અનુયાયીઓ

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાં 33 મો સાંસ્કૃતિક લોકમેળો ખુલ્લો મુકાયો

જેતપુરમાં 33 મો સાંસ્કૃતિક લોકમેળો ખુલ્લો મુકાયો 
જેતપુર તા.3
લાઈન્સ કલબ જેતપુર દ્વારા આયોજિત 33 માં સાંસ્કૃતિક લોકમેળાનું આજે રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયાની હાજરી વચ્ચે એમજેએફ લાઈન મીના મહેતા(ડિસ્ટ્રીકટ ગવર્નર ડિસ્ટ 323-જે) ના હસ્તે થયું હતું. જયારે લાયન્સ ધ્વજારોહન રાજ્ય મંત્રી જયેશ રાદડિયાએ કર્યું હતું. મેળામાં અનેકવિધ રાઇડ્સ, મોતનો કુવો તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉભા કરાયા છે. 
અહીના જીમખાના મેદાનમાં આજથી શરુ થયેલ મનોરંજક લોકમેળો તા.8.9.15 સુધી ધૂમ મચાવશે, આજની મેળા ઉદ્ઘાટન વિધિ વેળાએ મોટી હવેલીના જેજે પ્રિયાંકરાયજી મહોદય , માજી ધારાસભ્ય જસુબેન, પાલિકા પ્રમુખ, જીમખાના મેદાન પ્રમુખ વસંતભાઈ પટેલ, માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, અગ્રણી ઉદ્યોગપતિઓ જયંતીભાઈ રામોલીયા, મનસુખભાઈ ખાચરીયા, લાઈન્સ મિત્રો ડોક્ટર જોશી, ભરત મહેતા, ભુપતસિંહ જાડેજા, વિરજીભાઈ વેકરીયા, રવિ આંબલીયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી પાંચ દિવસ સુધી મનોરંજકપ્રિય જનતા માટે ધૂમ મચાવનાર મેળાનો લાભ લેવા લાયન્સ ક્લબ પ્રમુખ અતુલ લાલકીયાએ અનુરોધ કર્યો છે.
ફોટો અને સમાચાર ; કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી: