓમાં આ વિગતો ક્યાય ઉલ્લેખાયી ના હોવાનો જીતુભાઈ ધાધલને વસવસો છે.

બોક્સ: પૂજ્ય બાપુએ રાતવાસો ક્યાં કર્યો ??
મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાતેજ તેઓ જેતપુરમાં ક્યાં રાતવાસો કર્યો હતો ? તેનો જવાબ વાળતા જીતુભાઈ એ જણાવેલ કે શહેરના લાદી રોડ પર અત્યારે જે સિંધી સમાજના દેવ શ્રી ઝૂલેલાલ ભગવાનનું મંદિર છે તે જગ્યા પહેલા ઓત્તમચંદ કામદારની મેડી તરીકે ઓળખાતુ..આ મકાન આમતો પૂજ્ય બાપુના સગા અને સ્નેહી દેવચંદભાઈના પિતા ઓત્તમચંદ્જીનું હતું. આ જગ્યાએ બાપુ અને કસ્તુરબાએ અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે રાત ગાળી રાષ્ટ્રીય હિતની તેમજ આઝાદી લડતની વાતો કરેલી.. ત્યારબાદ સવારે બાપુ ધોરાજી તરફ રવાના રવાના થયા હતા.

બોક્સ: પૂજ્ય બાપુની જેતપુરમાં બીજી મુલાકાત 
જીતુભાઈએ અથાગ મહેનત બાદ પૂજ્ય બાપુના જેતપુરમાં બીજીવાર થયેલા પગરવ, મુલાકાત બાબતે જણાવેલ કે ગોખલે સ્મારક નિધિ માટે ફરતા ફરતા જેતપુર બીજીવાર આવેલા બાપુ દરબારગઢ સ્થિત રાજવી મુળુબાપુના નિવાસસ્થાને, અંજુમનવાળી બિલ્ડીંગમાં તેમજ ભાદર મહેલ તરીકે ઓળખાતા શેઠ અબ્દુલ્લાના નિવાસસ્થાને પણ ગયા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ફોટો કેપ્શન: 
બાપુ, યુ આર મોસ્ટ વેલકમ્ડ ટુ દિલાવરગઢ..
બરાબર આજની તારીખે સો વર્ષ પહેલા દિલાવરગઢ(નવાગઢ) રેલવે સ્ટેશને ઉતર્યા ત્યારે એક સંભારણારૂપ લેવાયેલી પ્રસ્તુત તસ્વીરમાં ખુરશીમાં બેઠેલાઓમાં (ડાબેથી)  બેરિસ્ટર શુકલ, રાજવી મુળુબાપુ, મહાત્મા ગાંધીજી, કસ્તુરબા, અને દેવચંદ ઓતમચંદ પારેખ દેખાય છે. આ શિવાય જેતપુરમાં સેવાઓની હારમાળા સર્જી સેવાના ભેખધારી તરીકે પંકાયેલા ડોક્ટર દિનશા સાહેબ(ઉભેલાઓમાં પારસી ટોપી પહેરેલ) પણ અન્યો દેશપ્રેમીઓ સાથે હાજર હતા. આ ઈતિહાસિક તસ્વીર મેળવવામાં અને જાળવવામાં જીતુભાઈ ધાધલને કહેવાય છે કે પગે પાણી  આવી ગયા હતા.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
અહી રોકાયા હતા જેતપુરમાં ગાંધીજી...
જેતપુરમાં દેવચંદ ઓતમચંદ પારેખનું મકાન કે જ્યાં ગાંધીજીએ રાતવાસો કર્યો હતો. આજે આ જગ્યાએ મંદિર બની ગયું હોય, ગાંધીજીની મુલાકાત સ્થળ વિષે આજની તારીખે શહેરીજનો અજાણ છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812 

 

શનિવાર, 17 જાન્યુઆરી, 2015

કોર્ટની 2 વર્ષ ની સજા જેતપુર કશ્યપ જોશી




આજથી પાંચ  વર્ષ પહેલા જેતપુરમાં લાંચ લેતા પકડાયેલ 
જેતપુર મામલતદાર કચેરીના ગ્રામ મિત્રને 2 વર્ષની  
સજા અને રૂ.5000 નો દંડ ફટકારતી શેશન કોર્ટ 
કશ્યપ જોશી જેતલસર(જેતપુરતા.17
આજથી 5 વર્ષ પહેલા જેતપુરની મામલતદાર કચેરીમાં રૂ.5000 ની લાંચ લેતા વચેટીયો એવો ગ્રામમિત્ર પકડાયા બાદ આ બનાવનો કેશ ચાલ્યો તે દરમિયાન જેતપુરની શેશન કોર્ટે ગ્રામમિત્રને 2 વર્ષની સખત કેદ અને રૂ.5000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વી.જી.ડેન્ગરાએ જણાવ્યું હતું..
આ બાબતે મળતી વિગતો મુજબ ગત 28.3.2009 ના રોજ જેતપુરની મામલતદાર કચેરીમાં સમાજ કલ્યાણ નિરીક્ષક જયંતીભાઈ મોહનભાઈ  પીપળીયા (રહે.ન્યુ પોપૈયા વાડીની બાજુમાં, પંચશીલ શેરી નંબર - 1,) એ જેતપુર તાલુકાના જેપુર ગામના વલ્લભભાઈ નાથાભાઈ રાઠોડ પાસે તેમના માતા મણીબેનના નામની વિધવા સહાય મકાન બાંધવાની અરજી અનુસંધાને રૂ.5000 ની લાંચ માગી હતી.
દરમિયાન વલ્લભભાઈએ આ વાતની ફરિયાદ રાજકોટ એસીબીને કરતા એસીબીએ ફરિયાદીને લાંચ આપવાના વાયદાના દિવસે છટકું ગોઠવ્યું હતું. આવા સમયે પંચની હાજરીમાં મામલતદાર કચેરીના ગ્રામમિત્ર શૈલેશ બાવા ચાવડા (રહે.જેપુર, તા.જેતપુર) એ સ્પીકર ફોનમાં વલ્લભભાઈ પૈસા દેવા આવ્યા છે, શું કરવું તેવી વાત જયંતી પીપળીયા સાથે કરતા, પીપળીયાએ આ રકમ શૈલેશને લઇ લેવાનું કહેતા શૈલેશ રૂપિયા 5000 ની લાંચ લેતા રંગે હાથે એસીબીના હાથે પકડાઈ ગયો હતો.
આ વાતનો કેશ આજે 5 વર્ષ પછી જેતપુરના એડીશનલ શેસન જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વી.જી.ડેન્ગરાની ચોટદાર દલીલોને અંતે જજ દવે એ શૈલેશને 2 વર્ષની સખત કેદ અને રૂ.5000 નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

બોક્સ: મુખ્ય સૂત્રધારનું અગાઉ અવશાન... 
જેતપુર: આજે જેતપુરની કોર્ટમાં લાંચ કેશના ફેસ્લામાં ખરેખર 2 વ્યક્તિઓ સમાજ કલ્યાણ નિરીક્ષક અને ગ્રામ મિત્રને સજા થવા પામત. પણ જેમને અરજદાર પાસે પૈસા માંગ્યા હતા તે મુખ્ય માણસ સમાજ કલ્યાણ નિરીક્ષક જયંતીભાઈ પીપલીયનું 2 મહિના પહેલા ચિંતામાં ને ચિંતામાં હાર્ટ એટેકથી અવસાન થતા તેઓનું નામ આ કેશમાં નીકળી ગયું હતું, અને આજે વચેટીયો એવો શૈલેશ સજાનો ભોગ બની ગયો હતો.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 99742 62812




અરજન્ટ સમાચાર કશ્યપ જોશી જેતલસર

નવાગઢમાં ખદબદતી ગંદકી દુર કરાવવા 
રાજકોટ જીલ્લા મહિલા કોન્ગ્રેસ પ્રમુખ શારદા વેગડાએ  
જેતપુર નગરપાલિકાના કાર્યવાહકોને ભારે દોડાવ્યા.. 
પાલિકા તંત્ર મશીનરી સાથે ગંદકી દુર કરવા નવાગઢ દોડ્યું. રહી સહી આબરૂ બચાવવા પ્રયાસ 
કશ્યપ જોશી જેતલસર જેતપુર તા. 17
જેતપુરમાં  એકબાજુ સ્વચ્છતાના પાઠ ભણાવવા પાલિકા સહિતના આગેવાનો નીકળી પડ્યા છે ત્યારે પાલિકાના સત્તાધીસોના પાપેજ નવાગઢમાં ઘર કરી ગયેલી ગંદકી દુર કરાવવા જેતપુરના રહીશ અને રાજકોટ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદા વેગડાએ પાલિકા સુત્રોને રીતસરના સાણસામાં લેતા પાલિકા પ્રમુખ સહિતનો કાફલો નવાગઢ દોડી જઈ ગંદકી દુર કરવા લાગ્યો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરમાં સ્વચ્છતા અભિયાનના આજે બીજા દિવસે આગેવાનો ફોટો શેશન પૂરતા ફોટા પડાવી સ્વચ્છતા હાથ ધરાઈ હોવાનો દેખાડો કરતા હતા.
બીજીબાજુ વર્ષો થયા નવાગઢમાં ઘર કરી ગયેલી ગંદકી દુર કરવા કોઈ જાગતું ના હોય આજે જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય અને રાજકોટ જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદા વેગડા(કારીબેન) અને શહેર કોન્ગ્રેસ પ્રમુખ નીલેશ પંડયા વિગેરેએ નવાગઢ ની મુલાકાત લેતા નવાગઢવાસીઓ કોંગી આગેવાનોને ઘેરી લઇ ગંદકી દુર કરાવવાની માંગણી દોહરાવતા શારદા વેગડાએ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા સહિતના સત્તાધીસોને રીતસરના ખખડાવી સ્વચ્છતા અભિયાનના નાટકો બંધ કરી નવાગઢની ગંદકી દુર કરવા ઉગ્રાવેશે રજુઆતો કરતા પાલિકાનું સબંધિત તંત્ર ઉભી પુછડીએ સાધનો લઈને નવાગઢ દોડી ગયા હતા. અને ગંદકી દુર કરવા લાગી ગયા હતા.

કીધા પછી કામો થાય તે શું કામનું ?
જેતપુર: શારદા વેગડા અને નીલેશ પંડ્યા એ પત્રકારોને જણાવેલ કે નવાગઢની પ્રજા ગંદકીથી ત્રાસી ગઈ છે અને આવી હજારો ફરિયાદ પછી પણ પાલિકા તંત્રે કઈ પગલા ના લેતા આજે તેઓને (કોંગ્રેસને) નાવાગઢની જાત  મુલાકાત લેવી પડી હતી અને ઠેર ઠેર ગંધાતા ગટરના પાણી રસ્તા ઉપર ફેલાતા અને બેસુમાર ગંદકી નજરે પડી હતી. રજૂઆતકર્તાઓએ એવી ચીમકી ઉચ્ચારી છે કે આખા નવાગઢમાંથી ગંદકી દુર કરવા પાલિકા તંત્ર નહિ જાગે તો તેઓ આંદોલનાત્મક કાર્યક્રમો આપતા અચકાશે નહિ.

કશ્યપ જોશી જેતલસર જેતપુર  9974262812


સોમવાર, 12 જાન્યુઆરી, 2015

રવિવાર, 11 જાન્યુઆરી, 2015

પતંગ મહોત્સવનો પ્રારંભ

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આજે સવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વખતે પતંગોત્સવમાં ૧૫૦  જેટલા વિદેશી અને ૨૨૮ દેશી પતંગબાજો ભાગ લીધો હતો. ગુજરાત સરકાર આ વખતે ૨૭ મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા જઈ રહી છે. જો કે અગાઉની માફક આ વખતે ગુજરાત સરકાર દિલ્હી અને મુંબઈ ખાતે પતંગોત્સવનું આયોજન નહીં કરે. સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લો મુકાનાર પતંગોત્સવ આગામી તા.૧૩ સુધી ચાલશે. આ મહોત્સવમાં કુલ ૨૯ દેશોના ૧૫૦  વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો સામેલ થયા છે . આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને આજે રંગીન બનાવી દીધું હતું. આ પતંગબાજોને જોવા આજે ભારે મેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગમહોત્‍સવની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે અનેક આકર્ષણો રાખવામાં આવ્‍યા છે જેમાં આદિત્‍ય સ્‍તુતિ, સૂર્યનમસ્‍કાર, થિમ પવેલિયનનો સમાવેશ થાય છે. સાબરમતી નદીના કિનારે આંતરરાષ્‍ટ્રીય પતંગોત્‍સવ પર્વે ૨૦૦૦ બાળકોનો સૂર્યનમસ્‍કારનો અભિનવ કાર્યક્રમ રહ્યો હતો. સવારે બે હજાર બાળકો દ્વારા સુર્ય નમસ્‍કાર કાર્યક્રમે આકર્ષણ જમાવ્‍યું હતુ. આ પ્રસંગે  દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની થીમ પણ આપણી સંસ્‍કળતિની ઝલક સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા રજુ કરાઇ હતી આ મહોત્સવનું આયોજન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલની ઉપસ્થિતિમાં આ પતંગોત્સવનું ઉદઘાટન  કરવામાં આવ્યું હતું. આ વિદેશી પતંગબાજો જૂથમાં તા.૧૩ મીએ રાજકોટ, ભાવનગર, સુરત ખાતે પતંગોત્સવ ઉજવશે. જ્યારે તા.૧૪મીએ આ પતંગબાજો અમદાવાદની પોળોમાં જઈને ઉજવણી કરશે.



એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!




તોતિંગ દુકાન ભાડા છતાં સ્ટોલધારકને દબાવવાનો પ્રયાસ ?
એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ 
આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!

જેતલસર તા.11                                                                                                      (કશ્યપ જોશી )

જેતપુર જુનાગઢના એસટી બસસ્ટેન્ડમાં નાના મોટા સ્ટોલ ધરાવતા જેતપુરના એક વેપારીની પાછળ જુનાગઢ એસટી તંત્રના પ્રમુખ કાર્યવાહકો હાથ ધોઈને પડ્યા હોય આ વેપારી ગુજરાન ચલાવવાની ગંભીર પરીસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવાની વિગતો સાંપડી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર રહેતા મહિપાલસિંહ ચંદ્રસિંહ  જેતપુર તેમજ જુનાગઢ એસટી બસસ્ટેન્ડો માં ડ્રાયફૂટ સ્ટોલના પરવાનાવાળી દુકાનો ધરાવે છે.  
બીજીબાજુ જુનાગઢ એસટી ડીવીજનના વિભાગીય નિયામકે ગઈ 19.12.2014 ના રોજ એક નોટીસ જારી કરી, તમો નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરો છો તેમજ ફેરિયાઓ મારફત બિન અધિકૃત ફેરીઓ કરાવતા હોવાના કારણો બતાવી અરજદારનો સ્ટોલને તાળા મરાવી દેતા આજે 23-23 દિવસ થયા સ્ટોલ બંધ હોય રૂપિયા 33000 થી 35000 જેવી ભાડાની રકમ અરજદાર કેવી રીતે ભરી શકશે ? તે પ્રશ્ન અરજદારને ભારે મૂંજવી ગયો છે. 
સ્ટોલધારક મહિપાલસિંહ નું કહેવું છે કે એસટી તંત્રે પાઠવેલી નોટીસમાની વિગતો પાયા વિહોણી છે. તેઓ કોઈ વધારાની જગ્યા રોકતા નથી કે કોઈ ફેરિયા રાખેલા નથી. તંત્રે બીજા કોઈ ફેરિયાના નિવેદનો નોંધી તેમની સાથે ખોટે ખોટી હેરાનગતિ ચાલુ કરી છે. 

બોક્સ : ચાલુ બસે કોણ દુકાનમાં ખરીદી માટે આવે ?
જેતપુર :  અરજદાર જણાવે છે કે તંત્ર કહે છે કે ફેરીયા રાખી ધંધો નાં કરી શકો, પણ જે તે એસટી બસ સ્ટેન્ડ માં આવતી લાંબા રૂટની બસો અમુક મીનીટો જ થોભતી હોય, આવી બસોના મુસાફરો બસોમાંથી ઉતરી સ્ટોલ પર કોઈ ચીજો લેવા આવી નાં શકે તે સહજ છે.  ત્યારે એસટી તંત્રે આ વાતમાં કોઈ વ્યવહારુ ઉકેલ લાવવો જોઈએ

બોક્સ : એસટીના સત્તાધીસો દુખે છે પેટ, કૂટે છે માથું !?
જેતપુર: અરજદારે એક એવો આક્ષેપ કર્યો છે કે થોડા મહિના પહેલા જેતપુરના એસટી બસસ્ટેન્ડમાં વિના રુકાવટ ધંધો કરવા દેવા સબબ રૂપિયા 2 હજારની લાંચ લેતા ડેપો મેનેજરને એસીબીના હાથે પકડાવ્યા પછી એસટીના સતાવાળાઓએ તેમની સાથે આવી હેરાનગતિ ચાલુ કરી છે. જયારે એસટી સુત્રો જણાવે છે કે ટેન્ડરની શરતોનો ભંગ થતો હોય તો કાર્યવાહી કરવી પડતી હોય છે.

બોક્સ : એસટી તંત્રે ફેરિયાઓના લાયસન્સ આપે.. 
જેતપુર : અરજદાર કહે છે કે આજે ગુજરાત રાજ્યના તમામ બસસ્ટેન્ડમાં ચાલતા જુદા જુદા સ્ટોલધારકો તંત્રને મસમોટા ભાડા ચુકવતા હોય એસટીના લગતા વળગતા ઉચ્ચ સત્તાધીસોએ આવા સ્ટોલ સંચાલકોને ધંધો કરવા માટે ફેરિયાઓના લાઈસન્સ આપવાનું વિચારે તો એસટી તંત્રને પણ વધારાની આવક થઇ શકે તેમ છે.

જેતલસર           (કશ્યપ જોશી ) 99742 62812

શુક્રવાર, 9 જાન્યુઆરી, 2015

Fwd: જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા


જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય 

નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા 

જેતપુર તા.9

જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ 

ફોટો : કશ્યપ જોશી જેતપુર(જેતલસર) 9974262812


જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા

જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય 

નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા 

જેતપુર તા.9

જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ 

ફોટો : કશ્યપ જોશી જેતપુર(જેતલસર) 9974262812

જેતપુરમાં બ્રહ્મસમાજના પસંદગી મેળાનું આયોજન..KASHYAP JOSHI JETALSAR JETPUR



જેતપુરની ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યની ભરતીમાં ગેરરીતી થયાની શિક્ષણ સચિવને રજુઆતો

જેતપુરની ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યની ભરતીમાં 

ગેરરીતી થયાની શિક્ષણ સચિવને રજુઆતો

આચાર્યે ખુદ  રાજકોટ ખાતે ડીઈઓ સમક્ષ પૈસા આપ્યા હોવાની ઓડિયો સીડીમાં ધડાકો 

 

જેતપુર તા.9

જેતપુરના સ્ટેન્ડ  ચોકમાં આવેલ ગર્લ્સ સ્કુલના આચાર્યની ભરતીમાં ગેરરીતી આચરાઈ હોય અને   વાત ખુદ આચાર્યએ સ્વીકારી હોવાની  ઓડિયો સીડી સાથે શિક્ષણ સચિવને જેતપુરના આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલે રજૂઆત કરતા ખળભળાટ  મચી ગયો છે.

 

બાબતે મળતી વિગતો મુજબ જેતપુર સ્થાનિક સ્વરાજ સંસ્થા મંડળ સંચાલિત કુંભાણી  મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલમાં સને 2008માં આચાર્યની ભરતીની  અખબારી જાહેરાત બાદ તા.4.10.13  નારોજ ઈન્ટરવ્યું લેવાયા હતા. જેમાં સંબંધીતોથી માંડીને સ્ટાફ સિલેકશન કમિટીના કાર્યવાહકોએ ગેરરીતી આચાર્યની નિમણુંક કરી દેવાતા વાત પ્રજા વચ્ચે આવી ગઈ હતી.

દરમિયાન અરજદારે  નિમણુંક પામેલા આચાર્યના જરૂરી સર્ટીઓ વી.બાબતે માહિતી માંગતા સંબંધિતોએ સાચી માહિતી આપવામાં અરજદારના આક્ષેપ મુજબ ખુબ ઢીલ અને ખોટી માહિતી આપવા પ્રયાસો થતા હાલ માહિતી ગાંધીનગર માહિતી આયોગના સ્ટેજ ઉપર હોવાનું જાણવા મળે છે.

રજુઆતમાં એવું  જણાવાયું છે કે આચાર્ય પોતાની મનમાની અપનાવી શિક્ષકોને ખોટા ફાજલ કરી, બીજી શાળાઓમાંથી શિક્ષકોની ભરતી કરી, મોટાપાયે ગેરરીતી આચરતા હોય તપાસ  કરવી જરૂરી છે.

નિમણુંક માટે પૈસા આપ્યા હોવાની ઓડિયો સીડીમાં વાત....

જેતપુર: અરજદાર યોગેન્દ્રસિંહ ગોહિલ, આચાર્ય બિંદુબેન જયારે રાજકોટ ખાતે ડીઈઓ ને રૂબરૂ મળ્યા ત્યારે  મારા બાપના ઘરેણા વેંચીને હું આચાર્ય પડે પદે પહોચી છું તમારું  જાય ? તેવું તાડુકીને બોલેલા આચાર્યની ઓડિયો સીડી પણ શિક્ષણ સચિવને મોકલાઈ હોય હવે બનાવની તપાસ થશે કે કેમ તેની અરજદાર સહિતના શહેરીજનો કાગાડોળે વાત જોઈ રહ્યા છે.


 કશ્યપ જોશી જેતપુર 9974262812