અનુયાયીઓ

મંગળવાર, 20 જાન્યુઆરી, 2015

: સંપતિને સાચવનારા વોચમેન અને વાપરનારા માલિક કહેવાય

જેતપુરમાં પધારેલા જૈનમુનીની શીખ 
સંપતિને સાચવનારા વોચમેન અને 
વાપરનારા માલિક કહેવાય 
જેતપુર તા.20
તાજેતરમાં જેતપુર ખાતે ખોડપરા ઉપાશ્રયમાં ધીરજમુની મહારાજ સાહેબે પધરામણી કરતા જૈન સમાજમાં આનંદની હેલી ઉમટી હતી. આ તકે જૈન અગ્રણીઓએ સંઘ પૂજન, સમૂહ જાપ, નવકારશી  વિગેરે પ્રસંગોનો લાભ લીધો હતો. મનુભાઈ બાવીશી(ઇન્દોર)એ કાયમી સ્વામી વાત્સલ્યમાં રૂ.સાડા ચાર લાખનું અનુદાન જાહેર કરેલ. ધર્મ ભક્તિ ગૌ શાળા માટે રૂ.2.51 લાખ જાહેર કરાયા હતા.
ગૌશાળાના ટ્રસ્ટીઓને નવકાર મંત્ર ફ્રેમ અર્પણ કરાઈ હતી.  જીતુભાઈ દેસાઈના હસ્તે ઉત્તરાધ્યયન સુત્ર ને નીતાબેન દોશીના હસ્તે જીવન જાગૃતિ કેલેન્ડરની અર્પણ વિધિ કરાઈ હતી. આ તકે પ્રવચન કરતા ધીરજ્મુનીએ જણાવેલ કે સંપતિને સાચવનારા વોચમેન કહેવાય અને વાપરનારા માલિક કહેવાય ત્યારે ઉપસ્થિત જૈન શ્રેષ્ઠીઓએ આ વાતને તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)

 



ટિપ્પણીઓ નથી: