દિવાળીના દિવસોમાં પણ સેવા નિરંતર ચાલુ રખાઈ
રાજકોટ:
સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ ગુજરાત સંચાલિત "બા"નું ઘર નિરાધાર મહિલા વૃદ્ધાશ્રમના સંચાલકો અને સેવાભાવીઓએ દીપોત્સવી પર્વ દરમિયાન પણ સેવા ચાલુ રખાતાં આ વાતની જાણકારોમાં સરાહના થઇ રહી છે.
કોરોના કાળમાં કફોડી હાલતમાં મુકાઈ ગયેલા લોકો સારી રીતે દિવાળી ઉજવી શકે તે માટે જરૂરિયાતમંદોને ઘેર ઘેર જઈને સેવાભાવીઓએ તેલ, ગોળ, લોટ, કઠોળ, ચોખા, ખીચડી, સાબુ, શેમ્પુ મળીને 13 કિલોની કીટ બનાવીને વિતરણ કરાઈ હતી. આ સત્કર્મમાં સંસ્થાના ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગિએતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન મેરજા અને સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સૌથી ઉત્તમ સેવાની એ વાત જોવા મળી કે આ સંસ્થાના સભ્યોએ દિવાળીના દિવસે ફટાકડા ન ફોડીને , જન્મદિન કે મગ્ન વર્ષગાંઠ ન ઉજવીને બચત કરેલી રકમમાંથી સેવા કરી રહ્યા છે.
આગામી 27મી નવેમ્બરે આ સંસ્થા બાવાજી પરિવારની જરૂરિયાતમંદ દીકરીને, કરિયાવર સાથે સ્વમાનભેર પરણાવીને સાસરિયે મોકલશે. સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવાના આશયથી કોઈ નાનું મુતુ દાન આપવા માંગતું હોય તેવા દાતાઓએ મો.94267 37273, 94291 66766નો સંપર્ક કરી વિશેઃ જાણકારી મેળવી શકે છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 21 નવેમ્બર, 2020
"બા"નું ઘર નિરાધાર મહિલા વૃધાશ્રમે 18 વર્ષથી ચાલતી સેવાની સરાહના
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો