અનુયાયીઓ

ગુરુવાર, 19 નવેમ્બર, 2020

તા. ૨૧ ના રોજ ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક યોજાશે

પાણી-પૂરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનો

રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

૦૦૦૦૦૦૦

રાજકોટ, 

 પાણી-પૂરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા. ૨૦ નવેમ્બર અને શુક્રવારે સવારે ૧૦-૩૦ કલાકે જસદણ તાલુકાના મેઘપર ખાતે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં, બપોરે ૨-૦૦ કલાકે વિંછીયા તાલુકાના મોટી-લાખાવડ ખાતે નિનામા બ્રીજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં, બપોરે ૩-૦૦ કલાકે ઓરી ખાતે ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


તા. ૨૧ ના રોજ ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક યોજાશે

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ, 

 તા. ૨૧ નવેમ્બરના રોજ બપોરના ૧૧-૦૦ કલાકે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલનની બેઠક યોજાશે. આ બેઠકમાં સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.


 

 

 

 




કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને

જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની મીટિંગ યોજાશે

૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ, 

 રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને તા. ૨૩ નવેમ્બરના રોજ બપોરના ૪-૦૦ કલાકે કલેકટર કચેરી, મીટિંગ હોલ ખાતે રાજકોટ જિલ્લાની જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની મીટીંગ યોજાશે. આ મીટિંગમાં સંબંધિત તમામ અધિકારીઓને હાજર રહેવા યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: