અનુયાયીઓ

સોમવાર, 13 જુલાઈ, 2015

ડેડરવાની યુવતીએ ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી

પિતાએ કરેલી સગાઇ પસંદ નાં હોય
ડેડરવાની યુવતીએ  ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી 
જેતપુર તા.13
જેતલસર પંથકના ડેડરવા ગામની એક ખાંટ યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાની ઘટનાથી નાનકડા એવા આ ગામમાં અરેરાટી સાથે શોક વ્યાપ્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ડેડરવા ગામે રહેતા કાનજીભાઈ કચરાભાઈ મકવાણાની ચાર સંતાનોમાં બીજા નંબરની પુત્રી શીતલ ઉ.વ.21 એ આજે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી નાખ્યાની ઘટના બનતા ગામના સરપંચ મનજીભાઈ મકવાણા, ઉપસરપંચ જેન્તીભાઈ મકવાણા, સ્વાભાવી  આગેવાન રમેશભાઈ મુળિયા વિગેરે દોડી મૃતક શીતલની ડેડબોડી જેતપુરની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે લાવ્યા હતા.
મૃતક યુવતીના પિતા કાનજીભાઈએ પોલીસને વિગતો આપી હતી કે પોતાની પુત્રી શીતલની સગાઇ મેંદરડા તાલુકાના હિરણવેલ ગામના મેહુલ નામના યુવાન સાથે ત્રણ ચાર મહિના પહેલ સગાઇ થઇ હતી. પણ છેલ્લા ત્રણ ચાર દિવસ થયા શીતલ હિરણવેલ ગામ બહુ દુર થતું હોય, સગાઇ તોડી નાખવાની વાતો ઘરમાં દોહરાવતી હતી. તેણીની સ્વર્ગીય માતા શારદાબેનની ગેરહાજરીમાં બીજા પાત્રની શોધમાં હતા, પરંતુ અમોને શું ખબર કે મારી દીકરી આવું પગલું ભરી લેશે ?? આટલું કહેતા ભાંગી પડેલા પિતા કાનજીભાઈની કેફિયત પરથી જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાતે  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી 

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812 

માત્ર કાર્યાલયની જાણ ખાતર :
મેંદરડા તાલુકાના હિરણવેલ ગામના જગાભાઇ જીણાભાઇ ચાવડાના પુત્ર મેહુલ સાથે શીતલની સગાઇ થઇ હતી.
સમાચારમાં આપણે આ આખું નામ લઈશું તો બિચારો મેહુલ આજીવન કુંવારો રહી જશે !!


ટિપ્પણીઓ નથી: