અનુયાયીઓ

રવિવાર, 15 નવેમ્બર, 2020

સમાજને નિર્મળ વાતાવરણ પુરૂં પાડવા નિરાલો નિર્ણય લેતાં આચાર્યશ્રી નિમેશભાઈ વિસાવડીયા

 

૦૦૦૦૦૦૦૦૦૦

૧ વર્ષથી રોજનું ૨૬ કિલોમીટર અંતર કાપીને સાઈકલીંગ દ્વારા શાળાએ જઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે બન્યા પ્રેરણારૂપ ઉદાહરણ

૦૦૦૦૦૦૦૦૦૦

સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે, પરંતુ સ્વની સાથે અન્યને લાંબુ આયુષ્ય અને સ્વચ્છ વાતાવરણ આપવા આજનો થોડો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે

- નિમેશભાઈ

          મનુષ્યની જીવનકૃતિને સુંદર અને સુખમય બનાવવા અનેક રંગો અને અમુલ્ય ખજાનાઓથી ભરપૂર પ્રકૃતિ આગવી ભુમિકા ભજવે છે. પરંતુ આજે સ્વના ચિંતનમાં આપણે એટલાં મગ્ન થઈ ગયાં છીએ કે આપણી પાસે પ્રકૃતિનું ચિંતન કરવાનો સમય જ નથી. જગતજીત બનવા માટે પ્રકૃતિજીત બનવું આવશ્યક છે. અને એ ત્યારે જ થશે જ્યારે પર્યાવરણની બાબતમાં આપણા રોજીંદા વ્યવહાર અને વિચારોમાં આમુલ પરિવર્તન લાવીએ. પોતાના જીવનમાં નાના પરંતુ મહત્વના નિર્ણય થકી આવું જ પર્યાવરણલક્ષી પરિવર્તન લાવ્યા છે સન ફલાવર સ્કુલના આચાર્યશ્રી નિમેશભાઈ વિસાવડીયા.


 

          શિક્ષકો જ્ઞાનમંદિરરૂપી શાળામાં વિદ્યાર્થીઓને સારી-નરસી બાબતોની સમજણ આપી તેનું ઘડતર કરતા હોય છે. ત્યારે આચાર્યશ્રી નિમેશભાઈએ વર્તમાન અને ભવિષ્યની પેઢી સુંદર અને નિર્મળ હવા લઈ શકે તે માટે દષ્ટાંતરૂપ ઉદાહરણ બન્યા છે. કે જેઓએ માત્ર ભણાવી કે બોલીને નહીં પરંતુ શાળાએ જવા-આવવા માટે સાઈકલીંગને પરિવહનનું માધ્યમ બનાવીને વિદ્યાર્થી અને સમાજને શુદ્ધ હવાનું મહત્વ પ્રેકટીકલમાં સમજાવ્યું છે.

          ૧ વર્ષથી રોજનું ૨૬ કિલોમીટર અંતર કાપીને શાળાએ જતાં આચાર્યશ્રી નિમેશભાઈએ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,"અખબારમાં અવારનવાર વાંચતા હોઈએ છીએ કે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. શ્વાસને લગતી બીમારીઓ વધી રહી છે. આ બધું શેના કારણે થઈ રહ્યું છે તે જાણતા હોવા છતાં આપણે કશું કરતાં નથી. એક શિક્ષક તરીકે પર્યાવરણની આ બાબતમાં હું શું યોગદાન આપી શકું ? આ બાબત પર વિચાર કરતા ૧ વર્ષ પહેલા મેં નિર્ણય લીધો કે હવેથી હું શાળાએ જવા માટે સાઈકલનો ઉપયોગ કરીશ."


 

            સકારાત્મક વાતને રજુ કરવા માટે ઘણીવાર નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે મેં મારા નિર્ણય પર અમલ કર્યો ત્યારે ઘણાં લોકો મને રોકવાવાળા હતા અને ઘણાં તો મારા આ વિચારને હાસ્યમાં પણ ખપાવતા, શિક્ષકોને પણ અજીબ લાગતું. પરંતુ મેં આ બધી બાબતોને બેધ્યાન કરીને સાઈકલ ઉપર સ્કુલે જવાનું ચાલુ રાખ્યું. લોકડાઉન પહેલાંના સમયમાં મારી સ્કુલના ઘણાં વિદ્યાર્થીઓ મારામાંથી પ્રેરણા લઇને સ્કુલે સાઈકલ લઈને આવતા થયા હતા. જો કે આચાર્ય હોવાથી મારે તો હાલ પણ શાળાએ જવાનું થાય તો હું સાઈકલ લઈને જ જાઉં છું તેમ નિમેશભાઈએ જણાવ્યું હતું.

       જેમનું કાર્ય સ્થળ નજીક હોય તેમને સાઈકલ લઈને જવા માટે પ્રોત્સાહન આપતાં આચાર્ય વિસાવડીયાએ કહ્યું હતું કે, સમય બચશે એવું બહાનું લઈને વાહનનો વપરાશ કરતાં હોઈએ છીએ. પરંતુ એ વાત યાદ રાખવી જોઈએ કે સાઈકલીંગ દ્વારા સમયનો થોડો વ્યય અચુક થશે પરંતુ સ્વની સાથે અન્યોને લાંબુ આયુષ્ય અને સ્વસ્છ વાતાવરણ આપવા આજનો વ્યય ભવિષ્યનો મોટો નફો સાબિત થશે. કારણે કે આપણે જેવું આપશું તેવું પામશું. તો ચાલો આજથી જ આપણે પર્યાવરણને કેવી રીતે પ્રદૂષિત થતું અટકાવીને તેનો સદ્ઉપયોગ કરી શકીએ તેનો વિચાર-અમલ કરીને કુદરતનું ઋણ ચુકવીએ."

પ્રિયંકા પરમાર                          ૦૦૦૦૦૦૦૦૦૦૦૦

કોરોનાથી બચવા સાવધાની અને સાવચેતી રાખવી આવશ્યક : આશિષ ભૂત

 



૦૦૦૦૦

રાજકોટ સિવિલમાં મળેલ સઘન સારવારથી કોરોનામુક્ત બનતા કોરોનાગ્રસ્ત દર્દીઓ

૦૦૦૦૦

 

સમગ્ર રાજ્યમાં કોરોનાને નાથવા હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચોવીસ કલાક અવિરત સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેઓની નિઃસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો સંક્રમણ મુકત બની સ્વગૃહે પરત ફરી રહ્યા છે. 

આવા જ એક વ્યક્તિ 30 વર્ષીય આશિષ ભૂત એ સિવિલ હોસ્પિટલેથી સ્વસ્થ થયા બાદ સ્વગૃહે પરત ફરતા કોરોનાથી બચવા સાવધાની અને સુરક્ષા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "કોરોનાના અનુભવે મને એટલું શીખવ્યું છે કે, પ્રીકોશન્સ આર બેટર ધેન ક્યોર એટલે કે, તમે જેટલાં સ્વયં પ્રત્યે સાવધાન અને સતર્ક રહેશો, તેટલા જ તમે કોરોના સામે સુરક્ષિત રહેશો. મારુ લોકોને માત્ર એટલું જ કહેવું છે કે, તમે કોરોનાના સકંજામાં આવો એ પૂર્વે જાગૃત બનો અને સરકારની સૂચનાઓનું પાલન કરો. કારણકે, કોરોના કરતાં તેનો ડર વધુ હાનિકારક છે.કોરોનાના આ સમયમાં પ્રત્યેક વ્યક્તિના મનમાં મારૂં શું થશે ? મારા પરિવારનું શું થશે ? હું કેમ બચીશ ? હવે શું થશે ? આ ડર ફેલાયેલો છે, તેને દરેક લોકોએ મનમાંથી દૂર કરીને થોડી સાવધાની રાખવી પડશે. કોરોનાથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત થયા હોય, કે પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેની તુરત જ સારવાર લઈએ. અને થોડો સમય હોમ ક્વોરન્ટાઈન થઈએ જેથી આપણે આ રોગથી ઝડપથી મુક્ત થઈ શકીએ."

            તેઓ પોતાના કોવીડ સેન્ટરના અનુભવને વર્ણવતા જણાવે છે કે,"થોડાં દિવસો પૂર્વે મને અસ્વસ્થતા જણાતાં મેં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો જ્યાં મારો કોવિડ-૧૯નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, એટલે હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો, જયાં હું ૬ દિવસ કોરેન્ટાઇન રહ્યો. અહીં અમને સારવાર સાથે ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થઈ. સમરસ ખાતે પ્રતિદિન સવારે ઉકાળો, બપોરે સ્વાસ્થ્યપ્રદ આહાર અને સાંજે હળદરવાળું દૂધ આપવામાં આવતું. હાલ હું સ્વસ્થ છું પરંતુ હવેથી હું મારી જાત પ્રત્યે વધુ સાવધ રહીશ, નિયમિત હાથમોજાનો ઉપયોગ કરીશ અને સમયાંતરે સાબુથી હાથ ધોતો રહીશ."

આશિષભાઈની જેમ દરેક નાગરિકે કોરોના અંગે સાવચેતી અને સલામતી રાખવી આવશ્યક છે જેથી કોરોનાનાં સંક્રમણથી બચી શકાય .

 

શુભમ અંબાણી                              ૦૦૦૦૦

જામકંડોરણા : બટુકભોજન કરાવાયું...


ગૌ સેવા સમિતી ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા પછાત વિસ્તારમાં જઈ ને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દિવાળી ના તહેવાર નિમિત્તે ગરીબ બાળકો ને બટુક ભોજન કરાવીને દીવાળી ની ઉજવણી કરી હતી.ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા વાંઝા વાસ વિસ્તાર અને ઇન્દિરા નગર ના વિસ્તાર ના બાળકો ને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.જેમાં ગૌ સેવા સમિતિ ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી,ટ્રસ્ટી વનરાજસિંહ ચૌહાણ,શ્રી રાજપુત કરણી સેના જામકંડોરણા ના મહામંત્રી જીતેન્દ્રસિંહ વાળા ચરેલ,સુરેન્દ્રસિંહ વાળા,અશોકભાઈ બારોટ,ભુપતભાઇ, બીમલસિંહ ઝાલા, શક્તિસિંહ વાળા,અજય રાઠોડ,એલવીનભાઈ,ધીરુભાઈ મઢવી,સાગર મોરી અને ગૌ સેવા સમિતિ ના સભ્યો એ જેહમત ઉઠાવી હતી.

ક્રિપાલસિંહ જાડેજા..પીપરડી

જેતપુરમાં આવતી કાલે નૂતન વર્ષ નિમિતે ધાર્મિક સ્થળોમાં અન્નકૂટ ના દર્શન

 જેતપુરમાં આવતી કાલે નૂતન વર્ષ નિમિતે ધાર્મિક સ્થળોમાં અન્નકૂટ ના દર્શન

     શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ દિવાળી ના બીજા દિવસે નૂતન વર્ષ નિમિતે અન્નકૂટ ના દર્શન યોજાતા હોય છે. જે આ વર્ષે પણ આવતી કાલે તા. ૧૫ રવિવાર ના રોજ હવેલી તેમજ સ્વામી નારાયણ મંદિર માં ઠાકોરજી ને અન્નકૂટ ધરાશે. મોટી હવેલી ખાતે સાંજે ૫ થી ૭, સ્વામી નારાયણ મંદિરે તેના નિત્ય સમય મુજબ સવારે ૯ વાગ્યા થી, બાવાવાળાપરા મથુરેશજી હવેલી ખાતે મહામારી ને ધ્યાને લઈ ભીતર અન્નકૂટ ઠાકોરજી ને ધરાશે. જેના દર્શન નો લાભ લેવા ભાવિક ભકતો અનુરોધ કરાયો છે.

બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી *સાદાઈપૂર્વક* કરવામાં આવશે.


 ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો *દીપોત્સવી તેમજ નૂતન વર્ષનો ઉત્સવ* બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાતો રહ્યો છે.



👉🏻 હાલ, કોરોના મહામારીમાં, સમયની માંગ, પ્રશાસનના નિયમ અને નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈને બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી *સાદાઈપૂર્વક* કરવામાં આવશે. 


👉🏻 લાઇવ પ્રસારણ માટેની લીંક *GTPL કથા ચેનલ 555* તથા *live.baps.org* 


👉🏻 તા.૧૫ નવેમ્બર, રવિવારે સવારે ૮ થી ૯ દરમ્યાન *ઓનલાઈન* અન્નકૂટ દર્શન

👉🏻 તા.૧૬ નવેમ્બર, સોમવારે સવારે ૬ થી ૭:૩૦ દરમ્યાન *ઓનલાઈન* નૂતનવર્ષ મહાપૂજા 


👉🏻 રાજકોટ *બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર 🛕* ખાતે યોજાનાર અન્નકૂટના દર્શન ભક્તો-ભાવિકો સોશિયલ ડીસ્ટન્સ સાથે સવારે ૭:૪૫ થી ૧૨ અને સાંજે ૩:૪૫ થી ૭ વાગ્યા સુધી કરી શકશે. 

👉🏻 દર્શન તેમજ વાહન પાર્કિંગ માટે *ગેટ નંબર ૧* થી જ પ્રવેશ કરવાનો રહેશે. મંદિરે દર્શન માટે પધારીએ ત્યારે ફરજિયાત માસ્ક, સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

  

*👉🏻 આપ સૌ મીડિયાના મિત્રો આવતીકાલે મંદિરે સમગ્ર દિવસ દરમ્યાન સવારે ૮:૪૫ થી ૧૨ વાગ્યા સુધી અન્નકૂટ દર્શનનું કવરેજ લઇ શકશો.*

*👉🏻 આ વર્ષે કોરોના મહામારીને અનુલક્ષીને, દર વર્ષે યોજાતા મહાઅન્નકૂટને બદલે મર્યાદિત વ્યંજનો સાથે સાદગીપૂર્વક અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવશે.*

*👉🏻 આપ જ્યારે મંદિરે પધારો ત્યારે નીચે  જણાવેલ મીડિયા કો ઓર્ડીનેટરનો જ સંપર્ક કરવો.*

નિર્મલ ટાંક - *9033766561*

નયન કલોલા - *7096466717*

આત્મનિર્ભર યોજના થકી લોન મળતાં મને જીવનમાં આગળ વધવાની આશા બંધાઈ છે - એડવોકેટ નીલમબેન લુંભાણી

 આત્મનિર્ભર યોજના થકી લોન મળતાં મને જીવનમાં


આગળ વધવાની આશા બંધાઈ છે


- એડવોકેટ નીલમબેન લુંભાણી



000000000


સગર્ભા મહિલાનો દ્રઢ નીર્ધાર, આત્મનિર્ભર યોજનાએ ખરા અર્થમાં નાગરિકોને બનાવ્યા આત્મનિર્ભર


0000000000


સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે તેના સંક્રમણને અટકાવવા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેના પગલે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ ધંધા-વ્યવસાય બંધ રહ્યા અને તેની વ્યાપક અસરો પડી. તેમાં વકીલાતનું ક્ષેત્ર પણ બાકાત ન રહ્યું. ઉપરાંત નાના વ્યવસાયકારો, કારીગરો, મજૂર-શ્રમિક વર્ગ ઉપર માઠી અસરો વર્તાઈ. રાજ્ય સરકારે આ પરિસ્થિતિનો તાગ મેળવી, તેને નિવારવા માટે તુરંત જ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ તથા ૨ જાહેર કરી. જેના પરિણામે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના લોકડાઉન બાદ ફરી લોકોના ધંધા-રોજગાર શરૂ કરવામાં પ્રાણવાયુ સાબિત થઈ રહી છે.  ત્યારે આ યોજનાના લાભાર્થી રાજકોટના ક્રિમિનલ એડવોકેટ નીલમબેન લુંભાણી પોતાના વ્યવસાયને ગતિ આપવા માટેનો નવો ઉત્સાહ અને દ્રઢ નિર્ધાર વ્યક્ત કરે છે.


            આ અંગે વાત કરતા નીલમબેન જણાવે છે કે, "લોકડાઉનનો સમયગાળો ખુબ જ કપરો હતો, હું ચિંતામાં હતી કે હવે આગળ શું થશે ? આવા સમયે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી, જે અમારા માટે પીઠબળ સમાન સાબિત થઇ,  આ યોજનાનાં લાભ લેવા માટેના ફોર્મ વિતરણની જાહેરાત થતા હું રાજકોટની જીવન કોમર્શિયલ બેન્કમાં ગઈ, જ્યાંથી મેં લોન વિશે માહિતી મેળવીને જરૂરી દસ્તાવેજો જોડીને લોન મેળવવા માટે અરજી કરી હતી. જે બાદ મારી અરજી સ્વીકારાતા મને આત્મનિર્ભર યોજના અંતર્ગત રૂા. ૨.૫૦ લાખની લોન મળી છે. આ લોન થકી અત્યારે હું મારી ઓફિસનું રીનોવેશન કરાવી રહી છું, હવે હું ટેક્નોલોજી સાથે તાલ મિલાવીને આધુનિક અપડેશન મુજબ કાર્ય કરીશ, હાલ મારી સગર્ભા અવસ્થાનો આઠમો મહિનો ચાલે છે, ત્યારે આ લોન થકી હું મારા આવનારા બાળકનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકીશ, ખરેખર ! આત્મનિર્ભર યોજના થકી જીવનમાં આગળ વધવાની અને ફરી વાર બેઠા થવાની આશા બંધાઈ છે, આ લોનને કારણે અમે ફરી એક વાર આત્મનિર્ભર બની રહ્યા છીએ અને આર્થિક રીતે ટેકો પણ મળ્યો છે."


            આમ, ગુજરાતની સંવેદનશીલ સરકારની આત્મનિર્ભર સહાય યોજનાએ સાચા અર્થમાં કેટલાય પરીવારોને લોન આપીને પુનઃ બેઠા કરીને તેઓને આત્મનિર્ભર બનાવ્યા છે.  


00000000000


શુભમ અંબાણી, રાજકોટ

શનિવાર, 14 નવેમ્બર, 2020

શબ્દછળથી સંસ્કૃતિનો નાશ નૂતન વર્ષે હેપ્પી ન્યુ યર નહીં પણ મંગલ કામના

નૂતન વર્ષે સામાન્ય રીતે આપણે બધાને સાલમુબારક કે હેપ્પી ન્યુ યર કહેતા હોઈએ છીએ, સવારમાં ઉઠતા જ આપણે સામાન્ય રીતે ગુડ મોર્નીંગ કહેતા હોય છે. કોઈના લગ્નમાં જઈએ તો કોન્ગ્રેચ્યુલેશન્સ કહેતા હોઈએ છીએ. પરંતુ આ શબ્દો વાપરવાથી જે વ્યક્તિને આ શબ્દ કહ્યો હોય તે દિવસ દરમ્યાન કે પોતાના સમગ્ર વર્ષ દરમ્યાન, દિવસ દરમ્યાન કે લગ્નજીવન દરમ્યાન જે કંઈ કાર્ય કરે તેમાં અનુમોદના સ્વરૂપે તે કાર્યમાં આપણે ભાગીદાર થઈ જતા હોઈએ છીએ. કોઈપણ વ્યવહારીક પ્રસંગમાં આવા સમયે મંગલ કામના શબ્દ વાપરવાનો આપણને મહાપુરૂષોએ આદર્શ આપ્યો છે. આ શબ્દ આધ્યાત્મિક હોવાથી તેમની સવાર, તેમનું વર્ષ કે તેમનું જીવન આખરે મંગળમય અને કલ્યાણકારી બને તેવી ભાવના આ શબ્દોમાં છૂપાયેલી છે.


સવારમાં ઉઠતી વખતે વિમલશ્રી સુપ્રભાતમ કહેવાનો આપણે ત્યાં રિવાજ હતો. પેથડશાના પરીવારના સુશ્રાવિકા વિમલશ્રી શ્રી જિનમંદીરે દર્શન કરવા જતા ત્યારે સવા શેર સોનાના સિક્કાનું દાન કરતા. તેમની આ દાનવૃત્તિ એટલી બધી પ્રશંસાને પામી હતી કે ત્યારપછી યાચકો જ્યારે પણ યાચના કરવા નીકળે ત્યારે વિમલશ્રી સુપ્રભાતમ્ની આહલેક જગાડતા હતા. આ શબ્દ જેને સંભળાય તેના ઘરમાં મંગળ થતું હતું. બેસતા વર્ષે મીઠાની નાનકડી ગાંગડી આપીને સબરસના ઉચ્ચારણ દ્વારા આજે પણ ગામડાઓમાં ક્યાંક ક્યાંક આ પરંપરાઓ જીવંત છે.


શબ્દછળ દ્વારા સંસ્કૃતિનો નાશ એ શ્રી વેણીશંકર મુરારજી વાસુનું પુસ્તક આ વિષયમાં સુંદર પ્રકાશ ફેકે છે. સ્વરાજ મળ્યાને 70 વર્ષ થયા પરંતુ ગોરાઓની ભેદી ચાલની અંતર્ગત છૂપાયેલા ગગનભેદી ષડયંત્રોની જાણ હજી પારખવામાં આપણે ઘણા અજાણ છીએ. નાના-મોટા સમજુ-અણસમજુ બધા લોકો જ્યારે 31 મી ડિસેમ્બરને વિદાય આપવા અને રાત્રે 12 વાગે કોઈ પાર્ટીઓમાં, પબમાં કે હબમાં આ દેશની ઋષિ અને કૃષિ સંસ્કૃતિ સાથે જરાપણ સુસંગત ન થાય તેવા તહેવારો અને વહેવારો ઉજવતા જેને માં તરીકે બીરૂદ મળ્યું છે તેવી ભારત માતાની હૃદયમાં ખૂની શેરડો પડતો હશે તેમાં શંકાને સ્થાન નથી.


આ વિશ્ર્વની સાહસયુક્ત અને બાહોશ એવી ધીમંત અને શ્રીમંત પ્રજા તરીકે ભારતીયોની ગણના થતી. તે 120 કરોડ ભારતીયોને યુરેનિયમ બોમ્બથી નાશ કરવાનો મનસૂબો પૂરો થાય તેમ હતું નહીં તેથી આયોજનપૂર્વક ગણતરીબદ્ધરીતે તેનો અણજાણપણે નાશ થઈ જાય તેવા પેંતરાઓ રચવામાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચવામાં આવ્યા છે. એક તળાવમાંથી બધી માછલીઓને દૂર નહીં કરી શકાય પરંતુ તેમાં રહેલું પાણી સુકવી નાખો એટલે બધા માંછલાઓ એકસાથે સામુહિક મૃત્યુ પામે છે. તેમાં આટલી મોટી પ્રજાનો દ્રવ્યનાશ શક્ય ન હતો તેથી તેનું સંસ્કૃતિ નામનું પાણી જો સુકવી નાંખવામાં આવે તો શરીર ઊભું રહેશે પરંતુ અંદરનો માણસ મૃત્યુ પામશે. અને તેના પ્રથમ ચરણમાં આ પ્રજાને તેની માતૃભાષાથી વિખૂટી કરી દેવામાં આવી. અને તેનાથી બીજી અનેક બાબતોનું વિલીનીકરણ આપોઆપ થવા લાગ્યું.


જન્મદિન નિમિત્તે ગુજરાતી તિથિને બદલે અંગ્રેજી તારીખે જ્યારે 80 અને 90 વર્ષના માજીઓ પાસે મીણબત્તીઓ ઓલવવામાં આવે એ આ સંસ્કૃતિ મરણને શરણ થવાની છે તેનું અપશુકન જાણે કરાવાય છે. આપણે ત્યાં શુભ પ્રસંગોએ દીવાઓ પ્રગટાવવામાં આવતા હતા. ઘરની બહાર જાય તો પણ પ્રગટાવેલો દીવો માંગલિક (બંધ) કર્યા વગર જવાનો રીવાજ હતો. જુઓ બંધ ને બદલે પણ માંગલિક શબ્દ મુક્યો છે. આપણા વડવાઓની દુરંદેશી તો જુઓ અપેક્ષાએ ભારે એવા મંગળ ગ્રહનું નામ પણ મંગળ રાખ્યું. એટલે અડધું અપમંગળ તો મંગળ શબ્દ બોલવાથી જ દૂર થઈ જાય. મૃત્યુ પામે ત્યારે મરી ગયા એ શબ્દ હલકો ગણાતો, ગુજરી ગયા શબ્દ મધ્યમ ગણાતો. પણ અસલમાં શાંત થયા તે શબ્દ વપરાતો હતો. સમગ્ર જીવનની અધ્યાત્મની ફિલસૂફી શાંત થયા શબ્દથી પ્રસ્થાપિત થઈ જતી. હજી તો નવ સદી પહેલા કુમારપાળ રાજાના રાજ્યમાં કોઈ માર શબ્દ બોલે તો તેનું ધન હણી લેવામાં આવતું હતું. તે જ દેશમાં હું તને મીસ્ડ કોલ મારૂ છું એવું આપણે કેટલીવાર પ્રયોજીએ છીએ? સેક્ધડે સેક્ધડે ઓકે શબ્દ બોલતા આપણને ખ્યાલ નથી કે તેને બદલે ત્યાં શુકનશાસ્ત્ર કહે છે કે ભલે શબ્દ વાપરવો. પ્રયત્નો કરી જો જો આપને ચોક્કસ ફરક જણાશે.


આવો કમ સે કમ તારીખ લખતી વખતે વીર સંવત અને વિક્રમ સંવતને યાદ કરતી ગુજરાતી તિથિઓ લખીને તેની સાથે જોડાયેલી ધર્મ અને સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખી અને તારીખ કદાચ લખીએ તો પણ ત્યારે આ અંગ્રેજી તારીખ છે એટલું લખવાનું ન ભુલીએ તો ક્યારેક ફિનિક્સની જેમ આ શબ્દોની રાખમાંથી સંસ્કૃતિની તવારીખ પેદા થયા વિના નહીં રહે.

લેખક : અતુલકુુમાર વ્રજલાલ શાહ, સી.એ.

ભેમાપુર-મોડાસામાં ઝૂંપડપટ્ટીમાં મીઠાઈ વિતરણ..


ભેમાપુર તેમજ મોડાસામાં ઝૂંપડપટ્ટી માં મીઠાઈ વિતરણ 150 બોક્સ માં મોહનથાળ બુંદી જલેબી બનાવી ને  વોટ્સએપ ગ્રુપ માનવસેવા જીવદયા ના વિવિધ દાતાઓ થી છેલ્લા 8 વર્ષ થી જરૂરિયાત વાળા બાળકો ને મદદરૂપ થવાનું કામ ટીમ લીડર અલકાબેન ઉપાધ્યાય કરી રહ્યા છે..

મયુર શાહ..સુરેન્દ્રનગર

જૂનાગઢના તત્કાલીન ડીવાય.એસ.પીને 3 વર્ષની સજા ફાટકારતી કોર્ટ

 જુનાગઢમાં ડીવાયએસપી તરીકેની ફરજ બજાવતા જે.બી.ગઢવીને વર્ષ ૨૦૦૬ ના કેસમાં સગીર સાથે મારકૂટ કરવાના ગુનામાં દેવગઢ બારીયા કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. વર્ષ ૨૦૦૬ માં

દેવગઢ બારીયાના પોલીસ સબ ઇસ્પેક્ટર તરીકેની ફરજ સમયે એક સગીરને માર માર્યો હતો. કોર્ટે ડીવાયએસપીને સજા ફટકારતા આ મામલો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

ડીવાયએસપીને જે કેસમાં સજા મળી છે તે કેસ ર૦૦૬ના વર્ષનો છે. જેમાં તેમણે PSI તરીકે ફરજ દરમિયાન એક સગીરની ગેરકાયદે રીતે અટકાયત કરી

 હતી.જે બાદમાં તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ તેઓ જૂનગાઢના કેશોદ ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.કેસની વિગત જોઈએ તો ૧૩મી

 ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ દેવગઢ બારીયાના તત્કાલિન પીએસઆઈ ગઢવીએ બેંણા ગામના એક યુવક સરજનકુમાર પસાયાની ગેરકાયદે રીતે અટકાયત કરી હતી.જે બાદમાં યુવકને દંડાથી માર મારવામાં આવ્યો હતો. જોકે, બાદમાં આ યુવક સગીર હોવાનું માલુમ પડ્યું હતું. આ બનાવ બાદ સગીરે દેવગઢ બારીયા કોર્ટમાં આ મામલે ફરિયાદ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આઈપીસીની ક્લમ ૩ર૩ અને ૩ર૪ હેઠળ અલગ અલગ સજા ફટકારી કુલ ત્રણ વર્ષની સજા તેજ દંડ ફટકાર્યો છે. ડીવાયએસપી ક્ષાના અધિકારીને સજા થઈ હોવાની વાત સામે આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

રાજકોટના દિવાળી ધમાકેદાર ઉજવણી

 કોરોના મહામારી ભલભલાને અકળાવી દીધા છે. મોટા ભાગના લોકોમાં ભારે ડર અનુભવાઇ રહ્યો છે. લોકો વધુ પડતા બહાર નીકળવામાં ભારે અકળામણ અનુભવી રહ્યા છે ત્યારે આજે દીપોત્સવી પર્વની રાજકોટવાસીઓ ધમાકેદાર ઉજવણી કરી હતી.

 શહેરીજનોમાં કોરોના નામની મહામારી રીતસરની ભુલાઈ ગઈ હોવાનું જોવા મળતું હતું .રાજકોટમાં કોઈને કોરોનાનો ભય દેખાતો ન હતો. સરકારે ફટાકડા ફોડવામાં જાહેરનામુ બહાર પાડીને ફટાકડા ફોડવા અંગે સમય જાહેર કર્યો હોવા છતાં રંગીન રાજકોટવાસીઓએ આવા સરકારી જાહેરનામાનો બેરોકટોક ઉલાળિયો કરી ને મન મૂકીને ફટાકડા ફોડ્યા હતા.


ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2020

જુનાગઢ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂની ચાલતી ભઠ્ઠી પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ

જુનાગઢ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂની ચાલતી ભઠ્ઠી પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ


જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મહેન્દ્રસિંહ પવારની સુચના તેમજ

પોલીસ અધિક્ષક  રવિતેજા વાશમ શેટ્ટીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતી સંપુર્ણપણે ડામી દેવા સૂચના આપી હતી.

જિલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગે.કા.પ્રવૃતિને સદંતર નેસ્ત નાબુદ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા વિસ્તારમાં હાલમાં પ્રોહી/જુગાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય. 

જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર રાજદીપસિંહજી કે.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી ડીજી.બડવા પો.સ્ટાફ સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર હતા. દરમ્યાન પો.સ.ઇ. શ્રી ડી.જી.બડવા નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ ગણેશનગર કામદાર સોસાયટીમાં રહેતા પ્રોહી બુટલેગર બકુલ હરજી દેવીપુજક તથા તેનો દિકરો ગૌતમ બકુલ, ગોપાલ બકુલ, દીવાન બુકલ ચારેય જણા પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગે.કા. રીતે દેશી પીવાના દારૂની ભઠ્ઠી ગાળે છે અને તેની આ પ્રવુતી હાલ ચાલુ છે.

જે હકિકત અન્વયે મજકુર પ્રોહી બુટલેગરના રહેણાંક મકાને રેઇડ કરતા ગેરકાયદેસર દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠી તથા દેશી પીવના દારૂનો જથ્થો મળી આવતાં પ્રોહી લગત મુદામાલ કબજે કરી જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ...કબજે કરવામાં આવેલ મુદામાલ આથો આશરે લી,૪૮૦૦ બેરલ સહીત કિ.રૂ.૧૪,૮૦૦/

દેશી દારૂ ભરેલ ૪૦-૪૦ લીટરના પ્લા.ના કેરબા નં.૭ તથા સિમેન્ટના બાચકા નં.૫ જેમાં પ્લાસ્ટીકના બુંગીયા નં. ૨૯ દારૂ લી.૪ ૨પ કેરબા સહિત કિ.રૂ.૮,૮૫૦, તગારા ને ૨ કિ.રૂ. ૨૦૦/-, - ગેસના બાટલા .-૬ કિ.રૂ.૬૦૦૦/-, ગેસના ભઠીના બેરલ નં.૨ કિ.રૂ.૪૦૦/-, ઇલેકટ્રીક મોટર નળી સહીત કિ.રૂ. ૧૦૦૦/ બર્નર નં.-૨ કિ.રૂ.૨૦૦/-, મો.સા. રજી.નં. જીજે-૦૩-એલઇ-૭૦૭૪ કિ.રૂ.૩૫,૦૦૦/- મળી..કુલ કિ.રૂ.૬૬૪૫૦/

પકડાયેલ આરોપી :

દિવાન બકુલભાઇ ઝાલા દેવિ પુજક રહે. જુનાગઢ કામદાર સોસાયટી જુનાગઢ

સારી કામગીરી કરનાર પો.અધિ/કર્મચારી: બી. કે.સોનારા, બી.બી.ઓડેદરા, એસ.એ.બેલીમ, તથા પો.કો. ડાયાભાઇ કાનાભાઇ કરમટા, કરશનભાઇ જીવાભાઇ કરમટા, દિનેશ જગમાલભાઇ કરગીયા, વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.

રવિવાર, 12 એપ્રિલ, 2020

જામનગરના છાત્રનું અનોખું યોગદાન !! ગુડ ન્યુઝ : PM મોદીનું ચિત્ર વેચીને વડાપ્રધાન રાહતનિધિ ફંડમાં અર્પણ કરશે તમામ રકમ

www.lokcharcha.in
જામનગરના છાત્રનું અનોખું યોગદાન !!

ગુડ ન્યુઝ : PM મોદીનું ચિત્ર વેચીને વડાપ્રધાન રાહતનિધિ ફંડમાં અર્પણ કરશે તમામ રકમ !
(કશ્યપ જોશી)


સમગ્ર દેશ આજે કોરોનાની લપેટમાં સપડાઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં અનેકવિધ આ સેવાયજ્ઞ ચાલી રહ્યા છે. જેમાં નાની મોટી સેવાભાવી સેવાભાવી સંસ્થાઓ તેમજ નાના-મોટા દાતાઓ પોતપોતાની રીતે આર્થિક સહયોગ રૂપે આહુતિ  આપી રહ્યા છે. ત્યારે મૂળ જામનગરનાં અને હાલ વડોદરા ખાતે અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીએ પણ પોતાની રીતે વડાપ્રધાન રાહત ફંડમાં ફંડમાં બનતું યોગદાન આપવા સુંદર વિચાર કર્યો છે.

મૂળ જામનગરનાં અને હાલ વડોદરા ખાતે નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ ફેકલ્ટીમાં એમટેક કરતા ભાવિક જગદીશભાઈ પરમાર નામના નામના પરમાર નામના  તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે સાથે પહેલેથી જ પેઈન્ટિંગનો પણ ભારે શોખ ધરાવે છે. અત્યાર સુધીમાં તેમણે અનેક ચિત્રો દોર્યા છે.

તે પોતાના કલાના કામણ કેનવાસ પેઇન્ટિંગ પર પાથરી રહ્યો છે. ગત 2016 ના વર્ષમાં તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હુબહુ કેનવાસ પેઇન્ટિંગ  બનાવ્યું હતું.  આ ચિત્રને તે હાલ સમગ્ર દેશની જનતા સમક્ષ મૂકી રહ્યો છે. ભાવિકે  કહ્યું કે આ ચિત્ર તે વેચવા માંગે છે છે અને તેનાથી મળનારી તમામ રકમ કોરોના વાયરસને નાથવા માટે કેન્દ્ર સરકારે ખોલેલા વડાપ્રધાન રાહત ફંડમાં આપવા માગે છે.

ત્યારે દેશ અને રાજ્યભરની જનતાએ આ યુવાન છાત્રના દેશ પ્રત્યેના લગાવને   આગળ ધપાવવા તેમજ પ્રોત્સાહન આપવા માટે પેન્ટિંગના ખરીદવાનો પ્રયાસ કરવામાં આવે કેવી આશા ભાવિક પરમાર વ્યક્ત કરી રહ્યો  છે.

તેમણે ટેલીફોનિક સંપર્ક દરમિયાન પત્રકાર કશ્યપ જોશીને જણાવ્યું હતું કે આજે દેશમાં કોરોના વાયરસ ના લીધે લીધે સરકારે lockdown અમે બનાવ્યું છે છે બનાવ્યું છે છે. ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગ વર્ગ મધ્યમ વર્ગ પોતપોતાનું ગુજરાન ચલાવવા ભારે હાડમારી ભોગવી રહ્યો છે.

આવા સમયે રાજ્ય અને કેન્દ્ર સરકારે રાહત નિધિ ફંડ શરૂ કરીને દેશના દાતાઓને આર્થિક સહયોગ આપવા અપીલ કરી હોવાથી  આ વાતમાં ભાવિક પોતે પણ પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે.   તેમણે આ રીતે પોતાનું નરેન્દ્ર મોદીનું દોરેલુ કેનવાસ પેન્ટિંગ પ્રજા સમક્ષ મુકીને તેની આવક વડાપ્રધાનના રાહતનિધિ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે છે. ભાવિકના આવા વિચારને જાણી ગયેલા લોકોમાં ભાવિકની સરાહના થઈ રહી છે. આ માટે વિશેષ જાણકારી માટે લોકો તેમનો મોબાઈલ નંબર  7878 989399 પર સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.



સોમવાર, 16 ડિસેમ્બર, 2019

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના ચોરી કરનાર ચાર શખસ પકડાયા

મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના
ચોરી કરનાર ચાર શખસ પકડાયા

વણ શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી
રાજકોટ ગ્રામ્ય એલ. સી.બી.

(કશ્યપ જોશી)
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ વણશોધાયેલ
મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપી હતી. જે અન્વયે એલ સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઈન્સ.  એમ.એન રાણાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ મિલકત વિરૂધ્ધ ના ગુન્હા કરતા ગુન્હેગારોનાં શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા.

 તે દરમ્યાન પો. હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પો. કોન્સ. નારણભાઇ પંપાણિયા, દિવ્યેશભાઈ સુવા, કૌશીકભાઇ જોષી એમ ચારેય ના સંયુકતમાં ચોક્કસ ખાનગી બાતમીદાર મારફતે મળેલ હકિકત આધારે ચાર શખસને ચોરીના મુદ્દામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી દબોચી વણશોધાયેલ
ગુન્હાના ભેદ ઉકેલવામાં આવેલ છે.



એલસીબીના પીઆઇ મહેન્દ્રસિંહ રાણાના જણાવ્યા અનુસાર પકડાયેલા તસ્કરોમાં દિનેશભાઇ બનસીંહભાઇ મોરી જાતે. આદિવાસી ઉ.વ. ૨૬ ધંધો- ખેતમજુરી રહે- મડલીકપુર ગામની સીમ
અરવિંદભાઇ સેજલીયાની વાડી માં તા. જેતપુર મુળ ગામ- ડોબડી તા.ટોડા જી.ધાર (મધ્યપ્રદેશ),
 ગીરધરભાઇ રેયસીંગભાઇ પવર જાતે આદિવાસી ઉ.વ ૩૦ ધંધો ખેત મજુરી રહે. પાયાપર ગામ ની સીમ
નજરૂભાઇ ની વાડી એ તો,જી. મોરબી ટંકારા મુળ ગામ- તેગવલી ગામ તા, ટાંડા જી.ધાર (મધ્યપ્રદેશ),



 કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર જાતે- આદિવાસી ઉ.વ. રપ ધધો- ખેત મજુરી રહે- મંડલીકપુર ગામની સીમ, બાલુભાઈ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ તા. નરવાલી જી. ધાર એમપી તથા અર્જુનભાઈ સમરૂભાઇ પવર જાતે- આદિવાસી ઉ.વ ૨૦ ધંધો- ખેત મજુરી રહે- જેતલસર ગામની સીમ, રતીભાઇ
પટેલ ની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ- બગોળી ગામ ના નરવાલી જી.પાર (મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે.

પોલીસે રોકડા રૂપીયા -૧,૪૬o
- ચાંદી તથા પીળી ધાતુના દાગીના ની કિ. રૂ. ૯,૬૦૦,
મોબાઇલ ફોન નંગ- ૭ કિ. રૂ ૪૭,૫૦૦/
- કુલ મુદામાલ કિંમત રૂ. ૧,૧૮,૫૬૦/ કબ્જે કર્યો છે.

જ્યારે ચોરીની આરોપીઓએ કરેલ કબુલાતમાં
- (૧) આજથી આશરે બારેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઈ રેયસીંગભાઇ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ ધોરાજી, જમનાવડ રોડ પાસે આવેલું એક મકાનમાં પ્રવેશ કરી સોના તથા ચાંદીના દાગીનાની ચોરી કરેલની

કબુલાત આપેલ છે. ( ધોરાજી પો.સ્ટે.).
આજ થી આશરે દસ દિવસ પહેલા દિનેશભાઈ માનસિંહભાઈ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઈ

પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર ઐમ ચારેય જણાએ જેતપુર નવાગઢ ખોડીયાર માતાજી ના મંદિર પાસે મકાન પાસે પડેલ એક મો.સા. ની ચોરી કરેલની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો.સ્ટે.)
 આજ થી આશરે દસ દિવસ પહેલા દિનેશભાઇ બનસહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઇ

પાવર તથા કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ.બી.આઈ. બેંક પાસેથી એક મોબાઇલની દુકાનના તાળા તોડી પ્રશ કરી મોબાઇલ ફોન તથા રોક્રડ રકમની ચૌરી કરેલની કબુલાત આપેલ છે, જેતપુર સીટી પો.સ્ટે.
(૪) આજથી આશરે દશ દિવસ પહેલા દિનેશભાઈ બન સીંહભાઇ મોરી તથા ગીરધરભાઈ રેયસીંગભાઇ
પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર નવાગઢ એસ. બી.આઈ
, બેંક પાસેથી એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરેલ ની કબુલાત આપેલ છે. (જેતપુર સીટી પો. સ્ટે. ફ.ગુ.ર.ને ૧૧૬ ૧૯ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦,૩૭૯ ,૫૧૧)
 (૫) આજથી આશરે દશેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઈ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઈ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર, કેનાલ પાછળના ભાગેથી એક મસા.ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે. જેતપુર સીટી પો.સ્ટે.

- (૬), આજથી આશરે નવેક દિવસ પહેલા દિનેશભાઇ બનસીંહભાઇ મોરી તથા ગીરધરભાઇ રેયસીંગભાઇ પાવર તથા કમલેશ ભાઈ ઉર્ફે કમલ સમરૂભાઇ પાવર તથા અર્જુનભાઇ સમરૂભાઇ પવર એમ ચારેય જણાએ જેતપુર તાલુકાના જાંબુડી ગામેથી એક મસા ની ચોરી કરેલ ની કબુલાત આપેલ છે, (વિરપુર પો રે,
ઉ. ગુ.ર.ન. ૩૩ /૧૯ છે.પી કો કે, ૩૭e )



- આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઈન્સ.  એમ. એન. રાણા તથા એ.એસ.આઈ  પ્રભાતભાઈ રાયધનભાઇ બાલાસરા તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રવ્યુમનસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, મહેશભાઈ જાની, અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી તથા તેજશભાઇ મહિધરીયા તથા રવિદેવભાઇ બારડ પો. કોન્સ. નારણભાઈ પંપાણિયા , દિવ્યેશભાઇ દેવાયત ભાઈ સુવા, કૌશીકભાઇ જોષી , મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા , મનવીરભાઈ મિયાત્રા, બાલકૃષણભાઈ ત્રિવેદી, રસીકભાઇ જમોડ , રહીમભાઈ દિલ, તથા અનિરૂધ્ધસિંહ જાડેજા તથા
નરેન્દ્રભાઈ દવે વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

રવિવાર, 15 ડિસેમ્બર, 2019

ચીટફંડ(સંશોધન)બિલ ગુજરાતમાં પણ લાગુ કરવા રાજકોટના એજન્ટોની કલેકટરને રજૂઆત

કરોડો રૂપિયા લઈને ભાગેલી કંપનીઓ સામે
-----

ચીટફંડ(સંશોધન)બિલ ગુજરાતમાં  પણ લાગુ
કરવા રાજકોટના એજન્ટોની કલેકટરને રજૂઆત
-------

18મી ડિસેમ્બરે રાજકોટમાં નવનિર્માણ સેના દ્વારા
સૌરાષ્ટ્રભરના એજન્ટો-ગ્રાહકોની બેઠકનું આયોજન

રાજ્કોટ, તા.15
 દેશભર સહીત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ગરીબ પ્રજાના કરોડો રૂપિયા ઉસેડીને ભાગી ગયેલી કંપનીઓ સામે આક્રમક રીતે પગલાં ભરવા કેન્દ્ર સરકારે ચિટફંડ(સંશોધન) બિલ તાજેતરમાં પસાર કર્યું હતું.

જેની અમલવારી રાજસ્થાન સહિતના રાજ્યોમાં શરુ થઇ ગઈ હોય, ગરીબ પ્રજા, એજન્ટો અને સંસ્થાના કર્મચારીઓને ફસાવનાર કંપનીના ડિરેક્ટરો સામે કાનૂની પગલાં લેવાની કાર્યવાહી શરુ થઇ ગઈ છે.

આવા ચીટફંડ(સંશોધન)બિલની ગુજરાતમાં હજુ અમલવારી શરુ ના થઇ હોય, તાકીદે શરુ કરવાની માંગ સાથે બે દિવસ પહેલા રાજકોટના એજન્ટોએ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી જઈને એક આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનમાં એજન્ટોએ જણાવ્યું હતું કે રાજકોટ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર અને આદર્શ ક્રેડિટ સોસાયટી જેવી 150 થી વધુ કંપનીના સંચાલકો પ્રજાને ગેરમાર્ગે દોરી, લાલચ આપી કરોડો રૂપિયા એજન્ટો અને કર્મચારીઓ મારફત ઉઘરાવી પોતપોતાની સંસ્થા બંધ કરી દીધી છે.




પરિણામે સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક એજન્ટો અને કર્મચારીઓ ભારે મુસીબતમાં ફસાઈ ગયા છે. કારણ આ લોકોએ પૈસા ઉઘરાવીને જે તે કંપનીના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરી દીધા પછી પાકતી મુદ્દતે પૈસા પાછા વાળવા રીતસરની છેતરપિંડી કરતા ગરીબોની મરણમૂડી સમાન પૈસા આવી કંપનીઓમાં ફસાઈ જતા રોજ બરોજ ગ્રાહકો અને એજન્ટો સાથે તકરારો થઇ રહી છે.

સૌરાષ્ટ્રમાં  અમુક જગ્યાએ તો આવી ચીટફંડ કંપનીઓ સાથે ભોળવાઈને સંકળાયેલા કર્મચારીઓ અને એજન્ટો આપઘાત કરવા લાગ્યા છે. ટૂંકમાં ફરેબી કંપનીઓએ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરીને તેઓની કંપની બંધ કરી દેતા રોકાણકારો, એજન્ટો, કર્મચારીઓ સૌ કોઈ દયનિય હાલતમાં મુકાઈ ગયા છે.

ત્યારે બીજીબાજુ સરકારે આવી ચીટફંડ કંપનીઓ સામે આકરા પગલાં ભરવાની કાર્યવાહી માટે તાજેતરમાં ચીટફંડ(સંશોધન) બિલ પસાર કરતા હવે કંપનીના સંચાલકો સામે તવાઈ આવશે તેવી  પૈસા ગુમાવનાર વર્ગમાં આશા જન્મી છે. પણ દુઃખની વાત એ જાણવા મળી છે કે આવા ચીટફંડ બિલની અમલવારી હજુ ગુજરાતમાં શરુ થઇ નથી. જેની અમલવારી ચાલુ કરવા બે-ત્રણ દિવસ પહેલા રાજકોટમાં નવનિર્માણ સેનાના રાજેશ પરમારના નેજા હેઠળ એજન્ટોએ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી જઈને આવેદન આપ્યું હતું.

આ તકે રાજેશ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અનેક કંપનીઓમાં ફસાયેલા પૈસા કઢાવવાની ચર્ચા વિચારણા અને ફરિયાદો માટે શું કરવું ?  તે માટે આગામી 18મી ડિસેમ્બરે રાજકોટ ખાતે, રેસકોર્ષમાં સવારના 10થી1 વાગ્યા દરમિયાન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય, એજન્ટો, રોકાણકારોએ જોડાવા તેમજ વધુ વિગતો માટે મો.નં. 7016229340 પર સંપર્ક અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુરુવાર, 22 ઑગસ્ટ, 2019

સોમવાર, 29 જુલાઈ, 2019

દાસની ડણક બની ભૂતકાળ : સૌરાષ્ટ્રમાં અલગ સરકાર ચલાવતા, કાંડા બળિયા નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું નિધનની સર્વત્ર શોક..


દાસની ડણક બની ભૂતકાળ : સૌરાષ્ટ્રમાં અલગ સરકાર ચલાવતા, કાંડા બળિયા નેતા  વિઠ્ઠલભાઈ રાદડીયાના નિધનથી સર્વત્ર શોક..
(કશ્યપ જોશી)
@@@@@@@@@@@@@
કાલે વહેલી સવારે પાર્થિવ દેહ અમદાવાદથી જામકંડોરણા લવાશે; સવારે 7 થી 12 ક્ધયા છાત્રાલય ખાતે અંતિમ દર્શનાર્થે રખાશે: બપોરે 1 વાગ્યે નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા :રાજકારણ, સહકારી, સામાજીક, ખેડુત નેતા તરીકે તમામ ક્ષેત્રોનાં ‘અદકેરા યોદ્ધા’ :પોણા બે વર્ષથી બિમારીની સારવાર હેઠળ રહેલા વિઠ્ઠલભાઈએ સવારે અંતિમ શ્ર્વાસ લીધા: ‘સૌરાષ્ટ્રના સિંહ’, ‘છોટે સરદાર’, તરીકે લોકપ્રિય :રાજકારણથી માંડીને સમગ્ર જાહેર જીવનમાં શોકનું મોજુ; વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી રૂપાણી વગેરેની શોકાંજલી
@@@@@@@@@@@@@@@@

સૌરાષ્ટ્રનાં સિંહ તરીકે જાણીતા તથા રાજકીય સહકારી, સામાજીક, ધાર્મિક સહીતના તમામ ક્ષેત્રોમાં આગવી નામનાં ધરાવવા સાથે લડાયક નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાનું આજે સવારે દુ:ખદ અવસાન થયુ હતું. તેઓ 61 વર્ષના હતા.

80 ના દાયકામાં રાજકીય સફર શરૂ કરનારા અને સફળ થવા માટે ઘણા સંઘર્ષો કર્યા બાદ લોકસેવાને જ જીવનનો મંત્ર બનાવી દેનારા વિઠ્ઠલભાઈ રાદડીયાનું લાંબી બિમારી બાદ આજે સવારે નિધન થયુ હતું. અમદાવાદ ખાતે અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જાહેર ક્ષેત્રમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

વિઠ્ઠલભાઈ રાદડીયાએ અંતિમ શ્ર્વાસ ખેંચ્યા તે વખતે પુત્ર અને રાજયના પ્રધાન જયેશભાઈ રાદડીયા, અરવિંદ તાળા, રાદડીયા પરિવારના સભ્યો સહીતના આગેવાનો હાજર હતા દરેકની આંખો ભીની થઈ હતી.

વિઠ્ઠલભાઈ રાદડીયાનું અંદાજીત બે વર્ષ પૂર્વે આરોગ્ય લથડયુ હતું. આ વખતે તેમને અમદાવાદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબો વખત હોસ્પીટલમાં રહ્યા બાદ અમદાવાદમાં જ નિવાસસ્થાન પર તબીબી ટીમ દ્વારા નિયમીત સારવાર કરવામાં આવી રહી હતી. તેઓની તબીયત સ્થિર થવા સાથે ધીમો સુધારો હતો પરંતુ આજે તબીયત વધુ નબળી પડી ગયા બાદ સવારે 10 વાગ્યાનાં અરસામાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. આ વખતે જયેશ રાદડીયા તથા પરિવારનાં સભ્યો સાથે હાજર અરવિંદ તાળાએ કહ્યું હતું કે સવારે તબીયત લથડતા તાબડતોબ પરિવારનાં સભ્યો સાથે પહોંચ્યા હતા.

સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને આજે રાત્રે અમદાવાદથી જામકંડોરણા લઈ આવવામાં આવશે. પાર્થિવ દેહ કાલે વહેલી સવારે જામકંડોરણા લાવવામાં આવશે. સવારે સાતથી બાર વાગ્યા સુધી તે અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે અને આવતીકાલે બપોરે એક વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે.

સહકારી અને ખેડૂત નેતા તરીકે જાણીતા અને ખરા અર્થમાં લોકનેતા બનેલા વિઠ્ઠલભાઈ રાદડીયા ચાર દાયકા જેટલી રાજકીય સફરમાં કોંગ્રેસ, રાજપામાં પણ રહી ચુકયા હતા અને છેલ્લે ભાજપમાં સામેલ થયા હતા.

1987 માં જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ બન્યા બાદ રાજકીય ક્ષેત્રે એક પછી એક ઉંચાઈ હાંસલ કરતા રહ્યા હતા. 1990 થી 2009 સુધી ધારાસભ્યોપદે રહેલા વિઠ્ઠલભાઈ રાદડીયા 1996 થી 1999 દરમ્યાન રાજય મંત્રીમંડળમાં કેબીનેટ પ્રધાનપદે રહી ચુકયા હતા. ખાણ ખનીજ તથા સહકારી વિભાગનો હવાલો હતો.

રાજયના રાજકારણમાંથી તેઓએ રાજકીય રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો સામાન્ય ચૂંટણીમાં પોરબંદર લોકસભા બેઠકથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. સંસદમાં પણ બે ટર્મ રહ્યા હતા.

આ સિવાય રાજકોટ જીલ્લા સહકારી બેંકમાં વર્ષો સુધી ચેરમેન રહ્યા હતા. ઉપરાંત માર્કેટ યાર્ડ સહીતની સહકારી સંસ્થાઓમાં પ્રમુખ રહ્યા હતા સહકારી સંસ્થાઓમાં પ્રમુખ ગમે તે હોય તેમાં દબદબો વિઠ્ઠલભાઈ રાદડીયાનો જ રહેતો હતો અને તેમનાં સમર્થક જ પ્રમુખપદે રહેતા હતા.

સામાજીક ક્ષેત્રે પણ મોટુ યોગદાન જાણીતું છે. હરીદ્વાર, મથુરા, નાથદ્વારા જેવા ધર્મસ્થાનોમાં પાટીદાર સમાજ ભવન ઉભા કરવા, ક્ધયા છાત્રાલયો સ્થાપવા, ગૌશાળા સહીતના કાર્યો એકલા હાથે ઉપાડયા હતા અને તેમાં સમાજનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.

ચારેક વર્ષ પુર્વે કેન્સરની બિમારી લાગુ પડયા બાદ અમેરીકામાં ઓપરેશન કરાવીને આ રોગને મ્હાત આપી હતી અને સાજા-નરવા થઈને ફરી જાહેર જીવનમાં સક્રિય થઈ ગયા હતા. જોકે 2017 ના અંતિમ મહિનાઓમાં તબીયત લથડી હતી અને લાંબી સારવાર છતાં ફરી તેમાંથી બેઠા થઈ શકયા નહોતા અને આજે નિધન થયુ હતું.

તેઓના અવસાનનાં સમાચારને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીથી માંડીને પ્રધાનો-ધારાસભ્યો આગેવાનોએ ઉંડા શોક દર્શાવીને શોકાંજલી આપી હતી.

સોમવાર, 4 માર્ચ, 2019

શુક્રવાર, 4 જાન્યુઆરી, 2019

આનંદો ! એઇમ્સને લીધે રાજકોટને મળશે મેડીકલ કોલેજ



રાજકોટને એઈમ્સની સુવિધા મળવા પાછળ આરોગ્ય ક્ષેત્રે સૌરાષ્ટ્ર ઘણું પાછળ હોવાનું મહત્વનું કારણ છે. સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ અછત મેડીકલ ઓફિસરોની રહી છે આ હોસ્પિટલમાં લાંબા સમયથી ૫૫ મેડીકલ ઓફિસરમાંથી માત્ર ૧૦થી ૧૨ ડોકટરો ફરજ બજાવી શકે છે. ૩૦થી વધુ જગ્યાઓ ખાલી પડી હોવા છતા ંતેની કોઈ ચિંતા કરતું નથી. આ જ પ્રકારની સ્થિતિ સામુહિક આરોગ્ય કેન્દ્રની જોવા મળે છે. રાજકોટ જિલ્લામાં ૧૪ આરોગ્ય કેન્દ્રમાં ૪૨ મેડીકલ ઓફિસરો હોવા જોઈએ પરંતુ તેની સામે ૨૪ જગ્યાઓ ખાલી પડી હોવાથી દર્દીઓને સારવાર માટે દરરોજ ધક્કા ખાવા પડે છે.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલની ડોકટરોની કાયમી અછત નિવારવા માટે અનેક વખત રજુઆતો થઈ હોવા છતાં ભરતી થતી નથી. એ જ રીતે સુપરસ્પેશ્યાલીસ્ટની પોસ્ટ પણ લાંબા સમયથી ખાલી હોવાથી પાર્ટ ટાઈમ નિમણુંક કરીને ગાડુ ગબડાવવું પડે છે. રાજકોટની સીવીલ હોસ્પિટલની માફક ગામડા અને તાલુકાની આરોગ્યની કંગાળ સ્થિતિનો ચિતાર આપી સુત્રો જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં છેલ્લા ૩ વર્ષ દરમિયાન જિલ્લામાં ૧૬ કરોડ રૂા.નું આંધણ કરીને ૧૬ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૨ ડોકટરોની નિમણુંક કરવામાં આવી છે. ૧૦ ડોકટરોની જગ્યા ખાલી પડી છે. એ જ રીતે સબડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં જેતપુરની સરકારી હોસ્પિટલમાં ૪ ની સામે ૨ ધોરાજીમાં પણ ૪ ડોકટરોની સામે ૨ જગ્યા ખાલી પડી છે. ઉપલેટામાં ૧ અને ગોંડલની સરકારી હોસ્પિટલમાં અડધો અડધ ડોકટરોની જગ્યા ખાલી પડી છે.

રાજકોટ જિલ્લામાં એક માત્ર પડધરીનું સામુહિક આરોગ્ય કેન્દ્ર એવું છે જયાં ૩ ડોકટરોની તમામ જગ્યા ભરેલી છે. એ સિવાય તમામ આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની જગ્યા ખાલી છે. જેના કારણે ગ્રામીણ વિસ્તારનાં દર્દીઓની સારવાર થતી નથી. જેનો ભાર જિલ્લા કક્ષાની સરકારી  હોસ્પિટલે ભોગવવો પડે છે. રાજકોટની મેડીકલ કોલેજ પણ લાંબા સમયથી અધ્યાપકોની તંગી ભોગવી રહી છે.

રાજકોટ જેવું જ આરોગ્ય સારવારનું કંગાળ ચિત્ર આખા રાજયમાં જોવા મળતું હોવાનું જણાવી ઉચ્ચ અધિકારી સુત્રો જણાવે છે કે, વર્ષ ૨૦૧૮ - ૨૦૧૯માં રાજય સરકારે જે આરોગ્ય સેવા માટે વાર્ષિક માત્ર રૂા ૧૪૭૯ની જોગવાઈ કરી છે. જેને લીધે પ્રતિદિન માત્ર રૂા ૪ આરોગ્ય સારવાર પાછળ વાપરવામાં આવે છે. જેના કારણે ઘણાં આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની સાથે દવા અને સાધનોની અછત જોવા મળે છે. જરૂરીયાતમંદ દર્દીઓ બિમારીમાં સબડતા રહે છે જેની કોઈ સારવાર કરતું નથી.

નવા હોસ્પિટલ બિલ્ડીંગ માટે આધુનિક સાધનોનું આગમન

ડબલ લાભ... એઇમ્સ ને લીધે રાજકોટને મળશે મેડીકલ કોલેજ

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૧૫૦ કરોડની મીની એઇમ્સ જેવી હોસ્પિટલ બે મહિનામાં ચાલુ થશે
રાજકોટને એઇમ્સની આધુનિક આરોગ્ય લક્ષી સારવાર ઉપલબ્ધ થનાર હોવાની વિગતો જાહેર થયા બાદ આજે સિવીલ હોસ્પિટલના તજજ્ઞાોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ કેન્દ્ર સ્થાને રહ્યું હોવાથી અહીં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ૧૫૦ કરોડના કરોડ જે હોસ્પિટલ ઉભી થઇ રહી છે તેનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું હોવાથી બે મહિનામાં જ ૨૦૦ બેડની આધુનિક હોસ્પિટલ શરૂ થઇ જશે.

રાજકોટની સિવીલ હોસ્પિટલમાં કેમ્પસમાં જે નવી હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમાં આધુનિક મશીનો પણ ટુંક સમયમાં આવનાર હોવાનું જણાવી મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, હૃદય રોગની ચિકિત્સા માટે ટુડી ઇકો મશીનનો ઓર્ડર અપાઇ ગયો છે. ડીઝીટલ એકસ - રે મશીન અત્યારે જ આવી ગયું છે. તે તો રૂમનું બાંધકામ પુરૂ થયા બાદ તે કાર્યરત થયા બાદ ડીઝીટલ એકસ - રે ની કામગીરી શરૂ થશે. રાજકોટને એઇમ્સની સુવિધા મળતા વધુ એક ૧૦૦ બેઠકની અન્ડર ગ્રેજયુએટ મેડીકલ કોલેજની સુવિધા ઉભી થશે પોસ્ટ ગ્રેજ્યુએટની ૪૦ સીટો વધશે એ જ રીતે સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સુવિધા પણ ઉભી થશે. તેથી એઇમ્સના આગમન સાથે રાજકોટને વધુ એક મેડીકલ કોલેજમાં લાભ મળશે. જેનું સંચાલન દિલ્હીના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.

વેલડન, ઇન્ટરપોલ વેલડન, વેપારીના રૂ.૧૨ લાખ પરત અપાવ્યા

એક વર્ષ પહેલા ઈ-મેઈલ હેક કરાતાં રાજકોટનાં વેપારીએ ગુમાવેલા 12 લાખ ઈન્ટરપોલે પરત અપાવ્યા
જવલ્લે જ બનતી ઘટના, સદ્નસીબે વિદેશની બેંકના ખાતામાં રકમ સ્થગિત કરાતા વેપારીને લાભ થયો

રાજકોટમાં કેમિકલનો ધંધો કરતાં વેપારી સાવન દિનેશભાઈ ઢોલરીયા (રહે. તંતી પાર્ક શેરી નંબર - ૪૬) ૧૫૦ ફુટ રીંગ રોડ) નો ઈમેઈલ  હેક કરી વિદેશની બેંકનાં ખોટા ખાતા નંબર આપી ૧૨,૧૪,૩૦૪થી ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદમાં ઈન્ટર પોલની મદદ લેવાતા અંતે ઠગાઈની રકમ પરત મળી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ફરિયાદી સાવનભાઈ પિતા અને ભાઈ સાથે શ્રી નવદુર્ગા સેલ્સનાં નામથી કેમિકલનો વેપાર કરે છે.

તેણે ધંધા માટે નેટ પર સર્ચ કરી એરોમેટીક વાઈટ સ્પીરીટ કેમિકલનાં ઈ.મેઈલ એડ્રેસ પર કુવેત ઈન્ટરનેશનલ ફેકટરી ફોર વ્હાઈટ સ્પીરીટ નામની કંપનીનો સંપર્ક કરી માલ મંગાવ્યો હતો. જેમાં તેણે એડવાન્સમાં નાણાં બેંક ઓફ બરોડામાં તેની પેઢીનાં ખાતામાંથી કોમર્શીયલ બેંક ઓફ કુવેતનાં બેંક ખાતામાં જમા કરાવ્યા હતાં તેને સમયસર માલ મળી જતા તેણે બીજી વખત ૪૦ ટકા રકમ જમા કરાવી ચાર કન્ટેનર માલ મંગાવી બાકી રહેતો ૬૦ ટકા રકમ રફીશન બેંક કુવેતનાં ખાતામાં જમા કરાવ્યા હતાં. તેને હવે જુનુ બેંક ખાતું નથી વાપરતાં તેમ ઈ-મેઈલ મારફતે જાણ કરી હવે નવી બેંક કુવેતનાં ખાતામાં રકમ જમા કરાવવાનું કહેતાં તેણે વિશ્વાસમાં આવી બાકી રહેતી ૬૦ ટકા રકમ એટલે ૧૭૮૧૭ ડોલર પોતાની પેઢીના ખાતામાંથી રફીશન બેંક કુવેતનાં ખાતામાં જમા કરાવ્યા હતાં.


બીજા દિવસે તેને સંબંધીત વિદેશી પેઢી તરફથી જાણ કરવામાં આવી હતી કે, બેંક એકાઉન્ટ અંગેનો ઈ.મેઈલ તેઓ તરફથી કરવામાં આવ્યો નથી. તેનું ઈ.મેઈલ એડ્રેસ કોઈએ હેક કરી આ મેઈલ મોકલ્યાનું કહેતા ફરિયાદીએ પોતાની પેઢીનાં ખાતામાંથી રફીશન બેંકમાં મોકલેલી રકમ સ્થગીત કરાવી નાખી હતી. ત્યારબાદ બેંક તરફથી તપાસ કરાવતાં જાણવા મળ્યું કે, તેણે પાછળથી જે ૬૦ ટકા રકમ મોકલી હતી તે પ્રાગ ઝેક રિપ્બલીક મુકામે રફીશન બેંકનાં ખાતામાં જમા પડી છે. અંતે ફરિયાદીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગઈ તા.૧૭.૧.૨૦૧૮નાં રોજ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસને જાણવા

સંગીત શીખતો છાત્ર કદી ક્રાઈમ ના આચરે


- સંગીત વ્યકિતને પ્રાણવાન - શ્રધ્ધાવાન બનાવે છેઃ પંડિત રાજન સાજન મિશ્રા

- દેશના દરેક પ્રાન્તમાં સંગીતનો અમુલ્ય વારસો સચવાયો છે તેનું જતન કરી રાષ્ટ્રીય એકતા મજબુત બનાવવા પદમ વિભુષણ એવોર્ડ વિજેતા ગાયકોની હિમાયત 
- રાજકોટમાં સાત દિવસના સપ્ત સંગીત કાર્યક્રમનો શુભારંભ; પ્રથમ દિવસે મોડી રાત્રિ સુધી વિવિધ રાગોની અનુભૂતિ દ્વારા ભાવિકો ભાવ વિભોર
- ભારતીય શાસ્ત્રોએ દરેક પ્રહરનાં રાગ દર્શાવ્યા છે જે સ્વરોના નાદ સાંભળવાથી  વ્યકિત હરહંમેશ પ્રસન્નતા અનુભવે છે;  અહંકારને ઓગાળવાનું કામ કરે છે સંગીત 

સંગીતએ ઇશ્વરની આરાધના છે શાસ્ત્રીય સંગીત દ્વારા વ્યકિતના અંતરના નાદ ઇશ્વરિય તત્ત્વો સાથે જોડાઇ જાય છે' તેમ આજ રોજ અહીં શાસ્ત્રીય ગાયન ક્ષેત્રે પદમ વિભુષણ એવોર્ડ મેળવનાર બનારસ ધરાનાના જાણીતા ગાયક પંડિત રાજન - સાજન મિશ્રાએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, જે બાળકોને શાળામાં કોઇપણ પ્રકારનું સંગીત શિખવાની તક મળે છે તેઓ કદાપિ ક્રાઇમની દિશામાં આગળ વધતા નથી. માટે દરેક શાળામાં સંગીતમાં સંગીતનો અભ્યાસ ફરજીયાત હોવો જોઇએ.

હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં અગ્રીમ પંકિતની પ્રતિભાશાળી જોડી તરીકે જાણીતા એવા પંડિત રાજન - સાજન મિશ્રાના ગાયન કાર્યક્રમથી રાજકોટમાં સપ્ત સંગીત સમારોહનો પ્રારંભ થયો હતો. અહીંના હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત સાત દિવસના સંગીત - નૃત્ય અને ગાયન સમારોહના પ્રારંભે આજે શાસ્ત્રીય ગાયનની વિવિધ પ્રસ્તુત એ સંગીત રસિકોને મોડી રાત્રિ સુધી અલૌકિક અનુભૂતિ કરાવી હતી.
રાજકોટમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના મહત્ત્વ અને દિન - પ્રતિદિન વધતા જતા  વ્યાપના સંદર્ભમાં પંડિત રાજન - સાજન મિશ્રાએ જણાવ્યું હતું કે તાજેતરમાં જે 'ભૈરવથી ભૈરવ સુધી'નાં નામનો કાર્યક્રમ વિદેશના ૧૩ દેશોમાં રજૂ કર્યો ત્યારે જાણવા મળ્યું છે કે યુરોપના જે દેશોના લોકોને ભારતીય ભાષાનું જ્ઞાાન નથી તેઓ પણ આપણી સંગીતની ભાવદશા નિહાળીને અંતરાભિમુખ બની ગયા હતા. સ્વરોની દુનિયાનો વિરલ સ્પર્શ થતા જાહેર કાર્યક્રમોમા ંતેઓની આંખમાં અશ્રુધારા વહેતી જોવા મળી હતી.
ભારતીય શાસ્ત્રીય સંગીતએ આપણા ઋષિઓની વેદકાલીન સંસ્કૃતિની ફલશ્રુતિ છે તેમ કહી તેઓએ ઉમેર્યું હતું કે, આ શાસ્ત્રીય સંગીતને સાંભળવા અને શિખવા યુવાનોમાં રસ વધતો જાય છે તે અમાસ માટે પણ પ્રોત્સાહક બની રહ્યું છે. આજના યુવાનો સંગીત પ્રત્યે રસ - રૂચિ ધરાવેછે તે સુચાવે છે કે ભારતનું ભાવિ ઉજ્જવળ છે.

ભારતીય સંગીતના બનારસ ધરાનાના વાતો કરતાં તેઓએ ઉમર્યું હતું કે ધરાના તો સંગીતનો એક પ્રકાર છે પરંતુ દરેક સંગીતની શાસ્ત્રીય પ્રસ્તુતિ એ ઇશ્વરની અનુભૂતિનો જ વિષય છે સંગીતએ પરમ તત્ત્વની સાધના છે તેના દ્વારકા અંતરનાદ ઉઘડે છે. જેમ સંગીતની આરાધના કરતા - કરતા સમય પસાર થાય છે તેમ અંતરનાદ વધુ ઉંડાણથી સંભળાય છે જે આપણને સર્વવ્યાપક ઇશ્વરીય તત્ત્વનો સ્પર્શ કરાવે છે.
શાસ્ત્રીય સંગીતએ  વ્યકિતના અહંકારને ઓગળવાનું કામ કરે છે તેમ જણાવી તેઓએ શાસ્ત્રીય સંગીત - નૃત્ય - વાદન મળતા વિશેષ પ્રસન્નતાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું રાગ - રાગીણીઓની પ્રસ્તુતિ એ માનસિક બિમારીઓમાં આજ ઇલાજનું કામ કરી રહી છે. ભારતીય શાસ્ત્રોમાં દરેક પ્રહરનાં રાગ દર્શાવવામાં આવ્યા છે વહેલી સવારે ૪ વાગ્યે રાગ ભૈરવથી દિવસનો પ્રારંભ થાય છે ત્યારબાદ ક્રમશઃ રાગ લલીત, બટીયાર, તોડી સાંવરી, સારંગ, ભીમપલાસી, મુલતાની બાદ રાત્રે મધુવંતી, શ્રી, મારવા, શુધ્ધ કલ્યાણ, માલકૌશ દરબારી અને અંતે ભૈરવથી સમપાન થાય છે આ તમામ રાગ એ સુર્યની બદલાતી રહેલી દિશાની સાથે વ્યકિતના મુડને આનંદમાં રાખે છે. પ્રસન્નતા બક્ષે છે.

ભારતીય માતા - પિતા માટે સંગીતના સંસ્કાર બાળકોને આપવાનું કામ ધર્મમય બનવું જોઇએ તેમ કહી તેઓએ આજે જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદનાં નામે  આઝાદીના ૭૦ વર્ષ પછી પણ આપણે એક ભારતીય નથી બની શક્યા તેના પ્રત્યે દુઃખની લાગણી વ્યકત કરી હતી. ભારતના દરેક પ્રાંતમાં સંગીતનો અમુલ્ય વારસો પડયો છે તેનું જતન કરી રાષ્ટ્રીય એકતા પ્રસ્થાપિત કરવાની તેઓએ હિમાયત કરી હતી. નિઓ રાજકોટ ફાઉન્ડેશના ઉપક્રમે આજથી સપ્ત સંગીતિ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સાત દિવસ સુધી સુવિખ્યાત કલાકારોની આ કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુતિ રજૂ થશે.