અનુયાયીઓ

મંગળવાર, 7 જૂન, 2011

MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ


MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ
ગત તા.૫.૬.૨૦૧૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ દ્વારા
વૃક્ષારોપણ નું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા અને સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના
સહયોગ થી કરવામાં આવેલું .જેતપુર ના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ઉદ્યાન મા આ વૃક્ષારોપણ
નું આયોજન થયેલ હતું જેમાં MYM ફાઉન્ડેસન ના સ્થાપક જેજે શ્રી પ્રિયાંક રાયજી,જેતપુર નવાગઢ
નગરપાલિકા પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલીયા,સીટી કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નંદાણીયા તેમજ
MYM ફાઉન્ડેસન ના તમામ સભ્યો એ હાજરી આપી હતી.જેજે શ્રી પ્રિયાંકરાયજી ના શુભ વરદ હસ્તે
અનેક વૃક્ષો ના છોડવા રોપાયા હતા. આજ ના સમય મા જયારે પર્યાવરણ મા અનેક પ્રકાર ના પ્રદૂષણો
માનવ જીવન ને ખુબ હાનીકારક સાબિત થઇ રહ્યા છે ત્યારે MYM ફાઉન્ડેસન દ્વારા અનેક વૃક્ષો ના રોપણ થી
પર્યાવરણ ને શુધ્ધ કરવા માટે નું આયોજન થયેલ હતું.આ પ્રસંગે જેજે શ્રી પ્રિયંક રાયજી એ કહ્યું હતું કે
"પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવવા દરેકે સાથે મળીને દર પંદર દિવસે એક વૃક્ષ નું વાવેતર યોગ્ય જગ્યા એ
કરવું જોઈએ અને તેનો પુરતો વિકાસ ના થાય ત્યાં સુધી તેનું જતન પણ કરવું જોઈએ" પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલિયા
એ જણાવ્યું હતું કે આવા દરેક કાર્યો મા નગરપાલિકા પુરતો સાથસહકાર આપશે અને નગરપાલિકા દ્વારા પણ
વાતાવરણ ને દુષિત થતું અટકાવવા ના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે. MYM ફાઉન્ડેસન ના UGNH પ્રોગ્રામ હેઠળ
G એટલે "ગ્રીન ગ્લોબ ", હરિયાળું વિશ્વ અંગે નું કાર્ય આ આયોજન દ્વારા સિદ્ધ થયું હતું .આ અવસરે સમિતિ સભ્ય
શ્રીમનીષભાઈ લાઠીગરા,શ્રી ગોવિંદભાઈ સતાસિયા,શ્રી લીલાધર ભાઈ પોસીયા,શ્રી મનીષભાઈ ધ્રુવ,
શ્રી મનીષભાઈ માવાણી વગેરે એ ખુબ જહેમત ઉઠાવી હતી .

MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ

MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ
ગત તા.૫.૬.૨૦૧૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ દ્વારા
વૃક્ષારોપણ નું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા અને સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના
સહયોગ થી કરવામાં આવેલું .જેતપુર ના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ઉદ્યાન મા આ વૃક્ષારોપણ
નું આયોજન થયેલ હતું જેમાં MYM ફાઉન્ડેસન ના સ્થાપક જેજે શ્રી પ્રિયાંક રાયજી,જેતપુર નવાગઢ
નગરપાલિકા પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલીયા,સીટી કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નંદાણીયા તેમજ
MYM ફાઉન્ડેસન ના તમામ સભ્યો એ હાજરી આપી હતી.જેજે શ્રી પ્રિયાંકરાયજી ના શુભ વરદ હસ્તે
અનેક વૃક્ષો ના છોડવા રોપાયા હતા. આજ ના સમય મા જયારે પર્યાવરણ મા અનેક પ્રકાર ના પ્રદૂષણો
માનવ જીવન ને ખુબ હાનીકારક સાબિત થઇ રહ્યા છે ત્યારે MYM ફાઉન્ડેસન દ્વારા અનેક વૃક્ષો ના રોપણ થી
પર્યાવરણ ને શુધ્ધ કરવા માટે નું આયોજન થયેલ હતું.આ પ્રસંગે જેજે શ્રી પ્રિયંક રાયજી એ કહ્યું હતું કે
"પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવવા દરેકે સાથે મળીને દર પંદર દિવસે એક વૃક્ષ નું વાવેતર યોગ્ય જગ્યા એ
કરવું જોઈએ અને તેનો પુરતો વિકાસ ના થાય ત્યાં સુધી તેનું જતન પણ કરવું જોઈએ" પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલિયા
એ જણાવ્યું હતું કે આવા દરેક કાર્યો મા નગરપાલિકા પુરતો સાથસહકાર આપશે અને નગરપાલિકા દ્વારા પણ
વાતાવરણ ને દુષિત થતું અટકાવવા ના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે. MYM ફાઉન્ડેસન ના UGNH પ્રોગ્રામ હેઠળ
G એટલે "ગ્રીન ગ્લોબ ", હરિયાળું વિશ્વ અંગે નું કાર્ય આ આયોજન દ્વારા સિદ્ધ થયું હતું .આ અવસરે સમિતિ સભ્ય
શ્રીમનીષભાઈ લાઠીગરા,શ્રી ગોવિંદભાઈ સતાસિયા,શ્રી લીલાધર ભાઈ પોસીયા,શ્રી મનીષભાઈ ધ્રુવ,
શ્રી મનીષભાઈ માવાણી વગેરે એ ખુબ જહેમત ઉઠાવી હતી .

બુધવાર, 1 જૂન, 2011

कई मछली मर गई पानी परदुषण के कारण

जेतपुरमें निकली व्यसन मुक्ति अभियान की रैली

દરેક નિર્વ્યસની એ વ્યસની ઓ નું વ્યસન છોડાવવું જોઈએ-પુ.જેજે શ્રી પ્રિયાંકરાયજી મહોદય શ્રી
ગઈ કાલે "વિશ્વ તમાકુ વિરોધી દિન "નિમિતે MYM -જેતપુર દ્વારા એક વીશાળ વ્યસનમુક્તિ અભિયાન રેલી
નું આયોજન કરવામાં આવેલું. શ્રી મોટી હવેલી જેતપુર થી શરુ થયેલી આ રેલી ને પુ.જેજે શ્રી પ્રિયાંક રાયજી
મહોદય શ્રી એ શરૂઆત આપી હતી. અને કહ્યું હતું કે તમાકુ તથા અન્ય વ્યસન ની ગંભીરતા વ્યસનીઓ એ
સમજવી જોઈએ,આવી જીવલેણ ચીજો નો હમેશ ને માટે ત્યાગ કરવો જોઈએ,દરેક નિર્વ્યસની લોકો એ દરેક
અઠવાડિયે એક વ્યસની ને વ્યસન માંથી મુક્ત કરવાની નેમ લેવી જોઈએ.લગભગ ૨૦૦ લોકો થી આગળ વધેલી
આ વિશાળ રેલી માં વ્યસન મુક્તિ ને લાગતા બેનર્સ તથા સાઇન બોર્ડ દ્વારા લોકો ને માહિતગાર કરવામાં આવેલ હતા.
એક ટ્રેક્ટર ની ફરતે MYM -જેતપુર દ્વારા ચાલતા વ્યસન મુક્તિ કેન્દ્ર ની જાહેરાતો તથા બીજા ટ્રેક્ટર માં શ્રી છોટુ ભાઈ સોની
તેમજ શ્રી ગુણુભાઈ માખેચા દ્વારા વ્યસન મુક્તિ ને લગતા સુત્રોચાર થતા હતા. શહેર ના મુખ્ય માર્ગો પર
નીકળેલી આ રેલી ને શહેરીજનો એ ખુબ આવકાર આપ્યો હતો.શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા ચાલતા
વ્યસન મુક્તિ કેન્દ્ર પુ.શ્રી બાલ કૃષ્ણ મહારાજ શ્રી નાં આશીર્વાદ થી ખુબ કાર્યરત છે.જેની આ તકે નોંધ લેવી જોઈએ.
લોકો વ્યસનો છોડી તેના પરિવાર માટે વિચારે તે એક સારું સુચન છે. આ રેલી માં પ્રમુખ શ્રી કિશોરભાઈ કાકડિયા
તથા યુવક મંડળ ના તમામ સભ્યો એ ભાગ લઇ રેલી ને સફળતા અપાવવા માં ખુબ જહેમત ઉઠાવી હતી.
મનીષ ધ્રુવ
માનદ મંત્રી
શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ-જેતપુર (MYM -JETPUR )

શુક્રવાર, 20 મે, 2011

JETPURNA BHUMAAFIYA NE BHU MAAFIYAGIRI મોંઘી PADI...JAMEEN PACHAVVA ગયા પણ જી ચડ્યા પોલીસ HAVALE


JETPURNA BHUMAAFIYA NE BHU MAAFIYAGIRI મોંઘી PADI...JAMEEN PACHAVVA ગયા પણ જી ચડ્યા પોલીસ HAVALE

જેતપુરના મેર યુવાને પત્નીના આડા સંબંધની શંકા એ ૨ યુવાનો ને પતાવી દીધા

જેતપુરના ૨ જીગરજાન મિત્રોની હત્યા થયાની પોલીસ ને આશંકા ?

જેતપુર ના ૨ જીગરજાન મિત્રો કૌશલ અને માનીશ ના તાજેતરમાં દવા પીવાથી મોત થયાનું પોલીચે ચોપડે નોંધાયું હતું. પણ આ બંને મૃતક મિત્રોના વાલીઓએ ગઈ કાલે જેતપુર પોલીસ માં પોતાના પુત્રોની દવા પીવડાવીને હત્યા કરાયાની શંકા વ્યક્ત કરતી એક ફરિયાદ કરતા સનસનાટી મચી ગઈ છે. પોલીસ પણ મૂંઝવણ ભરેલી અવસ્થામાં આ બનાવની તપાસમાં જોતરાઈ ગઈ છે.પોલીચે કહે છે કે મૃતક મિત્રોના વાલીઓની આ ફરિયાદ માં કેટલું તથ્ય છે ? તે તપાસમાં BAHAR આવ્યા વગર નહિ રહે. પોલીચે એવું પણ કીધું કે આ બંને મિત્રો મોતને ભેટ્યા તે દિવસે તેઓને કોઈક સાથે બોલાચાલી અને રકઝક થઇ હતી તે વાત ને સમર્થન મળે છે. પણ આ બનાવના આરોપી કોણ છે તે હાલ કહેવું મુશ્કેલ છે. કારણ આક્ષેપ તો કોઈ પણ કરી શકે. જોકે આ બનાવ ના જાણકારો કહે છે કે આ બનાવ હત્યાના ષડયંત્રનોજ છે.તેમાં શંકાને સ્થાન નથી. ત્યારે શહેર ના એક બાળકી બળાત્કાર પ્રકરણ અંગે કાઈ પણ ના ઉકલી શકનાર તેમજ ગઈ કાલેજ એક સોની મહિલાની ડોકમાંથી સોનાનું મંગળસુત્ર ઝૂંટવી હવામાં ઓગળી ગયેલા ચીલ ઝડપકારોને શોધવામાં વામણી સાબિત થયેલી જેતપુર પોલીસ ૨ મિત્રોના ભેદી મોતના બનાવમાં કેવુક પરિણામ લાવશે તે સમયજ બતાવશે. KASHYAP જોશી પત્રકાર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨