અનુયાયીઓ

ગુરુવાર, 17 ડિસેમ્બર, 2020

દીવ: ઘોઘલા ખાતે પોલિયો રસીકરણ બાબતે કાર્યશાળા યોજાઈ

દીવ, તા.17 

આરોગ્ય વિભાગ દીવ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સયુંકત આયોજનમા સી. એચ. સી. ઘોઘલા ખાતે આગામી પોલિયો રાઉન્ડ અને કોરોના રસીકરણ અંગે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


આ વર્કશોપમાં તમામ તબીબી અધિકારીઓ, આયુષ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ ઉપસ્થિત રહેલ. હેલ્થ ઓફિસર ડો સુલતાન ના જણાવ્યા મુજબ આગામી 17 જાન્યુઆરી ના દિવસે પોલિયો રવિવાર દરમ્યાન 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલીઓની રસી આપવામાં આવશે. એ ઉપરાંત ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં કોવિડ વેકશીન ની મંજૂરી આપ્યા બાદ રસિકરણ શરૂ કરવામાં આવશે. તેની તૈયારીઓ વિશેની તાલીમ WHO ના ડો. વિનયકુમાર દ્વારા આપવામાં આવી.

ટિપ્પણીઓ નથી: