અનુયાયીઓ

ગુરુવાર, 19 નવેમ્બર, 2020

"કોરોનાના ભયથી મુક્ત બનશો, તો આપમેળે કોરોનાથી મુક્ત બની જશો" - મનોજભાઈ ભેસદડીયાનો પ્રતિભાવ

 

૦૦૦૦૦૦

રાજકોટ સિવિલ હોસ્પિટલની સચોટ સારવારથી ગોંડલના મનોજભાઈ થયા કોરોનામુક્ત

૦૦૦૦૦૦

રાજકોટ, તા.૧૯ નવેમ્બર- "જો કોરોનાના ભયથી મુક્ત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુક્ત બની જશો" આ શબ્દો છે તાજેતરમાં કોરોનાને મ્હાત આપનાર મનોજભાઇ ભેસદડીયાના. જેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળેલ સુદ્રઢ સારવાર થકી કોરોના મુક્ત થયા છે અને તેનો શ્રેય મનોજભાઇ રાજ્ય સરકારને આપે છે.

મનોજભાઇ મૂળ ગોંડલના રહેવાસી છે, તેમને શરીરમાં તાવ અને કળતર થવા લાગી, ભોજનનો સ્વાદ અને સુગંધ પણ જતા રહ્યા, તેથી તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન અર્થે ગયા ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ વિશે વાત કરતા મનોજભાઇ જણાવે છે કે,"ગોંડલના કોરોનાનાં ખાનગી દવાખાનામાં દાખલ થવું અમારા માટે શક્ય નહોતું, કેમકે ત્યાંની ફી અમને પરવડે તેવી નહોતી, એ વખતે ગોંડલના પી.એચ.સી.ના ડોકટરે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનું સૂચન આપ્યું, એટલે હું તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો, ત્યાં મારી તપાસ કર્યા બાદ ફરજ પરના ડોકટરના સુચનથી મને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો. આવો ગંભીર રોગ લાગુ પડે તો તેની સારવાર પણ કેટલી મોંઘી હોય પણ સરકારને દાદ દેવી પડે, સિવિલમાં મારી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર ખાનગી હોસ્પિટલમાં સરકાર આપે એવી સુવિધાસભર સારવાર મને ડોકટરોએ આપી છે, દિવસમાં ૫-૫ વાર ડોકટરો મારી તબિયત ચેક કરવા માટે આવતા હતા, સવાર સાંજ ગરમાં ગરમ નાસ્તો, જમવાનું, આયુર્વેદિક ઉકાળા અને દવાથી જ હું સ્વસ્થ થયો છું, હું રાજ્ય સરકારનો આભારી છું કે તેઓ મારા જેવા કોરોનાના દર્દીઓને આટલી સારી સારવાર વિના મૂલ્યે આપે છે."

આમ, કોરોનાનાં દર્દીઓને કોરોના મુક્ત કરવામાં રાઉન્ડ ધ ક્લોક સેવારત ગુજરાત સરકાર અને સિવિલ હોસ્પિટલની સચોટ કામગીરીથી મનોજભાઈ જેવા દર્દીઓ કોરોના મુક્ત થઈ રહ્યા છે.

 

શુભમ અંબાણી                                        ૦૦૦૦૦


ટિપ્પણીઓ નથી: