અનુયાયીઓ

સોમવાર, 1 જૂન, 2015

જેતપુરવાસીઓ આનંદો...ભાદર ડેમમાં જુલાઈ-15 સુધી ચાલે તેટલું પાણી છે !!

>
પાલિકા પ્રમુખે લીધી ભાદર ડેમની મુલાકાત 
જેતપુરવાસીઓ આનંદો...ભાદર ડેમમાં 
જુલાઈ-15 સુધી ચાલે તેટલું પાણી છે !!
જેતપુર તા.1
જેતપુર શહેરમાં પ્રવર્તી રહેલ પાણી સમસ્યાથી ચિંતિત જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણા ગઈકાલે ભાદર ડેમની મુલાકાત લઈને ડેમમાં કેટલો જળ જથ્થો છે તેની જાત માહિતી લીધી હતી.
બાબતે જેતપુર પાલિકા પ્રમુખ રમાબેને જણાવેલ કે તેઓની ભાદર ડેમની મુલાકાત દરમિયાન જેતપુરવાસીઓએ હરખાવા જેવી તે વાત બહાર આવી હતી કે આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો જળજથ્થો છે. તેઓએ મેળવેલ આંકડાકીય માહિતીઓમાં હાલ સાડા તેર ફૂટ જેટલી પાણીની સપાટીમાંથી ત્રણેક ફૂટ કાંપનો અંદાજ કરીએ તો 10 ફૂટ પાણીની સપાટી ભાદર ડેમની જણાતી હોય, જેતપુર રાજકોટને જુલાઈ માસ સુધી ચાલે તેટલું પાણી છે, અને ત્યાં સુધીમાંતો મેઘરાજાની મહેર થઇ જશે એટલે બંને શહેરોનું જળ સંકટ મહત્તમ હળવું થઇ જશે. જેતપુર શહેર અને રાજકોટ હાલના દિવસોમાં પાણીનો કેટલો જથ્થો ઉપાડી રહ્યા છે ? તેવા સવાલના જવાબમાં જેતપુર પાલિકા પ્રમુખે જણાવેલ કે રાજકોટ દ્વારા 2.26 એમસીએફટી અને જેતપુર દ્વારા 5.74 એમસીએફટી જળ રાશી મેળવાઈ રહી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812

ટિપ્પણીઓ નથી: