MYM ફાઉન્ડેસન દ્વારા પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ
ગત તા.૫.૬.૨૦૧૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિતે શ્રી મદનમોહન પ્રભુ યુવક મંડળ દ્વારા
વૃક્ષારોપણ નું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા અને સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના
સહયોગ થી કરવામાં આવેલું .જેતપુર ના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ ઉદ્યાન મા આ વૃક્ષારોપણ
નું આયોજન થયેલ હતું જેમાં MYM ફાઉન્ડેસન ના સ્થાપક જેજે શ્રી પ્રિયાંક રાયજી,જેતપુર નવાગઢ
નગરપાલિકા પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલીયા,સીટી કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નંદાણીયા તેમજ
MYM ફાઉન્ડેસન ના તમામ સભ્યો એ હાજરી આપી હતી.જેજે શ્રી પ્રિયાંકરાયજી ના શુભ વરદ હસ્તે
અનેક વૃક્ષો ના છોડવા રોપાયા હતા. આજ ના સમય મા જયારે પર્યાવરણ મા અનેક પ્રકાર ના પ્રદૂષણો
માનવ જીવન ને ખુબ હાનીકારક સાબિત થઇ રહ્યા છે ત્યારે MYM ફાઉન્ડેસન દ્વારા અનેક વૃક્ષો ના રોપણ થી
પર્યાવરણ ને શુધ્ધ કરવા માટે નું આયોજન થયેલ હતું.આ પ્રસંગે જેજે શ્રી પ્રિયંક રાયજી એ કહ્યું હતું કે
"પર્યાવરણ ને પ્રદુષણ થી બચાવવા દરેકે સાથે મળીને દર પંદર દિવસે એક વૃક્ષ નું વાવેતર યોગ્ય જગ્યા એ
કરવું જોઈએ અને તેનો પુરતો વિકાસ ના થાય ત્યાં સુધી તેનું જતન પણ કરવું જોઈએ" પ્રમુખ શ્રી સુરેશભાઈ સખરેલિયા
એ જણાવ્યું હતું કે આવા દરેક કાર્યો મા નગરપાલિકા પુરતો સાથસહકાર આપશે અને નગરપાલિકા દ્વારા પણ
વાતાવરણ ને દુષિત થતું અટકાવવા ના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે. MYM ફાઉન્ડેસન ના UGNH પ્રોગ્રામ હેઠળ
G એટલે "ગ્રીન ગ્લોબ ", હરિયાળું વિશ્વ અંગે નું કાર્ય આ આયોજન દ્વારા સિદ્ધ થયું હતું .આ અવસરે સમિતિ સભ્ય
શ્રીમનીષભાઈ લાઠીગરા,શ્રી ગોવિંદભાઈ સતાસિયા,શ્રી લીલાધર ભાઈ પોસીયા,શ્રી મનીષભાઈ ધ્રુવ,
શ્રી મનીષભાઈ માવાણી વગેરે એ ખુબ જહેમત ઉઠાવી હતી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો