અનુયાયીઓ

શનિવાર, 21 નવેમ્બર, 2020

કોડીનારના કોબ્રા કમાન્ડોના ભેદી મૃત્યુનો આક્રોશ : રેલી યોજી વિરોધ



યોગ્ય તપાસ ન થાય તો આંદોલનની ચીમકી

કોડીનાર, 

કોડીનારના સ્વ. અજીતસિંહ પરમારના મધ્યપ્રદેશમાં રહેયમય મૃત્યુ અને રેલવે પોલીસ દ્વારા કોઈપણ જાતની તપાસ વગર દંફનવીધીને લઈ શહેરીજનોએ રોષ વ્યકત કરી, રેલી યોજીઆ મામલે સી.બી.આઈ.તપાસની માંગ સાથે કોડીનાર મામલતદારને આવેદન આપ્યું હતું.

સીઆરપીએફના કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારનો મધ્યપ્રદેશમાંથી અગમ્ય કારણોસર મૃતદેહ મળી આવતા પરિવાર સહિત સમગ્ર કોડીનાર શહેરમાં આક્રોશ છવાયો છે. અત્રે એ નોંધીનીય છે કે કોબ્રા કમાન્ડોની 10 હજાર આર્મી જવાનોમાંથી માત્ર 5 જવાનોની જ પસંદગી થતી હોય છે. ત્યારે કોડીનારનાં એકમાત્ર કોબ્રા કમાન્ડોનાં મૃત્યુનાં રહસ્યની  સીબીઆઈ દ્વારા તપાસ થાય અને ન્યાય આપવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી અપાઈ છે.
મૂળ ગીર સોમનાથનાં કોડીનારનાં વતની અને બિહાર સીઆરપીએફ ની 205 રેજીમેન્ટમાં ફરજ બજાવતા કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમાર દિવાળીની રજાઓમાં દિલ્હીથી રાજધાની એકસપ્રેસ ટ્રેન મારફતે વડોદરા આવી રહ્યા હતા. ટેન મુંબઈ પહોંચી ત્યારે રાજધાની એક્સપ્રેસ નાં એ.સી.કોચ માંથી માત્ર તેઓનો સામાન મળ્યો..!! અજીતસિંહ ગુમ હતા.કોડીનાર સ્થિત પરિવારે તપાસ કરતા મુંબઈ પોલીસનો સંપર્ક થયો.માત્ર સામાન જ મળ્યો તે જાણી પરિવાર ચિંતિત બન્યો. અજીતસિંહ વડોદરા પણ ઉતર્યા ન હતા.

બીજે દિવસે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનાં આલોટ નજીકના રેલવેટેક પાસેથી તેઓની ડેડબોડી મળી આવી.રેલવે પોલીસ દ્વારા અજિતસિંહની ડેડબોડી કોઈપણ જાતની તપાસ કર્યા સિવાઈ દફનાવી દેવામાં આવી. પરિવાર જનોને જાણ થતાં તેઓ એમ.પી. પહોંરયા.રેલવે પોલીસને પુરાવા, આપી ડેડબોડીની માંગણી કરી.રેલવે પોલીસ દ્વારા આનાકાની અને બહાનાં બાજી બાદ આખરે અજિતસિંહની ડેડબોડી જમીનમાંથી કાઢી પીએમ કરીને મૃતદેહ માદરે વતન પહોંચાડાયો હતો.

ટિપ્પણીઓ નથી: