અનુયાયીઓ

મંગળવાર, 2 જૂન, 2015

જેતપુરની ખાનગી સ્કુલે કરેલો રૂ.1000 ફી વધારો પાંછો ખેચાવ્યો !

જેતપુરના વાલીમંડળે સફળતાના કર્યા શ્રીગણેશ !!
જેતપુરની ખાનગી સ્કુલે કરેલો રૂ.1000 ફી વધારો પાંછો ખેચાવ્યો !
સ્પેસ સ્કુલના સંચાલકો બાળકોને લુંટવા માંગતાં હતા, પણ વાલીમંડળના આગેવાનો પહોચી ગયા. રૂ.1600 ના 2600 ફી કરી હતી પણ હવે માત્ર રૂ.1760/- ફી જ લેવા શાળા સંચાલકોની વાલી મંડળને ખાતરી અપાતા બાળકો-વાલીઓ ભારે ગેલમાં !!
જેતપુર તા.2
જેતપુર શહેરમાં ચાલતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓમાં કરાયેલ ફી વધારા બાબતે કોઈનો વિરોધ ના થાય તો બને તેટલા બાળકોને ફી બાબતે લુંટી લેવાની નીતિ અખત્યાર કરતા શાળા સંચાલકો સામે સ્ટેપ બાય સ્ટેપ પગલા ભરવા અને ભરાવવા કટ્ટીબદ્ધ જેતપુર નવાગઢ શહેર વાલીમંડળના આગેવાનોને આજે ગજબની સફળતા મળી હોવાનું જાણવા મળ્યું હતું..
જો કે ''ચમત્કાર વગર નમસ્કાર નહિ'' એવી કહાવત અક્ષરસઃ સાબિત થઇ હોય તેમ અહીની ખાનગી સ્કુલ સ્પેસના સંચાલકોએ અગાઉની નિયત ફી રૂપિયા 1600/- માં રૂપિયા 1000/- નો વધારો કરી ચાલુ સત્રથી રૂપિયા 2600/- તોતિંગ ફી વધારો વસુલવાનું નક્કી કરતા આ વાત જેતપુરના વાલીમંડળની અદાલતમાં આવી પહોચી હતી.
આ વાતનો ઉગ્ર વિરોધ નોંધાવવા અને ફી વધારો પાંછો ખેંચાવવાના આશય સાથે આજે આ શાળા પર વાલીમંડળના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાડવા(એડવોકેટ), ઉપપ્રમુખ મહમદભાઈ, અન્ય હોદેદારો શૈલેશ સાવલિયા વિગેરે દોડી ગયા હતા. અને બાળકોને લુંટવાનું બંધ કરો, ફી વધારો પાંછો ખેંચો, વિગેરે વાતોનો સુત્રોચ્ચાર કરી શાળા પરિસરને ગુંજવી દેતા, શાળા સંચાલકો ભારે મુંજવણ ભરેલી સ્થિતિમાં આવી જઈ વાલીમંડળના આગેવાનો સાથે બેઠક કરી,, સહકારાત્મક અભિગમ વચ્ચે રૂપિયા 1000 નો ફી વધારો પાંછો ખેંચી, નિયત ફી માં માત્ર રૂ.160 વધારો સુચવી રૂ.1760/- જ ફી લેવા ખાતરી આપતા ઉપસ્થિત બાળકો અને વાલીઓમાં રાજીપો છવાયો હતો. આ તકે આવતીકાલ તા.4.6.15 ના રોજ સવારે 10 કલાકે સ્પેસ સ્કુલના પરિસરમાં જ વાલીમંડળે એક બેઠકનું આયોજન કર્યું હોય, વિદ્યાઓ વિદ્યાર્થી ઓને મળતી સેવાઓ અને પડતી અગવડતાઓ બાબતે ચર્ચા વિચારણા કરવાની હોય, આ શાળાના વાલીઓએ હાજર રહેવા અનુરોધ કરાયો છે.
હવે બીજી શાળાઓમાં ફી વધારો પાછો ખેચાવાશે !
જેતપુર: વાલિમંડળના આગેવાનોએ પોતાની સફળતાના શ્રીગણેશ કર્યા બાદ તે શાળામાં ઉપસ્થિત શાળા સંચાલકો અને વાલીઓને જણાવેલ કે જેતપુર નવાગઢની હજુ ઘણી શાળાઓમાં પાછલા બારણેથી ફી વધારો ઠોકી બેસાડયો હોવાની ફરિયાદો મળી છે. કોઈ વાંધો ના ઉઠાવે તો અસહ્ય ફી વધારો વસુલવા પાછીપાની નાં કરવી તેવી નીતિમાં રાચતા શાળા સંચાલકો સામે જરૂર પડ્યે આંદોલનાત્મક કાર્યક્રમો પણ રજુ કરતા વાલીમંડળ અચકાશે નહિ તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.

સમાચાર અને ફોટો : કશ્યપ જે. જોશી જેતપુર 9974262812


ટિપ્પણીઓ નથી: